Posts

Showing posts from November, 2023

97 તેજસ વિમાનો, 156 પ્રચંડ લડાકુ હેલિકોપ્ટરની ખરીદી માટે 2.23 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

Image
- ડિફેન્સ એક્વિઝિશન કમિટીની મંજૂરી: ઈન્ડિયન આર્મી વધુ મજબૂત બનશે - કુલ બજેટમાંથી 98 ટકા રકમ સ્વદેશી સંરક્ષણ ઈન્ડસ્ટ્રીને ઉત્તેજન આપવા માટે ફાળવાશે: કરોડો નોકરીઓની તકો સર્જાશે તેવો સરકારનો દાવો - બજેટમાંથી મિડિયમ રેન્જ મિસાઈલ, આધુનિક ગન, કમ્પ્યુટર્સ વગેરે શસ્ત્ર-સામગ્રી ખરીદાશે: કેટલીય ડિફેન્સ સિસ્ટમ અપડેટ કરાશે  નવી દિલ્હી : ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટીએ નવા લડાકુ વિમાનો અને કોમ્બેટ હેલિકોપ્ટર્સની ખરીદીને મંજૂરી આપી દીધી છે. ૨.૩૩ લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિમાનો-હેલિકોપ્ટર્સ, મિસાઈલો વગેરે ખરીદવામાં આવશે. આ રકમમાંથી ૯૮ ટકાની ફાળવણી સ્વદેશી ડિફેન્સ પ્રોડક્ટ ખરીદવા પાછળ કરવામાં આવશે, તેના કારણે સ્વદેશી ડિફેન્સ ઈન્ડસ્ટ્રીને બૂસ્ટર મળશે અને નોકરીની નવી તકો સર્જાશે. સ્વદેશી નિર્માતાઓને અત્યાર સુધીમાં મળેલો આ સૌથી મોટો ઓર્ડર હોવાનું પણ અહેવાલોમાં કહેવાયું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમિટીએ આ માતબર બજેટને મંજૂરી આપી હતી. આ વિમાનો, હેલિકોપ્ટર્સ અને મિસાઈલોના કારણે આર્મી વધુ મજબૂત બનશે. ભારતના લશ્કરને સજ્જ બનાવવાના હેતુથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિં

સાઉથ આફ્રિકા સામેની T20-ટેસ્ટ-ODI મેચ માટે ભારતીય ટીમ જાહેર, રોહિત-સૂર્યા-રાહુલને સોંપાઈ મોટી જવાબદારી

Image
નવી દિલ્હી, તા.30 નવેમ્બર-2023, ગુરુવાર Team India for South Africa Tour 2023 : યજમાન સાઉથ આફ્રિકા સામેની ટી20 અને ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઈના મુખ્ય પસંદગીકર્તા અજીત અગરકરે આજે દિલ્હીમાં ત્રણેય ફોર્મેટની સિરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ભારત ત્રણ ટી20, ત્રણ વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે. ત્રણેય ફોર્મેમાં ટીમના 3 ખેલાડીઓને જુદી જુદી જવાબદારી સોંપાઈ છે. સૂર્યકુમાર યાદવને ટી20નો કેપ્ટન બનાવાયો છે, તો કે.એલ.રાહુલને વન-ડે સિરિઝ તેમજ રોહિત શર્માને ટેસ્ટની જવાબદારી સોંપાઈ છે. સંજૂ સેમસન અને યજુવેન્દ્ર ચહલનો વન-ડે ટીમમાં સમાવેશ સંજૂ સેમસન અને યજુવેન્દ્ર ચહલનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે, જ્યારે નવા ચહેરા તરીકે રજત પાટીદાર, સાઈ સુદર્શનને પણ ટીમમાં સામેલ કરાયા છે. શુભમન ગીલ અને સૂર્યકુમાર યાદવની વન-ડે ટીમમાંથી બાદબાકી થઈ છે, તો ટેસ્ટમાં કે.એલ.રાહુલ અને ઈશાન કિશનને વિકેટકીપર તરીકે જવાબદારી સોંપાઈ છે. ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહને જ્યારે ટી20માં રવિન્દ્ર જાડેજાને ઉપ-સુકાની બનાવાયો છે. સૌથી ખાસ વાત એ છે કે, ઋતુરાજ ગાયકવાડને

SSC GD Syllabus 2023: PDF Download, Subject Wise Topics

SSC GD Syllabus 2023: The General Duty syllabus includes subjects like Elementary Mathematics,  Reasoning, General knowledge, English and Hindi which covers important topics like percentages, profit and loss, averages, history, geography, etc. Check the SSC GD Syllabus PDF Download and Exam Pattern here.

Delhi Police Constable Answer Key 2023: Expected Date, Response Sheet Link on ssc.nic.in

Delhi Police Constable Answer Key will be released tentatively in the first week of December at ssc.nic.in. Candidates can download the response sheet using their registration ID and password. Read on to know the exact Delhi Police Constable 2023 answer key release date and find the direct link to download the response sheet PDF here.

'નફરત ફેલાવનારા નિવોદનો પર કાર્યવાહી જરૂર થવી જોઈએ', સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

Image
સુપ્રીમ કોર્ટે બુધવારે (29 નવેમ્બર) કહ્યું કે, કોઈ પણ અને તમામ પ્રકારના નફરત ભર્યા નિવેદનો સામે કાર્યવાહી જરૂર થવી જોઈએ. કોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ હેટ સ્પીચના મુદ્દા પર લોકો અને સમૂહો તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી ચાલી રહી હતી. કોર્ટે ફેબ્રુઆરીમાં કેટલીક અરજીઓ પર સુનાવણી કરવા પર સહમત થઈ ગઈ છે, જેમાં નફરત ફેલાવનારા નિવેદનો પર નિયંત્રણ લગાવવા માટે એક તંત્રની રચના કરવાની માંગ કરાઈ છે. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, અમે નફરત ફેલાવનારા નિવેદનોની સમસ્યાને દેશભરમાં દેખરેખ ન કરી શકીએ. ભારત જેવા મોટા દેશમાં સમસ્યાઓ તો હશે જ પરંતુ સવાલ એ પૂછાવો જોઈએ કે, શું આપણી પાસે તેનાથી લડવા માટે કોઈ વહીવટી તંત્ર છે. સુનાવણી કરી રહેલી બેન્ચમાં જસ્ટિસ SVN ભટ્ટી પણ સામેલ હતા. કેસને આગામી વર્ષ ફેબ્રુઆરીની સુનાવણી માટે પોસ્ટ કરતા બેન્ચે કહ્યું કે, સમાજને ખબર હોવી જોઈએ કે જો કોઈ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે તો ત્યારબાદ કાર્યવાહી થવી જોઈએ. અમે આ કાર્યવાહીને દેશભરના આધાર પર ન કરી શકીએ, નહીતર દરરોજ અરજીઓ આવતી રહેશે. 2018માં તહસીન પૂનાવાલા મામલે સુપ્રીમ કોર્ટમાં રાજ્યો

સુરંગમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવામાં આ હથિયારની સૌથી મોટી ભૂમિકા, અંત સુધી રેસ્ક્યૂ ટીમનો આપ્યો સાથ

Image
Uttarakhand tunnel rescue success : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગમાં 17 દિવસથી ફંસાયેલા તમામ 41 શ્રમિકોને એક બાદ એક બહાર કઢાયા છે. ત્યારબાદ શ્રમિકોને એમ્બ્યુલન્સમાં બેસાડીને હેલ્થ ચેકઅપ માટે લઈ જવાયા છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન અમેરિકન ઓગર મશીન ચર્ચામાં આવ્યું. જો આપણે કહીએ કે તેના વિના રેસ્ક્યૂ ઓપરેશન ખૂબ જ મુશ્કેલીભર્યું હોત તો આ કહેવું બિલકુલ ખોટું નથી. આ સાથે NDRF અને SDRFની ટીમની મહામહેનત બાદ આ કામ પાર પડ્યું છે. ઓગર મશીને 46.8 મીટર સુધી કરી ડ્રિલ ઑગર મશીને ઉત્તરકાશીમાં દિવસ-રાત ડ્રિલિંગનું કામ કર્યું હતું. એક એવો સમય આવ્યો હતો કે ઓગર ડ્રિલિંગ મશીન સિલ્કયારા સુરંગમાં 46.8 મીટર સુધી ડ્રિલ કરી ચૂકી હતી. ત્યારબાદ મેન્યૂઅલ રીતે ડ્રિલિંગ કરવામાં આવ્યું, પરંતુ આ દરમિયાન ઓગર મશીન દ્વારા જ પાઈપને પુશ કરવાનું કામ કરાયું. ઓગર મશીનના પાર્ટ્સ ફંસાતા સૌ ચિંતામાં મુકાયા હતા જે સમયે ઓગર મશીનના પાર્ટ્સ પાઈપમાં ફસાયા હતા, તે સમયે આખો દેશ ચિંતામાં મુકાયો હતો. લોકો વિચારવા લાગ્યા હતા કે, હવે આગળનો રસ્તો કેવી રીતે કાપીશું, પરંતુ આ કામમાં લાગેલી તમામ એજન્સીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ હાર ન

NCERT Solutions for Class 12 Political Science Chapter 1 Challenges of Nation Building, Download PDF

NCERT Solutions for Class 12 Political Science Chapter 1 Challenges of Nation Building: This article provides answers to all the back exercises questions of Chapter 1: Challenges of Nation Building given in the NCERT Class 12 Political Science Book - Politics in India Since Independence.

ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈને કતારનું મોટું એલાન, બે દિવસની વધી સમય મર્યાદા

Image
ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાર દિવસનું યુદ્ધ વિરામ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે કતારના વિદેશ મંત્રાલયે મોટું એલાન કર્યું છે કે, આ યુદ્ધ વિરામ બે દિવસ માટે વધારાયું છે. આ જાહેરાત બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધ વિરામના અંતિમ દિવસે થઈ છે. કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, ગાઝા પટ્ટી પર માનવીય યુદ્ધવિરામને વધારવા માટે કરાર કર્યો છે. હવે આ બે દિવસ માટે વધારવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, કતાર જાહેરાત કરે છે કે ચાલી રહેલી મધ્યસ્થા હેઠળ ગાઝા પટ્ટીમાં માનવીય યુદ્ધ વિરામને વધુ બે દિવસ માટે વધારવા પર એક કરાર થયો છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં મિસ્રની સાથે કતાર પ્રમુખ મધ્યસ્થા કરી રહ્યા છે. આ જાહેરાત બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધ વિરામના અંતિમ દિવસે થઈ છે. મહત્વનું છે કે, બંને વચ્ચેના કરાર હેઠળ, ઈઝરાયલે 39 પેલેસ્ટાઈન કેદીઓને મુક્દ કર્યા, જ્યારે હમાસે 13 બંધકોને મુક્ત કર્યા હતા. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધ બાદ આ પહેલીવાર યુદ્ધ વિરામ છે. કેટલા લોકોના જીવ ગયા? ગાઝા પટ્ટી પર શાસન કરી રહેલા હમાસે 7 ઓક્ટોબર સવારે ઈઝરાયલ પર રોકેટ

NCERT Solutions for Class 12 Political Science Chapter 7 Globalisation, Download PDF

NCERT Solutions for Class 12 Political Science Chapter 7 Globalisation: This article provides answers to all the back exercises questions of Chapter 7: Globalisation given in the NCERT Class 12 Political Science Book - Contemporary World Politics.

NCERT Solutions for Class 12 Political Science Chapter 6 Environment and Natural Resources, Download PDF

NCERT Solutions for Class 12 Political Science Chapter 6 Environment and Natural Resources: This article provides answers to all the back exercises questions of Chapter 6: Environment and Natural Resources given in the NCERT Class 12 Political Science Book - Contemporary World Politics.

ખાલિસ્તાની આતંકી અર્શદીપ ડાલાના 2 શૂટરની એન્કાઉન્ટર બાદ ધરપકડ, દિલ્હી પોલીસની કાર્યવાહી

Image
khalistan News | ખાલિસ્તાની આતંકી અર્શદીપ ઉર્ફે અર્શ ડાલાના 2 શૂટર્સની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલએ ધરપકડ કરી લીધી છે. ધરપકડની કાર્યવાહી પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર બાદ થઈ હતી.  બંને આરોપી પેરોલ જંપ કરી ગયા હતા  ધરપકડ કરાયેલા બંને આરોપી પંજાબના એક કેસમાં પેરોલ જંપ કર્યા બાદથી ફરાર હતા. આ દરમિયાન દિલ્હી પોલીસના એક સ્પેશિયલ સેલ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટરની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન એક શૂટરના પગમાં ગોળી વાગી જેના બાદ દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. બંને પંજાબી સિંગર પર હુમલો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. 

Israel vs Hamas war | ઈઝરાયલને મોટો ઝટકો, વધુ એક જહાજનું યમનના સમુદ્ર કિનારેથી અપહરણ કરાયું

Image
Israel vs Hamas war News Updates | ઈઝરાયલ સાથે સંકળાયેલા વધુ એક જહાજને નિશાન બનાવવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના યમનના દરિયા કિનારે અદેનમાં બની છે. જહાજના મેનેજમેન્ટનું કામ જોડિયાક મેરિટાઈમ કરે છે. જોડિયાકે રવિવારે કહ્યું કે ઈઝરાયલ સાથે સંકળાયેલા એક જહાજનું યમનના તટ નજીક અદેનની ખાડીમાં અજાણ્યા લોકોએ અપહરણ કરી લીધું છે.  જોડિયાકે બહાર પાડ્યું નિવેદન જોડિયાકે એક નિવેદનમાં કહ્યું કે જહાજ પર સવાર ચાલક દળના 22 સભ્યોની સુરક્ષા આપણી પ્રાથમિકતામાં છે. કંપનીએ કહ્યું કે જહાજનો કેપ્ટન તૂર્કીયેનો હતો. જોકે ચાલક દળમાં રશિયન, વિયેતનામી, બુલ્ગારિયા, ભારતીય, જ્યોર્જિયા, ફિલિપિનો નાગરિકો સામેલ છે.  જહાજમાં શું છે?   આ જહાજમાં ફોસ્ફોરિક એસિડ ભરેલું છે. એક ખામગી ર્ફમ એમ્બ્રેએ કહ્યું કે સેન્ટ્રલ પાર્ક નામના જહાજને નિશાન બનાવાયું છે. રવિવારે અદેનની ખાડીમાંથી આ જહાજને જપ્ત કરી લેવામાં આવ્યો હતો. 

PSEB Punjab Board Class 5 Model Test Paper 2024: Download FREE PDF

Class 5 Model Paper Punjab Board 2024: View and download here the PSEB Model papers of all subjects for the upcoming class 5th board examination 2023-24 in PDF format.

ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના દરોડા, પાકિસ્તાન સમર્થિક ગજવા-એ-હિન્દ મૉડ્યૂલ મામલે કાર્યવાહી, ઘણા ડોક્યુમેન્ટ જપ્ત

Image
નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, રવિવાર રાષ્ટ્ર તપાસ એજન્સી (NIA)એ પાકિસ્તાન (Pakistan) સમર્થિક ગજવા-એ-હિન્દ (Ghazwa-E-Hind) મોડ્યુલ મામલે આજે ગુજરાત (Gujarat) સહિત 4 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. NIAએ ગુજરાતના ગિર સોમનાથ જિલ્લો, મધ્યપ્રદેશનો દેવાસ જિલ્લો, ઉત્તર પ્રદેશનો આઝમગઢ જિલ્લો અને કેરળના કોઝિકોડ જિલ્લામાં શંકાસ્પદ પરિસરોમાં દરોડા પાડ્યા છે. દરોડામાં કેટલીક શંકાસ્પદ બાબતો પણ સામે આવી છે, જેમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે. જોકે હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. દરોડામાં તે શંકાસ્પદોના સંબંધો સામે આવ્યા છે, જેમના પરિસરોમાં પહેલા દિવસે પાકિસ્તાન સ્થિત આકાઓની તપાસ કરાઈ હતી. National Investigation Agency (NIA) today conducted multi-state raids, leading to the seizure of incriminating documents and digital devices, in the Pakistan-backed Gazwa-e-Hind module case. The raids also revealed links of the suspects, whose premises were searched today, with… pic.twitter.com/Frhh4K7UKm — ANI (@ANI) November 26, 2023 દરોડામાં શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત NIAની રિપોર્ટ મુજબ આ શંકાસ્પદો સં

ભારતીય ડોમેસ્ટિક એરલાઈન્સે બનાવ્યો નવો રેકોર્ડ, એક જ દિવસમાં 4,63,417 મુસાફરોએ કરી મુસાફરી

Image
ભારતનું ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક શનિવારે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે આશરે 4,63,417 લોકોએ ગુરુવારે હવાઈ યાત્રા કરી હતી. અહેવાલ અનુસાર નવેમ્બરમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ઓછામાં ઓછું ચાર વખત નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. કોરોના બાદ ભારતના ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં જબરદસ્ત ફેરફાર જોવા મળ્યો છે.  નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે 'X' (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, "સકારાત્મક દ્રષ્ટિકોણ, પ્રગતિશીલ નીતિઓ અને મુસાફરોમાં ઊંડો વિશ્વાસ તેને દરેક ફ્લાઇટ સાથે, દરરોજ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે." જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુશી વ્યક્ત કરી સત્તાવાર માહિતી અનુસાર, ગુરુવારે (23 નવેમ્બર) ઘરેલુ મુસાફરોની કુલ સંખ્યા 4,63,417 હતી અને ફ્લાઇટ મૂવમેન્ટની સંખ્યા 5,998 હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય સ્થાનિક ઉડ્ડયનમાં એક નવો રેકોર્ડ બન્યો છે. 18, 19 અને 20 નવેમ્બરના રોજ ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત ત્રણ દિવસ નવા રેકોર્ડ પર પહોંચ્યો હતો. દેશમાં ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક

આસારામ, રામ રહીમને જેલ મોકલી દીધા, હિમ્મત હોય તો બીજા ધર્મ ગુરુઓને જેલ મોકલોઃ દેવકીનંદન ઠાકુર

Image
કથાકાર દેવકીનંદન ઠાકુરે ફરી એકવાર હિન્દુ રાષ્ટ્રની વકાલત કરી છે. ઝારખંડના મેદિનીનગરમાં તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રથી રામરાજ્યના વિચારને સત્તા દ્વારા વ્યવહારિક રૂપ આપવાથી સામાજિક વિસંગતતાઓ દૂર થશે. સાથે જ તેમણે કહ્યું કે, આસારામ, રામ રહીમ અને રામપાલ જેવા ધર્મ ગુરુઓને તો જેલ મોકલી દીધા. જો હિમ્મદ હોય તો બીજા ધર્મ ગુરુઓને જેલ મોકલીને બતાવો.  દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, જેટલું અંગ્રેજોના શાસનમાં સાધુ-સંતોએ પ્રતાડિત નહોતું થવું પડતું, જેટલું આઝાદ ભારતમાં પ્રતાડિત થવું પડે છે. આ હિન્દુ રાજ, રામરાજ્યના સંકલ્પનાથી વિરૂદ્ધ છે. તે રોકાવું જોઈએ. તેમને જામીન નથી મળી રહ્યા, કારણ કે તેઓ સનાતન ધર્મના છે. 'મંદિરની મૂર્તિઓ જામા મસ્જિદના દાદરમાં દાટી દેવાઈ' તેમણે કહ્યું કે, કેરળના 14 બાળકીઓના બળાત્કારના આરોપી ધર્મ ગુરુઓ માટે સરળતાથી જામીનના આદેશ જાહેર કરી દેવામાં આવે છે. તેને શું સમજવું। 1670માં મોગલ બાદશાહ ઔરંગઝેબે મથુરા મંદિરને ધ્વસ્ત કરી ઈદગાહ બનાવી હતી. મંદિરની મૂર્તિઓ જામા મસ્જિદના દાદરમાં દબાવી દેવાઈ. તેનાથી સનાતન ધર્મ અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. 'તમામ જિલ્લાઓમાં 5-5 ગુ

સૂર્યકુમાર-ઇશાનની વિસ્ફોટક ઇનિંગ : પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 2 વિકેટે રોમાંચક વિજય

Image
IND vs AUS : આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને ત્રણ વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી જીત મેળવી હતી.પાંચ મેચોની આ શ્રેણીમાં ભારતીય ટીમે 1-0થી લીડ મેળવી લીધી છે, હવે સિરીઝની બીજી મેચ 26 નવેમ્બરે રમાશે. ભારતે બે વિકેટે જીત મેળવી  ઓસ્ટ્રેલિયાએ ભારત સામે રન ચેઝ માટે મોટો ટાર્ગેટ સેટ કર્યો હતો. 209 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ થઇ હતી. પહેલી ઓવરમાં જ ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થયો હતો. ત્યારબાદ જયસ્વાલની  નાની આક્રમક ઈનિંગ રમી સામે આવી પરંતુ તે મેથ્યુ શોર્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ત્રીજી વિકેટ માટે 108 રનની ભાગીદારી કરી હતી. અંતે છેલ્લી ઓવરમાં રીન્કુએ છગ્ગો મારી મેચને જીતાડી હતી અને ભારતે અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ કર્યો છે. કિશન-સૂર્યા વચ્ચેની ધમાકેદાર પાર્ટનશીપ  ઈશાને 39 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 58 રન બનાવાની આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર 42 બોલમાં 9 ફોર અન

SSC GD Constable Recruitment Notification 2023-2024: Check Application Form Date, Vacancies, Exam Dates, Salary

SSC GD Constable 2023-2024 Notification: Staff Selection Commission will invite applications from the candidates from 24 November. Check Vacancies, Online Application Form, Exam Dates, Salary, Eligibility, Selection Process, Exam Pattern, Syllabus, Fee, and other details.

Dr. MGR Medical University Result 2023: TNMGRMU Result Download Link at tnmgrmu.ac.in

Dr. MGR Medical University Result 2023: Tamilnadu Dr.M.G.R. Medical University (TNMGRMU) declared the results of the various UG and PG courses like B.Pharm, MDS (Periodontology), MDS (Oral and Maxillofacial Surgery), MDS (Conservative Dentistry and Endodontics), MDS (Oral and Maxillofacial Pathology and Oral Microbiology), and BDS on its official website. Check the direct link provided here and the steps to download the TNMGRMU result. Download the result PDF from the result section available at the official website tnmgrmu.ac.in. The examination authority declares the various UG program results.

ભ્રષ્ટાચાર કેસમાં DGCAના ડાયરેક્ટર અનિલ ગિલ સસ્પેન્ડ, લાંચમાં 3 વિમાનો લીધા હોવાનો એવિએશન કંપનીનો આક્ષેપ

Image
નવી દિલ્હી, તા.22 નવેમ્બર-2023, બુધવાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)માં ડિરેક્ટોરેટ ઓફ એરોસ્પેસ કેપ્ટન અનિલ ગિલને આખરે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કાર્યવાહી બુધવારે કરવામાં આવી છે. અનિલ ગિલ ભ્રષ્ટાચાર કેસમાં આરોપી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધના કોઈપણ કેસમાં અમારી સરકારની ઝીરો ટોલરેન્સ નીતિ છે.મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે, આવા કોઈપણ કેસમાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.  DGCAએ લાંચના કેસને CBI-EDને ટ્રાન્સ કરવા માંગ કરી હતી સરકારે આ કાર્યવાહી એવા સમયે કરી જ્યારે તાજેતરમાં જ ડીજીસીએએ લાંચના કેસને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાંચના કેસમાં મંત્રાલય અને DGCAને તાજેતરમાં જ એક અજાણ્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ગિલ પર આરોપો લગાવાયા હતા. ઉલ્લેખનિય છે કે, ગિલની તાજેતરમાં જ એરોસ્પોર્ટ વિભાગમાં ફરી નિમણુક કરવામાં આવી હતી. ઈ-મેઈલ મળ્યા બાદ હડકંપ, તુરંત કાર્યવાહી કરાઈ સૂત્રોના જણાવ્યા મુજબ ઈ-મેઈલ જે માહિતીનો ઉલ્લેખ કરાયો હતો

ઈઝરાયેલમાં મૃતકોના અંગો શોધવા ભારે પડ્યા, સેંકડો વાહનોને કબ્રસ્તાનમાં દફનાવવાની તૈયારી, ચર્ચા-વિચારણા શરૂ

