Posts

મધ્યપૂર્વમાં ભડકો : ઈરાને મિસાઇલો વરસાવ્યા બાદ ટ્રમ્પે ના પાડી તોય ઈઝરાયલે કરી વળતી કાર્યવાહી

Image
Iran vs Israel War Updates : પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના તમામ પ્રયાસો ફરી એકવાર નિષ્ફળ જતા દેખાઈ રહ્યા છે. માહિતી અનુસાર, ઈરાને ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારને નિશાન બનાવીને 4 શક્તિશાળી બેલિસ્ટિક મિસાઈલો દાગી છે. ઈઝરાયલી વહીવટી તંત્રના જણાવ્યા મુજબ, ગત એપ્રિલ મહિનામાં થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) બાદ ઈરાન દ્વારા તેમના પર કરવામાં આવેલો આ પ્રથમ સીધો મિસાઈલ હુમલો છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર મોટા પાયે યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે. IRAN VS ISRAEL WAR UPDATES 

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ

Image
Earthquake Hits Assam & North-East India : ભારતના અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જોરદાર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભારતના સરહદી વિસ્તારો ઉપરાંત પાડોશી દેશ ભૂતાનની રાજધાની થિમ્ફુ (Thimphu)માં પણ આની વ્યાપક અસર જોવા મળી છે.

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ

Image
Children Drown To Death In Richhdi Lake: અંબાજી નજીક આવેલા રિછડી તળાવમાં નહાવા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. ઉનાળુ વેકેશનના સમયગાળામાં ત્રણેય બાળકો રમતા રમતા રિછડી તળાવમાં કાઠે પહોંચ્યા હતા. આ દરમિયાન માસૂમ બાળકોના તળાવમાં નહાવા પડતા ઉંડા પાણીમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલે જાણ થતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાની મદદથી ત્રણેય ભૂલકાંઓના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC

Image
Mamata Banerjee Backs Abhishek Banerjee : પાર્ટીની બેઠકમાં TMCએ પક્ષના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા 'નેતા વિરોધ પક્ષ' (Leader of Opposition) નો દરજ્જો આપવામાં આવતા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે. તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એકવાર પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો છે. બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં મમતાએ અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી ટીમીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે. આ ઉપરાંત, TMC એ પક્ષના બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા નેતા વિરોધ પક્ષનો દરજ્જો આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે.

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી

Image
Petrol and Diesel News : પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણને લાગુ કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર ડીઝલને વધુ ઈકોફ્રેન્ડલી બનાવવા માગે છે. આ સાથે જ ઈમ્પોર્ટ કરવામાં આવતા ક્રૂડ માટે વૈશ્વિક નિર્ભરતા ઘટાડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આઈસોબ્યુટેનોલ બ્લેન્ડેડ ડીઝલને મંજૂરી આપવાની વિચારણા કરવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટ મંત્રાલયના સચિવે જણાવ્યું કે, ડીઝલમાં આઈસોબ્યુટેનોલના મિશ્રણ અંગેની નીતિ પર કામ ચાલી રહ્યું છે. આ વર્ષે તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. 

'અમેરિકા દબાણ બનાવી રહ્યું છે પણ ઈન્ડિયા ઝૂકશે નહીં..', રાષ્ટ્ર પ્રમુખ પુતિને ભારતના કર્યા વખાણ

Image
Russian President Vladimir Putin On India US Ties: રશિયન રાષ્ટ્ર પ્રમુખ પુતિને ગુરુવારે (4 જૂન 2026) ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધોથી નવી દિલ્હી અને રશિયાના સંબંધોને નુકસાન પહોંચતું નથી. તેમણે કહ્યું કે ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વર્તમાનમાં તેનો પ્રભાવશાળી ઇકોનોમિક ગ્રોથ રેટ (આર્થિક વિકાસ દર) છે. તેમણે કહ્યું, 'મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં રશિયા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 100 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચી જશે.' ભારત આવા પ્રયાસોનો પ્રતિકાર કરશે: પુતિન

ઋતબ્રત બેનરજીની CM સુવેન્દુ સાથે 40 સેકન્ડની મુલાકાત બાદ TMCનો પડી ગયો મોટો ખેલ, જાણો ઈન્સાઈડ સ્ટોરી

Image
West Bengal Politics : પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો રાજકીય સંયોગ સર્જાયો છે. 4 મેના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. મમતા બેનરજીએ ભલે જાહેરમાં હાર સ્વીકારી નહોતી, પરંતુ તેમની બેઠકોમાં ધારાસભ્યો અને સાંસદોની હાજરી સતત ઘટવાની શરૂ થઈ ગઈ. બીજી તરફ ટીએમસી નેતાઓ વિરૂદ્ધ લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન 22 મેના રોજ દિલ્હીના બંગ ભવનમાં એક એવો સંયોગ થયો, જેણે બંગાળના સમીકરણો બદલી નાખ્યા.