પહલગામ આતંકી હુમલો: 'PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે', રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi On Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આતંકી હુમલા નિંદા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જ્યારે બુધવારે (30 એપ્રિલ, 2025) કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર નિર્ણય લીધો છે, ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ હુમલો ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે.