Posts

રશિયાની સેનામાં સામેલ 45 ભારતીયો મુક્ત, હજુ 50 બાકી, યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી

Image
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે રશિયાની સેનામાં ગેરકાયદેસર રીતે સામેલ કરાયેલા ભારતીયો અંગે રશિયન સેના તરફથી મહત્વની વિગતો સામે આવી છે. આ ઉપરાંત ભારત સરકારે પણ યુદ્ધમાં મોકલનારા એજન્ટો સામે કાર્યવાહી કરી હોવાના પણ અહેવાલો સામે આવ્યા છે. ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ગેરમાર્ગે દોરાયા મળતા અહેવાલો મુજબ, રશિયાએ ગેરકાયદેસર રીતે સેનામાં સામેલ કરાયેલા 45 ભારતીયોને મુક્ત કર્યા છે, જ્યારે હજુ 50થી વધુ ભારતીય નાગરિકો રશિયાની સેનામાં ફસાયેલા છે, જેમના કાઢવા માટે ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ તમામ ભારતીયોને યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ કરવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ પણ વાંચો : ઈઝરાયલની વધુ એક એરસ્ટ્રાઈક, કમાન્ડો ઓપરેશન કરવા સેના સીરિયામાં ઘૂસી, ઈરાન લાલઘૂમ અન્ય ભારતીયોને પણ પરત લવાશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ભારત સરકાર રશિયાની સેનામાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોસ્કોની યાત્રાએ ગયા હતા, જ્યાં રશિયાના રાષ્...

કચ્છના નખત્રાણા બાદ હવે માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો, તોફાનીઓ ફરાર, પોલીસ કાફલો ખડકાયો

Image
Stone Pelting At Ganesh Pandal In Mandvi Port : રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, ત્યારે કચ્છના નખત્રામાં ગઈકાલે (10 સપ્ટેમ્બર) ગણેશ પંડાલ પર પથ્થરમારો થયા બાદ આજે (11 સપ્ટેમ્બર) માંડવી પોર્ટમાં ગણેશભક્તો પર પથ્થરમારો થયો છે. આ પહેલા સુરત, વડોદરા, ભરૂચમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારામાં વાહનોને પણ નુકસાન મળતા અહેવાલો મુજબ કચ્છના માંડવી પોર્ટમાં બિરાજમાન કરાયેલા ગણેશજીના દર્શન કરવા ભક્તો આવ્યા હતા. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો આવી ચઢ્યા હતા અને ભક્તો પર પથ્થમારો કરવાનો શરૂ કરી દીધો હતો. પથ્થરમારાના કારણે કેટલાક વાહનને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. હાલ ઘટનાની જાણ થતાં અહીં પોલીસની ટીમ પણ પહોંચી ગઈ છે. કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવાયો છે. આ પણ વાંચો : કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત નખત્રાણાની ઘટનામાં સગીરોનો ઉપયોગ ઉલ્લેખનીય છે કે, કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગઈકાલે ગણેશ મંડપ પર પથ્થમારો થયો હતો, જેમાં પોલીસે ચાર સગ...

શું ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન તોડશે NCP? મહારાષ્ટ્રમાં ફરી અટકળો તેજ, આ 5 કારણો જવાબદાર

Image
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્રમાં આ વર્ષના એન્ડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને ચૂંટણીની જાહેરાત પહેલા સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની પ્રક્રિયા હવે ઝડપી બની છે. ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ ભારતીય જનતા પાર્ટી (BJP) અને સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બેઠકની વહેંચણી અને વિધાનસભા ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી. અમિત શાહે એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારની આગેવાનીવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ને સન્માનજનક સંખ્યામાં બેઠકો આપવાની ખાતરી આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અજિત પવારના સૂર બદલાયેલા જોવા મળી રહ્યા છે.  મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તોડવાની ઘટનાને લઈને જાહેરમાં માફી માંગનાર પહેલા મહાયુતિ નેતા હતા.  તેમણે બહેન સુપ્રિયા સુલે સામે તેની પત્નીને મેદાનમાં ઉતારવાની ભૂલ ગણાવીને માફી પણ માંગી છે અને કહ્યું છે કે પરિવાર અને રાજકારણને અલગ રાખવું જોઈએ. હવે તાજેતરનો મુદ્દો પરિવાર તોડવાનો છે. અજિત પવારે કહ્યું કે, ગઢચિરોલીમાં જન-સમ્માન રેલીને સંબોધન કરતાં કહ્યુ...

ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી, બે કારસવારની ધરપકડ

Image
Marashtra News: મહારાષ્ટ્રના નાગપુરમાંથી સોમવારે (9 સપ્ટેમ્બર) ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ પોલીસે કારના ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યા હતા.  શું છે સમગ્ર ઘટના? પોલીસ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્ર સંકેતની ઓડી કારે આ કેસના ફરિયાદી જિતેન્દ્ર સોનકામ્બલેની કારને ટક્કર મારી હતી. જે દરમિયાન તેમની સાથે મુસાફરી કરી રહેલા બે યુવકોને ઈજા થઈ હતી. આ પછી માનકપુર વિસ્તારમાં કારે અન્ય કેટલાક વાહનોને પણ ટક્કર મારી હતી. જે પછી લોકોએ નેતાના પુત્રની કારને પીછો કરી તેને અટકાવી હતી. પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ઘટના બાદ ભાજપ નેતાના પુત્ર સંકેત સહિત તેમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકો સ્થળ પરથી ભાગી ગયા હતા. કાર ચાલક સહિત અન્ય એક પકડાયો જો કે, લોકોએ કારના ડ્રાઈવર અર્જુન હાવરે અને અન્ય વ્યક્તિ રોનિત ચિત્તમવારને પકડી લીધા હતા અને તેમને તપાસ માટે પોલીસને સોંપ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું...

