Posts

VIDEO : વૈભવ સૂર્યવંશી સાથે બાખડવું ભારે પડ્યું: શ્રીલંકાના ખેલાડીઓ સામે લેવાયા કડક પગલાં

Image
Sri Lanka A Vs India A Cricket Match Controversy : દાંબુલામાં 15 જૂનના રોજ રમાયેલી ઈન્ડિયા-A અને શ્રીલંકા-A વચ્ચેની મેચ બાદ થયેલા વિવાદની અસર હવે ખેલાડીઓ પર પણ જોવા મળી છે. મેચ પૂરી થયા પછી ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકાના કેટલાક ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થઈ હતી. આ મામલામાં શ્રીલંકા ક્રિકેટે શિસ્તભંગની કડક કાર્યવાહી કરી છે. વિશેન હલમ્બગે સહિતના ખેલાડીઓ દંડાયા ક્રિકબઝના અહેવાલ અનુસાર, શ્રીલંકા ક્રિકેટે મેચ પછી થયેલા વિવાદમાં સામેલ ખેલાડીઓને સજા ફટકારી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર નહીં બનાવે, 300 મિલિયન ડોલર આપવાની વાત અફવા!

Image
US Iran Deal: મહિનાઓ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષ બાદ આખરે અમેરિકા અને ઈરાન શાંતિ કરાર માટે રાજી થયા છે. એવામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નવો દાવો કર્યો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન વિકસાવવા માટે સંમત થયું છે.  કાયમી યુદ્ધવિરામ માટે કઈ શરતો મૂકાઈ તે સ્પષ્ટ નથી અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા તાજેતરના સંઘર્ષને સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. જોકે, આ કરારની વિગતો હજી સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ નથી અને કાયમી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો હજી પણ ચાલી રહી છે.

હવે ફ્રી નહીં રહે હોર્મુઝ સ્ટ્રેટ, અમેરિકા સાથેની ડીલ પહેલા જ ઈરાને કરી જાહેરાત, ટ્રમ્પનું ટેન્શન વધ્યું

Image
Hormuz Strait: 100 દિવસ બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે એક મોટો શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. જેના પર ટૂંક સમયમાં એટલે કે સંભવિત 19 જૂને જિનીવામાં હસ્તાક્ષર થશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ આ સમગ્ર બાબત પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે આ કરારમાં શું-શું છે, ઈરાનની શું શરતો છે, અને અમેરિકાને શું આપવું પડશે. સાથે જ અમેરિકા ઉપરાષ્ટ્ર પ્રમુખ વેન્સે પણ પોતાની વાત રાખી.

દિલ્હીમાં મોટો ખેલ... TMCના 20 બળવાખોર સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત

Image
TMC Rebel MPs : દિલ્હીમાં રવિવારે એક મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં મમતા બેનરજી (Mamata Banerjee)ની પાર્ટી TMCના આશરે 20 સાંસદો બળવાખોર થઈ ગયા છે. આ તમામ નેતાઓ પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવ (Bhupender Yadav)ના ઘરે ગયા હતા અને ત્યાં આશરે 2 કલાક બેઠા હતા. ત્યાર બાદ આ બળવાખોર સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલા (Om Birla)ને પણ મળ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસની અંદર લાંબા સમયથી ચાલી રહેલી કલહ અને નારાજગી હવે ખુલ્લીને સામે આવી ગઈ છે.

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

Image
PM Narendra Modi And US President Donald Trump Meeting : ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાશે. અમેરિકી વહીવટીતંત્રે આ અંગે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, સમિટના અંતિમ દિવસે એટલે કે 17 જૂને બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ મુલાકાત નક્કી કરવામાં આવી છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલા વિવિધ પડકારો વચ્ચે આ બેઠકને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ટ્રમ્પ અનેક દેશોના નેતાઓ સાથે કરશે મુલાકાત વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટનથી રવાના થઈને ફ્રાન્સના એવિયન પહોંચશે અને સોમવારે બપોરે G7 સમિટમાં ભાગ લેશે.

હોર્મુઝમાં ભારતીયોના મોત પર અમેરિકાની દાદાગીરી ! જયશંકર અને રુબિયો વચ્ચે ઉગ્ર ચર્ચા

Image
S Jaishankar And Marco Rubio Controversy On Indian Ship Attacks : ઓમાનના દરિયાકાંઠા નજીક કોમર્શિયલ જહાજ પર અમેરિકી નૌસેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકોના મોત બાદ ભારત-અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો હોવાની વિગતો સામે આવી છે. આ ગંભીર ઘટના અંગે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો વચ્ચે ફોન પર ઉગ્ર ચર્ચા થઈ છે, જેમાં અમેરિકાએ આક્રમક અને નકારાત્મક વલણ અપનાવ્યું છે. સામાન્ય જહાજ પર અમેરિકાનો હુમલો અને જાનહાનિ પલાઉ દેશનો ધ્વજ ધરાવતું એમટી સેટેબેલ્લો નામનું એક કોમર્શિયલ જહાજ ઓમાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈ રહ્યું હતું, જેમાં 24 ભારતીય નાવિકો સવાર હતા.

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA

Image
Parliament Crisis | કેન્દ્રની સત્તા પર કાબિજ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) લોકસભામાં પોતાની તાકાત પ્રચંડ રીતે વધારવાની યોજના પર કામ કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં સર્જાયેલી બળવાખોરી બાદ હવે વિપક્ષી ખેમાની વધુ એક મોટી પાર્ટી- ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના (UBT) માં પણ મોટું ભંગાણ પડવાના સંકેત મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતીનો જાદુઈ આંકડો મેળવવા માટે NDA વિપક્ષી સાંસદોને પોતાના પાલામાં લાવવાની મજબૂત કવાયત કરી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો બદલી શકે છે પક્ષ એક અહેવાલ અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની એકતરફી જીત બાદથી જ ઉદ્ધવ જૂથમાં અસંતોષની અટકળો ચાલી રહી હતી, જે હવે વધુ તેજ બની છે.