Posts

Showing posts from April, 2022

દેશમાં વીજળીનો વપરાશ વધીને ઓલટાઈમ હાઈ ૨,૦૭,૧૧૧ મેગાવોટ થયો

Image
દેશભરમાં વીજળીની ભારે અછત સર્જાઈ ગઈ છે. કેટલાય રાજ્યોમાં કલાકોનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. એ દરમિયાન કેન્દ્ર સરકારના આંકડાં જાહેર થયા હતા. એ પ્રમાણે દેશમાં વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈને ૨,૦૭,૧૧૧ મેગાવોટે પહોંચી ચૂકી છે. આકરી ગરમી વચ્ચે દેશભરમાં વીજળીની માગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકારના આંકડાં પ્રમાણે વીજળીની માગમાં ભારે ઉછાળો આવ્યો છે. પહેલી વખત વીજળીની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ થઈ ગઈ હતી.  શુક્રવારે બપોર સુધીમાં  ૨,૦૭,૧૧૧ મેગાવોટ વીજળીનો ખપ પડયો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે દેશના પાવર પ્લાન્ટ્સ પાસે ૨.૨ કરોડ ટનનો કોલસાનો જથ્થો છે. ત્યાં સુધીમાં બીજો જથ્થો પહોંચાડી દેવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે. દિલ્હી : દિલ્હીની સરકારે કેન્દ્ર સરકારને વીજળીની માગણી કરતો પત્ર લખ્યો છે. દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને દિલ્હી સચિવાલયમાં ઈમરજન્સી બેઠક બોલાવી હતી. દિલ્હીને વીજળી પૂરી પાડતા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનના બંને પાવર પ્લાન્ટસમાં કોલસાની અછત સર્જાઈ છે. હરિયાણા : રાજ્યના વીજળી મંત્રીએ કહ્યું હતું કે હરિયાણા તેની વીજળીની જરૃરિયાતને પહોંચી વળવા ખાનગી કંપનીઓ પ

10th 12th Pass Govt Jobs 2022 Vacancy Today in India: Around 66000 Fresh Vacancies Available in PSUs, Defence & Others

10th 12th Pass Govt Jobs 2022 Updates: Check the List of 10th 12th Pass Govt Jobs along with the vacancy numbers and Last Date. If you searching for a job in the government job sector, this page may help you to find a suitable job. Let’s have a look at the latest job openings.  

Territorial Army Recruitment 2022: Apply Offline @joiniterritorialarmy.gov.in before 4 May, Interview in July

Territorial Army Recruitment 2022 application form window is to be closed on 4 May for 7 Vacancies. Candidates who wish to become Officers can submit applications offline. Check application process, educational qualification, experience, selection criteria and other details here. 

BPSSC PET Admit Card 2022 (Released) for FRO & SI Posts @bpssc.bih.nic.in, Check Direct Download Link Here

BPSSC PET Admit Card Download Link 2022 has been activated on bpssc.bih.nic.in for recruitment to the post of Range Officers Of Forest and Enforcement Sub Inspector. Candidates can check the BPSSC Range Officers Of Forest and Enforcement Sub Inspector Admit Card Download Link and other details here. 

BSF SI Recruitment 2022 for 90 Inspector, Sub Inspector & Junior Engineer Posts, Salary Upto 1 Lakh

BSF SI Recruitment 2022 Notification released on bsf.gov.in for 90 vacancies. Check application process, educational qualification, experience, selection criteria, and other details here. 

Indian Army MNS Recruitment 2022 through NEET UG: Check Eligibility, Application Process for B.Sc Nursing Course

Indian Army MNS  2022 Notification will be available soon on joinindianarmy.nic.in. Candidates can check the important dates, educational qualification, selection process and other details

દેશમાં વીજળીની કટોકટી ઘેરી બનતા ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્

Image
દેશભરમાં એક તરફ આકરો તાપ વરસી રહ્યો છે. તાપમાનનો પારો સતત ઊંચેને ઉંચે ચડી રહ્યો છે. બીજી તરફ કોલસાની અછત સર્જાતા વીજળીની કટોકટી ઘેરી બની છે. કોલસો ભરીને દેશભરમાં દોડતી માલગાડીઓને પ્રાથમિકતા મળે તે માટે કેન્દ્ર સરકારે ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો હતો અને ૬૫૭ પેસેન્જર ટ્રેનો રદ્ કરી હતી. ઈમરજન્સી રૃટ બનાવીને માલગાડીઓ મારફતે અછતગ્રસ્ત વિસ્તારોમાં કોલસો મોકલવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે ૧૦-૧૦ કલાકનો વીજકાપ મૂકાતા લોકો પરેશાન થઈ ગયા છે. સમગ્ર દેશમાં ગરમીનો હાહાકાર મચ્યો છે. કાળઝાળ તાપના કારણે બહાર નીકળવાનું મુશ્કેલ બન્યું છે ત્યારે કોલસાની અછત સર્જાવાથી વીજળીની કટોકટી પણ ઘેરી બની છે. આ સ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે. કોલસાની અછતનો સામનો કરતા રાજ્યોને તુરંત કોલસો મળે તે માટે સરકારે ૬૫૭ પેસેન્જર ટ્રેન રદ્ કરીને માલગાડીઓને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી સર્જાઈ ગઈ છે. કેટલાય થર્મલ પાવર સ્ટેશનોમાં તો માત્ર ૫થી ૧૦ ટકા જ કોલસો બચ્યો છે. ગણતરીના દિવસોમાં એ કોલસો વપરાય જશે. આ થર્મલ સ્ટેશને કોલસાની સપ્લાય કરવા માટે માલગાડીઓને પ્રાથમિકતા અપાશે. સૌથી વ

PSPCL Recruitment 2022 Notification To Release on 31 May @pspcl.in: 1690 Vacancies Available

Punjab State Power Corporation Ltd. (PSPCL) is hiring for 1690 Assistant Lineman (ALM) Posts. Candidates can check PSPCL ALM Details here.

SSC CHSL Tier 1 Admit Card 2022 To Release Soon: Application Status Released @sscsr.gov.in

Staff Selection Commission (SSC) has released the application status on SSC SR - sscsr.gov.in. Admit Card Soon at SSC NR, SSC SR, SSC CR, SSC WR, SSC ER, SSC MPR, SSC NWR, SSC KKR and SSC NER.

CBSE Class 10th Home Science Syllabus for Term 2 Exam 2022 (PDF)

CBSE Class 10th Home Science Syllabus for Term 2 Exam 2022 is available here in PDF. Check the full syllabus to know the course content and examination scheme for CBSE Class 10 Home Science Term 2 Exam 2022.

વધુ અંક પ્રાપ્ત કરનારા OBC ઉમેદવારો સામાન્ય શ્રેણીની બેઠકોના હકદારઃ સુપ્રીમ કોર્ટ

Image
- પીઠે જણાવ્યું કે, 2 ઉમેદવારો આલોક કુમાર યાદવ અને દિનેશ કુમાર જે ઓબીસી શ્રેણી સાથે સંબંધિત છે તેમને સામાન્ય શ્રેણીમાં સમાયોજિત કરવામાં આવે તેની જરૂર છે કારણ કે, તેઓ સામાન્ય શ્રેણીના નિયુક્ત ઉમેદવારોની યાદીમાં અંતિમ ઉમેદવારોની સરખામણીએ વધુ મેઘાવી છે  નવી દિલ્હી, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર સુપ્રીમ કોર્ટે ગુરૂવારે જણાવ્યું હતું કે, અન્ય પછાત વર્ગ (OBC) શ્રેણીના એવા ઉમેદવારોને સામાન્ય શ્રેણીમાં સમાયોજિત કરવાની આવશ્યકતા છે જેઓ સામાન્ય શ્રેણીના નિયુક્ત અંતિમ ઉમેદવારોની સરખામણીએ વધારે મેઘાવી છે.  સર્વોચ્ય અદાલતે જણાવ્યું કે, આવી પરિસ્થિતિઓમાં આરક્ષિત બેઠકો (Reserve Seats) માટે ઓબીસી ઉમેદવારોની નિયુક્તિ પર વિચાર નહોતો કરી શકાતો. પરિણામ સ્વરૂપ સામાન્ય શ્રેણીમાં તેમની નિયુક્તિઓ પર વિચાર કર્યા બાદ આરક્ષિત બેઠકોને યોગ્યતાના આધાર પર અન્ય શેષ આરક્ષિત શ્રેણીના ઉમેદવારોથી ભરવામાં આવે તે આવશ્યક છે.  ન્યાયમૂર્તિ એમ.આર. શાહ અને ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્નાની પીઠે 1992ના ઈન્દ્રા સાહની વર્સીઝ ભારત સંઘ સહિત સર્વોચ્ય અદાલતના વિભિન્ન નિર્ણયો પર ધ્યાન આપ્યું હતું. પીઠે નિર્ણયો પર વિશ્વાસ રાખીને આરક્ષિત

શેખ હસીનાએ ભારતને ઓફર કર્યું ચટગાંવ બંદર, ચીનની ચાલ નિષ્ફળ

Image
- બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય ચટગાંવ બંદરનો ઉપયોગ કરવાથી ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને વિશેષરૂપે ફાયદો થશે ઢાકા, તા. 29 એપ્રિલ 2022, શુક્રવાર ભારતે ચીનની ચાલ નિષ્ફળ બનાવીને બાંગ્લાદેશમાં ભારે મોટો ડિપ્લોમેટિક વિજય મેળવ્યો છે. બાંગ્લાદેશે ભારતને પૂર્વોત્તરના રાજ્યો સાથે કનેક્ટિવિટી વધારવા માટે ચટગાંવ બંદર (Chittagong Port)નો ઉપયોગ કરવાની રજૂઆત કરી છે.  બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina)એ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar) સાથેની મુલાકાત દરમિયાન આ પ્રકારની રજૂઆત કરી હતી. ચટગાંવ બંદર-પોર્ટ એ બાંગ્લાદેશનું મુખ્ય બંદર છે. આ બંદર દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનશે અને તે ઉપરાંત આસામ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા જેવા પૂર્વોત્તરના રાજ્યો સાથેની કનેક્ટિવિટી પણ સુધરી જશે.  સત્તાવાર યાત્રા અંતર્ગત બાંગ્લાદેશની રાજધાની ઢાકા પહોંચેલા જયશંકરે શેખ હસીનાને તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી તરફથી નવી દિલ્હી આવવાનું નિમંત્રણ આપ્યું હતું. જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે, 'વડાપ્રધાન શેખ હસીનાનો તેમના હુંફાળા સ્વાગત બદલ ધન્યવાદ. વડાપ્રધાન નરેન્દ્

