'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ


લાંબા સમયથી ચર્ચામાં રહેલો વક્ફ સુધારો બિલ બુધવારે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યો છે. જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોએ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ શાસક ભાજપના સાથી પક્ષો, ખાસ કરીને જેઓ પોતાને ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો કહે છે, અને તેમના સાંસદોને વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા અને તેને લોકસભામાં પસાર ન થવા દેવાની અપીલ કરી છે.

AIMPLBએ ધર્મનિરપેક્ષ પક્ષોના સાંસદોને કોઈપણ સંજોગોમાં આ બિલના પક્ષમાં મતદાન ન કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને સાંસદોને આવી વિનંતી કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની