જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલાંગ
Jamanagar News : ગુજરાતના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) બપોરે એક ભારે કરુણાજનક ઘટના સર્જાઈ હતી. ધ્રોલના સુમરા ગામે પરણિતાએ તેના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં માતા-બાળકો પાંચેયના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.
પરણિતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત
Comments
Post a Comment