એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત
Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક લાંબી બેઠક યોજી હતી, જેમાં તેમણે નૌસેનાની વર્તમાન તૈયારીઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કર્યું
ભારતીય નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે યુદ્ધાભ્યાસ દરમિયાન નૌસેનાએ પોરબંદર પાસે આયોજિત કરવામાં આવેલા અનેક લાઈવ ફાયરિંગ ડ્રિલ્સનું પણ સંચલાન કર્યું છે.
Comments
Post a Comment