Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં

Image
PM Modi Convoy news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક ઉદાહરણીય ડગલું ભર્યું છે. પીએમે પોતાની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવે. આ પગલા દ્વારા તેઓ અન્ય મંત્રીઓ અને સરકારી વિભાગોને પણ ખર્ચ ઘટાડવાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો પર ભાર પણ નવો ખર્ચ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (EV) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, આજથી કિંમતોમાં થશે ભડકો

Image
Silver and Gold Price and Import Duty : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કરેલી અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે આ દિશામાં મોટું આર્થિક પગલું ભર્યું છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં (આયાત શુલ્ક) મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે દેશમાં સોના-ચાંદીની આયાત મોંઘી થશે અને સ્થાનિક બજારમાં તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. નવી ડ્યૂટીનું ગણિત સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દીધી છે.

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં ટોચ પર

Image
Gold Consumption in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોનાની ખરીદી પર જનતાને સ્વ-અંકુશ લાદવા અનુરોધ કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ ફંડમાં અપેક્ષિત સફળતા ન મળતા અને સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડ્યુટીની પણ કોઈ ખાસ અસર ન થતા પ્રજાને હાલની કપરી આર્થિક પરિસ્થિતિમાં એક વર્ષ સુધી કિંમતી ધાતુની ખરીદી ન કરવા અપીલ કરી છે. ગુજરાત ભારતના સૌથી મોટા બજારમાંનું એક બજાર છે. આ અપીલથી ગુજરાતના બજાર ઉપર પણ અસર થવાની શક્યતા છે. ગુજરાતમાં સોનાનો વપરાશ 

મધ્યસ્થીના નામે પાકિસ્તાને ટ્રમ્પની પીઠમાં છરો ભોંકયો? ઈરાનના વિમાનોને પોતાના એરબેઝ પર આશરો આપ્યો હોવાનો ઘટસ્ફોટ

Image
Pakistan Shelters Iranian Aircraft at Nur Khan Base: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અને અમેરિકી અધિકારીઓના હવાલેથી સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને તેના નૂર ખાન એરબેઝનો ઉપયોગ ઈરાની સૈન્ય વિમાનોને અમેરિકાના હુમલાથી બચાવવા માટે કરવા દીધો હતો. એક તરફ ઈસ્લામાબાદ બંને દેશો વચ્ચે મધ્યસ્થી હોવાનો દાવો કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ તે ગુપ્ત રીતે તેહરાનને સૈન્ય મદદ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. નૂર ખાન એરબેઝ પર ઈરાની વિમાનોનો ડેરો CBS ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલના પ્રારંભમાં યુદ્ધવિરામની જાહેરાત કરી તેના થોડા સમય બાદ જ ઈરાને તેના અનેક સૈન્ય વિમાનો રાવલપિંડી પાસે આવેલા પાકિસ્તાન એરફોર્સના 'નૂર ખાન એરબેઝ' પર ખસેડ્યા હતા.

'હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..', ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન

Image
Iran US War Ceasefire: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે 'વેન્ટિલેટર' પર લટકેલો છે. તેહરાન દ્વારા અમેરિકન પ્રસ્તાવના જવાબમાં મોકલવામાં આવેલા 'અસ્વીકાર્ય' પ્રસ્તાવ બાદ ટ્રમ્પે યુદ્ધવિરામની સ્થિતિને 'અવિશ્વસનીય રીતે નબળી' ગણાવી હતી.  યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ  ઓવલ ઓફિસમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે એક મહિના પહેલા લાગુ થયેલા યુદ્ધવિરામની હાલત અત્યંત ખરાબ છે. ઈરાનની પ્રતિક્રિયા મેં તેને પૂરી પણ વાંચી નથી.

ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Image
US-China Diplomacy in Focus: વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ઈરાન સાથેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લેવાના છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે. ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતનું આયોજન ચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે.

કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું - કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન

Image
Hardeep singh Puri and PM Modi News |  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનું ખરીદવાનું ટાળવા અને શક્ય હોય ત્યાં 'વર્ક ફ્રોમ હોમ' અપનાવવા જેવી જે અપીલ કરી છે, તેની પાછળ એક ગંભીર આર્થિક સંકટ છુપાયેલું હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું છે કે દેશની સરકારી તેલ કંપનીઓ હાલમાં ભારે આર્થિક દબાણ હેઠળ છે. તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન હરદીપ સિંહ પુરીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે, પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ ઈંધણ વેચી રહી છે.