અમદાવાદમાં પારિવારિક ઝઘડામાં ખૂની ખેલ, પતિએ પત્નીને ગોળી મારી પોતે આત્મહત્યા કરી


Ahmedabad News : અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ પર આવેલ NRI ટાવરમાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. લગ્નના માત્ર બે જ મહિનામાં એક નવપરિણીત દંપતી વચ્ચેના પારિવારિક ઝઘડાએ ભયાનક રૂપ લેતા પતિએ પત્નીને ગોળી મારી મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને વસ્ત્રાપુર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ NRI ટાવરમાં નિવાસ કરતા હતા. ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો