Posts

અમદાવાદ ચૂંટણી: ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, ડ્રોન અને CCTVથી નજર; 20 હજાર જવાનો તહેનાત

Image
Gujarat Local Body Elections 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.

સીઝફાયર પૂરો થવાને માત્ર 24 કલાક બાકી! ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી, ઈરાને કહ્યું- અમે પણ નવા પત્તાં ખોલવા તૈયાર

Image
Iran-US-Israel Tensions Rise as Ceasefire Nears End : વેસ્ટ એશિયામાં શાંતિની આશા ઠગારી નીવડી રહી છે. બે અઠવાડિયાનું સીઝફાયર 22 એપ્રિલ, બુધવારે સમાપ્ત થઈ રહ્યું છે, અને તેની સાથે જ ઈરાન-અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને બેન્જામિન નેતન્યાહુના આક્રમક નિવેદનોએ તેલ અને ગેસના માર્ગો પર તણાવ વધાર્યો છે.  સ્થિતિ કેમ વિસ્ફોટક બની? ડેડલાઈન નજીક

‘...તો હું પોતે ઈરાનના નેતાઓને મળીશ’ ઈસ્લામાબાદ મંત્રણા પહેલા અમેરિકન પ્રમુખનું મોટું નિવેદન

Image
Donald Trump Statement On US-Iran Peace Talks  : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. બંને દેશોના વિવાદનું નિરાકરણ લાવવા માટે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં બીજી વખત શાંતિ મંત્રણા યોજોવાની છે, જેને લઈને ટ્રમ્પે કહ્યું છે કે, ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈરાન સાથે શાંતિ સમજૂતી પર વાતચીત કરવા માટે આજે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પહોંચવાનું છે. જોકે મંત્રણા પહેલા સંકટ એ ઉભું થયું છે કે, કેટલાક મુદ્દાઓથી નારાજ થઈને ઈરાને મંત્રણામાં સામે થવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે હવે આ સમજૂતી પર સંકટના વાદળો ઘેરાઈ ગયા છે. ઈરાન-અમેરિકા વચ્ચે વાતચીત થવાની છે : ટ્રમ્પ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ મુજબ, ‘ટ્રમ્પે કહ્યું છે કે, વેન્સની આગેવાની હેઠળ અમેરિકી પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચશે.

હોર્મુઝ અંગે ફરી આરપારની જંગના એંધાણ! ટ્રમ્પના આદેશ બાદ અમેરિકા જપ્ત કર્યું જહાજ, ઈરાને કહ્યું- વળતો જવાબ આપીશું

Image
Trump Claims US Navy Seized Iranian Ship in Hormuz : પશ્ચિમ એશિયાના સૌથી મહત્ત્વના જળમાર્ગ હોર્મુઝમાં સ્થિતિ ધીમે ધીમે ફરી સ્ફોટક બની રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની નૌસેનાના વિનાશક જહાજ 'યુએસએસ સ્પ્રુએન્સ'એ ઓમાનની ખાડીમાં ઈરાનના ઝંડા ધરાવતા માલવાહક જહાજ 'TOUSKA' ને આંતર્યું છે. ટ્રમ્પના મતે, આ જહાજે અમેરિકી નાકાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો અને ચેતવણીઓ છતાં રોકાયું નહોતું, જેના કારણે તેને બળપૂર્વક કબજે કરવામાં આવ્યું છે. અમેરિકાએ ઈરાનના જહાજ પર કબજો કર્યો હાલમાં આ ઈરાનનું જહાજ અમેરિકી મરીનના સંપૂર્ણ નિયંત્રણમાં છે.

ઈરાનના પડકાર વચ્ચે ભારતનાં 'દેશ ગરિમા' જહાજે હોર્મુઝ પાર કર્યું, બેએ રસ્તા બદલ્યા, પર્સિયન ગલ્ફમાં હજુ 14 જહાજો

Image
Image Source - marinetraffic.com Indian Oil Tanker In Hormuz : ઈરાનના હોર્મુઝ જળમાર્ગ પર ચાલી રહેલા સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

પાકિસ્તાન પર આંધળો વિશ્વાસ અમેરિકા પર ભારે પડશે! ટ્રમ્પનો ‘ફેવરિટ’ જનરલ મુનીર જ બન્યો મોટો ખતરો

Image
Asim Munir Under Scrutiny in US : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેમને પોતાના ‘ફેવરિટ ફિલ્ડ માર્શલ’ ગણાવે છે, તે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિમ મુનીર હવે અમેરિકાની સુરક્ષા એજન્ડામાં શંકાના ઘેરામાં આવ્યા છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, જનરલ મુનીરના ઈરાનની કટ્ટરપંથી સેના IRGC સાથેના જૂના સંબંધો અમેરિકા માટે ચિંતાનો વિષય બન્યા છે. કેમ વિવાદમાં છે જનરલ મુનીર? બેકચેનલ મધ્યસ્થી જનરલ મુનીર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યા છે.

ઈરાનમાં કોણ ચલાવે છે સરકાર? હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ કન્ફ્યુઝન વધ્યું

Image
Iran Govt vs IRGC? : હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાએ ઈરાનની આંતરિક વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શાંતિ અને વેપારની વાતો કરે છે, તો બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ગોળીબાર કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કરી રહ્યા છે. સુપ્રીમ લીડરની ગેરહાજરી અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં સર્વોચ્ચ નેતૃત્વની ખોટ છે. જેનો ફાયદો ઉઠાવીને સેના-IRGC હવે પોતે જ દેશના ભાગ્યવિધાતા હોવાનું વર્તન કરી રહી છે.