Image
જેરુસલેમ, તા.22 નવેમ્બર-2023, બુધવાર ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War)નો આજે 47મો દિવસ છે. 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ઘુસી નરસંહાર કર્યો, ત્યારબાદ બંને દેશો વચ્ચે ભારે ખુંવારી સર્જાઈ.. જોકે હવે ઈઝરાયેલના માથે નવી મુસાબત આવી ગઈ છે. હુમલામાં માર્યા ગયેલા ઘણા લોકોના શરીરના અંગો ગાયબ છે અથવા કેટલાક અંગો જ બચ્યા છે, ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવવા જકા તેલ અવીવ ( Zaka Tel Aviv ) સંગઠને મૃતક લોકોની કારોને દફનાવવાની ભલામણ કરી છે. જકા તેલ અવીવ સંગઠન ઈઝરાયેલની એકમાત્ર સત્તાવાર ઈમરજન્સી યુનિટ ઉલ્લેખનિય છે કે, જકા તેલ અવીવ મધ્ય ઈઝરાયેલની ઈમરજન્સી રિસ્પોન્સ યુનિટ છે. આ સંગઠન હજારો સ્વયંસેવકો સાથે દેશના 21થી વધુ શહેરોમાં ફરજ બજાવી રહી છે. આ સંગઠનને ‘ઈઝરાયેલની એકમાત્ર સત્તાવાર ઈમરજન્સી પ્રતિક્રિયા યુનિટ’ તરીકે માન્યતા મળેલી છે. સંગઠનની એક યુનિટ મૃતકોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર માટે કામ કરે છે, ખાસ કરીને અચાનક કે અણધાર્યા મામલાઓમાં... કારો પર લોહીના ડાઘા, વાહનોમાં શરીરના અંગો વેરવિખેર, એકત્ર કરવા મુશ્કેલ અહેવાલો મુજબ સંગઠને મૃતકોના અંગો મેળવવા ઘણા પ્રયાસો કર્યા, જોકે તેઓ નિષ્ફ

અમદાવાદથી કોલ કરીને અમેરિકાના નાગરિકો સાથે ૧૫૭ કરોડની છેતરપિંડી

Image
અમદાવાદ , બુધવાર અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવીને અમેરિકાના નાગરિકોને ટેક્ષ ભરવાના નામે રૂપિયા ૧૫૭ કરોડની છેતરપિંડી કરનાર કોલ સેન્ટર કંપનીના ૧૩ જેટલા સંચાલકો સામે  સીબીઆઇએ બુધવારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.  આ કેસની તપાસમાં  છેતરપિંડીનો આંક વધવાની સાથે અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા સીબીઆઇના અધિકારીઓએ વ્યક્ત કરી છે.   સીબીઆઇમાં નોંધવામાં આવેલી ફરિયાદની વિગતો એવી છે કે અમદાવાદના નવરંગપુરા દિનેશ હોલ પાસે આવેલા શ્રેયસ કોમ્પ્લેક્સ-૩માં  આવેલી કંપની સંપર્ક સોફટેક પ્રાઇવેટ લીમીટેડના ડાયરેક્ટર  ગૌરવ ગુપ્તા , પ્રવિણ કુમાર અને અન્ય લોકો દ્વારા અમેરિકામાં વીઓઆઇપીની મદદ કોલ કરીને ઓનલાઇન લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે. જેમાં એમેરિકાના સરકારી વિભાગના અધિકારીના નામે કોલ કરીને ડરાવીને સમગ્ર કૌભાંડ ચાલે છે. જે અંગે સીબીઆઇને અમેરિકાથી પણ ઇન્પુટ મળ્યા હતા. કુલ  ૧૫૭ કરોડથી વધારેનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ  બહાર આવ્યું હતું. જે અંગે વધુ તપાસ કરતા વિગતો બહાર આવી હતી કે આ કૌભાંડમાં નવી દિલ્હી ઉત્તમનગરમાં આવેલી બીપીઓ સોલ્યુશન પ્રાઇવેટ લીમીટેડ , મકરબા કોર્પોરેટ

RBI Assistant Expected Cut Off 2023: Category-wise Prelims Minimum Qualifying Marks

RBI Assistant Prelims Expected Cut Off 2023: The Reserve Bank of India declares the RBI Assistant cut off in a PDF after the result. The cut off marks are the minimum marks decided by the authority to shortlist candidates for the next stage. Check the expected minimum qualifying marks here

આજે G20નું વર્ચ્યુઅલ સંમેલન યોજાશે, PM મોદી કરશે નેતૃત્વ, પુતિન અને ચીનના વડાપ્રધાન લેશે ભાગ

Image
Virtual Conference Of G-20 To Be Held Today : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના પીએમ લી કિઆંગ આજથી ભારતની અધ્યક્ષતામાં યોજાનાર વર્ચ્યુઅલ G-20 સમિટમાં ભાગ લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે G-20 વર્ચ્યુઅલ સમિટ ભારતની અધ્યક્ષતામાં સપ્ટેમ્બરમાં જૂથના વાર્ષિક સંમેલનમાં નક્કી કરાયેલા પરિણામો અને કાર્યવાહીના મુદ્દાઓને આગળ વધારશે. તેમાં રશિયા-યુક્રેન યુદ્ધ અન ઈઝરાયલ-હમાસ સંઘર્ષની અસર અંગે પણ ચર્ચા થશે. પીએમ મોદી કરશે નેતૃત્વ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 નેતાઓની આ ડિજિટલ સમિટનું આયોજન કરે તેના એક દિવસ પહેલા ભારતે જણાવ્યું હતું કે આ બેઠક દિલ્હી ઘોષણાના અમલીકરણ પર ચર્ચા કરવા, મુખ્ય પડકારો પર સહકાર વધારવા અને વૈશ્વિક શાસનમાં ખામીઓને દૂર કરવાની તક આપશે.  અમિતાભ કાંતે આપી માહિતી  સમિટ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભારતના G-20 શેરપા અમિતાભ કાંતે કહ્યું કે 9 અને 10 સપ્ટેમ્બરના રોજ સમિટની સફળ યજમાની બાદ સ્થિતિ બદલાઈ છે. નવી દિલ્હી ઘોષણા સર્વસંમતિથી સ્વીકારવામાં આવી ત્યારથી વિશ્વએ એક પછી એક ઘણી ઘટનાઓ જોઈ છે અને ઘણા નવા પડકારો ઉભા થયા છે. તેમણે કહ્યું કે બેઠકનો મુખ્ય એજન્ડા વિક

SAIL Recruitment 2023: Apply Online For Boiler Operator & Other Posts, Check Eligibility And Salary

SAIL recruitment 2023: Steel Authority of India Limited (SAIL), Rourkela has released detailed notification for various posts including Operator-cum-Technician (Boiler Operator) & Others on its official website. You can check notification pdf, eligibility, age limit and others here. 

