Posts

યુક્રેનનો રશિયા પર અત્યાર સુધીનો બીજો સૌથી મોટો હુમલો, મોસ્કોમાં ફ્લાઈટોની અવર-જવર ઠપ

Image
Russia and Ukrain War Updates : રશિયન હવાઇ સંરક્ષણ દળોએ સમગ્ર રાતમાં 347 યુક્રેની ડ્રોન તોડી પાડયા હતાં તેમ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.  આ એક મોટો હુમલો છે જે આ સપ્તાહની શરૂઆતમાં મોસ્કો દ્વારા કીવનાં યુદ્ધ વિરામનાં પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યા અને રશિયાનાં આગામી વિજય દિવસ સમારંભની સુરક્ષા અંગે વધેલી તંગદિલી પછી કરવામાં આવ્યો છે.  રશિયન સંરક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર મોસ્કો સહિત રશિયાનાં 20થી વધારે ક્ષેત્રોમાં આવનારા ડ્રોનોને નષ્ટ કરવામાં આવ્યા છે. 

'ગુંડાઓનો સફાયો કરી દઈશું..', PAની હત્યા બાદ ભાજપ નેતા શુભેન્દુ અધિકારીની પ્રથમ પ્રતિક્રિયા

Image
Suvendu Adhikari PA Murder: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શુભેન્દુ અધિકારીએ ગુરુવારે (7 મે 2026) આ ઘટનાને હચમચામી દેનારી ગણાવી અને કહ્યું કે આ હત્યા અગાઉથી પૂરા પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે હુમલાખોરોએ ઘણા દિવસો સુધી રેકી કર્યા બાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે અહીંના ગુંડાઓનો સફાયો કરી દઈશું. લોકો શાંતિ જાળવે, કાયદો હાથમાં ન લે: શુભેન્દુ અધિકારી

BIG NEWS: કોલકાતામાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ

Image
Suvendu Adhikari PA Shot Dead: પશ્ચિમ બંગાળમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બુધવાર રાત્રે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (PA) ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.  છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા હુમલાખોરોએ કોલકાતામાં તેમને નિશાન બનાવીને અંધાધૂંધ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃતક PA ચંદ્રનાથ રથ છેલ્લા 10 થી 12 વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે જોડાયેલા હતા અને તેમના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા.

બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો

Image
- બંગાળમાં એસઆઇઆરમાં 90 લાખ મતદારો હટાવાયા હતા - 25 હજારથી વધુ નામ રદ થયા તેવી 147 માંથી 95 બેઠકો ભાજપને મળી, 15 થી 25 હજાર નામ રદ થયા તેવી 67 માંથી 47 બેઠકો જીતી West Bengal Elction news : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં 90 લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા, જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં 294 બેઠકોમાંથી 147 બેઠકો એવી છે કે જ્યાં 25 હજારથી વધુ મતદારોના નામ હટાવાયા, આ બેઠકો પર મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ભારે નુકસાન થયું. જ્યારે ભાજપનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું.  તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ એનાલિસિસ જણાવે છે કે 147 વિધાનસભા બેઠકો પર 25 હજારથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપે 95 બેઠકો પર જીત મેળવી છે.

મમતાના હારથી ખુશ થયેલા કોંગ્રેસ-વિપક્ષના નેતાઓથી રાહુલ ગાંધી નારાજ, આપી ચેતવણી

Image
Rahul Gandhi On TMC : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન INDIAમાં આંતરિક ડખાં ઉભા થયા હોવાના સંકેતો મળી રહ્યા છે. બંગાળમાં ભાજપની સુનામી વચ્ચે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ પરાજય પર કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના કેટલાક નેતાઓ જે રીતે ખુશી વ્યક્ત કરી રહ્યા છે તેના પર રાહુલ ગાંધીએ સખત નારાજગી વ્યક્ત કરી છે. TMCની ટીકા કરનારાઓને રાહુલ ગાંધીની સલાહ બંગાળના પરિણામો પર પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'કોંગ્રેસ અને કેટલાક અન્ય નેતાઓ TMCની હાર પર ખુશ થઈ રહ્યા છે.

તમિલનાડુમાં TVKની જીત પણ સત્તા હજુ 'દૂર'! કોંગ્રેસના ટેકાથી CM બનશે વિજય? સત્તા મેળવવા 4 વિકલ્પો

Image
TVK Short of Majority, 4 Ways Vijay Can Form Government | તમિલનાડુની રાજનીતિમાં આ ચૂંટણી માત્ર સત્તા પરિવર્તનની વાર્તા નથી, પરંતુ સત્તાના સમીકરણો બદલાવાનો સંકેત પણ છે. અભિનેતામાંથી નેતા બનેલા થલાપતિ વિજયે પોતાની પ્રથમ ચૂંટણીમાં જ સ્થાપિત દ્રવિડ પક્ષોના વર્ચસ્વને પડકારીને પોતાની જાતને સૌથી મોટા ખેલાડી તરીકે સ્થાપિત કરી દીધી છે. તેમની પાર્ટી TVK (તમિલગ વેટ્રી કઝગમ) 108 બેઠકો પર જીત મેળવીને રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી ચૂકી છે, પરંતુ 118ના બહુમતીના આંકડાથી હજુ પણ 10 ડગલાં દૂર હોવાથી સત્તા સુધી પહોંચવાની રાહ જટિલ બની છે.  આ પરિણામ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે તમિલનાડુની જનતા બદલાવ ઈચ્છે છે, પરંતુ પૂર્ણ સત્તા કોઈ એકના હાથમાં સોંપવા હજુ તૈયાર નથી. 

‘મને ધક્કો માર્યો, લાત મારી...’ હાર બાદ મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ

Image
West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને પછાળી ભાજપે પ્રચંડ જીત મેળવી છે, તો ભવાનીપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે મમતા બેનરજીની કારમી હાર થઈ છે. આ હારની નારાજ થયેલા મમતા બેનરજીએ ભાજપ પર મત લૂંટવાનો આક્ષેપ કર્યો છે. મમતા ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં અનેક કલાકો સુધી રહ્યા બાદ બહાર આવ્યા હતા અને પછી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. મમતાને જોઈ ચોર-ચોરના નારા લાગ્યા ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં કલાકો સુધી અંદર રહ્યા બાદ જ્યારે મમતા બેનર્જી બહાર નીકળ્યા, ત્યારે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.