ગુજરાતના આ ચાર શહેરોમાં બનશે 30 નવી બહુમાળી ઈમારતો, સરકારે આપી મંજૂરી

skyscraper

International Skyscraper day: આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ (3 સપ્ટેમ્બર) નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં 30 નવી સ્કાયસ્ક્રેપર (બહુમાળી) ઇમારતો બનાવવા મંજૂરી આપવામાં આવી છે. જેમાં 25 અમદાવાદમાં, બે સુરતમાં, બે ગાંધીનગરમાં અને એક વડોદરામાં બનાવવામાં આવશે. જે પૈકી 20 ઇમારતો રહેઠાણ માટે, સાત કોમર્શિયલ ઉદ્દેશ્ય માટે, બે ઇમારતો રહેઠાણ અને કોમર્શિયલ એમ બંને ઉદ્દેશ્યો માટે અને એક જાહેર ઇમારત તરીકે પરવાનગી આપવામાં આવી છે. સ્થાનિક સંસ્થાઓ બહુમાળી ઇમારતોનો નિર્માણ કરી પ્રિમિયમ એફએસઆઇ દ્વારા આશરે રૂપિયા 1000 કરોડની આવક ઉભી કરશે. 

આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઊંચી ઇમારતો અને તેમની સ્થાપત્ય પ્રતિભાની પ્રશંસા માટે દર વર્ષે ત્રીજી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, જેણે તાજેતરના વર્ષોમાં ઊંચી ઇમારતો બનાવવામાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. 2017 સુધી, ગુજરાતમાં ઈમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈ માન્ય હતી. જો કે, શહેરી વિસ્તરણની જરૂરિયાતને ધ્યાને લઇ રાજ્ય સરકારે 100 મીટરથી વધુ ઊંચા, પ્રતિકાત્મક માળખાની ઇમારતોના નિર્માણને પ્રોત્સાહન આપતા નિયમોમાં સુધારો કરવા પગલાં લીધા હતા.


સરકારના નવા નિયમોમાં 5.4ના મહત્તમ પ્રીમિયમ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સાથે ઊંચી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. જે બેઝ એફએસઆઇ કરતા વધુ અને 50 ટકાના તૈયાર રેકનર દર પર આપવામાં આવે છે. જેથી બહુમાળી ઇમારતોનું નિર્માણ કરતા રોકાણકારોને લાભ થાય. આ નિયમોની રજૂઆત બાદ, સમગ્ર અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ઊંચી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની ફાઇનાન્સિયલ ટેક સિટી ગિફ્ટ સિટીમાં પહેલાથી જ બે ઊંચી ઇમારતો બાંધવામાં આવી છે, અને અન્ય 10 ઇમારતો બાંધકામના વિવિધ તબક્કામાં છે.

વર્ટિકલ ડેવલપમેન્ટમાં આ ઉછાળાએ નોંધપાત્ર આવક ઊભી કરી છે, જેમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા પ્રીમિયમ FSI મારફતે આશરે ₹1000 કરોડની આવક ઉત્પન્ન કરી છે. રાજ્યના શહેરી લેન્ડસ્કેપમાં વધુ વધારો કરીને દિવાળી પહેલા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે. આ ઈમારતો માત્ર ઊંચાઈમાં જ નહી પરંતુ અદ્યતન બાંધકામ તકનીકો જેમ કે મિવાન ફોર્મવર્ક, શીયર વોલ અને ટેરેસ સ્તરે સ્કાયવોકનો પણ સમાવેશ કરી રહી છે. વધુમાં, ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની જોગવાઈથી આ પ્રોજેક્ટને અદ્યતન બનાવવામાં આવી રહ્યા છે.

શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના ઉચ્ચ સચિવની અધ્યક્ષતામાં ઊંચા બિલ્ડિંગ પ્રોજેક્ટ્સની શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે રાજ્ય સ્તરે સ્પેશિયલ ટેકનિકલ કમિટી (STC)ની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિમાં સોઈલ મિકેનિક્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ફાયર સર્વિસના નિષ્ણાતોનો સમાવેશ થાય છે, જે આવા પ્રોજેક્ટ્સમાં સલામતીની ખાતરી કરે છે. અમદાવાદમાં એસજી રોડ જેવા મુખ્ય કોરિડોર પર ગુજરાતની સ્કાયલાઇનનું પરિવર્તન સૌથી વધુ સ્પષ્ટ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો