Posts

Showing posts from May, 2025

ભારતીયોનો બ્રિટનથી મોહભંગ, ગત વર્ષે 58000 વતન પરત, બીજા ક્રમે ચીન રહ્યું

Image
UK And Indian News : યુકેએ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ વધારે આકરી બનાવતા વિદેશીઓએે ત્યાંથી નીકળવા દોટ લગાવી છે.  તેમાં ભારતીયો મોખરે છે. યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના 2024ના આંકડા મુજબ 58 હજાર ભારતીયોએ યુકે છોડયું છે. તેના પછીના ક્રમે ચાઇનીઝ, નાઈજીરિયન, પાકિસ્તાનીઓ અને અમેરિકનોનો સમાવેશ થાય છે.આ બતાવે છે કે યુકેમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે.

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ

Image
CISF MoU with SBI : CISF જવાનોના કલ્યાણની દિશામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલરી પેકેજ (CAPSP) હેઠળ સેવા આપતા અને નિવૃત્ત CISF કર્મચારીઓના પગાર ખાતાઓનું સંચાલન કરવા માટે આ કરાર કરવામાં આવ્યું છે. આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરાર મુજબ હવે CISFના જવાનોને અનેક વધારાના નાણાકીય લાભો મળશે. સેવામાં હોય તેવા જવાનોને શું લાભ મળશે? 

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત

Image
પ્રતિકાત્મક તસવીર..

યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય

Image
Donald Trump News :   અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કરવાની સાથે જ દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ઝિંકવાનું અને પછી યુ-ટર્ન લેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારતને મિત્ર દેશ ગણાવવા છતાં તેને ટેરિફ કિંગ ગણાવ્યો હતો. આ દિશામાં આગળ વધતા ટ્રમ્પે કતારમાં અમેરિકન કંપની એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા ચેતવણી આપી હતી, પરંતુ હવે ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે. આ સિવાય ટ્રમ્પે યુરોપીયન યુનિયનને પણ 1લી જૂનથી 50 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતથી જ ભારતને 'ટેરિફ કિંગ' ગણાવતા બદનામ કર્યો છે.

'આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક', યુરોપનો મોટો દેશ ભારતની પડખે

Image
India-Germany Relations : જર્મનીના ચાન્સેલરે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ.જયશંકર (External Affairs Minister S. Jaishankar) સાથે મુલાકાત કર્યા બાદ ચાન્સેલરે કહ્યું કે, ‘ભારતે પોતાનો બચાવ કરવા માટે આતંકવાદીઓ પર હુમલો કરવાનો હક છે. ભારતે પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. અમે સ્પષ્ટ કહીએ છીએ કે, બંને દેશોએ પોતાના વિવાદોને માત્ર ભેગા મળીને જ ઉકેલવો પડશે.

‘પાણી બોમ્બ છે, અમે ભૂખ્યા મરી જઈશું’, પાણી માટે તડપતા રહેલા પાકિસ્તાનની સંસદમાં ઉઠ્યો ‘સિંધુ જળ સમજૂતી’નો મુદ્દો

Image
Pakistan Water Crisis : પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી છે. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન પાણી માટે તરફડિયાં મારી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડી તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી સમયમાં પણ આ સસ્પેન્ડની કાર્યવાહી યથાવત રહેશે. આવી સ્થિતિમાં સિંધુ નદી પર નિર્ભર પાકિસ્તાન પાણી-પાણી માટે તડપી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં ઉઠાવતા પાકિસ્તાની સાંસદે સમજૂતી સસ્પેન્ડની કાર્યવાહીને વૉટર બોંબ ગણાવ્યો છે અને કહ્યું કે, તેને ડિફ્યૂઝ કરવો જ પડશે.

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં ભાવનગરના વતની બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ

Image
Naxal Attack News |   છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને સીઆરપીએફમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહેલા જવાન શહીદ થયા હતા. છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલ નંદલાલ સોલંકી (ઉ.વ.આ.

VIDEO : ટ્રમ્પે વધુ એક દેશ સાથે બગાડ્યા સંબંધ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખનું કર્યું અપમાન, જાણો શું કહ્યું

Image
Donald Trump Cyril Ramaphosa Meet : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો સાથે સંબંધો બગાડી રહ્યા છે. હવે આ જ ક્રમમાં ટ્રમ્પના કારણે વધુ એક ગાઢ મિત્ર દેશ સાથે અમેરિકાના સંબંધ બગડ્યા છે. વાસ્તવમાં વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસા વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર અને સમજૂતી અંગે વાતચીત શરૂ થઈ હતી, જોકે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અચાનક કડવાશમાં ફેરવાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્રમ્પના કર્યા વખાણ

VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

Image
Indigo Flight Emergency Landing: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6E2142 (રેજિસ્ટ્રી VT-IMD)નું ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો. ઉડાન દરમિયાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે હિમવર્ષા અને કરા પડ્યા, જેને લઈને વિમાનમાં બૂમાબૂમ થઈ. વિમાન પર વીજળી પડવાની વાત પણ સામે આવી છે. આ દરમિયાન પાયલટે એટીસી શ્રીનગરને ઇમરજન્સી માહિતી આપી દીધી અને પછી તેને થોડીવાર બાદ શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા.

અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા, જાણો કયા-કયા વિસ્તારમાં થઈ વાયરસની એન્ટ્રી

Image
Coronavirus in Ahmedabad: વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે. દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે. ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે.

આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા

Image
Waqf Act : વક્ફ એક્ટ, 2025ને પડકાર આપતી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં આખો દિવસ સુનાવણી થશે. આજે જ સર્વોચ્ચ ન્યાયાલય આ કેસમાં વચગાળાનો ચુકાદો પણ આપે તેવી શક્યતા છે.  આજની સુનાવણી મુખ્યત્વે ત્રણ મુદ્દા પર સુનાવણી હાથ ધરાશે. વક્ફની સંપત્તિઓને ડીનોટિફાઈ કરવાની શક્તિ, કેન્દ્રીય વક્ફ પરિષદની સંરચના તથા વક્ફ સંપત્તિ સરકારી જમીન છે કે નહીં તેની તપાસ કલેક્ટર કરી શકે કે નહીં? પર સુનાવણી કરવામાં આવશે. 

SRH vs LSG : સનરાઇઝર્સ હૈદરાબાદની 6 વિકેટથી જીત, લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસથી બહાર

Image
IPL 2025 SRH vs LSG : IPL 2025ની 61મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ હતી. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટથી જીતી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી LSGએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જે પછી SRHની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં હાર સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પુતિન-ઝેલેંસ્કીને કર્યો ફોન, યુક્રેનમાં યુદ્ધવિરામ પર કરી લાંબી ચર્ચા

Image
Russia Ukraine Conflict:  રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને બંધ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. ત્યારે હવે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો, અને યુક્રેનમાં યુદ્ધવિરામ કરવા પર વાતચીત કરી છે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમને કથિત રીતે એ પૂછવામાં આવ્યું છે કે, શું પુતિન શાંતિ અને યુદ્ધવિરામ માટે ગંભીર છે. તેની માહિતી બંને નેતાઓની વાતચીત પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આપી હતી અને જણાવ્યું હતું કે, પુતિન સાથે ટ્રમ્પ સીધી વાત કરશે, અને જાણવા ઇચ્છશે કે તેઓ(પુતિન) કેટલા ગંભીર છે.

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી

Image
Rain Forecast: ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન બહાર નીકળવું નુકસાનકારક બન્યું છે. જોકે, આ દરમિયાન ઘણા વિસ્તારો એવા છે જ્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, કર્ણાટક, ગોવા, કોંકણ અને કેરળ જેવા પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 થી 24 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત આગામી પાંચથી છ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 18-22 મે દરમિયાન લૂ ફૂંકાશે.

RCB vs KKR : વરસાદના કારણે મેચ રદ, બંને ટીમોને મળ્યા 1-1 પોઇન્ટ, KKR પ્લેઓફની રેસમાંથી બહાર

Image
IPL 2025 RCB vs KKR : પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાઇ હતી. જે પછી આ ટુર્નામેન્ટ આજથી (17 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થઈ. જો કે, આ બીજા તબક્કાની પહેલી જ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જે પછી બંને ટીમોને એક-એક પોઇન્ટ અપાયા હતા. આ મેચ રદ થતા KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે અને RCB પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની સાથે પ્લેઓફમાં ક્વોલિફાઇ થવા માટે સૌથી મજબૂત ટીમ બની ગઇ છે.

ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, એક જ દિવસમાં 150 લોકોના મોત, એરસ્ટ્રાઈક બાદ હમાસ વાતચીત માટે થયું તૈયાર

Image
Israel Attack on Gaza:  ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા, જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.

વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'

Image
- ભારતે પહેલી વખત તાલિબાન સાથે હાથ મિલાવ્યા - તાલિબાનોએ પહલગામ હુમલાની ટીકા કરી, ભારતે કાબુલ નદી પર શહતૂત બંધ બનાવવા તૈયારી દર્શાવી - પહલગામમાં આતંકી હુમલા પછી તુરંત જ ભારતીય રાજદ્વારીઓની ટીમે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો Ind vs Pak News :  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો. હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે.

ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત

Image
Russia-Ukraine Peace Talks : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે. યુદ્ધ કેદીઓની અદલાબદલી બંને દેશો માટે સારા સંકેત યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી.

ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

Image
Earthquake: ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. 

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર

Image
Indian Army: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ સેનાએ આપી જાણકારી

ભારતથી ડરી ગયા પાક.ના આતંકવાદીઓ-કટ્ટરપંથી નેતાઓ, બુલેટપ્રૂફ કાચ પાછળ ઉભા રહી આપ્યું ભારત વિરોધી ભાષણ

Image
Terrorists Support Pakistani Army: ગત 12 મે 2025ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક એવી રેલી યોજાઈ. જેણે પાકિસ્તાનની આતંકવાદ સમર્થક માનસિકતાને ફરીથી ઉજાગર કરી. દિફા-એ-વતન કાઉન્સિલ (DWC)ના બેનર હેઠળ આયોજિત આ રેલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને અહલે સુન્નત વલ જમાત જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતા સામેલ હતા. જિન્ના બાગમાં હજારો કટ્ટરપંથીઓએ પાકિસ્તાની સેનાના વખાણ કર્યા અને ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યા. રેલીમાં લશ્કરના કમાન્ડર ફૈઝલ નદીમે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળ ઉભા રહીને ભારત વિરોધી ઝેર ઓંક્યું. જેનાથી તેની કાયરતા પણ સામે આવી.

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

Image
India-Pakistan Tension:  નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.

મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક, 20 વિદ્યાર્થી સહિત 22ના મોત

Image
Myanmar Army Airstrike on School : મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.  

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

Image
CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, 'આ નવા ભારતની નીતિનું એલાન છે...

'પાકિસ્તાન માત્ર શાંતિનો દેખાડો કરે છે...', BLA એ ભારતની મદદ માગી, કહ્યું- અમને સ્વતંત્રતા જોઈએ

Image
BLA NEWS :  ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડીને બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ. બલૂચિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો પણ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે.

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ

Image
NIA arrest Kashmir Singh : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.  બિહારમાં ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

Image
Indian ARMY Press Conference:  ભારતની ત્રણેય સેનાઓએ રવિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોવાતી હતી...

જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ

Image
Gujarat Rain and Weather News : જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. માળિયાહાટીના પંથકમાં વરસાદથી વૃજમી નદીમાં પુર આવ્યું હતું. જ્યારે ભેસાણમાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ કમોસમી વરસાદ થયો હતો. હાલ પડતા વરસાદના લીધે ઉનાળુ પાક, કેરી, રાવણાનો પાક હવે નિષ્ફળ જાય એવી હાલત છે.

VIDEO : અજંપાભરી સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં શાંતિ છવાઇ

Image
india vs Pak |  ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઇ ગયા છે. અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા. જોકે પછીથી ભારતે ચોખવટ કરી હતી ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત દ્વારા સીઝફાયર માટે સહમતિ આપી છે તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. 

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

Image
India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જો કે, ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 'પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ, સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય

Image
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તરફથી કરાયેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા બાદ પણ દુશ્મન દેશે હુમલા શરૂ રાખ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાન બોર્ડરના રાજ્યો હાઇ ઍલર્ટ પર છે. ત્યારે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે.

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Image
Earthquack in Pakistan | ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી.

આતંકની દુકાન ચલાવતા પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન, ભારતે નોંધાવ્યો હતો વિરોધ

Image
IMF Loan To Pakistan:  આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ  1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. શુક્રવારે ભારતે પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના 'નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ'ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે.

'પાકિસ્તાન બેલઆઉટ પેકેજ લઈને ટેરર ફંડિંગ કરે છે', ભારતે IMFના મતદાનમાં ભાગ ન લીધો

Image
India On IMF : અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો

Image
India-Pak Conflict: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પહલગામના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ 7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ એર સ્ટ્રાઇક 9 આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર અને અન્ય ભારતીય સીમાઓ પર સતત હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરૂવાર રાતથી સ્થિતિ વધારે નાજૂક બની છે. આવી નાજૂક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે.