OSSC Model Answer Key 2021 for Junior Assistant Posts Released @ossc.gov.in, Raise Objection Till May 03

Odisha SSC has released the Answer Key for Junior Assistant post on its official website- ossc.gov.in. Know process to raise objections

પૂર્વોત્તરમાં પહેલા બોમ્બ-ગોળીબારના અવાજ આવતા, હવે તાળીઓ ગૂંજે છે : મોદી

Image
દીપ્હુ, તા.૨૮ પૂર્વોત્તરના રાજ્યોમાં એક સમયે બોમ્બ અને ગોળીબારના અવાજો સંભળાતા હતા, પરંતુ હવે અહીં તાળીઓનો અવાજ ગુંજે છે. આ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો આવતાં અનેક વિસ્તારોમાંથી આફસ્પા હટાવાયો છે અને અન્ય વિસ્તારોમાંથી હટાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'શાંતિ, એકતા અને વિકાસ' રેલીને સંબોધન કરતા કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે આસામના દીપ્હુથી એક રેલીને સંબોધન કરતા કહ્યું કે ભાજપની ડબલ એન્જિન સરકારના પ્રભાવથી આસામમાં સ્થાયી શાંતિ અને ઝડપી ગતિએ વિકાસ થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં આફસ્પા હેઠળ આવતા અસરગ્રસ્ત વિસ્તારોને દાયકાઓ પછી ૧લી એપ્રિલથી ઘટાડવાની જાહેરાત કરી હતી. સરકારે આસામના કાર્બી, આંગલોંગ અને ત્રિપુરામાં શાંતિ સમજૂતીઓ કરી છે જ્યારે સંપૂર્ણ ક્ષેત્રમાં સ્થાયી શાંતિ લાવવા અને ઝડપી ગતિએ વિકાસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું હતુ ંકે, પૂર્વોત્તરના રાજ્યોમાં છેલ્લા આઠ વર્ષમાં ઘૂસણખોરીની ઘટનાઓમાં ૮૦ ટકા જ્યારે સલામતી દળોના જવાનોની શહીદીમાં ૭૫ ટકા તથા નાગરિકોનાં મ

ઉત્તર ભારતમાં આગ ઝરતી ગરમી, ઓરેન્જ એલર્ટ

Image
નવી દિલ્હી, તા.૨૮ દેશમાં અનેક રાજ્યોમાં હાલ હીટવેવની સ્થિતિ સર્જાયેલી છે અને સામાન્ય માણસે હજુ પાંચ દિવસ સુધી વધુ તીવ્ર બનનારા હીટવેવનો સામનો કરવો પડશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ તથા ઉત્તર ભારતના અન્ય રાજ્યો માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કરી છે. આગામી દિવસોમાં તાપમાન ૪૬ ડિગ્રી સે.ને પાર જશે તેમ હવામાન વિભાગે કહ્યું હતું. બીજીબાજુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૪૩.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે ૧૨ વર્ષમાં એપ્રિલનો આ સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આ સિવાય હરિયાણા, પંજાબ, ગુરુગ્રામમાં પણ તાપમાનનો પારો ૪૫.૬ ડિગ્રી સે.ને પાર ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારત અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ રહેશે. મહત્તમ તાપમાન સરેરાશ કરતાં બે ડિગ્રી સેલ્સિયસ વધવાની શક્યતા છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને મધ્ય પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતાં ૩.૧ ડિગ્રી સે.થી પાંચ ડિગ્રી સે. સુધી વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના કેટલાક સ્થળો પર ગરમીનો પારો ૪૭ ડિગ્રીને પણ પાર જવાની સંભાવના છે. ઉત્તર ભા

CBSE Class 10 Maths Basic Sample Paper 2022 (Term 2) with Important Resources for Last Minute Revision

CBSE Sample Paper 2022 for Class 10 Maths (Basic) is provided here along with CBSE Marking Scheme. Go through the sample paper to understand the paper pattern and know the level of questions for the upcoming exam. Refer to the marking scheme for answers and step-wise format of solutions.

ઉર્જા મથકો પાસે માત્ર 2 જ દિવસનો કોલસો બચ્યો, મહારાષ્ટ્રએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

Image
- મહારાષ્ટ્રમાં હાલ મહા વિકાસ અઘાડીની સરકાર હોવાથી તે હાલ પાવર પોલિટિક્સનો સામનો કરી રહ્યું હોવાનો દાવો નવી દિલ્હી, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર મહારાષ્ટ્રમાં કોલસાના સંકટ અને તેના દ્વારા સર્જાયેલા વીજ સંકટને લઈ રાજ્ય સરકારે કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નિતિન રાઉતે જણાવ્યું કે, કોલ ઈન્ડિયા પાસેથી ખૂબ જ ઓછો કોલસો મળી રહ્યો છે અને કેન્દ્ર આ મામલે કોઈ મદદ નથી કરી રહ્યું. કોલસાની તંગીના કારણે મહારાષ્ટ્ર ભયંકર વીજ સંકટનો સામનો કરી રહ્યું છે. વીજ સંકટ માત્ર મુંબઈ પૂરતું જ સીમિત નથી પરંતુ બાકીના વિસ્તારોમાં તે હજુ સુધી કાબૂમાં છે.  રાઉતના કહેવા પ્રમાણે આશરે 20 લાખ મેટ્રિક ટનની તંગી છે અને રાજ્યના પ્રમુખ ઉર્જા મથકોમાં આગામી 2 જ દિવસમાં કોલસાનો સ્ટોક ખતમ થઈ જશે.  રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હાલ મહા વિકાસ અઘાડીની સરકાર હોવાથી તે હાલ પાવર પોલિટિક્સનો સામનો કરી રહ્યું છે. આ કારણે કેન્દ્ર સરકાર તેને ઉચિત સહયોગ નથી આપી રહી જેથી કૃત્રિમ સંકટ સર્જાયું છે.  વધુમાં જણાવ્યું કે, 'કોલસાની તંગી છે તેમાં કોઈ શંકા નથી. અમે કોલ ઈન્ડિયા લિમિટેડ સાથે સમજૂતિ કરેલી છે. અન્ય

OSSC Field Assistant Mains Admit Card 2022 To Release Today @ossc.gov.in, Check Exam Schedule

Odisha SSC will release the Mains Exam Admit Card for the Field Assistant post today i.e. 28 April 2022 on its official website- ossc.gov.in. Check exam schedule here.

કોરોનાએ ફરી ઉથલો માર્યો, નવા કેસ ત્રણ હજારને પાર, વધુ 32ના મોત

Image
- દેશભરમાં રસીકરણનો આંકડો 188 કરોડને પાર - 20મી માર્ચ પહેલા કોરોનાથી મોત થયું હોય તો બે મહિના અને બાદમાં થયેલા મોતના વળતર માટે 90 દિવસમાં અરજી કરવાની રહેશે - બીજા અને બૂસ્ટર ડોઝ વચ્ચેની સમય મર્યાદા નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરવા કેન્દ્રની વિચારણા નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસ ફરી ઉથલો મારી રહ્યો છે. જેને પગલે દૈનિક કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસો વધીને ત્રણ હજાર સુધી પહોંચી ગયા છે. જ્યારે વધુ ૩૨ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. એક્ટિવ કેસોમાં પણ ૬૪૩નો વધારો થયો છે અને આંકડો ૧૬ હજારને પાર જતો રહ્યો છે. દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૪,૩૦,૬૫,૪૯૬એ પહોંચી છે.   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે કોરોના મહામારી અંગે બેઠક યોજી હતી, જેમાં તેમણે રસીકરણ વધારવા પર પણ ભાર મુક્યો હતો. દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના વિરોધી રસીના ૧૮૮ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાને કારણે જે લોકોના મોત નિપજ્યા હોય તેમના પરિવારને વળતર આપવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. જેને પગલે જે પરિવાર દ્વારા વળતર માટે અરજી કરવામાં આવે છે તેમને વળતર

વિપક્ષી રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ન ઘટાડી અન્યાય કર્યો: મોદી

Top 9 Government Sector Jobs 2022: 1.3 Lakh Fresh Vacancies Available in Defence, PSU, PSC, Teacher & Other Departments

Check list of Top 9 Government Sector Jobs 2022 Here. Check Sectorwise Vacancy Details, Important Dates, Qualification, Eligibility, and Application Process here.

10th 12th Pass Govt Jobs 2022 Vacancy Today in India: Around 65000 Fresh Vacancies Available in PSUs, Defence & Others

10th 12th Pass Govt Jobs 2022 Updates: Check the List of 10th 12th Pass Govt Jobs along with the vacancy numbers and Last Date. If you searching for a job in the government job sector, this page may help you to find a suitable job. Let’s have a look at the latest job openings.  