ભારતમાં મંકીપૉક્સ વાયરસની એન્ટ્રી, શંકાસ્પદ દર્દી પોઝિટિવ હોવાનું સામે આવતા કેન્દ્ર સરકાર એલર્ટ

Image
Monkeypox Cases In India : મંકીપોક્સના કેસને લઈ વિશ્વભરમાં ચિંતા ફેલાઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) પણ તમામ દેશોને સાવચેત કરી ચુકી છે, ત્યારે હવે ભારતમાં પણ મંકીપોક્સ વાયરસની એન્ટ્રી થતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. મળતા અહેવાલો મુજબ થોડા દિવસો પહેલા વિદેશમાંથી આવેલ શંકાસ્પદ દર્દી પોઝિટિ હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલ દર્દી પોઝિટિવ હોવાની પુષ્ટી આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ‘ભારતમાં મંકીપોક્સનો એક કેસ સામે આવ્યો છે, જોકે આ મામલો ડબલ્યુએચઓએ જાહેર કરેલા હેલ્થ ઈમરજન્સીનો ભાગ નથી. થોડા દિવસો પહેલા વિદેશથી આવેલો વ્યક્તિ શંકાસ્પદ હોવાનું સામે આવ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના સેમ્પલોની તપાસ કરવામાં આવી હતી, જેમાં તે મંકીપોક્સથી પોઝિટિવ હોવાની પુષ્ટી થઈ છે.’ આ પણ વાંચો : ચંદ્ર પર બનાવાશે પરમાણુ પાવર પ્લાન્ટ! રશિયા, ભારત અને ચીન રચશે ઈતિહાસ, જાણો પ્રોજેક્ટની વિશેષતા મંકીપોક્સ અંગે WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે એક એડવાઈજારી કરી હતી, જેમાં વાયરલ ઈન્ફેક્સનું ઝડપથી સ્ક્રીનિંગ કરવા તેમજ સ્થિતિ પર નજર ર...

વડોદરામાં ગણેશજીની પ્રતિમાની ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ, આયોજકોને ચિમકી

Image
વડોદરા :  શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે દરમિયાન હરણી રોડ ઉપર મીરા ચાર રસ્તા પાસે હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાના કારણે વિવાદ ઊભો થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ઘનશ્યામ સ્વામીને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હોવાથી સનાતની હિન્દુઓની લાગણી દુભાઇ હોવાના આક્ષેપ નાથ સંપ્રદાયના મહંત શ્રી જ્યોર્તિનાથે કર્યો છે અને આયોજકો સામે કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે. હરણી રોડ પર હિરાનગર ટ્રસ્ટના શ્રીજી પંડાલમાં સ્થાપિત મૂર્તિના કારણે વિવાદ સર્જાયો છે જ્યોર્તિનાથજીનું કહેવું છે કે 'સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરવાની અગાઉ પણ ઘટનાઓ બની હતી અને ગંભીર વિવાદો થયા હતા. સાળંગપુરમાં હનુમાનજીને ઘનશ્યામ સ્વામીની સેવામાં હોય તેવા દર્શાવવામા આવ્યા હતા જે બાદ આખા દેશમાં આ પ્રશ્ને વિવાદ થતાં સાળંગપુર મંદિરના સ્વામીઓએ આખરે તે વિવાદાસ્પદ ભીંત ચીત્ર હટાવી લીધુ હતું.  આવી ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી બનતી જ રહે છે. હિરાનગર ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાને જોઇને જ લાગે કે આ પ્રતિમા ગણેશજીને નીચા બત...

હરિયાણા વિધાનસભા માટે કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી, જુઓ કોને આપી ટિકિટ

Image
Congress 2nd List: કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ તેની બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા બ્રિજેન્દ્ર સિંહને જનનાયક જનતા પાર્ટીના વડા દુષ્યંત ચૌટાલા સામે ઉચાણાથી મેદાનમાં ઉતારવામાં છે. આ ઉપરાંત તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મહેમથી બલરામ ડાંગી, બાદશાહપુરથી વર્ધન યાદવ, ગુરુગ્રામથી મોહિત ગ્રોવર, નાંગલ ચૌધરીથી મંજુ ચૌધરી, તોહાનાથી પરમવી સિંહ, ગન્નોરથી કુલદીપ શર્મા અને થાનેસરથી અશોક અરોરાને ટિકિટ આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 40 ઉમેદવાર ઉતાર્યા આ પહેલા કોંગ્રેસે 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જે મુજબ વિનેશ ફોગાટ જુલાના બેઠક પરથી ઝંપલાવશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આ સાથે કોંગ્રેસે અત્યાર સુધી કુલ 40 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન થવાની આશા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (આપ) અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન અંગે ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હોવા છતાં હજુ સુધી કોઇ નિર્ણય ...