CBSE વિવાદ : રાહુલ ગાંધી અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામસામે, એકબીજા પર કર્યા શાબ્દિક પ્રહાર

Rahul Gandhi Vs Dharmendra Pradhan CBI OSM : સીબીએસઈ ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) વિવાદ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે રાજકીય શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે. રાહુલ ગાંધીએ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના પરિણામોમાં ગડબડ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો, જેના પર શિક્ષણ મંત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
શિક્ષણ મંત્રીનો રાહુલ ગાંધી પર પ્રહાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, ‘રાહુલ ગાંધીની ટિપ્પણીઓ સતત ચૂંટણી હારવાથી મળેલી હતાશા દર્શાવે છે. તેઓ હંમેશાં ભારતની તકનીકી અને વૈજ્ઞાનિક પ્રગતિનો વિરોધ કરતા આવ્યા છે.
Comments
Post a Comment