દિલ્હીની વાત : મોદીએ શાહને દિલ્હી કેમ પાછા બોલાવ્યા ?
નવીદિલ્હી, તા.13 નવેમ્બર 2020, શુક્રવાર દિવાળી મનાવવા વતન ગુજરાત આવેલા અમિત શાહને નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રવાસ ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી આવી જવા કહેવાતાં રાજકીય અટકળો તેજ બની છે. શાહ રવિવાર સુધી દિલ્હી રોકાવાના હતા તેના બદલે મોદીનો આદેશ આવતાં શુક્રવારે સાંજે જ દિલ્હી પાછા ઉપડી ગયા. સત્તાવાર રીતે શાહના પ્રવાસ ટૂંકાવા પાછળ કોઈ કારણ નથી અપાયું પણ ભાજપનાં સૂત્રો બિહારની રાજકીય સ્થિતીને કારણભૂત ગણાવે છે. બિહારમાં ભાજપને નીતિશ કુમારની જેડીયુ કરતાં વધારે બેઠકો મળી તેના પગલે સરકારની રચનામાં મડાગાંઠ સર્જાઈ છે, નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે એ નક્કી છે પણ ખાતાંની ફાળવણીના મુદ્દે ખેંચતાણ ચાલુ છે. ભાજપનો આગ્રહ છે કે, ભાજપની રાજકીય તાકાત વધી છે તેથી ગૃહ મંત્રાલય સહિતનાં મહત્વનાં ખાતાં તેને અપાય પણ નીતિશ એ માટે તૈયાર નથી. જે.પી. નડ્ડા અને ભૂપેન્દ્ર યાદવ અત્યાર સુધી નીતિશ સાથે આ મુદ્દે વાત કરતા હતા પણ બંને ઢીલા પડી રહ્યા હોવાનું મોદીને લાગતાં તેમણે તાત્કાલિક શાહને બોલાવી લીધા. સૂત્રોના મતે, શાહ શનિવારે પટણા પણ જઈ શકે છે. ભાજપ દલિત નેતા ચૌપાલને નાયબ મુખ્યમંત્રી બનાવશે બિહારમાં એનડીએની સરકાર રચવા...