કયો કાયદો મમતા બેનરજીને રોમ જતા રોકે છે? સ્વામીએ પોતાની જ સરકારના નિર્ણયનો કર્યો વિરોધ


નવી દિલ્હી,તા.26.સપ્ટેમ્બર,2021

રોમમાં યોજાનારી પીસ કોન્ફન્સમાં સામેલ થવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આમંત્રણ મળ્યુ હતુ.જોકે કેન્દ્ર સરકારે તેમને આ પ્રવાસ માટે મંજૂરી નહીં આપ્યા બાદ મમતા બેનરજી ભડકી ઉઠયા છે.

વિદેશ મંત્રાલયનુ કહેવુ છે કે, આ પ્રકારના સંમેલનમાં ભારતના કોઈ રાજ્યના સીએમ ભાગ લે તે યોગ્ય નથી.બીજી તરફ ભાજપના જ સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામી આ મુદ્દે મમતા બેનરજીની તરફેણમાં સામે આવ્યા છે.

ડો.સ્વામીએ સવાલ ઉઠાવતા કહ્યુ છે કે, બંગાળના મુખ્યમંત્રીને રોમમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેતા કેમ રોકવામાં આવ્યા,, કયો કાયદો તેમને ત્યાં જતા રોકે છે?

ઉલ્લેખનીય છે કે, 6 અને 7 ઓક્ટોબરે રોમમાં આ કોન્ફન્સ યોજાવાની હતી પણ હવે મમતા બેનરજી તેમાં ભાગ નહીં લઈ શકે.આ કાર્યક્રમમાં જર્મન ચાન્સેલર માર્કેટ, ખ્રિસ્તી ધર્મના વડા પોપ તેમજ ઈટાલીના બીજા રાજકીય નેતાઓને પણ આમંત્રણ હતુ.

આ પહેલા મમતા બેનરજીએ 2016માં મધર ટેરેસાને સંતની પદવી અપાઈ ત્યારે રોમની મુલાકાત લીધી હતી.


Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો