AI ટેક્નોલોજી બેધારી તલવાર સમાન છે, તેનો દુરુપયોગ માનવતા માટે ખતરો બનશે : ડેમિસ

AI Threat News : દેશની રાજધાનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈમ્પેક્ટ સમિટ ચાલી રહી છે તેમા ગૂગલના ડીપમાઇન્ડના સીઇઓ ડેમિસ હસાબિસે એઆઈ ટેકનોલોજીને બેધારી તલવાર ગણાવી હતી. તેનો સૂદુપયોગ માનવજાત માટે જ્ઞાનની ક્રાંતિ લાવશે અને દૂરુપયોગ માનવજાતને મોટી હાનિ પહોંચાડશે. વર્તમાન દાયકાના અંત સુધીમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (એજીઆઈ) હકીકત બનશે તેમ કહ્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે માનવ જગત આજે નવી જ ટેકનોલોજીકલ ક્રાંતિના આરે આવીને ઊભું છે. આજે માનવીઓ પાસે એકદમ સ્વતંત્ર, રચનાત્મક જનરલ ઇન્ટેલિજન્સ ધરાવતા ટૂલ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે.
Comments
Post a Comment