Posts

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર

Image
Rahul Gandhi On NEET Paper Leak : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ NEET-UG 2026 પેપર લીક થયા બાદ બે વિદ્યાર્થીઓની કથિત આત્મહત્યા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ભાજપ સરકારના રાજમાં ચોરી કરનારાઓને ઇનામ મળે છે અને પરીક્ષા આપનારા બાળકો જીવ ગુમાવે છે. દેશમાં છેલ્લા 12 વર્ષમાં કેટલા પરીક્ષા કૌભાંડો થયા, કેટલાની ધરપકડ થઈ, તેના આંકડા પણ રાહુલ ગાંધીએ શેર કર્યા છે. રાહુલે વડાપ્રધાન પર સાધ્યું નિશાન રાહુલ ગાંધીએ લખીમપુર ખીરીના 21 વર્ષના ઋતિક મિશ્રા અને ગોવાના એક વિદ્યાર્થીની કથિત આત્મહત્યાનો ઉલ્લેખ કરીને પૂછ્યું છે કે, વડાપ્રધાનની જવાબદારી જગાડવા માટે હજુ કેટલા ઋતિકે જીવ આપવો પડશે? તેમણે કહ્યું કે, બાળકોના ભવિષ્ય સાથે રમત રમનારાઓએ જવાબ આપવો જ પડશે.

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹3-3 સુધીનો તોતિંગ વધારો, જનતાને ઝટકો

Image
Petrol and Diesel Prices Hiked | ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વૈશ્વિક તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી રહી છે. મિડલ-ઈસ્ટ સંકટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ભારતીયો માટે આજની સવાર આંચકાજનક રહી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. નવી કિંમતો શુક્રવાર, 15 મે 2026 થી અમલમાં આવી ગઈ છે.

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો

Image
Delhi Liquor Policy Case: દિલ્હી હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અડધા ડઝન નેતાઓ વિરુદ્ધ ફોજદારી માનહાનિ (અવમાનના)નો કેસ શરૂ કર્યા પછી દારૂ કૌભાંડના કેસમાંથી પોતાને અલગ કરી લીધા છે. આ અગાઉ જસ્ટિસ સ્વર્ણ કાંતાએ કેજરીવાલની કેસ પરથી દૂર થવાની માંગ ફગાવી દીધી હતી, પરંતુ હવે અવમાનનાનો કેસ શરૂ થવાને કારણે એક નિયમનો હવાલો આપીને જસ્ટિસ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો છે. 'હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ' અરવિંદ કેજરીવાલને આંચકો આપવાની સાથે જ કોર્ટે પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની તે ઈચ્છા પૂરી કરી દીધી, જેના માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને પછી 'રિક્યુઝલ' (કેસમાંથી હટી જવાની) અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ કહ્યું, ‘આ કેસ કોઈ અન્ય બેન્ચ સાંભળશે.

કાળજું કંપી જાય તેવો અકસ્માત : અમદાવાદથી રાજકોટ તરફ જતી બસની ટેન્કર સાથે ટક્કર, 4ના મોત

Image
Rajkot chotila Bus Accident : રાજકોટ-ચોટીલા હાઈવે પરથી એક રૂંવાડા ઊભા કરી દેતા અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. અહીં સાંગાણી ગામ નજીક મોડી રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાગી બસ અને ટેન્કર વચ્ચે એવી પ્રચંડ ટક્કર થઇ હતી કે અકસ્માત બાદ આખી બસ જાણે ફાયરબોલ બની ગઇ હતી. આ ભયાનક અકસ્માતમાં ચાર લોકો જીવતા બળી ગયા હતા જેમના મૃતદેહોની ઓળખ કરવી પણ હવે મુશ્કેલ થઇ ગઇ છે. જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. આ બસ અમદાવાદથી રાજકોટ તરફ જતી હોવાની માહિતી સામે આવી છે.

અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ, ભારતીય સહિત 10,000 વિદેશી વિદ્યાર્થીઓ રડારમાં

Image
- શેલ કંપનીઓ મારફતે મોટાપાયે છેતરપિંડી - એક જ જગ્યાએ અનેક કંપનીઓ : ઘણા સરનામા પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળી આવ્યા - કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું સંપૂર્ણ મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું  USA OPT Visa News : અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ ઓપ્શન્લ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) કાર્યક્રમ હેઠળ કામ કરતા લગભગ 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરુ કરી છે. તેમાં ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા જોવા મળ્યા છે, જ્યાં હકીકતમાં કોઈ કામગીરી જ ચાલતી નહોતી.

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં

Image
PM Modi Convoy news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક ઉદાહરણીય ડગલું ભર્યું છે. પીએમે પોતાની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવે. આ પગલા દ્વારા તેઓ અન્ય મંત્રીઓ અને સરકારી વિભાગોને પણ ખર્ચ ઘટાડવાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનો પર ભાર પણ નવો ખર્ચ નહીં સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (EV) ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

સરકારે સોના-ચાંદી પર ઈમ્પોર્ટ ડ્યૂટી 6% થી વધારી 15% કરી, આજથી કિંમતોમાં થશે ભડકો

Image
Silver and Gold Price and Import Duty : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા કરેલી અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે આ દિશામાં મોટું આર્થિક પગલું ભર્યું છે. સરકારે સોના, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યૂટીમાં (આયાત શુલ્ક) મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે હવે દેશમાં સોના-ચાંદીની આયાત મોંઘી થશે અને સ્થાનિક બજારમાં તેની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. નવી ડ્યૂટીનું ગણિત સરકારે સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટી 6 ટકાથી વધારીને હવે 15 ટકા કરી દીધી છે.