Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં મોટી રાહત, ટ્રમ્પે ઈરાનના ઊર્જા મથકો પરના હુમલા 10 દિવસ અટકાવ્યાં

Image
Iran War and Donald Trump : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં પ્રથમ વખત નરમાશ જોવા મળી રહી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ઈરાનના ઊર્જા મથકો (Energy Sites) પર થનારા હુમલાઓને આગામી 10 દિવસ માટે સ્થગિત કરી રહ્યા છે. ટ્રમ્પના મતે, ઈરાન સરકારના અનુરોધ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીતને આગળ વધારવાની તક મળી શકે. ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અને સમયમર્યાદા

50 હજાર સૈનિક, 200 ફાઈટર જેટ, 1000 કમાન્ડો ! શાંતિની વાતો વચ્ચે ઈરાન વિરુદ્ધ ટ્રમ્પનો 'સિક્રેટ પ્લાન'

Image
US President Donald Trump Secret War Plan : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 27 દિવસથી ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે. એકતરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુદ્ધવિરામ માટે માની ગયા હોવાનું મનાઈ રહ્યું છે, તો બીજીતરફ તેમણે ઈરાન વધુ આક્રમક હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હોવાની માહિતી સામે આવી છે. તેમણે 50000 સૈનિકો, 200 ફાઈટર જેટ અને 1000 કમાન્ડોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે.  ટ્રમ્પ સરકારનું કહેવું છે કે, ઈરાન મજબૂર થઈને હોર્મુઝ જળમાર્ગ ખોલી દે અને પોતાનો મિસાઈલ પ્રોગ્રામ અટકાવી દે, તે માટે આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમેરિકાએ ઈરાનને 15 શરતોનો યુદ્ધવિરામ પ્રસ્તાવ પણ મોકલી દીધો છે.

'ભારત સહિત 5 મિત્ર દેશના જહાજો હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યા છે..', ઈરાનના વિદેશમંત્રીનું મોટું નિવેદન

Image
USA and Israel vs Iran War : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને એક વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજોને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર

Image
Transfer of IAS officers in Gujarat: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે(25 માર્ચ) એક મહત્ત્વનું જાહેરનામું બહાર પાડીને રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગર જિલ્લામાં નવા કલેક્ટરની વરણી કરવામાં આવી છે. આ આદેશો રાજ્યપાલના હુકમથી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરવામાં આવ્યા છે. •   પી.

પીટ હેગસેથે કહ્યું એટલે મેં ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડવાનો નિર્ણય કર્યો હતો : ડોનાલ્ડ ટ્રમ્પ

Image
Donald Trump and Iran War Reason : લગભગ બધું જ કરીને કશુ જ માથે ન રાખતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઇરાન સાથેના યુદ્ધનો ગાળિયો યુદ્ધમંત્રી પીટ હેગસેથના માથે નાખી દીધો છે. તેમણે જાહેરમાં જ જણાવ્યું હતું કે ઇરાન સાથેના યુદ્ધનો વિચાર જ પીટ હેગસેથનો હતો હેગસેથ મારા ગાઢ અને નજીકના સહયોગીઓમાં એક છે. અમે લશ્કરી અધિકારી સાથે ઇરાન અંગે ચર્ચા કરવા એકત્રિત થયા હતા ત્યારે જ હેગસેથે લશ્કરી ઉપાય સૂચવ્યો હતો.  આમ આજે આખા અમેરિકામાં ઇરાન સાથેના યુદ્ધની સામે આકરા પ્રતિભાવો પડી રહ્યા છે ત્યારે ટ્રમ્પે હવે તેમાથી બચવાના મરણિયા પ્રયત્નો આદરી દીધા છે. પીટ હેગસેથના માથે ઇરાન યુદ્ધનો નાખી દીધેલો ગાળિયો તેનું જ ઉત્તમ ઉદાહરણ છે.

યુદ્ધ વચ્ચે ઈન્ડોનેશિયાએ ટ્રમ્પને આપ્યો ઝટકો, કહ્યું- ‘1 અબજ ડૉલર નહીં આપીએ’

Image
Indonesia Rejects US's 'Board of Peace' Plan : વિશ્વના સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયાએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની 'બોર્ડ ઑફ પીસ' પહેલના કાયમી સભ્ય બનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મુદ્દે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ રવિવારે પોતાના યુટ્યુબ ચેનલ પર એક નિવેદન જારી કરીને સ્થિતિ સ્પષ્ટ કરી હતી. અમે 1 અબજ ડૉલર આપવા કહ્યું જ નથી : ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તો(Indonesia President Prabowo Subianto)એ જણાવ્યું કે, 'ઈન્ડોનેશિયાએ આ પહેલ હેઠળ માત્ર શાંતિ જાળવવા માટે સૈનિકો મોકલવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. અમે ક્યારેય એવું નથી કહ્યું કે અમે એક અબજ ડૉલરનું યોગદાન આપીશું.

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

Image
Gujarat Government On Petrol-Diesel Shortage Rumors: છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની અછત હોવાના સમાચારો વહેતા થયા છે, જેને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે સોમવારે રાજ્ય સરકાર, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું છે. સત્તાવાર સ્પષ્ટતામાં જણાવાયું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. જાણીજોઈને પંપ બંધ રાખનાર ડીલરો સામે થશે કાર્યવાહી રાજ્યના અધિક મુખ્ય સચિવે કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો કોઈ પેટ્રોલ પંપ સંચાલક પાસે પૂરતો જથ્થો હોવા છતાં જાણીજોઈને પંપ બંધ રાખશે અથવા જનતાને હેરાન કરવાનો પ્રયાસ કરશે, તો તેની સામે સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.