રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી, આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા

- છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 26 માર્ચ, 2021, શુક્રવાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડતા તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શુક્રવારે તેમને દિલ્હી ખાતેની આર્મી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું અને હાલ તેઓ ડૉક્ટર્સના મોનિટરિંગ અંતર્ગત છે. આર્મી હોસ્પિટલે રાષ્ટ્રપતિની તબિયત સ્થિર હોવાની માહિતી આપી હતી.
Comments
Post a Comment