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી

Image
Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ફ્લાઈટોને અસર પહોંચી છે. એર ઈન્ડિયા, સ્પાઇસજેટ, ઈન્ડિગો, આકાસા એરે એક એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને સચિત કર્યા છે કે, જો તેમની ફ્લાઈટનું શેડ્યુલ છે તો તેઓ સમયના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય.

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ

Image
jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે  કે 7 મેના રોજ ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારથી સરહદ પર સતત ગોળીબાર ચાલુ છે. ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે.

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું નામ

Image
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

Image
India slams OIC's statement : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એકતરફ ભારતને અમેરિકા અને રશિયા જેવા મિત્રોનો સાથ મળ્યો છે, તો બીજીતરફ પાકિસ્તાને OICને ગેરમાર્ગે દોરીને 57 દેશોનું સમર્થન હાંસલ કર્યું છે. આ મામલેઈસ્લામિક સહયોગ સંગઠન ( IOC)એ નિવેદન જારી કરી ભારતના પાકિસ્તાન વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓંકવા મુસ્લિમ સંગઠનનોનો ઉપયોગ કર્યો ઓઆઈસી પહલગામ હુમલા મામલે પાકિસ્તાનની ટીકા કરવાના બદલે તેને સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે.

પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે, સંયુક્ત રાષ્ટ્રની ભારત-પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી બચવા સલાહ

Image
UN Chief Urges Restraint as India-Pakistan Tensions Rise : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે.  સૈન્ય સંઘર્ષથી પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે: UN

અમરેલીની શેત્રુંજી નદીમાં 4 યુવાનોના ડૂબી જતાં મોત, સમગ્ર પંથકમાં શોક છવાયો

Image
Amreli News : ગુજરાતના અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 યુવાનો નાહવા પડ્યા હતા. જેમાં નદીના ઊંડા પાણી યુવાનો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 યુવાનોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને પગલે સંમગ્ર પથંકમાં શોક છવાયો છે. 

કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે

Image
Waqf Bill and Supreme Court News :  કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં ૭૨ જેટલી અરજીઓ થઇ છે. આ અરજીઓમાંથી કેટલીક અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરવા જઇ રહી છે. આ પહેલા 17 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો.

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું'

Image
Ajay Rai on Rafale : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને વિપક્ષ સરકારને અનેક સવાલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવી હતી અને તેના પર લીંબુ-મરચાં લટકાવીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ કરેલી કટાક્ષનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Image
Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક લાંબી બેઠક યોજી હતી, જેમાં તેમણે નૌસેનાની વર્તમાન તૈયારીઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કર્યું ભારતીય નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે યુદ્ધાભ્યાસ દરમિયાન નૌસેનાએ પોરબંદર પાસે આયોજિત કરવામાં આવેલા અનેક લાઈવ ફાયરિંગ ડ્રિલ્સનું પણ સંચલાન કર્યું છે.

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

Image
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જન આક્રોશ રેલીમાં ભારે બબાલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે, જેમાં તેમની પાઘડી પડી ગઈ છે. આ દરમિયાન તેમના પર ડંડાથી હુમલો કરવાનો પણ પ્રયાસ કરાયો છે. એટલું જ નહીં અહીં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે, પોલીસે ભારે જહેમત ઉઠાવી ટિકૈતના મહામુસિબતે ત્યાંથી બહાર કાઢ્યા છે.

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

Image
Suhas Shetty Murder Case : કર્ણાટકમાં એક હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે સ્થિતી વણસી ગઈ છે. અહીં અનેક બસોમાં પથ્થમારો તો કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધની જાહેરાત કરતાં અહીં મોટાભાગના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી છે. જિલ્લા વહિવટીતંત્રએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધના આદેશ જાહેર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ટોળા દ્વારા કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ

Image
Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસ માટે લખનઉના પ્રવાસે ગયા છે. જાનકીપુરમ સ્થિત એકેટીયુમાં આયોજિત યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર આધારિત પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હેં'ના વિમોચનના કાર્યક્રમમાં જગદીપ ધનખડે જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્રા સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમજ સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ તેમની સાથે રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરુવારે (1 મે, 2025) લખનઉના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે બક્શીના તળાવ સ્થિત એરફોર્સ સ્ટેશન પર યોગી આદિત્યનાથે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.