સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- 'જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ'

Swami Prasad Maurya Controversial statement: ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો : 'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન
ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે
Comments
Post a Comment