રશિયા પર નિર્ભરતા ઘટશે? જર્મની સાથે કરાર અંગે ભારતનું સૂચક નિવેદન- 'સંરક્ષણ ખરીદી દેશ હિતથી જોડાયેલી'


Vikram Misri Defense Policy Statement : જર્મની સાથેના સંરક્ષણ કરારો અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, 'સંરક્ષણ ખરીદી માટે સ્થળ પસંદ કરવાની ભારતની નીતિ રાષ્ટ્રીય હિત દ્વારા નક્કી થાય છે, કોઈ ચોક્કસ વિચારધારા દ્વારા નહીં.' આ ટિપ્પણીઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની ભારત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલરે જણાવ્યું હતું કે, સુસંરક્ષણ મુદ્દાઓ પર રશિયા પરની નિર્ભરતા ઘટાડવા માટે જર્મની ભારત સાથે વધુ નજીકથી કામ કરવા માગે છે. ભારત પહેલાથી જ જર્મનીની થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ માટે મઝાગામ ડોક શિપબિલ્ડર્સ સાથે ભાગીદારીમાં છ સબમરીન બનાવવા માટે સંભવિત ડીલ પર વાટાઘાટો કરી રહ્યું છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો