લોકસભા પેટા ચૂંટણીઃ સપાના ગઢ રામપુર-આઝમગઢમાં BJPનો જલવો


લખનૌ, તા. 26. જૂન. 2022 રવિવાર

લોકસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં યુપીમાં ભાજપે મોટી ઉલટફેર નોંધાવી છે. કારણકે સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી લોકસભાની આ બંને બેઠકો પર ભાજપે જોરદાર દેખાવ કર્યો છે. તેમાં પણ રામપુર બેઠક માટેનું પરિણામ જાહેર થઈ ગયુ છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘનશ્યામ સિંહ લોધીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આસીમ રજાને 42,000 મતોથી પરાજય આપ્યો છે.

આ બેઠક સપા નેતા આઝમ ખાનનો ગઢ મનાય છે. 2019માં રામપુર લોકસભા બેઠક પર આઝમ ખાન જ ચૂંટણી લડ્યા હતા અને 2022માં તેઓ વિધાનસભા ચૂંટણી લડીને આ મત વિસ્તારમાંથી જિત્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ તેમણે સાંસદ તરીકે રાજીનામુ આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના પર તેમણે પોતાના સમર્થક આસીમ રજાને ઉતાર્યા હતા. આઝામ ખાન પોતે જ પ્રચાર કરી રહ્યા હતા છતા પણ આ બેઠક સપાએ ગુમાવી છે.

આઝમગઢ

બીજી તરફ આઝમગઢ બેઠક પર ભાજપના ઉમેદવર દિનેશલાલ યાદવ નિરહુઆએ 14000 મતની સરસાઈ મેળવી લીધી છે. આ સાથે જ તેમની જીતની સત્તાવાર જાહેરાત જ બાકી છે. આ બેઠક પર મતગણતરીની શરુઆતમાં સપાના ઉમેદવાર આગળ હતા પણ જેમ જેમ મતગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ નિરહુઆએ  ધર્મેન્દ્ર યાદવને પાછળ છોડવા માંડ્યા હતા. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો