BCCIએ પસંદગી સમિતિને કેમ કરી સસ્પેન્ડ, જાણો મહત્વના કારણો


- છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમને 8 અલગ-અલગ કેપ્ટન મળ્યા

નવી દિલ્હી, તા. 19 નવેમ્બર 2022, શનિવાર

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હોવાથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે ચેતન શર્માની આગેવાની હેઠળની ચાર સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. ચેતનના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ 2021માં રમાયેલા T20 વર્લ્ડ કપના નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચી શકી ન હતી. આ સિવાય તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પણ હારી ગઈ હતી. ચાર સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિની બરતરફી પાછળ ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન પણ રહ્યું હતું. ભારત એશિયા કપ અને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી શક્યું નથી. તો ચાલોઆવા 5 કારણો વિશે જેના કારણે આ પસંદગી સમિતિને સસ્પેન્ડ કરવામાં આવી.

એક વર્ષમાં 8 કેપ્ટન

ચેતન શર્માની આગેવાની હેઠળની ચાર સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિના સસ્પેન્ડ પાછળ પણ આ એક મોટું કારણ હતું. કે છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમ મેનેજમેન્ટની રણનીતિ આશ્ચર્યજનક રહી છે. એક તો કોહલી બાદ રોહિતને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ એક-બે સિરીઝ બાદ રોહિતને બ્રેક આપવામાં આવ્યો અને ભારતીય ટીમે અવેજી કેપ્ટન સાથે સિરીઝ રમવાનું ચાલુ રાખ્યું. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમને 8 અલગ-અલગ કેપ્ટન મળ્યા જેણે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પસંદગીકાર તરીકે ચેતન શર્મા ભારતીય ટીમમાં સર્જાયેલી આ મૂંઝવણને સંભાળી શક્યા નથી. છેલ્લા એક વર્ષમાં ભારતીય ટીમની રણનીતિ ઘણી મૂંઝવણભરી રહી હતી.

કે એલ રાહુલને લઈને આગળ વધવું

કેએલ રાહુલ ઈજાના કારણે ટીમથી દૂર હતો પરંતુ તેમ છતાં તે ટી20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમ સાથે જોડાયેલો હતો. આ રીતે કેએલ રાહુલનું સમર્થન કરવું આ પસંદગી સમિતિ માટે મોંઘુ સાબિત થયું. તાજેતરમાં પૂરા થયેલા ટી20 વર્લ્ડ કપમાં કેએલ રાહુલ સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો અને કેએલ રાહુલને પોતાની સાથે રાખવા બદલ ટીમ મેનેજમેન્ટની ચારે બાજુથી ટીકા થઈ હતી.


T20 વર્લ્ડ કપ અને એશિયા કપમાં હાર

ભારતીય ટીમ બે મોટી ટૂર્નામેન્ટ જીતી શકી ન હતી જેના કારણે માત્ર ચાહકો જ નહીં પરંતુ ક્રિકેટના ભૂતપૂર્વ દિગ્ગજો પણ આશ્ચર્યચકિત થયા હતા. ટીમની નબળી રણનીતિ બે મોટી ટૂર્નામેન્ટ ન જીતવા પાછળનું કારણ બની હતી.

સ્થાનિક ક્રિકેટરોની અવગણના

ભારતીય ટીમમાં સ્થાનિક ક્રિકેટરોની અવગણના કરવામાં આવી હતી. ખાસ કરીને સરફરાઝ ખાન અને પૃથ્વી શોને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. બંનેએ સ્થાનિક સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ તેમ છતાં પસંદગીકારોનું ધ્યાન તેમના તરફ ગયું ન હતું. ચાર સભ્યોની રાષ્ટ્રીય પસંદગી સમિતિની બરતરફીનું આ પણ એક મહત્વનું કારણ હતું.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો