જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ


jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે  કે 7 મેના રોજ ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારથી સરહદ પર સતત ગોળીબાર ચાલુ છે.

ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