Posts

લગ્ન પહેલા શારીરિક સંબંધ કેવી રીતે બાંધી શકો? સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, યુવાનોને આપી સલાહ

Image
Supreme Court On Pre-marital Relations : સુપ્રીમ કોર્ટે સોમવારે લગ્ન પહેલાના શારીરિક સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. દુષ્કર્મ અને લગ્નના વચન સાથે જોડાયેલા એક કેસમાં જામીન અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી છે. શું હતો મામલો ? ન્યાયાધીશ બી.વી.

PM મોદી બાંગ્લાદેશ નહીં જાય, તારિક રહેમાનના શપથ સમારોહમાં ઓમ બિરલા હાજર રહેશે

Image
India Bangladesh News : તારિક રહેમાનના શપથવિધિ સમારોહ સમયે ઉપસ્થિત રહેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશે આમંત્રણ પાઠવ્યું હતું. જો કે તેમના બદલે ભારતનું પ્રતિનિધિત્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કરશે. તા. 17મી ફેબ્રુઆરીએ યોજાનાર આ સમારંભ સમયે ઉપસ્થિત રહેવા, ભારત ઉપરાંત, ચાયના, પાકિસ્તાન, તૂર્કી, સઉદી અરેબિયા, યુ.એ.ઈ.

રશિયા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા ! યુરોપના દેશોને યુદ્ધ માટે તૈયાર રહેવા બ્રિટનના PMની ચેતવણી

Image
UK PM Keir Starmer Warns Europe : બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં વિશ્વભરના નેતાઓને સંબોધન કરીને ગંભીર ચેતવણી આપી છે. તેમનુ માનવું છે કે, રશિયા ગમે ત્યારે હુમલો કરી શકે છે, તેથી યુરોપના દેશોએ રશિયાના આક્રમકથી બચવા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું છે કે, રશિયાના સંભવિત યુદ્ધને ધ્યાને રાખીને યુરોપીય દેશોએ પોતાની સુરક્ષા ક્ષમતાઓને મજબુત કરવી જોઈએ અને પોતાના લોકોની રક્ષા માટે તૈયાર રહેવું જોઈએ. ‘રશિયાના આક્રમણને રોકવા યુરોપના દેશો તૈયાર રહે’ તેમણે કહ્યું કે, ‘યુરોપે સુરક્ષા અને પોતાના દેશની પ્રતિબદ્ધતાઓ મામલે આત્મનિર્ભર રહેવું જોઈએ.

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહાર

Image
Rahul Gandhi On India-US Trade Deal : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભારત-અમેરિકા વેપાર સમજૂતી મામલે મોદી સરકાર પર ફરી આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં અમેરિકાએ ભારત સાથે વેપાર સમજૂતી કરીને ટેરિફમાં મોટી રાહત આપી હતી, ત્યારબાદ આ ડીલને લઈને રાહુલે મોદી સરકારને ખેડૂત વિરોધી ગણાવ્યા બાદ ગઈકાલે ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આજે તેમણે વધુ એક વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો છે કે, ભારત-અમેરિકાની ડીલથી ટેક્સટાઈટ ઉદ્યોગ સંપૂર્ણ ખતમ થઈ જશે. ટ્રેડ ડીલથી ખેડૂતો-ટેક્સટાઈલ ઉદ્યોગને નુકસાન : રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ સોશિલ મીડિયા એકાઉન્ટ એક્સ પર વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર પર દેશને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, ‘ભારત-અમેરિકા વચ્ચે થયેલી સમજૂતી કપાસ પકવતા ખેડૂતો અને ટેક્સટાઈલ ઉદ્યોગને માટે નુકસાનકારક સાબિત થશે.

ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે

Image
Donald Trump Threat Iran  : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું.  ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે. 

એર ઈન્ડિયાની ગંભીર બેદરકારી: ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટ ઉડાવી, DGCAએ ફટકાર્યો દંડ

Image
DGCA Fine Air India : એવિએશન કંપની એર ઈન્ડિયાએ ગંબીર બેદરકારી કરીને મુસાફરોના જીવ જોખમમાં નાખતી ભુલ કરી છે. એરલાઈન્સે ARC વગર ચાર રાજ્યોમાં કુલ આઠ વખત ફ્લાઈટોનું સંચાલન કર્યું છે. ત્યારે ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ આ મામલાને ગંભીરતાથી લીધો અને એર ઈન્ડિયાને એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ARC વગર 4 રાજ્યોમાં ફ્લાઈટનું સંચાલન કર્યું રિપોર્ટ મુજબ, એર ઈન્ડિયાએ 24 અને 25 નવેમ્બરના રોજ રાજધાની દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં આઠ વખત ફ્લાઈટ ઉડાવી હતી.

‘દરેક વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે’, વિધાનસભામાં યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

Image
Shankaracharya Avimukteshwaranand Controversy : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિવાદ મામલે ચોંકાવનારનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દર વ્યક્તિ શંકરાચાર્ય ન હોઈ શકે અને કોઈપણ પીઠના આચાર્ય રૂપે જઈને વાતાવરણ ખરાબ ન કરી શકે. તમામે મર્યાદાનું પાલન કરવું પડશે. જો તેઓ શંકરાચાર્ય હતા તો વારાણસીમાં લાઠીચાર્જ કેમ કરાયો હતો અને FIR કેસ નોંધાઈ હતી. નૈતિકતાની વાતો કરનારાઓએ પહેલા પોતાના આચરણ પર ધ્યાન આપવું જોઈએ.