ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

Election Commission And BJP On Rahul Gandhi Allegation : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણામાં 25 લાખ જેટલી એન્ટ્રીઓ નકલી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણની ચોરી કરવામાં આવી હતી.
કોંગ્રેસના બૂથ એજન્ટોએ મતદાન વખતે ફરિયાદ કેમ ન કરી : ચૂંટણી પંચ
ચૂંટણી પંચે આજે (5 નવેમ્બર) રાહુલ ગાંધીના આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે દાવાનો જવાબ આપ્યો છે કે, તે વખતે કોંગ્રેસના બૂથ એજન્ટો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એક મતદારે વધુ વખત મતદાન કર્યું હોવાની પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
Comments
Post a Comment