Posts

ઝેલેન્સ્કી મિડલ ઈસ્ટના પ્રવાસે જતાં જ રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 270 ડ્રોન વડે હુમલો, 5 મોત

Image
Russia attack on Ukrian : રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર 270 થી વધારે ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયા હતાં તેમ યુક્રેનનાં અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ અચાનક યુએઇનો પ્રવાસ કર્યો છે. યુક્રેન અરબ દેશોને ઇરાનનાં હુમલાઓથી બચાવવામાં મદદ કરવા માટે પોતાની ડ્રોન ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ ઉપલબ્ધ કરાવવા માંગે છે. ઓડેસાના વડા સેરહી લિસાકે જણાવ્યું હતું કે રાતના સમયે રશિયાએ કરેલા હુમલામાં ઓડેસામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય 11 લોકો ઘાયલ થયા છે.

'અમે અમેરિકાનું વધુ એક F-16 ફાઈટર જેટ તોડી પાડ્યું...', યુદ્ધ વચ્ચે ઈરાનનો મોટો દાવો

Image
US-Iran War: અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ કહ્યું છે કે તેમણે અમેરિકાના વધુ એક અત્યાધુનિક F-16 ફાઈટર જેટને તોડી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઈરાને F-35 અને F-15 જેવા શક્તિશાળી ફાઈટર જેટ્સને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, જો કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ ઈરાનના આ દાવાઓને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે F-15 ધ્વસ્ત કર્યું હોવાનો દાવો IRGCએ આજે રવિવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે ઈરાનના દક્ષિણ કિનારે તેમના એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અમેરિકાના એક F-15 લડાકુ વિમાનને તોડી પાડવામાં આવ્યું છે.

ખતરનાક ‘ઈરાની ડ્રોન’થી ડરેલા 5 દેશોની મદદે યુક્રેન, સાઉદી સાથે કરી ડીલ, તહેનાત કરશે ડિફેન્સ સિસ્ટમ

Image
Ukraine-Saudi Defense Deal : રશિયા સાથે ચાર વર્ષથી યુદ્ધ લડી રહેલા યુક્રેને હવે ઈરાનનું ટેન્શન વધાર્યું છે. હાલ ઈરાન અમેરિકા-ઈઝરાયલના ભયાનક હુમલાનો સામનો કરી રહ્યું છે, તો ઈરાન ઈઝરાયલ સહિત આસપાસના અનેક દેશ પર સૌથી ભયાનક ડ્રોન ‘શાહેદ’ ઝિંકીને ખભળાટ મચાવી રહ્યું છે, ત્યારે યુક્રેને ઈરાનના આ ભયાનક ડ્રોનનો તોડી પાડવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હાલ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સાઉદી અરેબિયામાં છે અને તેમણે સાઉદી અરેબિયા સાથે મોટી ડિફેન્સ ડીલ કરી છે. ડીલ મુજબ યુક્રેન સાઉદી સહિત મધ્ય-પૂર્વના પાંચ દેશો માટે ડ્રોન એન્ટી ડિફેન્સ સિસ્ટમ બનાવશે. આ ઉપરાંત યુક્રેને ‘શાહેદ ડ્રોન’ને તોડી પાડવામાં સંપૂર્ણ નિપૂણતા ધરાવતા નિષ્ણાંતોની ટીમ પણ મધ્ય-પૂર્વના દેશોમાં તહેનાત કરી દીધી છે.

મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત, ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા 10 દિવસ અટકાવ્યાં

Image
Iran War and Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો (Energy Sites) પર થનારા હુમલાઓને આગામી 10 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે. ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અને સમયમર્યાદા

50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન'

Image
US President Donald Trump Secret War Plan : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ માટે માની ગયા હોવાનું મનાઈ રહ્યું છે, તો બીજીતરફ તેમણે ઈરાન વધુ આક્રમક હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. તેમણે 50000 સૈનિકો, 200 ફાઈટર જેટ અને 1000 કમાન્ડોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે.  ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ઈરાન મજબૂર થઈને હોર્મુઝ જળમાર્ગ ખોલી દે અને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ અટકાવી દે, તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઈરાનને 15 શરતોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.

'ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..', ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

Image
USA and Israel vs Iran War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર

Image
Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે. •   પી.