Posts

ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન, વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક

Image
Uttarakhand News: ઉત્તરાખંડ વિધાનસભામાં આજે(21 ફેબ્રુઆરી 2025) પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, 1950) સંશોધક વિધેયક, 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન નહીં ખરીદી શકે. મળતી માહિતી અનુસાર, જે બે જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ નથી, તે છે હરિદ્વાર અને ઉધમ સિંહ નગર. આ સંશોધન નગર નિગમ સરહદની બહાર જમીન ખરીદી પર લાગુ થાય છે. રહેણાક ઉપયોગ માટે વગર મંજૂરીએ 250 ચોરસ મીટર જમીન ખરીદવાની મંજૂરી આપતી જોગવાઈ હજુ પણ અમલમાં રહેશે.

VIDEO: 'ભારતના આંતરિક મામલાઓમાં વિદેશી દખલ ચિંતાજનક', ટ્રમ્પના નિવેદન પર વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

Image
Foreign Ministry's Response To Trump's Statement : ભારતની ચૂંટણીમાં અમેરિકી ફડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે નિવેદન આપ્યું છે. જેને લઈને વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે, 'અમને અમેરિકી પ્રશાસન દ્વારા કેટલીક યુએસ ગતિવિધિયો અને ફડિંગ વિશે જાણકારી આપવામાં આવી. આ એક હેરાન કરનારી વાત છે. જેમાં ભારતના આંતરિક મામલામાં વિદેશી દખલગીરી ચિંતાનો વિષય છે.'

ખેડા અને ડાકોરમાં અપક્ષના 12 સભ્યોએ કેસરિયો ધારણ કરતા ભાજપને બહુમતિ

Image
Kheda Nadiad local body election : ખેડા જિલ્લાની પાંચ પાલિકાઓની ચૂંટણીમાં મહેમદાવાદ, મહુધા અને ચકલાસીમાં ભાજપને બહુમતિ મળી હતી. જ્યારે ખેડા અને ડાકોર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ હતી. જેથી બંને પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ગુરૂવારે ખેડાના પાંચ અને ડાકોરના સાત ચૂંટાયેલા અપક્ષ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા બંને પાલિકામાં ભાજપને બહુમતિ મળી ગઈ છે. આગામી સમયમાં ભાજપ દ્વારા તમામ સ્થાનો પર પોતાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.

IND vs BAN: ભવ્ય જીત સાથે ભારતની શરૂઆત, બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું

Image
India vs Bangladesh: રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી જીત થઈ છે. બાંગ્લાદેશના બેટર્સનું ફ્લોપ પ્રદર્શન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો.

દેશના વિવિધ ભાગોમાં બદલાશે મૌસમનો મિજાજ, કયાંક બરફ તો કયાંક વરસાદ પડશે

Image
WEATHER NEWS : મૌસમનો મિજાજ બદલાશે એવો હવામાનખાતા દ્વારા વરતારો મળી રહયો છે. દેશમાં રવિ સિઝનના ખેતીના પાક તેના અંતિમ તબક્કામાં છે અથવા તો ફલાવરિંગ સ્ટેજ વટાવી ગયા છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ પડવાની શકયતા ઉભી થઇ છે. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, નોએડા અને મુંબઇમાં વરસાદ થવાની શકયતા જણાય છે. એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી પહાડી વિસ્તારોમાં વરસાદની સાથે બરફ પડવાની પણ સંભવના છે.  મૌસમ વિભાગનું માનવું છે કે દિલ્હી અને આસપાસના શહેરોમાં ફરી એક વાર હવામાનમાં પલટો આવશે.

દિલ્હીના નવા મુખ્યમંત્રી માથે 'કાંટાનો તાજ'!, આ છે પાંચ સૌથી મોટા પડકાર

Image
Delhi News : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી 26 વર્ષ બાદ સત્તામાં આવશે, ત્યારે દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા બનશે. આવતીકાલે(20 ફેબ્રુઆરી) રામલીલા મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને 8 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થયા હતા. જેમાં ભાજપે ત્રણ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીને હરાવીને 48 બેઠકો જીતી છે, ત્યારે ખરાબ રોડ-રસ્તા, તૂટેલી ગટર લાઈનોમાંથી વહેતા ગંદા પાણી, કચરાના ઢગલા અને વિસ્તારોમાં નબળી સ્વચ્છતા વ્યવસ્થાથી પીડાતા લોકોની આશા વર્તાઈ રહી છે. જનતાને એવું લાગે છે કે, ભાજપની સરકાર સત્તામાં આવતાની સાથે તમામ સમસ્યાઓ દૂર થશે. ભારતમાં સરકાર આવતી-જતી રહે છે, પરંતુ સમસ્યાઓ યથાવત રહે છે.

સુનિતા વિલિયમ્સને અંતરિક્ષથી પરત લાવવા ખાસ પ્લાન તૈયાર, સાત એસ્ટ્રોનોટ્સની કેપેસિટીવાળી 'ડ્રેગન ક્રૂ' કેપ્સ્યૂલ લોન્ચ કરાશે

Image
Sunita Williams Rescue Mission: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગત વર્ષે ગયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને હજી સુધી ધરતી ઉપર પરત લાવી શકાયા નથી. તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તેમને ધરતી ઉપર પરત લાવી દેવાશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર બંને સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. તેમને સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ દ્વારા પરત લાવવાના હતા પણ ટેકનિકલ ખામીના કારણે તેઓ ત્યાં જ અટવાઈ ગયા હતા. માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં ગયેલા બંને અંતરિક્ષયાત્રીઓ છેલ્લાં આઠ મહિનાથી સ્પેસમાં અટવાયા છે. તેમાંય થોડા સમય પહેલાં સુનિતા વિલિયમ્સની તબિયત બગડી હતી જે હવે સ્વસ્થ છે.