- ગોધરા કાંડ બાદ ગુજરાતમાં થયેલા રમખાણો દરમિયાન બિલકિસ પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં 3 માર્ચ 2002ના રોજ ટોળાએ ગેંગરેપ કરવામાં આવ્યો હતો ગુજરાત, તા. 18 ઓક્ટોબર 2022, મંગળવાર ગુજરાત સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, તેણે બિલકિસ બાનો કેસમાં 11 આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય એટલા માટે લીધો હતો કે, તેઓએ 14 વર્ષ કે તેથી વધુ સમય જેલમાં રહીને સારું વર્તન કર્યું હતું. આ બાબતે કેન્દ્રની સહમતી પણ લેવામાં આવી હતી. આરોપીઓની મુક્તિને પડકારતી અરજીઓના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, સીબીઆઈની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ (મુંબઈ) અને સીબીઆઈની સ્પેશિયલ સિવિલ જજ અને સેશન્સ કોર્ટ (ગ્રેટર બોમ્બે)ના પોલીસ અધિક્ષકે ગયા વર્ષે માર્ચમાં આરોપીઓની વહેલી મુક્તિનો વિરોધ કર્યો હતો. ગોધરા સબ-જેલના સુપ્રિટેન્ડેન્ટને લખેલા પત્રમાં સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે, આચરવામાં આવેલો ગુનો જઘન્ય અને ગંભીર હતો અને તેથી તેને સમય પહેલા મુક્ત કરી શકાય નહીં અને તેના પ્રત્યે કોઈ નમ્રતા દાખવી શકાય નહીં. સિવિલ જજે કહ્યું હતું કે, આ કેસમાં તમામ દોષિત આરોપીઓ નિર્દોષ લોકો ...