દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો

Delhi Liquor Policy Case: દિલ્હી હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અડધા ડઝન નેતાઓ વિરુદ્ધ ફોજદારી માનહાનિ (અવમાનના)નો કેસ શરૂ કર્યા પછી દારૂ કૌભાંડના કેસમાંથી પોતાને અલગ કરી લીધા છે. આ અગાઉ જસ્ટિસ સ્વર્ણ કાંતાએ કેજરીવાલની કેસ પરથી દૂર થવાની માંગ ફગાવી દીધી હતી, પરંતુ હવે અવમાનનાનો કેસ શરૂ થવાને કારણે એક નિયમનો હવાલો આપીને જસ્ટિસ શર્માએ આ નિર્ણય સંભળાવ્યો છે.
'હું આ કેસને બીજી કોર્ટમાં મોકલીશ'
અરવિંદ કેજરીવાલને આંચકો આપવાની સાથે જ કોર્ટે પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની તે ઈચ્છા પૂરી કરી દીધી, જેના માટે તેમણે ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો અને પછી 'રિક્યુઝલ' (કેસમાંથી હટી જવાની) અરજી દાખલ કરી હતી. જસ્ટિસ શર્માએ કહ્યું, ‘આ કેસ કોઈ અન્ય બેન્ચ સાંભળશે.
Comments
Post a Comment