Posts

ઈસ્લામાબાદ મંત્રણા નિષ્ફળ: અમેરિકા-ઈરાન વચ્ચે 21 કલાકની ચર્ચા બાદ પણ સમજૂતી ન થઈ

Image
Islamabad Talks Fail : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વગર સમાપ્ત થઈ છે. 21 કલાક સુધી ચાલેલી ગહન ચર્ચા બાદ અમેરિકી પ્રતિનિધિમંડળે સ્પષ્ટ કર્યું છે કે ઈરાને તેમની શરતો સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે અમેરિકન ટીમ હવે સમજૂતી વિના જ સ્વદેશ પરત ફરી રહી છે. અમેરિકાનો 'અંતિમ અને શ્રેષ્ઠ' પ્રસ્તાવ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇસ્લામાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, "અમે ખુલ્લા મને મંત્રણા માટે આવ્યા હતા અને અમારો 'અંતિમ અને સર્વશ્રેષ્ઠ પ્રસ્તાવ' રજૂ કર્યો હતો. સારી વાત એ છે કે ઘણા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ થઈ, પરંતુ ખરાબ સમાચાર એ છે કે અમે કોઈ સમજૂતી સુધી પહોંચી શક્યા નથી.

ઈરાને અમેરિકા સામે મૂકી બે શરત, ટ્રમ્પ બોલ્યા અમારાં હથિયારો લોડ થઈ રહ્યાં છે

Image
US Iran Peace Talks in Pakistan: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈસ્લામાબાદમાં શનિવારે યોજાનારી શાંતિ વાર્તા અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાઈ ગઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વાર્તા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બઘેર ગાલિબફના નિવેદને આખી બાજી પલટી નાખી છે. ઈરાનની બે મોટી શરતો ઈરાની સંસદના અધ્યક્ષે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી આ બે શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી કોઈ વાતચીત શક્ય નથી. લેબનાનમાં સીઝફાયરની શરત, લેબનાનમાં ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર તાત્કાલિક અને અસરકારક યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે.

હુમલામાં 250 મોત, હોર્મુઝ ફરી બંધ, ઓઈલ મોંઘું... સીઝફાયરની શરતમાં ગૂંચવાડા બાદ જાણો 24 કલાકમાં શું શું થયું?

Image
Hormuz Strait Closed Amid Israel-Lebanon Conflict : અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ ક્રૂડ ઓઈલની કિંમત ધરખમ ઘટાડો અને મોટાભાગના દેશોના શેરમાર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જોકે હવે ઈઝરાયલે લેબેનોનમાં તબાહી મચાવતા ઈરાને ચાર દેશો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા કર્યા છે, જેના કારણે ફરી ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો થવા સાથે અનેક દેશોના શેરમાર્કેટમાં પણ ઘટાડો થયો છે. ઈઝરાયલે લેબેનોન પર હુમલો કરતા ઈરાનનો ચાર દેશો પર હુમલો મળતી વિગતો મુજબ, ઈઝરાયલે લેબેનોનમાં ભયાનક તબાહી મચાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફરી સ્થિતિ વણસી ગઈ છે. ઈઝરાયલે બુધવારે લેબોનોન પર ડ્રોન અને મિસાઈલો ઝીંકતા 250થી વધુ લોકોના મોત અને હજારોથી વધુ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે, ત્યારે આ હુમલાના કારણે હવે ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે.

મિડલ ઈસ્ટમાં સીઝફાયર બાદ હવે કતાર જશે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ, LNG સપ્લાય અંગે થશે વાતચીત

Image
Petroleum Minister Hardeep Singh Puri Qatar Visit : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી આજથી કતારની બે દિવસની સત્તાવાર યાત્રા કરવાના છે. તાજેતરમાં જ ઈરાને ભયાનક હુમલા કરીને કતારના ગેસ ઉત્પાદનને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે હરદીપ સિંહ પુરીની આ મુલાકાત બંને દેશો માટે અને ભારતના ગેસ ઉદ્યોગ માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારત કતાર પાસેથી મોટાપાયે લિક્વિડ નેચરલ ગેસ (LNG) કરીદે છે, તેથી પેટ્રોલિયમ મંત્રી ત્યાં LNGની સપ્લાયને લઈ મહત્ત્વની વાતચીત કરશે. હરદીપ સિંહની કતાર મુલાકાત કેમ જરૂરી ? રિપોર્ટ મુજબ, ભારત પોતાની જરૂરીયાતમાંથી લગભગ 40 ટકા એલએનજી કતારથી આયાત કરે છે.

કેરલમ, આસામ અને પુડ્ડુચેરીમાં મતદાન શરૂ; ક્યાંક સત્તાની હેટ્રિકની આશા તો ક્યાંક વનવાસ ખતમ કરવા મથામણ

Image
AI Image

‘ચૂંટણી પંચે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો’ ECની પોસ્ટથી TMC ભડકી, કેજરીવાલ-અખિલેશના પણ પ્રહાર

Image
Election Commission On TMC : પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે ચૂંટણી પંચે બુધવારે (8 એપ્રિલ) સોશિયલ મીડિયા પર તૃમણૂલ કોંગ્રેસ (TMC)નો ઉલ્લેખ કરીને પોસ્ટ કરતા ભારે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ચૂંટણી પંચે પોસ્ટમાં લખ્યું છે કે, આ વખતે બંગાળની ચૂંટણી ડર, હિંસા, ધમકી, લાલચ, દરોડા મુક્ત જ યોજાશે. ચૂંટણી પંચે આ વાતને એક્સ પર પોસ્ટ કરી છે અને સાથે એમ પણ લખ્યું છે કે, તૃણમૂલ કોંગ્રેસને સ્પષ્ટ સલાહ. CEC સાથેની બેઠકમાં TMC પ્રતિનિધિમંડળની ઉગ્ર બોલાચાલી  ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Chief Election Commissioner Gyanesh Kumar) અને TMCના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી, ત્યારબાદ આ ટ્વિટ કરવામાં આવ્યું છે.

ટ્રમ્પની ડેડલાઈન પહેલા પાકિસ્તાને પલ્ટી મારી : ઈરાન વિરુદ્ધ આકરું વલણ અપનાવ્યું

Image
Pakistan On US-Israel-Iran War : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખતમ કરવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાને કાંચિડાની જેમ રંગ બદલી નાખ્યો છે. યુદ્ધ શરૂ થયા બાદ માહોલ શાંત કરાવવા મેદાને ઉતરેલા પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી, જોકે હવે આ જ પાકિસ્તાને પલ્ટી મારીને ઈરાનનું ટેન્શન વધારી દીધું છે. ...