અંતે મસ્ક ટ્વિટરના માલિક, ટેસ્લા ચીફે ૪૪ અબજ ડોલરમાં કંપની ખરીદી

Image
ન્યૂયોર્ક, તા.૨૬ દુનિયાના સૌથી મોટા ધનકૂબેર અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક હવે માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરના માલિક બની ગયા છે. મસ્કે ટ્વિટરને ખરીદવા માટે ૪૪ અબજ ડોલર (અંદાજે ૩.૩૦ લાખ કરોડ રૂપિયા)ની ડીલ પૂરી કરી છે. આ સંપૂર્ણ સોદો રોકડમાં થશે. ટ્વિટરનું સંપૂર્ણ નિયંત્રણ મસ્કના હાથમાં આવતાં ૨૦૧૩થી પબ્લિક કંપની તરીકે ટ્વિટરની સફરનો અંત આવશે અને તે પ્રાઈવેટ કંપની બની જશે. ટ્વિટર ખરીદ્યા પછી પોતાની પહેલી ટ્વીટમાં મસ્કે લખ્યું, અભિવ્યક્તિની આઝાદી લોકતંત્રનો આધાર છે અને ટ્વિટર ડિજિટલ ટાઉન સ્ક્વેર છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થતી રહે છે. ટ્વિટરના બોર્ડે ઈલોન મસ્કની પ્રતિ શૅર ૫૪.૨૦ ડોલરના મૂલ્યથી કંપનીના અધિગ્રહણની ઓફર સોમવારે મોડી રાતે સ્વીકારી લીધી હતી. મસ્ક પાસે અગાઉ ટ્વિટરના ૯.૨ ટકા શૅર હતા. આ ડીલ સાથે તેમની પાસે કંપનીની ૧૦૦ ટકા હિસ્સેદારી હશે. ટ્વિટરના બધા શૅરધારકોને પ્રત્યેક શૅરના બદલામાં ૫૪.૨૦ ડોલર રોકડ મળશે. ટ્વિટર સાથેની ડીલને અંતિમ મંજૂરી મળી ગયા પછી ઈલોન મસ્કે તેમની સૌપ્રથમ ટ્વીટમાં કહ્યું કે હું હંમેશા ફ્રી સ્પીચનો સમર્થક રહ્યો છું. મને આશા છે કે

મંદિર-મસ્જિદના મોટા લાઉડ સ્પીકર ઉતારી લેવા યોગીનો આદેશ

Image
- ઉત્તર પ્રદેશમાં 17000થી વધુ ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવાતા આસપાસના રહીશોને રાહત - હાઇકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી, 125 સ્થળોએથી લાઉડસ્પીકરો હટાવવામાં આવ્યા : પોલીસે 37000 ધર્મગુરુઓ સાથે વાતચીત કરી - શાંતિ જાળવવા ગોરખનાથ મંદિરે લાઉડસ્પીકર ધીમા કરાયા, શ્રી કૃષ્ણ જન્મભૂમિએથી લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવ્યા - 31000 સ્થળોએ અલવિદાની નમાઝ અદા થશે : સુરક્ષા માટે અર્ધસૈન્ય દળ તૈનાત લખનઉ : કેટલાક રાજ્યોમાં હાલ મંદિર અને મસ્જિદમાં લાઉડ સ્પીકરના ઉપયોગને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે ઉત્તર પ્રદેશ પણ સામેલ થઇ ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે મંદિર હોય કે મસ્જિદ લાઉડ સ્પીકરનો ઉપયોગ નિશ્ચિત અવાજની મર્યાદાથી વધુ નહીં કરી શકાય. જો આ આદેશનું ઉલ્લંઘન થાય તો લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમના સ્થળેથી લાઉડ સ્પીકર હટાવવામાં આવી રહ્યા છે. યોગી આદિત્યનાથના આદેશ બાદ ઉત્તર પ્રદેશમાં આશરે ૧૭૦૦૦ સ્થળોએ લાઉડ સ્પીકરનો અવાજ ઓછો કરી દેવામાં આવ્યો છે. લોકોએ સામે ચાલીને આ આદેશનું પાલન કર્યું છે.  જોકે પોલીસ દ્વ

CBSE Class 10 English Practice Paper for Term 2 Exam 2022 (with Solution) - Best for Last Minute Revision

CBSE Class 10 English (Language and Literature) practice paper is provided here to help students prepare for the Term 2 Board Exam 2022. This paper is created by the exam experts. The solution of the practice paper is also made available here in PDF.

CBSE Class 10 English Term 2 Exam 2022: Best Paper Writing and Presentation Tips by Experts; Follow to Get Full Marks

In CBSE Class 10 English Exam, presentation is most important to grab good marks. Check below the expert tips to write the English paper perfectly and boost your term 2 scores.

CBSE Class 10th English Syllabus for Term 2 Exam 2022 PDF with Best Resources for Last Minute Revision

CBSE Class 10 English Syllabus for Term 2 Exam 2022 is provided here for download in PDF. Read this revised syllabus thoroughly to prepare for the Term 2 Exam in the right way. Also, check for important resources here for effective exam preparation. 

SSC CHSL Admit Card 2022: Tier 1 Application Status Released @sscsr.gov.in

 Staff Selection Commission (SSC) has released the application status on SSC SR - sscsr.gov.in. Admit Card Soon at SSC NR, SSC SR, SSC CR, SSC WR, SSC ER, SSC MPR, SSC NWR, and SSC NER.

RRB NTPC CBT 2 Admit Card 2022 Soon: Exam City Slip, Mock Test and Other Details Released

RRB NTPC CBT 2 Admit Card 2022 Link is expcted in May 2022. Candidates can check their exam city and Other details Below:

DFCCIL CBAT Admit Card 2022 (Out) for Executive (Operations & BD) Post @dfccil.com, Check Process to Download

DFCCIL has released the admit card for the post of Executive (Operations & BD) on its official website-dfccil.com. Check process to download.

ગુરુગ્રામના માનેસર વિસ્તારમાં ભીષણ આગ, અનેક ઝૂંપડપટ્ટીઓ બળીને ખાખ

Image
- ઘટનાસ્થળે હાજર 300 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે ગુરૂગામ, તા. 26 એપ્રિલ 2022, મંગળવાર ગુરુગ્રામના માનેસર સેક્ટર-6માં લાગેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી શકી. 3થી 5 કિમીના વિસ્તારમાં પડેલા સ્ક્રેપમાં સોમવારે રાત્રે લગભગ 10:00 વાગ્યે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થઈ ગયું છે જ્યારે બે લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે. મોડી રાત્રે જોરદાર પવન બાદ લાગેલી આગે નજીકની ડઝનો ઝૂંપડપટ્ટીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ઘટનાસ્થળે હાજર 300 ફાયર ફાઈટરની ગાડીઓ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.  મળતી માહિતી પ્રમાણે ફાયર ફાઈટરની ગાડીઓ સાથે 250થી વધુ ફાયર ફાઈટર પણ રાતથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે માનેસર સેક્ટર-6ના કાકરૌલા ગામની ગંદા નાળા પાસેની ઝૂંપડપટ્ટીમાં કેટલાક ઘરોમાં સાંજના સમયે ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જોરદાર પવનના કારણે સ્ક્રેપમાં આગ લાગી ગઈ હતી.  ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે પવનના કારણે અનેક ઝૂંપડપટ્ટીઓમાં પણ આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ ફાયર વિભાગના ડઝનો ફાયર ટેન્ડર ઘટના

44 અબજ ડોલરમાં ટ્વીટર હવે મસ્કની માલિકીની: સ્વતંત્રતા અભિવ્યક્તિ સામે પ્રશ્ન

Image
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022 થોડી આનાકાની પછી, સામાન્ય વિરોધ પછી ટ્વીટરના વર્તમાન મેનેજમેન્ટ દ્વારા અબજોપતિ ઇલોન મસ્કની ઑફરનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ટેસ્લાના માલિક ઈલોન મસ્ક ટ્વીટરને ખરીદવા માટે 44 અબજ ડોલર ચૂકવશે. લિસ્ટેડ કંપની હવે ખાનગી કંપની બની જશે. છેલ્લા 16 વર્ષથી અનેક વિવાદ વચ્ચે ટ્વીટર દુનિયામાં અબજો લોકો માટે પોતાના વિચાર, ધૃણા, ટેકો અને ટીકા માટે મુક્ત અભિવ્યક્તિનું સાધન હતી હવે તેના ભવિષ્ય અંગે અમેરિકન બૌદ્ધિકો સવાલ કરી રહ્યા છે કે એક મૂડીવાદી આ કંપની ખરીદી રહ્યા છે તો શું કંપની અને પ્લેટફોર્મ આ ઓળખ જાળવી શકશે કે કેમ? સોમવારે મોડી રાત્રે ટિવટરના બોર્ડ દ્વારા મસ્કની કંપનીના બધા જ શેર ૪૪ અબજ ડોલરમાં રોકડેથી ખરીદી લેવાની ઓફરનો સત્તાવાર સ્વીકાર કર્યો હતો.  ટ્વીટરના શેર સોમાવરે 5.7 ટકા વધી 51.70 ડોલર બંધ રહ્યા હતા અગાઉ મસકએ 9 ટકાં શેર ખરીદી પોતાના ખરીદી ભાવથી 40 ટકા ઊંચા ભાવે સંપૂર્ણ કંપની ખરીદી લેવા આ ઑફર કરી હતી. ઇલોન માસ્ક ઓફરના સ્વીકાર બાદ જણાવ્યું હતું કે લોકશાહી જીવંત રહેવા માટે વાણી સ્વતંત્રતા આધારશિલા છે. માનવ જાતના ભવિષ્યની ચર્ચા માટે ટ્વીટર એક ડિજિટલ ગામનો ચો

OPSC VAS Exam Date 2022 (Out) for Veterinary Assistant Surgeon Post@opsc.gov.in, Check Exam Programme and Pattern

Odisha Public Service Commission (OPSC) has released the exam date for the post of Veterinary Assistant Surgeon on its official website- opsc.gov.in. Download PDF here.

