Posts

બાઈડને યુક્રેનની મુલાકાત લેતાં યુદ્ધ વકરવાની આશંકા

Image
- અમેરિકન પ્રમુખનો કીવનો ઐતિહાસિક પ્રવાસ રશિયન પ્રમુખ પુતિનને છંછેડશે - બાઈડેન પોલેન્ડથી અચાનક જ વહેલી સવારે ટ્રેન મારફતે કીવ પહોંચ્યા, યુક્રેનના યુદ્ધને લોકતંત્રની લડાઈ ગણાવી દરેક મદદની ખાતરી આપી - અમેરિકા આજે યુક્રેનને 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજ જાહેર કરશે : બાઈડેન, ઝેલેન્સ્કીએ યુએસ પ્રમુખનો આભાર માન્યો - બાઈડનની યુક્રેન મુલાકાત નાટો રશિયા સામે પડયું હોવાના પુતિનના દાવાને બળ આપશે - દુનિયાની નજર હવે 24મીએ રશિયન પ્રમુખ પુતિનના સંબોધન પર કીવ : યુક્રેન પર રશિયાના આક્રમણને ચાર દિવસ પછી એક વર્ષ પૂરું થવાનું છે ત્યારે હજુ સુધી યુદ્ધ ખતમ થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. ઉલટાનું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભડકવાની આશંકાઓ વધી ગઈ છે. રશિયાના મિસાઈલ, રોકેટથી હવાઈ હુમલાઓ વચ્ચે અમેરિકન પ્રમુખ જો બાઈડેન અચાનક જ સોમવારે સવારે ટ્રેન મારફત યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગયા છે. યુદ્ધ વચ્ચે કીવની આ ઐતિહાસિક મુલાકાતમાં અમેરિકન પ્રમુખ બાઈડેને યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીને દરેક પ્રકારની સહાયની ખાતરી આપી હતી. આ સાથે તેમણે દાવો કર્યો કે આ આક્રમણ પાછળ પુતિનનો આશય સંપૂર...

CBSE Class 10 Maths Deleted Syllabus for Board Exam 2023: Check Exercise Wise Topics Removed from Syllabus

Check deleted portion of CBSE Class 10 Maths Syllabus that will not be assessed in CBSE Class 10 Maths Board Exam 2022-23. Download the reduced syllabus in PDF.

USના યુદ્ધ અભ્યાસથી ડર્યા વિના ઉત્તર કોરિયાએ ફરી બે બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું

Image
image : wikipedia  સિયોલ, તા 20, ફેબ્રુઆરી, 2023,સોમવાર  દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયા દ્વારા સુખોન ક્ષેત્રમાંથી સવારે 7:00 વાગ્યાથી 7:11 વચ્ચે બે બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કરાયાની માહિતી આપી હતી. અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંયુક્ત હવાઈ અભ્યાસના એક દિવસ બાદ જ ઉત્તર કોરિયા એ ફરી એકવાર ઓછા અંતરની બે બેલેસ્ટિક મિસાઈલોનું પરીક્ષણ કર્યું હતું.  છેલ્લા 48 કલાકમાં ફરી પરીક્ષણ  ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં ઉત્તર કોરિયા દ્વારા બીજી વખત બેલેસ્ટિક મિસાઈલ ઝિંકવામાં આવી હતી. દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે દેશની સુરક્ષા અને નિરીક્ષણ અને મજબૂત કરતા દક્ષિણ કોરિયાની સેનાએ અમેરિકા સાથે નજીકના સહયોગ માટે સંપૂર્ણપણે તૈયારી કરી લીધી છે.  દક્ષિણ કોરિયાએ શું કહ્યું?  દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે અમેરિકા અને દક્ષિણ કોરિયા દ્વારા રવિવારે બોમ્બ મારો કરવાનો સંયુક્ત હવાઈ અભ્યાસ કરાયાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આ બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ(જેસીએસ)ના જણાવ્યા અનુસાર સૈન્ય અભ્યાસ દરમિયાન દક્ષિણ કોરિયાના F-35A સ્ટીલ્થ લ...

દિલ્હીમાં અસદુદ્દીન ઓવૈસીના નિવાસે પથ્થરમારો, AIMIMના વડાએ કહ્યું- આ પ્રકારનો ચોથો હુમલો

Image
image : Twitter નવી દિલ્હી, તા 20, ફેબ્રુઆરી, 2023,સોમવાર  દિલ્હીમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘરે બદમાશોએ રવિવારે મોડી સાંજે પથ્થરમારો કરી દીધો હોવાની ઘટના બની હતી. આ પથ્થરમારા બાદ ઓવૈસીના ઘરની બારીઓ તૂટી ગઇ હતી. આ ઘટનાની પુષ્ટી દિલ્હી પોલીસે પણ કરી હતી. તેના બાદ ઓવૈસીએ પોલીસમાં આ મામલે ફરિયાદ કરી હતી.  My Delhi residence has been attacked again. This is the fourth incident since 2014. Earlier tonight, I returned from Jaipur & was informed by my domestic help that a bunch of miscreants pelted stones that resulted in broken windows. @DelhiPolice must catch them immediately pic.twitter.com/vOkHl8IcNH — Asaduddin Owaisi (@asadowaisi) February 19, 2023 માહિતી મળતા એડિશનલ ડીસીપી દોડી આવ્યા  AIMIM ચીફ ઓવૈસીએ આરોપ મૂક્યો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના દિલ્હીમાં આવેલા નિવાસે પથ્થરમારો કરી દીધો હતો. આ ઘટના અશોક રોડ વિસ્તારમાં સાંજે આશરે સાડા 5 વાગ્યે બની હતી. માહિતી મળતા એડિશનલ ડીસીપીના નેતૃત્વમાં દિલ્હી પોલીસની એક ટીમ ઓવૈસીના ઘરે પહોંચી હતી અને પુરાવ...

VIDEO: ‘CM બનવા શરદ પવારના પગે પડી કર્યું સરેન્ડર’, ઉદ્ધવ ઠાકરે પર અમિત શાહનું હલ્લાબોલ

Image
કોલ્હાપુર, તા.19 ફેબ્રુઆરી-2023, રવિવાર ચૂંટણી પંચના શિવસેનાના નામ અને ચિન્હ અંગે કરેલા નિર્ણય બાદ ઉદ્ધ ઠાકરે અને તેમની પાર્ટી પર રાજકીય નેતાઓ સતત હલ્લાબોલ કરી રહ્યા છે. શુક્રવારે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય કરી શિંદે જૂથને અસલી શિવસેના તરીકે સ્વિકાર કર્યા હતા. પંચના આ નિર્ણય સાથે જ શિવસેનાનું ચિન્હ ‘ધનુષ અને તીર’ પણ શિંદે જૂથનું હોવાનો આદેશ અપાયો હતો. અસલી શિવસેનાને લઈ ઘણા સમયથી ચાલતા વિવાદનો પંચના નિર્ણય બાદ ભાજપના નેતાઓ સતત ઉદ્ધવ ઠાકરે પર પ્રહારો કરી રહ્યા છે. તો મહારાષ્ટ્રના કોલ્હાપુરની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે પણ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર હલ્લાબોલ કરી આકરી પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી ટાણે અમારી સાથે પ્રચાર કર્યોઃ શાહ અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી ટાણે ઉદ્ધવ ઠાકરેએ અમારી સાથે પ્રચાર કર્યો હતો, પરંતુ જ્યારે ચૂંટણી પરિણામો આવ્યા ત્યારે તેઓ બધી વિચારધારાઓ ભૂલી ગયા અને શરદ પવારના પગે પડી ગયા... શાહે કહ્યું કે તેમણે શરદ પવારના પગમાં પડી તેમને મુખ્યમંત્રી બનાવવાની વિનંતી કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ સત્તા ...

CTET Result Date 2023: Score Card, Merit List Out Soon, Check All Details Here

CTET Result Date 2023: Central Teachers Eligibility Test (CTET) result is going to be released soon. Candidates can know here about CTET Result 2023 Release Date, Score Card Release, Qualifying Marks and other details. 

પ્રસારકોએ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કર્યું, નવા ટેરિફ આદેશ અંગે વિવાદ

Image
image : Wikipedia  નવી દિલ્હી, તા 19, ફેબ્રુઆરી, 2023,રવિવાર  ડિઝ્ની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઈઝ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા લિમિટેડ સહિત મુખ્ય પ્રસારકોએ એ કેબલ ઓપરેટરને સિગ્નલ ઉપલબ્ધ કરાવવાનું બંધ કરી દીધું છે જેમણે નવા ટેરિફ આદેશ હેઠળ વધારેલી કિંમતો સાથે સમજૂતી પર હસ્તાક્ષર નથી કર્યા.  AIDCFએ શું કહ્યું ?  જ્યારે ડિજિટલ કેબલ ટેલિવિઝન કંપનીઓની ટોચની સંસ્થા ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન(AIDCF) કહ્યું કે તેમણે સમજૂતી પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કરી દીધો છે કેમ કે તેનાથી તેમનો ખર્ચ 25 ટકાથી વધીને 35 ટકા થઈ જશે અને ગ્રાહકો પર વધારાનું ભારણ પડશે. ફેડરેશને કહ્યું કે અમે આ મામલે કાયદાકીય પગલાં ભરવા વિચારી રહ્યા છીએ.  આ કારણે સિગ્નલ બંધ  અગાઉ પ્રસારકોએ નિયામક ટ્રાઈ દ્વારા જારી એનટીઓ હેઠળ 15 ફેબ્રુઆરીએ જુદા જુદા કેબલ ઓપરેટરોને સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે કેબલ સેવા પ્રદાતાઓએ તેના પર ધ્યાન ન આપ્યું. જેના કારણે પ્રસારકો દ્વારા સિગ્નલ બંધ કરાયા. આ પગલાના પરિણામસ્વરુપે દેશભરમાં લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો ...