હમણાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઇ ગયો, રિયલ બાકી છે: નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદર  વર્ધમાન ને શાંતિની બહાલીને હવાલો આપીને ભારત પરત મોકલવાની જાહેરાત કરી છે.

જ્યારે વડાપ્રધાન મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે  શાંતિ સ્વરૂપ પુરસ્કારમાં સંબોધન દરમિયાન  તેના ભારતની જીત ગણાવતા કહ્યું કે, પહેલા પાયલોટ પ્રોજેક્ટ પાસ થઇ ગયો. આ પ્રેક્ટિસ હતી હવે રિયલ કરવાનું છે.

નોંધનિય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને શાંતિનો હવાલો આપી ભારત મોકલવાની વાત કરી છે. ઇમરાન ખાને પાક. સંસદમાં કહ્યું કે, હિંદુસ્તાનના પાયલટને અમે પકડેલો છે, અમે શાંતી દેખાડતા તેને કાલે હિંદુસ્તાનને સોંપીશું.

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