ઇલોન મસ્ક ગમે તે ઘડીએ 43 અબજ ડોલરમાં ખરીદી ટ્વીટરના માલિક બનશે

Image
- ટ્વીટરનું બોર્ડ ઈલોન મસ્કની ઓફર સ્વીકારવા માટે તૈયાર - ટ્વીટરનું બોર્ડ ગુરુવારે પરિણામ પહેલા મસ્કની બધા જ શેર ખરીદી લેવાની ઓફર ઉપર નિર્ણય લેશે અમદાવાદ : વિશ્વની અગ્રણી સોશિયલ મીડિયા કંપની ટ્વીટરના બોર્ડ ઓફ ડીરેક્ટરની બેઠકમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક દ્વારા કરવામાં આવેલી ૪૩ અબજ ડોલર (રૂ.૩.૨૫ હાજર કરોડ)ની ઓફર અંગે વિચાર કરી રહી છે. આ અંગે સોમવારે ભારતીય સમય મુજબ મોડી રાત્રે કે મંગળવારે ટ્વીટરનું મેનેજમેન્ટ શેર હોલ્ડર્સને સત્તાવાર જાહેરાત કરે એવી શક્યતા અમેરિકન મીડિયામાં ચાલી રહી છે. અગાઉ, ટ્વીટર દ્વારા આ ઓફર સ્વીકારવા અંગે ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. મસ્ક સાથેનો સોદો પૂર્ણ થશે એવી આશાએ સોમવારે અમેરિકન શેરબજારમાં ટ્વીટરના શેર ૪ ટકા વધી ૫૦.૭૩ ડોલર પ્રતિ શેર ખુલ્યા હતા. જયારે મસ્કે એ+ ઓફર કરી ત્યારે શેરનો ભાવ ૩૯ ડોલર આસપાસ હતો. તા. ૧૪ એપ્રિલના રોજ મસ્કે ટ્વીટર ખરીદવા માટે ૫૪.૨૦ ડોલરના ભાવે એક શેર મળી ૪૧.૪૯ અબજ ડોલરના ભાવે બધા જ શેર ખરીદવા માટે ઓફર કરી હતી. આ ભાવ ટ્વીટરના વર્તમાન બજાર મુલ્ય ૩૪.૯૪ અબજ ડોલર કરતા ઘણો વધારે છે. અગાઉ, ટેસ્લાના સ્થાપક અને રોડથી અવકાશ સુધીના

ગુજરાતમાં 9 પાકિસ્તાની રૂ.300 કરોડનું ડ્રગ્સ ઘુસાડતા ઝડપાયા

Image
- કચ્છમાં જખૌની દરિયાઈ સરહદે એટીએસ-કોસ્ટ ગાર્ડનું દિલધડક ઓપરેશન - પાક. ડ્રગ પેડલસ ફિશિંગ બોટમાં 56 કિલો હેરોઇન લાદીને કચ્છમાં ઘુસાડવાની પેરવીમાં હતા ત્યારે ઝડપી લેવાયા અમદાવાદ : વધુ એક વખત કચ્છની દરિયાઈ સરહદથી ડ્રગ્સની હેરાફેરી થાય તે પહેલાં હેરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. જખૌની જળસીમામાં ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન કરી ૨૮૦ કરોડનું હેરોઈન પકડી પાડયું છે. કરાંચીથી નવ ખલાસી સાથે નીકળેલા ફિશીંગ ટ્રોલરને બાતમી આધારે આંતરરાષ્ટ્રીય જળસિમાથી ભારતની સરહદમાં ૧૪ નોટિકલ માઈલ  અંદર પડકારવામાં આવી હતી. પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરવામાં આવતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગમાં ત્રણ પાકિસ્તાની માછીમાર ખલાસીને સામાન્ય ઈજા પહોંચી હતી. હાઈસ્પીડ ફિશીંગ ટ્રોલરમાં તપાસ કરતાં માછલીઓને બદલે ૨૮૦ કરોડની કિંમતના ૫૬ કિલો વજનના હેરોઈનના ૫૬ પેકેટ પકડાયા છે. ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાનનો મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા પાકિસ્તાનના બંદરથી અલ હજ નામની પાકિસ્તાની બોટમાં હેરોઈન ભરી ગુજરાતના દરિયાકિનારા મારફતે ઉત્તર

Top 9 Government Sector Jobs 2022: Over 2 Lakh Fresh Vacancies Available for Police, Teachers, Group C, Group D & Others

Check list of Top 9 Government Sector Jobs 2022 Here. Check Sectorwise Vacancy Details, Important Dates, Qualification, Eligibility, and Application Process here.

CTTC Bhubaneswar Recruitment 2022: Apply Online for Engineer,Technician and Others @cttc.gov.in, Download PDF

CTTC Bhubaneswar  has invited online application for the Technician  and Others  on its official website. Check CTTC Bhubaneswar  recruitment 2022 application process, age limit, qualification and other details here.

RPSC Lecturer Interview Date 2020 (Out) for Tech. Edu Department @rpsc.rajasthan.gov,Download PDF

Rajasthan PSC has released the Interview Date for the post of  Lecturer (Tech. Edu.)- 2020 on its official website-rpsc.rajasthan.gov. Download PDF here.

જખૌના દરિયામાં PAK જહાજ અલહજમાંથી 350 કરોડના હેરોઈન સાથે 9 પકડાયા: ATS, કોસ્ટ ગાર્ડનું ઓપરેશન

Image
- ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવવાની ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો અમદાવાદ, તા. 25 એપ્રિલ 2022, સોમવાર કચ્છ જખૌની દરિયાઈ સીમામાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઈન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પૂછપરછ થઈ રહી છે.  ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હેરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. દરમિયાન જખૌની દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું. તપાસ દરમિયાન જહાજમાંથી કરોડોની કિંમતનું હેરોઈન મળી આવતા 9 લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. હેરોઈનની બજાર કિંમત 350 કરોડથી પણ વધુ હોવાની વિગતો મળી છે. હેરોઈન પ્રકરણમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભ

ફ્રાંસઃ ઈમૈનુએલ મૈક્રોં સતત બીજી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, મરીન લે પેનની હાર

Image
- મૈક્રોં 20 વર્ષોમાં ફરી ચૂંટાનારા પ્રથમ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ છે - મૈક્રોંના વિજય બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી પેરિસ, તા. 25 એપ્રિલ 2022, સોમવાર ફ્રાંસના વર્તમાન રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિજયી બન્યા છે અને તેમને 58.2 ટકા મત મળ્યા છે. મૈક્રોંએ મરીન લે પેનને હરાવીને સતત બીજી વખત રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે. પ્રાથમિક અનુમાનમાં મૈક્રોંને આશરે 57-58% મત મળશે તેમ જણાઈ રહ્યું હતું. આ પ્રકારના અનુમાન સામાન્ય રીતે ચોક્કસ જ હોય છે.  મૈક્રોંના વિજય બાદ તેમના સમર્થકોએ પેરિસના એફિલ ટાવર પાસે વિજયની ઉજવણી કરી હતી. ચૈંપ ડે માર્સ પાર્કમાં લગાવવામાં આવેલી એક વિશાળ સ્ક્રીન પર અંતિમ રિઝલ્ટ જાહેર થયું તે સાથે જ તેમના સમર્થકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ ફ્રેન્ચ અને યુરોપીય સંઘના ઝંડા લહેરાવીને ઉજવણી કરી હતી.  બ્રિટનના વડાપ્રધાને પાઠવી શુભેચ્છા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ટ્વિટ કરીને મૈક્રોંને અંગ્રેજી અને ફ્રેન્ચમાં શુભેચ્છા પાઠવી હતી. જોનસને ટ્વિટમાં લખ્યું હતું કે, ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે તમે ફરી ચૂંટ

OSSC Mains Admit Card 2022 (Out) for Assistant Curator/Conservator and Others@ossc.gov.in, Check Downloading Link

Odisha SSC has released the mains Admit Card for the mains exams for Asst Curator and others on its official website-www.ossc.gov.in/. Check download link here.

ICMR NCDIR Recruitment 2022:Apply for Computer Programmer, Scientist and others @main.icmr.nic.in, Check Eligibility

ICMR NCDIR has invited online application for the 15 Scientist and others on its official website. Check ICMR NCDIR recruitment 2022 application process, age limit, qualification and other details here.

વધામણીના ઉઘરાણા ઉપરાંત બાકી ટેક્સની વસૂલાત માટે હવે આ શહેરમાં પણ ઘરે-ઘરે જશે કિન્નર!

Image
- અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ આ પ્રકારની કામગીરી થઈ રહી છે ગોરખપુર, તા. 24 એપ્રિલ 2022, રવિવાર સામાન્ય રીતે વારે-તહેવારે કે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે કિન્નર સમાજના લોકો વધામણીના રૂપિયા ઉઘરાવી જતા હોય છે. જોકે, ગોરખપુર નગર નિગમ ખાતે હવે કિન્નર દ્વારા ટેક્સની વસૂલાત કરવામાં આવશે. ગોરખપુર નગર નિગમ બાકી ટેક્સની વસૂલાત માટે આ પ્રકારનો નવતર પ્રયોગ અપનાવવા જઈ રહ્યું છે. આ અંગેની શરૂઆત માટે મહામંડલેશ્વર કનકેશ્વરી નંદગિરીને નગર નિગમ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.  જાણવા મળ્યા મુજબ માત્ર થર્ડ જેન્ડર માટે 10 ભરતીઓ શરૂ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અવિનાશ સિંહના નિર્દેશ બાદ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  સરકારની સૌને સન્માન અને અધિકાર આપવાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને ગોરખપુર નગર નિગમે થર્ડ જેન્ડરને પણ તક આપી છે અને આ માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત મોડલના પગલે ગોરખપુરમાં પણ આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.  થર્ડ જેન્ડરની અલગ ટીમ હવેથી થર્ડ જેન્ડરની એક અલગ ટીમ બનશે. મ્યુનિસિપલ કમિશનર અવિનાશના કહેવા પ્રમાણે હવેથી 10 થર્ડ જેન્ડર્સને નગર નિગમના બાકી ટેક્સની વ

CBSE Class 10, 12 Syllabus 2022-23 Released: Board Ends Two Terms System - Download Subject-Wise Curriculum Now!

CBSE syllabus for Classes 10 th  and 12 th  has been released on the board’s official website. With the release of the new curriculum, it is confirmed that there will be only one annual exam in the 2022-23 session. Download new curriculum in PDF.

BSF SI Recruitment 2022: Applications invited for 90 Inspector, Sub Inspector & Junior Engineer Posts

BSF SI Recruitment 2022 Notification released on bsf.gov.in for 90 vacancies. Check application process, educational qualification, experience, selection criteria, and other details here. 

DTC Recruitment 2022 for 367 SO, Assistant Electrician, Assistant Fitter and Assistant Foreman Posts @dtc.delhi.gov.in

DTC is hiring 367 Section Officer, Assistant Electrician, Assistant Fitter and Assistant Foreman Posts. Check Application Details Here.

BARC Recruitment 2022 for 266 Stipendiary Trainee, Scientific Assistant, Technician Posts @barc.gov.in, Apply Here!

BARC is hiring for 266 Stipendiary Trainee, Scientific Assistant, Technician Posts. Candidates can check important dates, vacancy details, eligibility, selection process and other details.

CRIS Recruitment 2022: Apply for 150 Assistant Software Engineers (ASE) & Assistant Data Analysts (ADA) @cris.org.in from 25 April

CRIS is hiring 150 Assistant Software Engineers (ASE) & Assistant Data Analysts (ADA). Candidates can check the details here.

UP Police SI DV PST Admit Card 2022 (Out): Download @uppbpb.gov.in

UP Police SI DV PST Admit Card 2022 has been released by Uttar Pradesh Police Recruitment Board (UPPRPB). Candidates can download UP Police Admit Card Here.

ગુજરાતના રાજકારણને કાબૂમાં કરીને ભારતના રાજકારણમાં ફરી પાયો મજબૂત કરવા કોંગ્રેસની પેરવી

Image
- મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરે તેવી શક્યતા અમદાવાદ, તા. 23 એપ્રિલ 2022, શનિવાર વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના અનુસંધાને રાજકીય ગતિવિધિઓમાં વેગ આવ્યો છે. આ સાથે જ નરેશ પટેલની દિલ્હી મુલાકાત મામલે પણ અટકળોનું જોર વધ્યું છે. તાજેતરના અહેવાલ પ્રમાણે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.  સોનિયા ગાંધીની ટીમે પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં જોડાવા માટે મંજૂરી આપી દીધી છે ત્યારે હવે નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે.  ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી ડો. રઘુ શર્માએ પણ નરેશ પટેલની કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની મુલાકાત મામલે નિવેદન આપીને ગુજરાતના રાજકારણમાં ચર્ચાઓને વેગવંતી બનાવી છે. તેમણે કહ્યું હતું કે, નરેશ પટેલ એક સામાજીક અને સન્માનિત નેતા છે. તે કોંગ્રેસ હાઈકમાન્ડને મળે તે આનંદની વાત છે. નરેશ પટેલ જેવા નેતાનું કોંગ્રેસમાં સ્વાગત છે. તેમના આગમનથી પક્ષ વધારે મજબૂત બનશે.  આ બધા વચ્ચે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અચાનક દિલ્હી પહોંચ્યા હતા અને સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી. સોનિયા ગાં

મુંબઈમાં હનુમાન ચાલીસા વિવાદ, નવનીત રાણાના ઘર બહાર શિવસૈનિકોનો હંગામો

Image
- 'માતોશ્રી'ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી મુંબઈ, તા. 23 એપ્રિલ 2022, શનિવાર મુંબઈમાં હનુમાન ચાલીસાના જાપને લઈ વિવાદ વકર્યો છે. અપક્ષ સાંસદ નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના 'માતોશ્રી' આવાસ બહાર હનુમાન ચાલીસાનો જાપ કરાવવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ સ્થિતિ વણસી રહી છે. નવનીત રાણાએ સવારે 9:00 વાગ્યાનો સમય આપ્યો હતો અને તેના પહેલાથી જ મોટી સંખ્યામાં શિવસૈનિકો તેમના ઘર બહાર પહોંચીને હંગામો કરવા લાગ્યા હતા. ખાર વિસ્તારમાં સાંસદ નવનીત રાણાના ઘર બહાર આ પ્રકારે હોબાળો મચ્યો છે. નવનીત રાણાના પતિ રવિ રાણા અપક્ષ ધારાસભ્ય છે. બંનેએ માતોશ્રી બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની જાહેરાત કરી હતી. નોટિસ મળ્યા બાદ પણ નવનીત રાણા હનુમાન ચાલીસાના પાઠ માટે અડગ છે.  મુંબઈ પોલીસે તેમને આ મામલે નોટિસ પણ પાઠવી છે. રાણા દંપતીના નિર્ણય બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાન 'માતોશ્રી'ની બહાર સુરક્ષા વ્યવસ્થાને વધારે સઘન કરી દેવામાં આવી છે.  તે સિવાય રાણા અને શિવસૈનિકો વચ્ચેની અથડામણ રોકવા માટે માલાબાર હિલ્સ ખાતે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા'ની બહા

UP: પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા, ઘર પણ સળગાવી દીધું

Image
- આજથી 7 દિવસ અગાઉ એટલે કે, ગયા શનિવારે પણ પ્રયાગરાજમાં આજ પ્રકારની ઘટના બની હતી નવી દિલ્હી, તા. 23 એપ્રિલ 2022,  શનિવાર પ્રયાગરાજમાંથી હૃદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. એટલું જ નહીં આ ઘટના બાદ આરોપીઓએ ઘરમાં આગ પણ લગાવી દીધી હતી. આ ઘટનાથી તે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ સભ્યોની ઈંટો અને પથ્થરોથી હુમલો કરી પરિવારના લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસને આ ઘટનાની જાણકારી પ્રદીપ કુમાર યાદવે આપી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું કે, તેમના ભાઈ અને ભાભીની કોઈકે હત્યા કરી નાખી છે. તેની સાથે જ પરિવારના અન્ય 3 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી છે. સામૂહિક હત્યાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.  બીજી તરફ ADG પ્રયાગરાજ જોન પ્રેમ પ્રકાશે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ પરથી લાગી રહ્યું છે કે, લૂટના ઈરાદાથી આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. એવી શંકા છે કે, તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરમાં આગ લગાવી દીધી હતી. જોકે, તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ

ભાગેડુ માલ્યા-નીરવ મોદી ભારતને સોંપી દેવા બ્રિટન તૈયાર

Image
નવી દિલ્હી, તા.૨૨ ભારતના બે દિવસના પ્રવાસ પર આવેલા બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને ભારતના ભાગેડુ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદીને વહેલી તકે ભારતને સોંપવા તૈયારી દર્શાવી છે. આ સાથે તેમણે બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોની પણ ઝાટકણી કાઢતાં કહ્યું કે, બ્રિટનમાં અન્ય દેશોને નિશાન બનાવનારા કટ્ટરપંથી જૂથોને સાંખી નહીં લેવાય. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં બોરીસ જ્હોન્સને યુક્રેનમાં રશિયાના યુદ્ધ, ભારત-બ્રિટન વચ્ચે સંરક્ષણ અને વ્યાપારિક સોદાઓ અંગે ચર્ચા કરી હતી. આ બેઠક પછી વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વર્ષના અંત સુધીમાં બ્રિટન સાથે ફ્રિ ટ્રેડ કરાર પૂર્ણ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિ-પક્ષીય ચર્ચા પછી બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું કે ભારત-બ્રિટનની ભાગીદારી નવા સ્તરે પહોંચે તેવી સંભાવના છે. જ્હોન્સન અને મોદી વચ્ચે શુક્રવારે દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન ભારત-બ્રિટન વચ્ચે અનેક મહત્વના કરારો પર સંમતી સધાઈ હતી. બ્રિટિશ પીએમ જ્હોન્સને ભારતના ભાગેડૂ આર્થિક ગૂનેગારો વિજય માલ્યા અને નીરવ મોદી અંગે સ્પષ્ટપણે કહ્યું કે, પ

જમ્મુમાં સીઆઈએસએફના કાફલા પર હુમલો, જવાન શહિદ, બે આતંકી ઠાર

Image
જમ્મુ, તા. ૨૨ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાશ્મીર પ્રવાસ પહેલાં આત્મઘાતી હુમલો કરવાનો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો પ્રયાસ શુક્રવારે નિષ્ફળ બનાવી દેવાયો છે. આ સાથે સુરક્ષા દળોએ જમ્મુના સુજવાં મિલિટ્રી સ્ટેશન પર એક અથડામણમાં બે શકમંદ પાકિસ્તાની આતંકીઓને ફૂંકી માર્યા હતા. જોકે, આ અથડામણમાં સીઆઈએસએફના એક અધિકારી પણ શહીદ થઈ ગયા હતા અને અન્ય નવ અધિકારીઓને ઈજા પહોંચી હતી. પીએમ મોદી ૨૪મી એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજના પ્રસંગે સામ્બ જિલ્લાની મુલાકાત લેવાના છે તેવા સમયે જનતાને તેમના સંબોધનના સ્થળથી હુમલાનું સ્થળ ૧૭ કિ.મી. દૂર હતું. ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલાં આ હુમલાને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનું કાવતરું ગણાવ્યું હતું. જમ્મુના બહારના વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ૪.૨૫ વાગ્યે સીઆઈએસએફના કેમ્પ નજીક અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. સુંજવાંમાં આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે સાંબ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની છે. વડાપ્રધાનના સૂચિત પ્રવાસને ધ્યાનમાં રાખતાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા આકરી બનાવી દેવાઈ છે. અધિકારીઓએ જણાવ્યું કે,

J-K: 2 એન્કાઉન્ટરમાં 6 આતંકવાદીઓનો સફાયો, એક જવાન શહીદ, 9 ઘાયલ

Image
- 2 દિવસ બાદ (24 એપ્રિલના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે  નવી દિલ્હી, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર જમ્મુ કાશ્મીરના વિભિન્ન વિસ્તારોમાં છેલ્લા અમુક કલાકોમાં 2 એન્કાઉન્ટર થયા છે જેમાં કુલ 6 આતંકવાદી માર્યા ગયા છે. આતંકવાદીઓ વિરૂદ્ધના આ ઓપરેશનમાં એક ભારતીય જવાન પણ શહીદ થયા છે. જ્યારે અન્ય 9 જવાનોને ઈજાઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ બાદ (24 એપ્રિલના રોજ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ રહ્યા છે.  સૌથી તાજેતરનો હુમલો સવારે 4:15 કલાકે જમ્મુના સુંજવાં વિસ્તારમાં ચઢ્ઢા કેમ્પ પાસે થયો હતો. આતંકવાદીઓએ CISFના 15 જવાનોને ડ્યુટી પર લઈ જઈ રહેલી બસ પર હુમલો કર્યો હતો. જોકે CISF દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવતા આતંકવાદીઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 5 જવાન ઘાયલ થયા હતા જેમાંથી CISFના એક ASI શહીદ થયા હતા. શહીદી વહોરનારા જવાનનું નામ એસ પટેલ હોવાનું સામે આવ્યું છે. 55 વર્ષીય તે જવાન સતના (મધ્ય પ્રદેશ)ના રહેવાસી હતા.  ત્યાર બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને સુંજવાં વિસ્તારમાં મૂઠભેડ થઈ હતી. સવારના સમયે ત્યાં 5 જ

પ્રાથમિક શાળાના પેપરની ચોરી! રાજ્યભરમાં ધોરણ-7ની તા. 22 અને 23ની પરીક્ષાઓ રદ્દ

Image
- તળાજા નેસવડ સ્કૂલમાં પેપર ચોરી થતા સુરત સહિત રાજ્યભરમાં ધોરણ 7ના 2 વિષયની પરીક્ષા મોકૂફ - વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કુલે પહોંચ્યા ત્યારે પરીક્ષા રદ્દ થઈ હોવાની માહિતી મળી, વિદ્યાર્થીઓને મધ્યાહ્ન ભોજન આપી સ્કુલમાં બેસાડાયા સુરત, તા. 22 એપ્રિલ 2022, શુક્રવાર સુરત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિમાં ચાલી રહેલી પરીક્ષામાં આજે શિક્ષકો અને  વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સ્કૂલમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે ધોરણ 7ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. તળાજાની એક સ્કુલમાં ધોરણ 7ના બે પેપરની ચોરી થતાં આ પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાનું જાણીને શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય વ્યાપ્યું હતું. પહેલી વખત પ્રાથમિક વિભાગનું પ્રશ્નપત્ર ચોરી થતાં સુરત સહિત ગુજરાતમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.  છેલ્લા ઘણાં વખતથી ગુજરાતમાં પરીક્ષાના પેપર ફૂટવાની મોસમ ચાલી રહી છે. અત્યાર સુધીમાં પરીક્ષાલક્ષી કે કોલેજની પરીક્ષાના પેપર ફૂટતા હતા પરંતુ પહેલી વાર પ્રાથમિક શિક્ષણના ધોરણ 7ના બે પેપરની ચોરી થઈ છે. જેના કારણે આજે અને આવતીકાલે ધોરણ 7ની જે પરીક્ષા હતી તેને રદ્દ કરવામાં આવી છે. તળાજા નેસવડ શાળામાંથી પ્રશ્નપત્ર ચોરી થયાં હ

OPSC ASCO Interview Schedule 2020 (Out) for Asst Soil Conservation Officer Post @opsc.gov.in, Check Details

Odisha PSC has released the DV & Viva voce schedule for post of Asst Soil Conservation Officer on its official website- opsc.gov.in. Check schedule here.

પડોશી દેશોમાં વસતા શીખોના હિતમાં સીએએ કાયદો લાવવામાં આવ્યો: મોદી

Image
- શીખોના દસમાં ગુરુ તેગબહાદુરની 400મી તિથિ નિમિત્તે મોદીનું સંબોધન - અત્યાચારી શાસન સામે કેમ ચટ્ટાનથી ઊભા રહી શકાય છે તે ગુરુ તેગબહાદુરસિંહે બતાવ્યું છે: પીએમ મોદી નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીખોના દસમાં ગુરુ તેગબહાદુરના ૪૦૦માં પ્રકાશપર્વ  પર દેશને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં સીએએની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે પડોશમાં વસતા શીખોને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો છે.  પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે ક્યારેય કોઈ દેશ કે સમાજ માટે ભય સર્જયો નથી. આજે પણ અમે સમગ્ર વિશ્વના કલ્યાણનો વિચાર કરીએ છીએ. તેથી વડાપ્રધાને શીખ સમાજના લોકોના હક્કમાં નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.  મોદીએ જણાવ્યું હતું કે ભારતે કોઈપણ દેશ કે સમાજ માટે ભય સર્જયો નથી. આજે પણ અમે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે વિચારીએ છીએ. ગુરુગ્રંથસાહિબજીએ આપણા આત્મકલ્યાણ માટે પથદર્શક બનવાની સાથે-સાથે ભારતની વિવિધતા અને એક્તાનું સ્વરુપ પણ જીવંત રાખ્યું છે.  તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં પેદા થયેલું સંકટમાં ગુરુગ્રંથસાહિબ લાવવાનો પ્રસ્તાવ હોય તો તો તેમા અમે અમારી પૂરી તાકાત લગાવી દીધી છે. ગુરુદ્વારા શીશગંજસા

કોલસાની અછતથી અનેક રાજ્યોમાં વીજ કટોકટી : આઠ કલાકનો વીજકાપ

Image
- દેશમાં વીજળીની માંગ 38 વર્ષમાં સૌથી ઝડપી વધી - દેશના મહત્વના 164 થર્મલ પ્લાન્ટમાંથી 27 પાસે કોલસાનો માત્ર 5 ટકા સુધીનો જથ્થો: 30 ટકા પ્લાન્ટમાં 10 ટકા જ કોલસો બચ્યો  નવી દિલ્હી : દેશના કેટલાય રાજ્યોમાં કોલસાની અછત સર્જાતા આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાયો છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ જેવા રાજ્યોમાં ત્રણથી લઈને આઠ-આઠ કલાકનો વીજકાપ મૂકાઈ રહ્યો છે. થર્મલ પ્લાન્ટમાં કોલસાની અછત સર્જાઈ હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના કેટલાય મોટા રાજ્યોમાં વીજળીની કટોકટી સર્જાઈ ગઈ છે. કોલસાની અછતના કારણે વીજળીનું ઉત્પાદન ઘટયું છે. વીજળીનું ઉત્પાદન ઘટતા આઠ-આઠ કલાકનો પાવરકટ લાગુ થયો છે. ઉનાળાની શરૃઆત સાથે જ ભારતના કેટલાય રાજ્યોમાં વીજળીની ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. ખાસ તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ગામડાંઓમાં ૧૦-૧૦ કલાક સુધી વીજળીનો કાપ મૂકાય છે. માર્ચ મહિનામાં યોગ્ય રીતે વીજળી મળતી હતી, પરંતુ એપ્રિલમાં ભર ઉનાળે અચાનક વીજળીનો કાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજ બિલ સમયસર ન ચૂકવનારા મોટા ૩.૬૪ લાખ ગ્રાહકોના વીજ-જોડા

Term 2 CBSE Class 12 Biotechnology Sample Paper 2022: Check Question-Answers, Paper Format, Marking Scheme!

Check and download the Term 2 CBSE Board Class 12 Biotechnology Sample Paper in PDF Format below. The students of Class 12th would find the CBSE sample papers useful for their preparation for the CBSE Board exam 2022. 

CBSE Board Exam 2022: How to make your answer sheet presentable? Check these top 8 tips!

Check the important tips that will help you make your answer sheet look more presentable in the CBSE Board Exams 2022. These tips will help you organise your paper in the best way that may add some spark to your answers and impress the examiner.

CBSE Class 10 English Poetry Important Questions for Term 2 Exam 2022 - Best for Quick Revision

Check important questions and answers for CBSE Class 10 English Poetry chapters. These questions are best to prepare for the Class 10 English Term 2 Board Exam 2022.

CBSE Class 10 English First Flight Important 2 Marks Questions for Term 2 Exam 2022 (PDF) with Answers

Important 2 marks questions form CBSE Class 10 English Book - First Flight are provided here for students practice quality questions and be well-prepared for their Term 2 Board Exam. The chapter-wise important questions are provided in PDF format.

CBSE: Class 10, 12 Admit Cards Released - Checklist & Guidelines For The Day of Term 2 Board Exam 2022

Term 2 CBSE Class 10, 12 Board Exams 2022: Follow the checklist and advice by experts to avoid any last-minute hassles on the day of the Term 2 Board Exam beginning from April 26th. 

