UK માં ઈમિગ્રન્ટ્સે PR માટે 5ની બદલે 10 વર્ષ રાહ જોવી પડશે, નવા પ્રસ્તાવથી ભારતીયોને થશે અસર


UK Visa and PR News: યુકેમાં સરકારે ત્યાં કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના પાંચ વર્ષથી વધારી બમણી એટલે કે 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આમ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર પાંચ વર્ષે મળતો હતો તે દસ વર્ષે મળશે. તેના કારણે ખાસ કરીને યુકેમાં રહેતા ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર)માં પાંચ વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે.

ગૃહપ્રધાન શબાના મહેમૂદે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે યુકેમાં સેટલ થવુ તે અધિકાર નથી, પરંતુ વિશેષાધિકાર છે. હાલમાં પાંચ વર્ષમાં ઓટોમેટિક આઇએલઆરના નિયમમાં મોટાભાગના અરજદાર માટે આ સમયમર્યાદા બમણી કરી દેવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો