ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો


India Reacted On Trump Administration Fresh Claim : અમેરિકા દ્વારા ટેરિફની ધમકી અપાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોવાના દાવાને ભારતે ફગાવી દીધા છે. ભારતે આજે (29 મે) કહ્યું છે કે, સાત મેથી 10 મે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું, ત્યારે અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી, તેમાં ટેરિફની કોઈપણ વાતચીત થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US PresidentDonald Trump) યુએસ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ‘અમેરિકાના દ્વારા ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન (India-Pakistan Controversy) વચ્ચે ત્રણ દિવસની લડાઈ બાદ યુદ્ધવિરામ થયું છે.’ 

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .