વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી
Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ફ્લાઈટોને અસર પહોંચી છે. એર ઈન્ડિયા, સ્પાઇસજેટ, ઈન્ડિગો, આકાસા એરે એક એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને સચિત કર્યા છે કે, જો તેમની ફ્લાઈટનું શેડ્યુલ છે તો તેઓ સમયના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય.
Comments
Post a Comment