Posts

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'તમામ પક્ષ સંયમ રાખે'

Image
Iran Israel War: ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ભારત સરકારની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. વિદેશ મંત્રાલયે શનિવારે જાહેર કરેલા એક નિવેદનમાં ઈરાન અને ખાડી ક્ષેત્રમાં સર્જાયેલા હાલના ઘટનાક્રમને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.  તમામ પક્ષોને સંયમ જાળવે: ભારત સરકાર ભારતીય વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરતાં તમામ પક્ષોને સંયમ જાળવવાની અપીલ કરી છે, કહ્યું છે કે તણાવ વધતો રોકવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા મળવી જોઈએ. મૂળ મુદ્દાઓના સમાધાન માટે સંવાદ અને કૂટનૈતિક રસ્તો અપનાવવો જોઈએ.

ટેરિફ અંગે 'સુપ્રીમ' ઝટકા બાદ ટ્રમ્પ મુસીબતમાં, અમેરિકામાં 2000થી વધુ કંપનીઓએ રિફંડ માગ્યો

Image
- ટ્રમ્પને ડોલર પરત આપવા નથી, પણ સરકાર કોર્ટમાં વચનબદ્ધ - આગામી દિવસોમાં યુએસ ટ્રેડ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ નક્કી કરશે કે આયાતકારોને 175 અબજ ડોલર જેટલું રિફંડ મળશે કે નહીં Donald Trump and tariff News : કોઈ વાહન બેફામ સ્પીડે દોડતું હોય અને આગળ મોટું વાહન આવી જાય ત્યારે કમને બ્રેક મારવી પડે તેવી સ્થિતિ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની થઈ છે. આખા વિશ્વને ટેરિફના નામે ધમકાવવા નીકળેલા ટ્રમ્પ પર તેમની જ સુપ્રીમ કોર્ટે જ મોટો ઘા કર્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં ટ્રમ્પ તંત્ર પર 2000થી પણ વધુ આયાતકારોએ રિફંડના કેસો ઠપકારી દીધા છે, જે પરત આપવા ટ્રમ્પ ઇચ્છુક નથી. 

અફઘાનિસ્તાનનો દાવો- ઈસ્લામાબાદમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી, પાકિસ્તાને કહ્યું- અમે 274 લડાકૂ માર્યા

Image
Afghanistan-Pakistan War : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હોય તેમ બંને દેશોએ એકબીજાના સૈન્ય ઠેકાણાઓ પર ભયાનક હવાઈ હુમલા કર્યા છે. અફઘાનિસ્તાને દાવો કર્યો કે તેણે પાકિસ્તાનના અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરીને ભારે નુકસાન કર્યું છે, જેમાં 55 પાક. સૈનિકો માર્યા ગયા છે, તો બીજીતરફ પાકિસ્તાને પણ 274 તાલિબાની લડાયકો માર્યા ગયાનો દાવો કર્યો છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં અફઘાનિસ્તાનની એરસ્ટ્રાઈક અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા હમદુલ્લા ફિતરતે દાવો કર્યો છે કે, અફઘાન એરફોર્સે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ સહિત નૌશેરા, જમરુદ અને એબટાબાદમાં આવેલા સૈન્ય મથકો પર એરસ્ટ્રાઈક કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં, યુક્રેન પર 420 ડ્રોન સાથે ભીષણ હુમલો

Image
Russia vs Ukrain War Updates : યુક્રેને જણાવ્યું હતું કે જિનિવામાં અમેરિકા દ્વારા યોજાનારી શાંતિ મંત્રણા પૂર્વે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. લગભગ 420 ડ્રોન અને 39  બેલિસ્ટિક મિસાઇલ સાથે આ હુમલો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈનું નિધન તો થયું નથી, પરંતુ બાળકો સહિત ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા.  યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેને પ્રતિનિધિઓ મંત્રણાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રશિયા હુમલાની તૈયારી કરી રહ્યું છે.

અફઘાનિસ્તાનનું પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ શરૂ ! 15 પોસ્ટ પર કબજો, અનેક સૈનિકોને માર્યાનો દાવો

Image
Afghanistan-Pakistan Border War : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી ભયાનક ઘર્ષણ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાની સેનાએ હવાઈ હુમલા કર્યા બાદ વળતો જવાબ આપી અફઘાન સુરક્ષા દળોએ પૂર્વ દિશામાં આવેલા રાજ્યોમાં ઘર્ષણ શરૂ કરી દીધું છે. અફઘાનિસ્તાનની સેનાના ખાલિદ બિન વલીદ કૉર્પ્સના પ્રવક્તાએ આ માહિતી આપી છે. અફઘાન સરકારે દાવો કર્યો છે કે, તેણે પાકિસ્તાનની 15 સરહદી પોસ્ટો પર કબજો કરી લીધો છે, જેમાં અનેક પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે અને કેટલાકને પકડી લેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને આપ્યો વળતો જવાબ

‘ઓરિજિનલ કન્ટેન્ટ લખનારને કમાણીનો હિસ્સો આપો, નહીં તો...’ અશ્વિની વૈષ્ણવની ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી

Image
Ashwini Vaishnav Warns Digital Platforms : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ડિજિટલ પ્લેટફોર્મ્સને ચેતવણી આપતા જણાવ્યું છે કે, પ્લેટફોર્મ્સે કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે કમાણીનો યોગ્ય હિસ્સો વહેંચવો પડશે, નહીં તો સરકારના હસ્તક્ષેપ અને કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. તેમણે આ વાત 'ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન' (DNPA) કોન્ક્લેવ 2026માં કરી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પોતાની જવાબદારીમાંથી ભાગી શકશે નહીં : અશ્વિની વૈષ્ણવ અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કહ્યું કે, ઈન્ટરનેટ હવે માત્ર માહિતી આપવાનું માધ્યમ નથી રહ્યું, પરંતુ તે એક શક્તિશાળી ઈકોસિસ્ટમ બની ગયું છે. જો પ્લેટફોર્મ પર ખોટું કન્ટેન્ટ ફેલાવવામાં આવે અથવા બાળકોને નુકસાન પહોંચાડવામાં આવે, તો તેની સીધી જવાબદારી પ્લેટફોર્મની જ રહેશે.

LIVE : અમદાવાદમાં 8.5 કિ.મી. લાંબી મા ભદ્રકાળીની નગરયાત્રા ખાડિયા પહોંચી, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Image
Ahmedabad Bhdrakali nagaryatra news : આજે (26મી ફેબ્રુઆરી) અમદાવાદના નગરદેવી મા  ભદ્રકાળીની નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. Ahmedabad Bhdrakali nagaryatra LIVE UPDATES :  પોળના રહીશોએ પુષ્પ વર્ષા કરીને માતાજીના વધામણા કર્યાં