રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO
Ram Navami, Ayodhya: રામ નવમી નિમિત્તે દેશ વિદેશમાં રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારથી જ રામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યે રામલલાના મસ્તક પર સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. આ અવરસના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચ્યા હતાં. અહીં આવનારા ભક્તો પર ડ્રોન દ્વારા સરયૂના પવિત્ર જળનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે અયોધ્યા નગરમાં 2 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર નગરી ઝગમગી ઉઠી હતી.
Comments
Post a Comment