Posts

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર

Image
Indian Army: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ સેનાએ આપી જાણકારી

ભારતથી ડરી ગયા પાક.ના આતંકવાદીઓ-કટ્ટરપંથી નેતાઓ, બુલેટપ્રૂફ કાચ પાછળ ઉભા રહી આપ્યું ભારત વિરોધી ભાષણ

Image
Terrorists Support Pakistani Army: ગત 12 મે 2025ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક એવી રેલી યોજાઈ. જેણે પાકિસ્તાનની આતંકવાદ સમર્થક માનસિકતાને ફરીથી ઉજાગર કરી. દિફા-એ-વતન કાઉન્સિલ (DWC)ના બેનર હેઠળ આયોજિત આ રેલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને અહલે સુન્નત વલ જમાત જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતા સામેલ હતા. જિન્ના બાગમાં હજારો કટ્ટરપંથીઓએ પાકિસ્તાની સેનાના વખાણ કર્યા અને ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યા. રેલીમાં લશ્કરના કમાન્ડર ફૈઝલ નદીમે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળ ઉભા રહીને ભારત વિરોધી ઝેર ઓંક્યું. જેનાથી તેની કાયરતા પણ સામે આવી.

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

Image
India-Pakistan Tension:  નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.

મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક, 20 વિદ્યાર્થી સહિત 22ના મોત

Image
Myanmar Army Airstrike on School : મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.  

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

Image
CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, 'આ નવા ભારતની નીતિનું એલાન છે...

'પાકિસ્તાન માત્ર શાંતિનો દેખાડો કરે છે...', BLA એ ભારતની મદદ માગી, કહ્યું- અમને સ્વતંત્રતા જોઈએ

Image
BLA NEWS :  ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડીને બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ. બલૂચિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો પણ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે.

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ

Image
NIA arrest Kashmir Singh : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.  બિહારમાં ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી