Posts

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત

Image
ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી. કીવી ટીમ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા અને રચિન રવીન્દ્રએ 4 વિકેટ ઝડપી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશક્ય સમાન જણાય છે. સેન્ટનર અને મેકકોન્ચીએ ન્યૂઝીલેન્ડને જીત અપાવી

ભારતીય સોલર ઈન્ડસ્ટ્રીને અમેરિકાનો મોટો ફટકો, સોલર પેનલ્સની આયાત પર 125% ડ્યુટી ઝીંકી

Image
Ai Image 

બે દેશો છાનામાના યુક્રેનને પરમાણુ હથિયાર આપવાની તૈયારીમાં, રશિયાનો વિસ્ફોટક દાવો

Image
Russia vs Ukarian War Updates :  રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સીએ મંગળવારે વિસ્ફોટક દાવો કર્યો હતો કે યુકે અને ફ્રાન્સ યુક્રેનને પરમાણુ શસ્ત્રો ગુપ્ત રાહે ટ્રાન્સફર કરવાની કવાયત આદરી છે. રશિયા-યુક્રેનના યુદ્ધને ચાર વર્ષ પૂરા થયા છે ત્યારે રશિયન ફોરીન ઇન્ટેલિજન્સ  સર્વિસના રિપોર્ટમાં ઉપરોક્ત દાવો કરવામાં આવ્યો છે. જો કે એજન્સીએ તેના દાવાના સમર્થનમાં કોઈપણ પ્રકારના પુરાવા આપ્યા નથી.  રશિયન એજન્સીએ જણાવ્યું છે કે બ્રિટન અને ફ્રાન્સને ખબર છે કે જો તેઓ આવું કંઇપણ સીધી રીતે કરે તો સીધો આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ થાય છે. લગભગ બધી જ અણુઅપ્રસાર સંધિનો અંત આવી જાય છે.

T20 WC 2026 : સુપર-8ની મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને પછાડ્યું, હવે સેમિ ફાઈનલમાં પહોંચવું મુશ્કેલ

Image
T20 World Cup 2026, Pakistan vs England : ટી20 વર્લ્ડકપની સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનનો પરાજય થયો છે. આ હાર સાથે જ પાકિસ્તાનું સેમિ ફાઈનલમાં પહોંચવું પડકારજનક બની ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરીને નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં દમદાર બેટર હેરી બ્રૂકની વિસ્ફોટ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડનો બે વિકેટે વિજય થયો છે.  પાકિસ્તાની બેટર સાહિબઝાદા ફરહાનની ફિફ્ટી એડે ગઈ

ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ: દર્દી સહિત તમામ 7ના મોત, પાયલોટે રૂટ બદલવા કરી હતી માંગ

Image
Jharkhand Air Ambulance Crash: ઝારખંડમાં રાંચીથી દિલ્હી જઈ રહેલી એર ઍમ્બ્યુલન્સ ચતરા જિલ્લામાં ક્રેશ થઈ હતી. જે બાદ વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા છે.  રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડના આ વિમાને રાંચી એરપોર્ટથી સાંજે 7.11 વાગ્યે ઉડાન ભરી હતી. જે બાદ પ્લેન ચતરામાં ક્રેશ થઈ ગયું.

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર્યું

Image
President Unveils Rajagopalachari Statue at Rashtrapati Bhavan : રાષ્ટ્રપતિ ભવનમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે ભવનમાં સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પ્રતિમા બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સની પ્રતિમાના સ્થાને સ્થાપિત કરાઈ છે.  ગુલામીની માનસિકતામાંથી મુક્તિ કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ પગલું દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અપાવવાના વ્યાપક અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે.

બંગાળના રાજકારણના 'ચાણક્ય' અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી

Image
Mukul Roy Died : પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી 'ચાણક્ય' તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા. તૃણમૂલ કોંગ્રેસના સ્થાપકોમાં હતા સામેલ  તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે.