સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે?
- આતંકી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષો આકરાપાણીએ છતાં એક્શન માટે સરકારની તરફેણમાં
- અમરનાથ યાત્રા માટેનો માર્ગ સ્થાનિક ટૂર ઓપરેટરોએ બે મહિના પહેલાં ખોલી કાઢ્યો, બે દિવસ ધમધમાટ છતાં જડબેસલાક સુરક્ષાનો દાવો કરતું આખું તંત્ર ઉંઘતું ઝડપાયું
- સૈન્યની હાજરી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નથી ત્યાં સરકારની જાણ વગર બે હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા કેવી રીતે
Pahalgam Terror Atttack News : કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ હુમલા અંગે કોઈ ટિપ નહોતી.
Comments
Post a Comment