બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો

- બંગાળમાં એસઆઇઆરમાં 90 લાખ મતદારો હટાવાયા હતા
- 25 હજારથી વધુ નામ રદ થયા તેવી 147 માંથી 95 બેઠકો ભાજપને મળી, 15 થી 25 હજાર નામ રદ થયા તેવી 67 માંથી 47 બેઠકો જીતી
West Bengal Elction news : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં 90 લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા, જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં 294 બેઠકોમાંથી 147 બેઠકો એવી છે કે જ્યાં 25 હજારથી વધુ મતદારોના નામ હટાવાયા, આ બેઠકો પર મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ભારે નુકસાન થયું. જ્યારે ભાજપનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું.
તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ એનાલિસિસ જણાવે છે કે 147 વિધાનસભા બેઠકો પર 25 હજારથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપે 95 બેઠકો પર જીત મેળવી છે.
Comments
Post a Comment