Posts

એર ઈન્ડિયા મુશ્કેલીમાં ! 22000 કરોડની ખોટ બાદ 7 મેએ મોટી બેઠક, મુસાફરોનો ખર્ચ વધવાના સંકેત

Image
Air India Financial Loss 2026 : ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયા હાલમાં ભારે નાણાકીય નુકસાન અને વૈશ્વિક પડકારો વચ્ચે સંઘર્ષ કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વની બેઠક 7 મેએ મુંબઈમાં યોજાશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ખર્ચ ઘટાડવાના ઉપાયો, નવા મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)ની પસંદગી અને કંપનીની વર્તમાન નાણાકીય સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. એર ઈન્ડિયાને 22,000 કરોડ રૂપિયાની જંગી ખોટ

ટ્રમ્પના મિજાજ ઢીલાં પડ્યાં, ઈરાનને ધમકાવવાની સાથે કહ્યું - હું શાંતિ પ્રસ્તાવ અંગે ફરી વિચારીશ

Image
Iran vs USA War Updates : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચ પર પત્રકારો સાથે વાત કરતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને ફરી એકવાર સૈન્ય હુમલા (Strikes) કરવાની ચેતવણી આપી છે. જોકે તેમના મિજાજ થોડા ઢીલા પડ્યાનું જણાઈ રહ્યું છે કેમ કે એકવાર ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યા બાદ ટ્રમ્પે કહ્યું કે હું આ પ્રસ્તાવ પર ફરી એકવાર વિચારીશ.  ટ્રમ્પનું આકરું નિવેદન આ સાથે ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું કે જો જરૂર પડશે તો ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચે ફલતા વિધાનસભા બેઠક પર ફરી મતદાનનો કર્યો આદેશ, 21 મેંના રોજ વોટિંગ

Image
Falta Assembly Repoll: દક્ષિણ 24 પરગણાની ફલતા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલ, 2026ના રોજ થયેલા મતદાનમાં ગંભીર ગેરરીતિ અને લોકશાહી પ્રક્રિયામાં દખલગીરી બાદ ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. પંચે મતદાન રદ કરીને 21 મે, 2026ના રોજ તમામ 285 પોલિંગ બૂથો પર ફરીથી મતદાન કરાવવાની જાહેરાત કરી છે. આ એક વિધાનસભા બેઠક માટે મતોની ગણતરી 24 મેના રોજ થશે. સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણી કરવા પગલું: ચૂંટણી પંચ ચૂંટણી પંચે પંચે જણાવ્યું છે કે 144 ફલતા વિધાનસભા મતવિસ્તારના તમામ 285 મતદાન મથકો પર ફરીથી મતદાન કરાવવામાં આવશે.

ટેક્સાસમાં ભયાનક વિમાન દુર્ઘટના: ખેલાડીઓને લઈ જતું પ્લેન તૂટી પડ્યું, 5 લોકોના કરુણ મોત

Image
Texas Plane Crash : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં એક નાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમાં સવાર તમામ પાંચ લોકોના મોત નીપજ્યા છે. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો ખેલાડીઓ હતા, જેઓ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. દુર્ઘટનાની વિગતો ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યે વિમ્બરલી શહેર પાસે સર્જાયો હતો. આ સ્થળ ઓસ્ટિનથી લગભગ 65 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે.

Explainer: શું બ્રિટન ભારતને કોહિનૂર પાછો આપશે? ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીની માંગને પગલે છેડાઈ ચર્ચા

Image
Zohran Mamdani remarks about Kohinoor: ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ 9/11 હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિય સમક્ષ કોહિનૂર હીરો ભારતને પરત કરવાની માંગ કરી, ત્યારે દુનિયાનું ધ્યાન ફરી એકવાર ગુલામ દેશોને લૂંટીને મબલખ સંપત્તિ ઘરભેગી કરનારા બ્રિટિશ રાજ તરફ દોરાયું છે. માત્ર ભારત જ નહીં, ગ્રીસ, નાઇજીરિયા અને ઇજિપ્ત જેવા દેશો પણ પોતાનો સાંસ્કૃતિક વારસો પાછો મેળવવા બ્રિટન સામે સખત રાજદ્વારી લડત લડી રહ્યા છે. આવા માહોલમાં પ્રશ્ન થાય કે શું બ્રિટન આવી માંગ સામે નમતું જોખીને કોહિનૂર ભારતને પરત કરશે?  ઝોહરાન મમદાનીનો પડકાર: સંકેત નાનો, સંદર્ભ મોટો ઝોહરાન મમદાનીએ કિંગ ચાર્લ્સને મળવા પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘કિંગ સાથે અલગથી વાત કરવાની તક મળે તો હું તેમને કોહિનૂર હીરો ભારતને પરત કરવા માટે સૂચન કરીશ.’ આ નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી.

ચૂંટણી પૂર્ણ થતાં જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 993નો વધારો

Image
LPG Price Hike : દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ફરી યુદ્ધના એંધાણ ! ટ્રમ્પની ધમકીનો બાદ મોજતબા ખામેનેઈની ચેતવણી, કહ્યું- ‘ખાડીમાં આવશો તો...’

Image
Iran Warns US : ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ દ્વારા અમેરિકાને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ખામેનેઈએ સરકારી ટીવી પરથી મેસેજ આપ્યો છે કે, હવે ખાડી વિસ્તારની સુરક્ષા ઈરાન પોતે જ કરશે. આ દરિયાઈ માર્ગમાં હવે દુશ્મનોની મનમાની કે દખલગીરી નહીં ચાલે, જો આવું કરશે તો તેને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. ‘..