Jahangirpuri Violence : જાણો હિંસાના મુખ્ય આરોપી ગણાતાં મોહમ્મદ અંસારી વિશે

Image
- પોલીસ રેકોર્ડ પ્રમાણે આ ઘટના અગાઉ તેમના પર 7 એફઆઈઆર અગાઉથી જ નોંધાઈ હતી નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર ઉત્તર-પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ અંસાર જેને પોલીસ આ સમગ્ર હિંસાનો અસલી 'ઈન્સ્ટિગેટર અને ઈનિશિએટર' એટલે કે 'હિંસા ઉશ્કેરનાર અને પહેલ કરનાર' માની રહી છે. અંસાર હવે પોલીસ કસ્ટડીમાં છે. આ સમગ્ર કેસમાં ધરપકડ કરાયેલા 24 લોકોમાં તે પણ આરોપી છે. એક અહેવાલ પ્રમાણે મોહમ્મદ અંસારને શનિવારની ઘટનાનો માસ્ટરમાઈન્ડ ગણવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં સક્રીય રાજનૈતિક પાર્ટીઓ બીજેપી અને આમ આદમી પાર્ટી મોહમ્મદ અંસાર વિરોધી પક્ષ સાથે સંકળાયેલો હોવાનો દાવો કરી રહી છે. આ તમામ દાવાઓ વચ્ચે એક મહત્વની જણકારી કાલે મળી છે. પોલીસ રેકોર્ડ પ્રમાણે આ ઘટના અગાઉ તેમના પર 7 એફઆઈઆર અગાઉથી જ નોંધાઈ હતી.  દિલ્હી પોલીસના રેકોર્ડ પ્રમાણે મોહમ્મદ અંસારની ઉંમર 35 વર્ષ છે. તેમના પિતાનુ નામ મોહમ્મદ અલાઉદ્દીન છે. તેણે ચોથા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે તે વ્યવસાયે કબાડનું કામ કરે છે અને જહાંગીરપુરી બી બ્લોકમાં રહે છે. તેની પત્નીનું

ECL Mining Sirdar Answer Key 2022: Submit Objection From Today @easterncoal.gov.in

ECL Mining Sirdar Answer Key 2022 has been released by  Eastern Coalfield Limited at easterncoal.gov.in. Candidates can submit the objection, if any, against the answer key from 20 April to 22 April 2022.

જહાંગીરપુરી હિંસાઃ શું દિલ્હીમાં પણ બુલડોઝર ફરશે? સામાન ખસેડવા લાગ્યા લોકો

Image
- જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે 20 અને 21 એપ્રિલે અભિયાન ચલાવવામાં આવશે નવી દિલ્હી, તા. 20 એપ્રિલ 2022, બુધવાર ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવાની તૈયારી કરી છે. આ જોતા જહાંગીરપુરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. જેથી કાયદો વ્યવસ્થા બનાવવામાં આવી શકે છે. જહાંગીરપુરીમાં હનુમાન જયંતિ પર હિંસા થઈ હતી. ઉત્તરી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવવાનું એલાન કર્યું છે. આ અગાઉ બીજેપીએ પણ હિંસાના આરોપીઓની સંપત્તિ પર બુલડોઝર ચલાવવાની માગ કરી હતી. આ અગાઉ યુપી, એમપી અને ગુજરાતમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી.  મળતી માહિતી પ્રમાણે આજે 9:00 વાગ્યા બાદ કોઈ પણ સમયે જહાંગીરપુરીમાં બુલડોઝર પહોંચી શકે છે. જહાંગીરપુરીમાં અતિક્રમણ અને હિંસાના આરોપીઓની ગેરકાયદેસર મિલકતો પર કાર્યવાહી કરવામાં આવશે. જહાંગીરપુરીમાં પોલીસને 14 ટીમોમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમમાં અર્ધલશ્કરી દળની એક કંપની અને દિલ્હી પોલીસના 50 જવાનો તૈનાત છે, જહાંગીરપુરીના હિંસાગ્રસ

HCL Recruitment 2022: Apply Online for 96 Trade Apprentice Posts @hindustancopper.com, Check Eligibility

HCL has invited online application for the 96 Trade Apprentice Posts  on its official website. Check HCL  recruitment 2022 application process, age limit, qualification and other details here.

RSSના પ્રચારકનો મુકાબલો કરશે કોંગ્રેસ સેવાદળનું 'વિચારક', 'ડંડા'નો મુકાબલો 'ઝંડા'થી

Image
- સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા જયપુર, તા. 20 એપ્રિલ 2022, બુધવાર કોંગ્રેસ સેવાદળ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં પણ 2 વર્ષ જુનૂં સંગઠન છે. જોકે બાદમાં બદલાતા સમય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) મજબૂત થતું ગયું અને કોંગ્રેસ સેવાદળ (Congress Seva Dal) નેપથ્યમાં જતું રહ્યું.  કોંગ્રેસ સેવાદળ હવે ફરી એક વખત મુખ્ય પ્રવાહમાં પરત ફરશે અને RSSનો મુકાબલો કરશે. કોંગ્રેસ પાર્ટી પોતાના આ આગલી હરોળના પાયદળ (હરાવલ ટુકડી)ને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી છે. કોંગ્રેસ સેવાદળનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે પરંતુ બદલાતા સમય સાથે સેવાદળ પાસે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં અનુશાસન જાળવવાની જવાબદારી જ રહી ગઈ. હવે પાર્ટી આ સંગઠનનું ગૌરવ ફરી પાછું લાવવાની કવાયત કરી રહી છે.  કોંગ્રેસ સેવાદળ પોતાના અનુશાસન અને જુસ્સાને લઈ પ્રખ્યાત છે. સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા. હાર્ડિકરે 8 ડિસેમ્બર 1923ના રોજ હિન્દુસ્તાની સેવાદળના નામથી સેવાદળ

SSC CGL 2022 Memory Based Question Paper with Answers: Download PDF General Awareness/GK/Current Affairs/English Tier-1 Exam Paper

SSC CGL 2022 Memory Based Question Paper with Answers (PDF Download): Get the important memory-based questions that came in SSC CGL Tier-1 2021-22 Online Exam held on 11 th ,12th, 13th, 18th, 19th April (All Shifts) from General Awareness Current Affairs/ GK/ English Section with Answers.

Govt Exam Calendar for April 2022 Month: Upcoming Exam Dates of SSC CGL, UPSC NDA/CDS, ESIC UDC, Assam Police SI, BPSC, MPPSC, DSSSB Teacher Recruitment

Govt Exam Calendar for April 2022 Month: Check the dates of upcoming government exams to be held in the month of April 2022 - SSC CGL, UPSC NDA/CDS, ESIC UDC, Assam Police SI, BPSC, MPPSC, Delhi Judicial Service, DSSSB Teacher Recruitment 2022 Exams.

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતા નોંધાઈ

Image
- નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા જકાર્તા, 19 એપ્રિલ 2022, મંગળવાર ઈન્ડોનેશિયામાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે 6:53 વાગ્યે અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું. એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે નથી આવી. વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો, લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે રાજધાની તાઈપેથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.

SSC CGL 2022 Tier-1 Exam Analysis (18th,13th,12th,11th April): Check Difficulty Level & Good Attempts (All Days All Shifts)

SSC CGL 2022 Tier-1 Exam Analysis (18th,13th,12th,11th April All Days All Shifts): Find the detailed exam analysis of the SSC CGL 2021-22 Tier-1 Exam held on 11 th , 12th, 13th & 18th April 2022. So, let’s look at the type of questions asked in this exam, the difficulty level and the number of good attempts.

SSC CGL 2022 Memory Based Geography Questions with Answers (PDF Download): Check GA/GK/Current Affairs Exam Paper

SSC CGL 2022 Memory Based Geography Questions with Answers (PDF Download): Check Memory Based Geography (GA/GK/Current Affairs) Questions that came in SSC CGL Tier-1 2022 Online Exam that is being held from 11th to 21st April 2022.

NIT Durgapur Recruitment 2022: Apply Online for Various Non-Teaching Posts at nitdgp.ac.in, Check Eligibility

NIT Durgapur has invited online application for the 106 Non-Teaching posts on its official website. Check NIT Durgapur recruitment 2022 application process, age limit, qualification and other details here.

RBI Grade B 2022 Check Important Topics & Preparation Strategies Section-wise

RBI Grade B 2022 Registration Ends Today 18th April 2022. Check RBI Grade B 2022 General  Phase-1 Important Topics & Prep Strategies for General Awareness, Reasoning, English Language, and Quantitative Aptitude.

List of Government Jobs 2022 Closing This Week: Apply Online for 40000+ Various Jobs @BPSC, RBI,DAE and Others

Government Jobs aspirant can apply for these government jobs under BPSC, RBI,DAE and others for which application process is closing this week. Check application process, age limit, qualification and other details here.

હનુમાન જયંતી રેલી હિંસાઃ જહાંગીરપુરી કેસ મામલે સ્યુઓ મોટો લેવા સુપ્રીમ કોર્ટમાં અપીલ

Image
- હનુમાન જયંતી શોભાયાત્રામાં સામેલ કેટલાક સશસ્ત્ર લોકોએ મસ્જિદમાં પ્રવેશ કર્યો અને ભગવો ઝંડો લહેરાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2022, સોમવાર હનુમાન જયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી ખાતે બનેલી હિંસાની ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમના સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં અદાલતને સ્વતઃ સંજ્ઞાન (સ્યુઓ મોટો) લઈને કોર્ટના મોનિટરિંગમાં તપાસ માટેની માગણી કરવામાં આવી છે.  સુપ્રીમ કોર્ટ સમક્ષ જહાંગીરપુરી હિંસાની નિષ્પક્ષ તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.  વકીલે એવો આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પક્ષપાતી, સાંપ્રદાયિક અને તોફાનોની તૈયારીઓ કરનારાઓને સીધી રીતે બચાવવા માટેની જ રહી છે. આ અદાલતે 2020માં તોફાનો રોકવા મામલે અસફળ રહેવાને લઈ દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. વકીલ અમૃતપાલ સિંહ ખાલસાએ પત્રમાં લખ્યું છે કે, 2020ના રમખાણોમાં દિલ્હી પોલીસની છાપ ખરડાઈ છે અને લોકોનો તેમના પરનો વિશ્વાસ ઘટ્યો છે.  દિલ્હી પહોંચી CRPFની 5

OPSC PGT DV Schedule 2022 Released for Post Graduate Teacher Post @opsc.gov.in, Download PDF

Odisha PSC has released the document verification schedule for Post Graduate Teacher posts in Home Science on its official website-opsc.gov.in. Download PDF.

18 વર્ષીય ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વા દીનદયાલનનું માર્ગ અકસ્માતમાં મોત

Image
- 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેના 3 અન્ય સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલાંગ જઈ રહ્યા હતા ચેન્નાઈ, તા. 18 એપ્રિલ 2022, સોમવાર તમિલનાડુના 18 વર્ષીય ટેબલ ટેનિસ ખેલાડી વિશ્વા દીનદયાલનું રવિવારે ટેક્સી દ્વારા ગુવાહાટીથી શિલાંગ જતી વખતે માર્ગ અકસ્માતમાં મૃત્યું થઈ ગયું છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI)એ એક નિવેદન બહાર પાડીને આ યુવા ખેલાડીના કમનસીબ મૃત્યુની પુષ્ટિ કરી છે. તેઓ આજથી શરૂ થયેલી 83મી સિનિયર નેશનલ અને ઈન્ટર-સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તેના 3 અન્ય સાથી ખેલાડીઓ સાથે ગુવાહાટીથી શિલાંગ જઈ રહ્યા હતા. વિશ્વા સાથે મુસાફરી કરી રહેલા રમેશ સંતોષ કુમાર, અવિનાશ પ્રસન્નાજી શ્રીનિવાસન અને કિશોર કુમારને પણ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમનો ઈલાજ કરી રહેલા ડોક્ટર્સે ત્રણેયની સ્થિતિ સ્થિર જણાવી છે.  ટીટીએફઆઈએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા 12 પૈડાવાળા ટ્રેલરે ટેક્સીને ટક્કર મારી હતી અને ઉમલી ચેકપોસ્ટ પછી શાંગબાંગલા ખાતે રોડ ડિવાઈડર સાથે અથડાઈને ખીણમાં પડી ગઈ હતી. ટેક્સી ડ્રાઈવરનું ઘટનાસ

કથિત મજાર તોડીને હનુમાનની પ્રતિમા સ્થાપવાના વીડિયો મામલે પોલીસે લીધું સંજ્ઞાન

Image
- બિલ્ડિંગનો માલિક અને હનુમાનની પ્રતિમા સ્થાપિત કરનારા, બંને હિન્દુ સમુદાયના, ત્યાં મંદિરના ઉદ્ઘાટનનો પથ્થર પણ લાગેલો છે ભીવાની, તા. 18 એપ્રિલ 2022, સોમવાર દિલ્હી અને ઉત્તર પ્રદેશ બાદ હરિયાણાના ભીવાની ખાતે સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયત્ન થયો હોવાની ઘટના સામે આવી છે. ત્યાં એક ભવનમાં તોડફોડ કર્યા બાદ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં મજાર તોડવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયો ત્યાર બાદ પોલીસે તે મામલે સંજ્ઞાન લીધું છે.  જાણવા મળ્યા મુજબ આ ઘટના ઢાણા રોડની છે. હનુમાન જયંતીના રોજ બજરંગ દળના કેટલાક યુવાનો એક સ્થાન પર પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરીને હનુમાનની પ્રતિમા સ્થાપિત કરી દીધી હતી. યુવકો દ્વારા આ અંગેનો એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જગ્યાએ હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી તે જગ્યા મજાર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.  જોકે, બીજી બાજું તે જગ્યાએ પહેલેથી જ મંદિરનો શિલાલેખ લાગેલો છે. હવે તે જગ્યાએ મંદિર હતું કે મજાર તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.  ભીવાનીના SP અજીત સિ

OSSC Mains Admit Card 2022 (Out) for Primary Investigator Post @ossc.gov.in, Check Downloading Link

Odisha SSC has released the Admit Card for the Mains Exam for the Primary Investigator-2021 on its official website -ossc.gov.in. Check direct link here.

ભારતમાં કોરોનાથી 40 લાખ મોત! રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી સાચું બોલતા નથી અને બોલવા...

Image
- મેં પહેલા પણ કહ્યું હતું કે, કોવિડ કાળમાં સરકારની બેદરકારીના કારણે 5 લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે: રાહુલ ગાંધી નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022, રવિવાર ભારતે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા દેશમાં કોરોના વાયરસની બીમારીના કારણે થનારા મૃત્યુની ગણતરી માટે જે કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેના સામે વાંધો નોંધાવ્યો છે. હકીકતે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક લેખ છપાયો હતો જેમાં લખ્યું હતું કે, ભારત WHOના પ્રયત્નોમાં અડચણરૂપ બની રહ્યું છે જેથી કોરોનાનો મૃતકઆંક સાર્વજનિક ન કરી શકાય. તેના સામે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વાંધો નોંધાવ્યો છે.  કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ તે લેખ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું છે.  રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'મોદીજી સાચું બોલતા પણ નથી અને બોલવા પણ નથી દેતા. તેઓ તો હજુ પણ ખોટું બોલે છે કે ઓક્સિજનની તંગીના કારણે કોઈ નથી મર્યું. મેં પહેલા પણ કહ્યું હતું કે, કોવિડ કાળમાં સરકારની બેદરકારીના કારણે 5 લાખ નહીં પરંતુ 40 લાખ ભારતીયોના મોત થયા છે. જવાબદારીનું પાલન ક

હનુમાન જયંતી રેલી હિંસાઃ દિલ્હી પહોંચી CRPFની 5 ટુકડીઓ, 14ની ધરપકડ

Image
- પોલીસે ફાયરિંગ કરનારા શખ્સને ઝડપી લીધો અને તેના પાસે રહેલી પિસ્તોલ જપ્ત કરી  નવી દિલ્હી, તા. 17 એપ્રિલ 2022, રવિવાર ઉત્તર પશ્ચિમી દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારે હનુમાન જયંતીના પ્રસંગે યોજવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારા બાદ હિંસા ભડકી ઉઠી હતી. દિલ્હી પોલીસે આ મામલે 15 શકમંદોને કસ્ટડીમાં પુર્યા છે.  14 આરોપીની ધરપકડ DCP નોર્થ-વેસ્ટ ઉષા રંગનાનીએ જણાવ્યું કે, જહાંગીરપુરી હિંસા મામલે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 8 પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. એક સબ ઈન્સ્પેક્ટરને ગોળી વાગી છે જેમની સ્થિતિ હાલ સ્થિર છે. પોલીસે ફાયરિંગ કરનારા શખ્સને પણ ઝડપી લીધો છે અને તેના પાસે રહેલી પિસ્તોલ જપ્ત કરી છે.  આવી રીતે વકર્યો વિવાદ જહાંગીરપુરી ખાતે તૈનાત ઈન્સ્પેક્ટર રાજીવ રંજને FIRમાં જણાવ્યું કે, શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા ચાલી રહી હતી. તેઓ સૌ સી-બ્લોક મસ્જિદ પાસે પહોંચ્યા તો એક વ્યક્તિ પોતાના 4-5 માણસો સાથે મળીને શોભાયાત્રામાં સામેલ લોકો સાથે વિવાદ કરવા લાગ્યો અને બાદમાં પથ્થરમારો શરૂ થઈ ગયો.  જહાંગીરપુરીમાં દિલ્હી પોલીસની સાથે રેપિડ એક્શન ફોર્સ પણ તૈ

આસામઃ 592 ગામોમાં મેઘ તાંડવ, વાવાઝોડા-વીજળી પડવાથી અત્યાર સુધીમાં 14ના મોત

Image
- 853 કાચા મકાનો અને 27 પાકા મકાનો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા  દિસપુર, તા. 17 એપ્રિલ 2022, રવિવાર આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અહેવાલ પ્રમાણે રાજ્યમાં તેજ આંધી, વીજળી પડવાથી અને ભારે વરસાદના કારણે મરનારાઓનો આંકડો 14 થઈ ગયો છે. અગાઉ શનિવારે મૃતકોની સંખ્યા 8 જેટલી હતી.  592 ગામના 20,286 લોકો પ્રભાવિત ગત 15 એપ્રિલના રોજ ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં 4 લોકોના મોત થયા હતા જ્યારે બારપેટા જિલ્લામાં 3 અને 14 એપ્રિલના રોજ ગોલપારા જિલ્લામાં એક વ્યક્તિનું મોત થયું હતું.  ગોલપારા, બારપેટા, ડિબ્રુગઢ, કામરૂપ (મેટ્રો), નલબાડીના 592 ગામોમાં કુલ 20,286 લોકો પ્રભાવિત થયા છે. ASDMAના શનિવારના અહેવાલ પ્રમાણે ચિરાંગ, દરાંગ, કછાર, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ, અદલગુરીસ કામરૂપ જિલ્લામાં ભીષણ તોફાન સર્જાયું છે.  અનેક મકાનો તબાહ ડિબ્રુગઢ જિલ્લાના ટિંગખોંગ વિસ્તારમાં આંધીના કારણે વાંસના ઝાડ ઉખડી જવાથી એક સગીરા સહિત 4 લોકોના મોત થયા છે. ગોલપાડા જિલ્લાના મટિયા વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરનું વીજળી પડવાના કારણે મોત થયું છે.  રિપોર્ટ પ્રમાણે 5,809 કાચા મકાનો અને 655 પાક્કા મકાનો આંશિ