Posts

Showing posts from May, 2025

Miss World 2025: મિસ વર્લ્ડ બની થાઇલેન્ડની ઓપલ સુચાતા, ભારતની નંદિની ગુપ્તા ટોપ 20 સુધી પહોંચી હતી

Image
Miss World 2025 : થાઈલેન્ડની ઓપલ સુચાતાએ મિસ વર્લ્ડ 2025નો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ વર્ષે ફિનાલે હૈદરાબાદના હાઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયો હતો. જેમાં ભારતની નંદિની ગુપ્તાએ 108 દેશોના કન્ટેસ્ટન્ટ્સ સાથે મુકાબલો કરીને ટોપ-20માં પહોંચી હતી, પરંતુ તે ટોપ-8માં પોતાના સ્થાન બનાવી શકી ન હતી. 

હૈદરાબાદનો 13 વર્ષનો ફૈઝાન અમેરિકામાં સ્પેલિંગ બી સ્પર્ધામાં વિજેતા, 50000 ડૉલરનું ઈનામ જીત્યો

Image
Hyderabad Faizan News : અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી નામની અંગ્રેજી શબ્દોના સાચાં સ્પેલિંગ જણાવવાની 2025ની સ્પર્ધામાં ગુરૂવારે તેર વર્ષનો ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી ફૈઝાન ઝાકી વિજેતા બન્યો છે. ટેક્સાસની સીએમ રાઇસ મીડલ સ્કૂલના સાતમા ધોરણના વિદ્યાર્થી ઝાકીને 50000 ડોલરનું રોકડ ઇનામ, મેડલ તથા ચેમ્પિયન ટ્રોફી ઇ.ડબલ્યુ સ્ક્રીપ્સ કંપનીના સીઇઓ અને પ્રેસિડેન્ટ એડમ સિમ્કોને એનાયત કરતાં જણાવ્યું હતું કે આ ટ્રોફી જીતી ફૈઝાને ચેમ્પિયનને છાજે તેવી દૃઢતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે. બીજા ક્રમે આવેલાં કેલિફોર્નિયાના સર્વજ્ઞા કદમને 25000 ડોલરનું ઇનામ જ્યારે ત્રીજા ક્રમે આવેલાં જ્યોર્જિયાના સર્વ ધારાવણેને 15000 ડોલરનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. ઝાકીએ અંગ્રેજી શબ્દ એન્કલેરિસ્સેમેન્ટ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવી 21 મા રાઉન્ડમાં આ સ્પર્ધા જીતી લીધી હતી.

‘અમેરિકા સાથે પરમાણુ ડીલ કરો, નહીંતર...’ સાઉદી અરેબિયાએ ઈરાનને કેમ આપી ચેતવણી?

Image
Saudi Arabia Prince Khalid Warned Iran : સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રીએ ઈરાનને સ્પષ્ટ કહ્યું છે કે, ‘તમે ટ્રમ્પના પરમાણુ સમજૂતી પર વાતચીત કરવાના પ્રસ્તાવને ગંભીરતાથી સ્વિકાર કરી લો અથવા ઈઝરાયલના હુમલાના ગંભીર ખતરાનો સામનો કરો. જો તમે પ્રસ્તાવને સ્વિકારી લેશો તો ઈઝરાયલ સાથેના યુદ્ધથી બચી શકો છો.’ સાઉદી સંરક્ષણ મંત્રીએ ઈરાનના સર્વોચ્ચ નેતાને મળીને ચેતવણી આપી વાસ્તવમાં ખાડી દેશોમાં ફરી અસ્થિરતાના જોખમો ઉભા થયા છે, જેના કારણે સાઉદી અરેબિયાના 89 વર્ષિય રાજા સલમાન બિન અબ્દુલ અજીજે તેમના પુત્ર અને સંરક્ષણ મંત્રી પ્રિંસ ખાલિદ બિન સલમાન (Saudi Arabia Defense Minister Prince Khalid bin Salman)ને ગત મહિને ઈરાનની રાજધાની તહેરાન મોકલ્યા હતા. રૉયટર્સના રિપોર્ટ મુજબ, સાઉદી પ્રિન્સ ખાલિદે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ (Iran Supreme Leader Ayatollah Seyyed Ali Khamenei) સાથે મુલાકાત કરી હતી અને ચેતવણી આપી હતી.

મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે'

Image
Randhir Jaiswal On  Muhammad Yunus : ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું હોવાના મોહમ્મદ યુનુસના દાવાને લઈને વિદેશ મંત્રાલય ખુલાસો કર્યો છે. ગુરુવારે (29 મે) મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશ દ્વારા ભારત પર લગાવેલા આરોપો મુખ્ય મુદ્દામાંથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. જ્યાં સુધી ત્યાની સરકારનો સવાલ છે, તો કાયદો વ્યવસ્થા અને શાસન સંબંધિત બાબતોને સંભાળની શકતા ન હોવાથી તેઓ આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે.' 'તેઓ પોતાની જવાબદારી માંથી ભાગી રહ્યા છે' મોહમ્મદ યુનુસ પર નિશાનો સાધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'જો આવી સ્થિતિમાં કોઈ બીજા દ્વારા દેશની પરિસ્થિતિને લઈને આરોપ લગાવવામાં આવી છે.

ટેરિફ મુદ્દે કોઈ ચર્ચા થઈ જ નહોતી: ભારતે ફરી સંઘર્ષ વિરામ મુદ્દે ટ્રમ્પનો દાવો ફગાવ્યો

Image
India Reacted On Trump Administration Fresh Claim : અમેરિકા દ્વારા ટેરિફની ધમકી અપાયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોવાના દાવાને ભારતે ફગાવી દીધા છે. ભારતે આજે (29 મે) કહ્યું છે કે, સાત મેથી 10 મે દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું, ત્યારે અમેરિકા સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત થઈ હતી, તેમાં ટેરિફની કોઈપણ વાતચીત થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US PresidentDonald Trump) યુએસ કોર્ટમાં દાવો કર્યો હતો કે, ‘અમેરિકાના દ્વારા ટેરિફની ધમકીથી ભારત-પાકિસ્તાન (India-Pakistan Controversy) વચ્ચે ત્રણ દિવસની લડાઈ બાદ યુદ્ધવિરામ થયું છે.’ 

ભારતે ગેરકાયદે ઘૂસણખોરોને તગેડ્યાં પણ બાંગ્લાદેશે ન સ્વીકારતાં સરહદે સ્થિતિ મૂંઝવણભરી

Image
  India vs Bangladesh News : બાંગ્લાદેશના નેતાઓ અને સુરક્ષા એજન્સીઓએ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલવાની ભારતની કાર્યવાહી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશે ભારતની આ કાર્યવાહીને પોતાના સાર્વભૌમત્વ પર હુમલો અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. જોકે હકીકતમાં મંગળવારે ભારતે 67 બાંગ્લાદેશી નાગરિકોને પાછા મોકલ્યા હતા જ્યારે બુધવારે સવારે 13 લોકો ભારત-બાંગ્લાદેશ સરહદની ઝીરો લાઇન્સ પર ફસાયેલા રહ્યા. ગેરકાયદેસર ઘુસણખોરોની સંખ્યા ચિંતાજનક 26 મેના રોજ બાંગ્લાદેશી સેનાના એક વરિષ્ઠ અધિકારીએ ધમકી આપી હતી કે ભારત દ્વારા ગેરકાયદેસર નાગરિકોને ધકેલવામાં આવી રહ્યા છે જે સ્વીકાર્ય નથી અને જો જરૂરી હશે તો અમે સૈન્ય કાર્યવાહી માટે પણ તૈયાર છીએ.

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ

Image
Madhavi Puri Buch SEBI News : સેબીના પૂર્વ ચેરમેન માધબી પૂરી બુચને મોટી રાહત મળી છે. ભ્રષ્ટાચારના આરોપોની તપાસ પછી લોકપાલે તેમને ક્લિનચીટ આપી દીધી છે. લોકપાલે જણાવ્યું છે કે લગાવવામાં આવેલા આરોપ ફક્ત અંદાજ અને ધારણા પર આધારિત છે જેના કોઇ મજબુત પુરાવા નથી. ફરિયાદોમાં હિન્ડનબર્ગ રિસર્ચના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો પણ લોકપાલે કાર્યવાહી માટે આ રિપોર્ટને અપૂરતો ગણાવ્યો હતો.  ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલે વધુમાં કહ્યું છે કે, બુચ સામે તપાસનો આદેશ આપવા માટે કોઈ ભૌતિક પુરાવા નથી.

ટ્રમ્પ સરકારનો કોર્ટમાં ગજબનો દાવો, કહ્યું- ‘ટેરિફ જરૂરી, નહીં તો ભારત-પાકિસ્તાન વચ્ચેનું સીઝફાયર તૂટી જશે’

Image
US President Donald Trump Tariff  Case And India-Pakistan Ceasefire : અમેરિકાની કોર્ટમાં ટેરિફના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રમ્પ તંત્રના અધિકારીઓએ ટ્રમ્પ સરકાર દ્વારા વિશ્વભરની અર્થવ્યવસ્થા પર વ્યાપક ટેક્સ લગાવવાના નિર્ણયના પ્રયાસને બચાવવાનો પ્રયાસ કરાયો છે. કોર્ટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે હાસ્યાસ્પદ દાવો પણ કર્યો છે. ટ્રમ્પ સરકારે દાવો કર્યો છે કે, જો કોર્ટ ટેરિફ લગાવવાની શક્તિઓ સમિતિ કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ તૂટી શકે છે. અમેરિકન અધિકારીઓએ ટ્રમ્પના ટેરિફ નિર્ણયનો કોર્ટમાં બચાવ કર્યો

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી

Image
Monsoon 2025 Weather Report Update : દેશમાં મુંબઈ સહિત અનેક શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે, જ્યારે કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડતા લોકો અસહ્ય બફારાથી પરેશાન થઈ ગયા છે. જોકે હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી કહી રહી છે કે, મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર ટ્રેલર છે, મેઘરાજાનું અસલી તાંડવ તો જૂન મહિનામાં જોવા મળશે. ચોમાસુ દેશના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે : IMD ભારતીય હવામાન વિભાગે (IMD) કહ્યું છે કે, ‘આ વખતે કેરળમાં આઠ દિવસ પહેલા એટલે કે 24 મેએ ચોમાસું પહોંચી ગયું છે. ચોમાસાની વહેલી એન્ટ્રીથી છેલ્લા 16 વર્ષનો રેકોર્ડ તુટી ગયો છે.

એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા

Image
Car suicide case : હરિયાણાના પંચકૂલામાં સોમવારે મોડી રાત્રે સામૂહિક આપઘાતના કારણે ચકચાર મચી છે. મૂળ ઉત્તરાખંડના પરિવારના સાત લોકોના મૃતદેહ મળી આવ્યા. આશંકા છે કે દંપતી, તેમના ત્રણ બાળકો અને બે વૃદ્ધોએ એકસાથે ઝેર ખાઈને આપઘાત કર્યો છે.  ઘટનાની જાણ થતાં જ તમામને સૌપ્રથમ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં એક જ વ્યક્તિને છોડી તમામને મૃત જાહેર કરવામાં આવ્યા. જે બાદ જે વ્યક્તિ બચી ગઈ હતી તેણે પણ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો.

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી... આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

Image
Operation Sindoor : ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ જવાનો માટે એક વિશેષ બુકલેટ જાહેર કરી છે. બુટકેટમાં તે ઓપરેશન રૂમની તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૈન્ય કાર્યવાહી પર દેખરેખ કરાતી હતી. તસવીરોમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ ઓપરેશન પર નજર રાખતા દેખાઈ રહ્યા છે.

રેવન્યુ તલાટી-2025ના આજથી ફોર્મ ભરાવવાના શરૂ, જાણો અરજી કરવાની રીત

Image
Revenue Talati 2025 Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની 2389 જેટલી જગ્યાઓ માટે ભરતીને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીના આજે સોમવાર (26 મે, 2025)થી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે. જેમાં આગામી 10 જૂન, 2055ના રાત્રે 11:59 સુધીમાં ફોર્મ ભરી શકાશે.  રેવન્યુ તલાટીના આજથી ફોર્મ ભરાવવાના શરૂ  મહેસૂલ વિભાગ હસ્તકની રેવન્યુ તલાટીની વર્ષ 2025 માટે ભરતીની આજે સોમવારથી ફોર્મ ભરાવવાના શરૂ થયા છે.

ટ્રમ્પ આકરા પાણીએ, હાર્વર્ડને કહ્યું - પૈસા નહીં મળે, તમારું 5.20 કરોડ ડૉલરનું ફંડ છે એ વાપરો

Image
Donald Trump News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત હાર્વર્ડ યુનિવર્સિટી પર હુમલો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે અને હાર્વર્ડ આ વિદ્યાર્થીઓની વિગતો આપવાનો ઈનકાર કરે છે. સરકાર તેમને અબજો ડોલરનું ભંડોળ આપે છે. તો તેમણે જવાબ આપવો જોઈએ. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલરનું ભંડોળ છે.

મુંબઈ નજીક મધદરિયામાં ઓઈલ અને ગેસનો નવો વિપુલ ભંડાર મળ્યો, ભવિષ્યમાં ઉત્પાદન વધશે!

Image
Mumabi ONGC Oil News: કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓેએનજીસી) મુંબઈના મધ દરિયામાં ઓઈલ અને ગેસનો વિપુલ જથ્થો શોધી કાઢયો છે, જે નજીકના ભવિષ્યમાં  સ્વદેશી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે. આ નવો જથ્થો ઓપન એક્રિઓજ લાઈસન્સિંગ પોલિસી (ઓએએલપી) રેઝિમ હેઠળ અપાયેલા બ્લોકસમાંથી મળી આવ્યો હોવાનું ઓએનજીસીએ પોતાની આવકના ચોથા કવાર્ટરના રિપોર્ટમાં જણાવ્યું હતું. ઓઈલ અને ગેસના આ નવા સ્ત્રોતોને  સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા છે  અને એ બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે આવેલા છે.  એક સ્ત્રોત ઓએએલપી-6 બ્લોક એમબી-ઓએસએચપી-2020/2 અને બીજો ઓએએલપી-ત્રણ બ્લોક એમબીઓએસએચપી-2018/1માં આવેલો છે.

IPL 2025: સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનનથી હરાવ્યું, ક્લાસેન-ટ્રેવિસની શાનદાર બેટિંગ

Image
Sunrisers Hyderabad won : SRH vs KKR: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હીમાં રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 110 રનથી હરાવ્યું છે. હૈદરાબાદે બંપર જીત સાથે સીઝનમાં સફર પૂર્ણ કરી છે. હાલ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે 6 નંબર પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદની 110 રને જીત હેનરિક ક્લાસેનની તોફાની સદી અને ટ્રેવિસ હેડની ઝડપી અડધી સદી બાદ હર્ષ દુબે, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગાની બોલિંગ સામે કોલકાતા નાઈટ રાઈડર્સને હારનો સામનો કરવો પડ્યો.

ભારતીયોનો બ્રિટનથી મોહભંગ, ગત વર્ષે 58000 વતન પરત, બીજા ક્રમે ચીન રહ્યું

Image
UK And Indian News : યુકેએ વિઝા અને ઇમિગ્રેશન નીતિઓ વધારે આકરી બનાવતા વિદેશીઓએે ત્યાંથી નીકળવા દોટ લગાવી છે.  તેમાં ભારતીયો મોખરે છે. યુકેની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના 2024ના આંકડા મુજબ 58 હજાર ભારતીયોએ યુકે છોડયું છે. તેના પછીના ક્રમે ચાઇનીઝ, નાઈજીરિયન, પાકિસ્તાનીઓ અને અમેરિકનોનો સમાવેશ થાય છે.આ બતાવે છે કે યુકેમાં રિવર્સ માઇગ્રેશન થઈ રહ્યું છે.

CISFના જવાનો માટે લેવાયા મોટા નિર્ણય, શહીદોને 1 કરોડ રૂપિયા સહાય, સંતાનોને મળશે ઉચ્ચ શિક્ષણ

Image
CISF MoU with SBI : CISF જવાનોના કલ્યાણની દિશામાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલરી પેકેજ (CAPSP) હેઠળ સેવા આપતા અને નિવૃત્ત CISF કર્મચારીઓના પગાર ખાતાઓનું સંચાલન કરવા માટે આ કરાર કરવામાં આવ્યું છે. આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરાર મુજબ હવે CISFના જવાનોને અનેક વધારાના નાણાકીય લાભો મળશે. સેવામાં હોય તેવા જવાનોને શું લાભ મળશે? 

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત

Image
પ્રતિકાત્મક તસવીર..

યુરોપિયન યુનિયન પર 50% અને વિદેશમાં બનેલા iPhone ઉપર 25% ટેરિફ લાગુ, ટ્રમ્પનો નિર્ણય

Image
Donald Trump News :   અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજો કાર્યકાળ શરૂ કરવાની સાથે જ દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ બોમ્બ ઝિંકવાનું અને પછી યુ-ટર્ન લેવાનું વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ભારતને મિત્ર દેશ ગણાવવા છતાં તેને ટેરિફ કિંગ ગણાવ્યો હતો. આ દિશામાં આગળ વધતા ટ્રમ્પે કતારમાં અમેરિકન કંપની એપલને ભારતમાં આઈફોનનું ઉત્પાદન નહીં કરવા ચેતવણી આપી હતી, પરંતુ હવે ટ્રમ્પે એપલને સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત કે અન્ય કોઈ દેશમાં ઉત્પાદિત આઈફોનનું અમેરિકામાં વેચાણ કરવા પર 25 ટકા ટેરિફ લાગુ કરાશે. આ સિવાય ટ્રમ્પે યુરોપીયન યુનિયનને પણ 1લી જૂનથી 50 ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની શરૂઆતથી જ ભારતને 'ટેરિફ કિંગ' ગણાવતા બદનામ કર્યો છે.

'આત્મરક્ષણમાં આતંકવાદીઓ પર પ્રહાર કરવાનો હક', યુરોપનો મોટો દેશ ભારતની પડખે

Image
India-Germany Relations : જર્મનીના ચાન્સેલરે આતંકવાદ વિરુદ્ધ લડી રહેલા ભારતનું જાહેરમાં સમર્થન કર્યું છે. જર્મનીના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી એસ.જયશંકર (External Affairs Minister S. Jaishankar) સાથે મુલાકાત કર્યા બાદ ચાન્સેલરે કહ્યું કે, ‘ભારતે પોતાનો બચાવ કરવા માટે આતંકવાદીઓ પર હુમલો કરવાનો હક છે. ભારતે પાકિસ્તાનના ઈરાદાઓ પર પાણી ફેરવી નાખ્યું. અમે સ્પષ્ટ કહીએ છીએ કે, બંને દેશોએ પોતાના વિવાદોને માત્ર ભેગા મળીને જ ઉકેલવો પડશે.

‘પાણી બોમ્બ છે, અમે ભૂખ્યા મરી જઈશું’, પાણી માટે તડપતા રહેલા પાકિસ્તાનની સંસદમાં ઉઠ્યો ‘સિંધુ જળ સમજૂતી’નો મુદ્દો

Image
Pakistan Water Crisis : પહલગામમાં આતંકવાદી હુમલો થયા બાદ ભારતે પાકિસ્તાનની હાલત બગાડી દીધી છે. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કર્યા બાદ પાકિસ્તાન પાણી માટે તરફડિયાં મારી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પાર પાડી તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આગામી સમયમાં પણ આ સસ્પેન્ડની કાર્યવાહી યથાવત રહેશે. આવી સ્થિતિમાં સિંધુ નદી પર નિર્ભર પાકિસ્તાન પાણી-પાણી માટે તડપી રહ્યું છે. આ મુદ્દે સંસદમાં ઉઠાવતા પાકિસ્તાની સાંસદે સમજૂતી સસ્પેન્ડની કાર્યવાહીને વૉટર બોંબ ગણાવ્યો છે અને કહ્યું કે, તેને ડિફ્યૂઝ કરવો જ પડશે.

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલામાં ભાવનગરના વતની બ્લેક કોબ્રા કમાન્ડો શહીદ

Image
Naxal Attack News |   છત્તીસગઢમાં નક્સલવાદીઓનો જડમૂળથી સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન દરમિયાન નક્સલવાદીઓ અને સીઆરપીએફ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામના વતની અને સીઆરપીએફમાં બ્લેક કોબ્રા કમાન્ડો તરીકે દેશસેવા કરી રહેલા જવાન શહીદ થયા હતા. છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન મેહુલ નંદલાલ સોલંકી (ઉ.વ.આ.

VIDEO : ટ્રમ્પે વધુ એક દેશ સાથે બગાડ્યા સંબંધ, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખનું કર્યું અપમાન, જાણો શું કહ્યું

Image
Donald Trump Cyril Ramaphosa Meet : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો સાથે સંબંધો બગાડી રહ્યા છે. હવે આ જ ક્રમમાં ટ્રમ્પના કારણે વધુ એક ગાઢ મિત્ર દેશ સાથે અમેરિકાના સંબંધ બગડ્યા છે. વાસ્તવમાં વોશિંગ્ટન ડીસીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખ સિરિલ રામફોસા વચ્ચે ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર અને સમજૂતી અંગે વાતચીત શરૂ થઈ હતી, જોકે બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અચાનક કડવાશમાં ફેરવાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપ્રમુખે ટ્રમ્પના કર્યા વખાણ

VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

Image
Indigo Flight Emergency Landing: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ 6E2142 (રેજિસ્ટ્રી VT-IMD)નું ગંભીર હવામાનનો સામનો કરવો પડ્યો. ઉડાન દરમિયાન દિલ્હીથી શ્રીનગર વચ્ચે હિમવર્ષા અને કરા પડ્યા, જેને લઈને વિમાનમાં બૂમાબૂમ થઈ. વિમાન પર વીજળી પડવાની વાત પણ સામે આવી છે. આ દરમિયાન પાયલટે એટીસી શ્રીનગરને ઇમરજન્સી માહિતી આપી દીધી અને પછી તેને થોડીવાર બાદ શ્રીનગર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવાયું. ફ્લાઈટમાં કુલ 227 મુસાફરો હતા.

અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા, જાણો કયા-કયા વિસ્તારમાં થઈ વાયરસની એન્ટ્રી

Image
Coronavirus in Ahmedabad: વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં પણ થઈ ચૂકી છે. દેશના 11 રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે. દેશમાં 164 નવા કેસ નોંધાયા છે અને કુલ 257 એક્ટિવ કેસ છે. ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના 7 નવા કેસ નોંધાયા છે. જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે.

આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા

Image
Waqf Act : વક્ફ એક્ટ, 2025ને પડકાર આપતી તમામ અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં આખો દિવસ સુનાવણી થશે. આજે જ સર્વોચ્ચ ન્યાયાલય આ કેસમાં વચગાળાનો ચુકાદો પણ આપે તેવી શક્યતા છે.  આજની સુનાવણી મુખ્યત્વે ત્રણ મુદ્દા પર સુનાવણી હાથ ધરાશે. વક્ફની સંપત્તિઓને ડીનોટિફાઈ કરવાની શક્તિ, કેન્દ્રીય વક્ફ પરિષદની સંરચના તથા વક્ફ સંપત્તિ સરકારી જમીન છે કે નહીં તેની તપાસ કલેક્ટર કરી શકે કે નહીં? પર સુનાવણી કરવામાં આવશે. 

SRH vs LSG : સનરાઇઝર્સ હૈદરાબાદની 6 વિકેટથી જીત, લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસથી બહાર

Image
IPL 2025 SRH vs LSG : IPL 2025ની 61મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઇ હતી. આ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે 6 વિકેટથી જીતી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી LSGએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જે પછી SRHની ટીમે 18.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મેચમાં હાર સાથે જ લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પુતિન-ઝેલેંસ્કીને કર્યો ફોન, યુક્રેનમાં યુદ્ધવિરામ પર કરી લાંબી ચર્ચા

Image
Russia Ukraine Conflict:  રશિયા-યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને બંધ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા નિષ્ફળ જઈ રહી છે. ત્યારે હવે અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો, અને યુક્રેનમાં યુદ્ધવિરામ કરવા પર વાતચીત કરી છે, તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમને કથિત રીતે એ પૂછવામાં આવ્યું છે કે, શું પુતિન શાંતિ અને યુદ્ધવિરામ માટે ગંભીર છે. તેની માહિતી બંને નેતાઓની વાતચીત પહેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આપી હતી અને જણાવ્યું હતું કે, પુતિન સાથે ટ્રમ્પ સીધી વાત કરશે, અને જાણવા ઇચ્છશે કે તેઓ(પુતિન) કેટલા ગંભીર છે.

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી

Image
Rain Forecast: ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસ દરમિયાન બહાર નીકળવું નુકસાનકારક બન્યું છે. જોકે, આ દરમિયાન ઘણા વિસ્તારો એવા છે જ્યાં ભારે વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગે કહ્યું છે કે, કર્ણાટક, ગોવા, કોંકણ અને કેરળ જેવા પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં 18 થી 24 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ ઉપરાંત આગામી પાંચથી છ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં 18-22 મે દરમિયાન લૂ ફૂંકાશે.

RCB vs KKR : વરસાદના કારણે મેચ રદ, બંને ટીમોને મળ્યા 1-1 પોઇન્ટ, KKR પ્લેઓફની રેસમાંથી બહાર

Image
IPL 2025 RCB vs KKR : પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાઇ હતી. જે પછી આ ટુર્નામેન્ટ આજથી (17 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થઈ. જો કે, આ બીજા તબક્કાની પહેલી જ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જે પછી બંને ટીમોને એક-એક પોઇન્ટ અપાયા હતા. આ મેચ રદ થતા KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે અને RCB પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની સાથે પ્લેઓફમાં ક્વોલિફાઇ થવા માટે સૌથી મજબૂત ટીમ બની ગઇ છે.

ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, એક જ દિવસમાં 150 લોકોના મોત, એરસ્ટ્રાઈક બાદ હમાસ વાતચીત માટે થયું તૈયાર

Image
Israel Attack on Gaza:  ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા, જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.

વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'

Image
- ભારતે પહેલી વખત તાલિબાન સાથે હાથ મિલાવ્યા - તાલિબાનોએ પહલગામ હુમલાની ટીકા કરી, ભારતે કાબુલ નદી પર શહતૂત બંધ બનાવવા તૈયારી દર્શાવી - પહલગામમાં આતંકી હુમલા પછી તુરંત જ ભારતીય રાજદ્વારીઓની ટીમે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો Ind vs Pak News :  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો. હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે.

ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત

Image
Russia-Ukraine Peace Talks : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે. યુદ્ધ કેદીઓની અદલાબદલી બંને દેશો માટે સારા સંકેત યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી.

ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

Image
Earthquake: ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. 

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર

Image
Indian Army: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ સેનાએ આપી જાણકારી

ભારતથી ડરી ગયા પાક.ના આતંકવાદીઓ-કટ્ટરપંથી નેતાઓ, બુલેટપ્રૂફ કાચ પાછળ ઉભા રહી આપ્યું ભારત વિરોધી ભાષણ

Image
Terrorists Support Pakistani Army: ગત 12 મે 2025ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક એવી રેલી યોજાઈ. જેણે પાકિસ્તાનની આતંકવાદ સમર્થક માનસિકતાને ફરીથી ઉજાગર કરી. દિફા-એ-વતન કાઉન્સિલ (DWC)ના બેનર હેઠળ આયોજિત આ રેલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને અહલે સુન્નત વલ જમાત જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતા સામેલ હતા. જિન્ના બાગમાં હજારો કટ્ટરપંથીઓએ પાકિસ્તાની સેનાના વખાણ કર્યા અને ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યા. રેલીમાં લશ્કરના કમાન્ડર ફૈઝલ નદીમે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળ ઉભા રહીને ભારત વિરોધી ઝેર ઓંક્યું. જેનાથી તેની કાયરતા પણ સામે આવી.

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

Image
India-Pakistan Tension:  નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.

મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક, 20 વિદ્યાર્થી સહિત 22ના મોત

Image
Myanmar Army Airstrike on School : મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.  

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

Image
CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, 'આ નવા ભારતની નીતિનું એલાન છે...

'પાકિસ્તાન માત્ર શાંતિનો દેખાડો કરે છે...', BLA એ ભારતની મદદ માગી, કહ્યું- અમને સ્વતંત્રતા જોઈએ

Image
BLA NEWS :  ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડીને બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ. બલૂચિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો પણ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે.

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ

Image
NIA arrest Kashmir Singh : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.  બિહારમાં ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

Image
Indian ARMY Press Conference:  ભારતની ત્રણેય સેનાઓએ રવિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોવાતી હતી...

જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ

Image
Gujarat Rain and Weather News : જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. માળિયાહાટીના પંથકમાં વરસાદથી વૃજમી નદીમાં પુર આવ્યું હતું. જ્યારે ભેસાણમાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ કમોસમી વરસાદ થયો હતો. હાલ પડતા વરસાદના લીધે ઉનાળુ પાક, કેરી, રાવણાનો પાક હવે નિષ્ફળ જાય એવી હાલત છે.

VIDEO : અજંપાભરી સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં શાંતિ છવાઇ

Image
india vs Pak |  ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઇ ગયા છે. અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા. જોકે પછીથી ભારતે ચોખવટ કરી હતી ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત દ્વારા સીઝફાયર માટે સહમતિ આપી છે તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. 

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

Image
India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જો કે, ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 'પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ, સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય

Image
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તરફથી કરાયેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા બાદ પણ દુશ્મન દેશે હુમલા શરૂ રાખ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાન બોર્ડરના રાજ્યો હાઇ ઍલર્ટ પર છે. ત્યારે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે.

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Image
Earthquack in Pakistan | ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી.

આતંકની દુકાન ચલાવતા પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન, ભારતે નોંધાવ્યો હતો વિરોધ

Image
IMF Loan To Pakistan:  આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ  1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. શુક્રવારે ભારતે પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના 'નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ'ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે.

'પાકિસ્તાન બેલઆઉટ પેકેજ લઈને ટેરર ફંડિંગ કરે છે', ભારતે IMFના મતદાનમાં ભાગ ન લીધો

Image
India On IMF : અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.