OpenAIના 700 કર્મચારીઓની ચેતવણી, કહ્યું- બોર્ડ રાજીનામું આપે, નહીં તો અમે માઈક્રોસોફ્ટમાં ચાલ્યા જઈશું

Image
OpenAIમાં ઉથલપાથલ અટકવાનું નામ લઇ રહી નથી. હવે કંપનીના 770માંથી આશરે 700 જેટલા કર્મચારીઓએ રાજીનામું આપવાની ધમકી આપી દીધી છે. તેમણે બોર્ડને કંપની ચલાવવા માટે અયોગ્ય ગણાવ્યું છે. તેમણે રાજીનામું આપવા, સેમ ઓલ્ટમેનને પરત લાવવા અને નવું બોર્ડ બનાવીને બે સ્વતંત્ર ડાયરેક્ટરોને નેતૃત્વ આપવાની માંગ કરી છે. જો તેમન થાય તો તમામ કર્મચારીઓએ રાજીનામું આપીને માઈક્રોસોફ્ટની નવી બનેલી એડવાન્સ AI લેબમાં કામ કરવા જવાની ચેતવણી આપી છે. માઈક્રોસોફ્ટે આ તમામ કર્મચારીઓને તેને ત્યાં આવી ને કામ કરવાની ઓફર પણ આપી દીધી છે. નવું તકનીકી મોડેલ વિકસાવ્યું કર્મચારીઓના માંગ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં મીરા મૂર્તિનો પણ સમાવેશ થાય છે જેમને શુક્રવારે વચગાળાના CEO બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બોર્ડના ડિરેક્ટર અને ચીફ ડેટા સાયન્ટિસ્ટ ઇલ્યા સુતસ્કેવર સાથે COO બ્રેડ લાઇટ કેપનો સમાવેશ થાય છે. બોર્ડના નિર્દેશકોને સંબોધિત આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓએ જાતે જ નવું ટેક્નિકલ મોડલ વિકસાવ્યું, AIની સુરક્ષા માટે વૈશ્વિક ધોરણો બનાવવામાં મદદ કરી છે. દરરોજ લાખો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની તેની અત્યાર સુધીની સ

ભારતીય રેલવે મુસાફરોને આપશે મોટી ભેટ, કન્ફર્મ ટિકિટ અને 3000 નવી ટ્રેનો દોડાવવા માટે બનાવી યોજના

Image
નવી દિલ્હી, તા.20 નવેમ્બર-2023, સોમવાર ભારતીય રેલવે (Indian Railways)એ મુસાફરો મોટી ભેટ આપવાની તૈયારીઓ આરંભી દીધી છે, આ સાથે મુસાફરોની વેઈટિંગ ટિકિટ (Waiting Ticket)ની ઝંઝટ દુર કરવા અને કન્ફર્મ ટિકિટ (Confirm Ticket) આપવાની યોજના પણ બનાવી રહી છે. ભારતની જન સંખ્યા વધતી જતી હોવાથી રેલવે આગામી 4-5 વર્ષમાં 3000 નવી ટ્રેનો શરૂ કરવા યોજના બનાવી છે. રેલવેએ મુસાફરોના પ્રવાસ સમય ઘટાડવાના લક્ષ્યની કામગીરી પર પણ આગળ વધી રહી છે.  રેલવેમાં મુસાફરોની આવન-જાવનની ક્ષમતા 1000 કરોડ કરવાનું લક્ષ્યાંક રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) આ માહિતી આપવાની સાથે કહ્યું કે, નવી ટ્રેનો શરૂથી 2027 સુધી વેઈટિંગ ટિકિટની ઝંઝટ સમાપ્ત થઈ જશે અને તમામને કન્ફર્મ ટિકિટ મળશે. રેલવેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આવનારા પાંચ વર્ષમાં ટ્રેનોની સંખ્યામાં માંગ મુજબ વધારો કરાશે. તેમણે કહ્યું કે, રેલવેની વર્તમાન મુસાફર ક્ષમતા 800 કરોડ છે, જે આગામી 5 વર્ષમાં વધારી 1000 કરોડ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કરાયું છે.  69000 નવા કોચ તૈયાર રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ 69 હજાર નવા કોચ તૈયાર છે. હર વર્ષે લગભગ 5000 કોચ બનાવાઈ

School Assembly News Headlines For (21 November): Israel Gaza War, Argentina President & Uttarakhand Rescue Operation

21 November 2023 News Headlines in English for School Assembly: You can check the list of detailed news headlines for the morning assembly from all major sectors like politics, entertainment, politics, sports, world affairs, technology and more here.

તુર્કેઈથી ભારત આવી રહેલા જહાજનું ઈઝરાયેલના લાલ સાગરમાં અપરહરણ, હૂતી વિદ્રોહીની કરતુત

Image
તેલ અવિવ, તા.19 નવેમ્બર-2023, રવિવાર ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે હવે યમન (Yemen)ના હૂતી વિદ્રોહીઓ (Houthi Rebels)એ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. સાઉદી અરેબિયા (Saudi Arabia)ના મીડિયાના રિપોર્ટ મુજબ યમનના હૂતી વિદ્રોહિઓએ આજે લાલ સાગરમાં એક જહાજનું અપહરણ કર્યું છે, જેમાં 22 ક્રુ મેમ્બરો છે. અહેવાલો મુજબ આ જહાજ ઇઝરાયેલનું છે. જોકે આ મામલે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, હૂતી વિદ્રોહિઓ દ્વારા અપહરણ કરાયેલ જહાજ અમારું નહીં, તૂર્કેઈનું છે. જહાજમાં આંતરરાષ્ટ્રીય નાગરિકો હોવાનો ઈઝાયેલનો દાવો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે ટ્વિટ કરીને જણાવ્યું કે, દક્ષિણ લાલ સાગર (South Red Sea)માં યમન પાસે હૂતીઓ દ્વારા કાર્ગો શિપનું અપહરણ એ ગંભીર ઘટના છે. આ એક એવું જહાજ છે, જેમાં એકપણ ઈઝરાયેલી નથી. આ જહાજ આંતરરાષ્ટ્રીય નાગરિકો લઈને તુર્કેઈથી ભારત જઈ રહ્યું હતું. રિપોર્ટ મુજબ આ જહાજનું નામ ગેલેક્સી લીડર (Galaxy Leaders Ship) છે. The hijacking of a cargo ship by the Houthis near Yemen in the southern Red Sea is a very grave incident of global consequence. The ship departed Turkey on its way to I

કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર અને હિંસામાં નંબર વન રાજ્ય બનાવ્યું : મોદી

Image
- રાજસ્થાનીઓ રામ નવમી, હોળી, હનુમાન જયંતિ શાંતિથી ના ઉજવી શક્યા - જનતા જાદૂગરને જાકારો આપીને તુષ્ટીકરણ કરતી કોંગ્રેસને છૂમંતર કરી નાખશે : ગેહલોત પર મોદીનો ટોણો - કોંગ્રેસ સત્તામાં આવે છે ત્યાં આતંકીઓ, ક્રિમિનલ, હિંસાખોરોને ખુલ્લી છૂટ આપવામાં આવે છે તેવો આરોપ જયપુર : ચૂંટણી રાજ્ય રાજસ્થાનનાં ભરતપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર રેલીને સંબોધી હતી. જે દરમિયાન તેમણે રાજ્યની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને હિંસામાં રાજસ્થાનને ટોચના સ્થાને પહોંચાડી દીધુ છે. તુષ્ટીકરણની નીતિ અપનાવી અસામાજિક તત્વોને ખુલ્લી છૂટ આપી રાજ્યને ક્રાઇમ અને હિંસાની બાબતમાં ટોચના સ્થાને પહોંચાડી દીધુ હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો હતો.  મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે રાજસ્થાનની જનતાએ નક્કી કર્યું છે કે જાદુગર (ગેહલાત)ને મત નહીં આપી કોંગ્રેસને રાજ્યમાંથી છૂમંતર કરી દેવામાં આવશે. અશોક ગેહલોતના પિતા જાદૂગર હતા, તેમની સાથે ગેહલોત પણ દેશમાં જાદૂગર તરીકે કામ કરતા હતા. ગેહલોતના ભૂતકાળને ટાંકીને મોદીએ આ ટોણો માર્યો હતો. રાજસ્થાનમાં ૨

WCની ફાઈનલ મેચ પહેલા સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી, મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો

Image
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ આવતીકાલે (રવિવાર) રમાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન મોદી અને અનેક દિગ્ગજ નેતાઓ, મુકેશ અંબાણી સહિતના બિઝનેસ મેનો અને બોલિવુડની પણ હસ્તીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ વચ્ચે ફાઈનલ મેચની પહેલી રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ડ્રોન શોની રિહર્સલ જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ 1 હજાર ડ્રોન સાથે રોમાંચક ડ્રોન શો યોજાશે. બે મિનિટના ડ્રોન શોમાં 1 હજાર ડ્રોનની મદદથી વર્લ્ડ કપ ટ્રોફી, ભારતના નકશા સહિતના ફોર્મેશન રચાશે. 1200 ડ્રોનની લાઈટ વડે આકાશમાં વિજેતા ટીમનું નામ અંકિત કરવામાં આવશે. ત્યારે શનિવાર રાત્રે ડ્રોન શો માટેની તૈયારીઓ જોવા મળી હતી. આકાશમાં વિવિધ પ્રકારના ફોર્મેશન જોવા મળ્યા હતા. તો મેચ પહેલા જ સ્ટેડિયમ રોડ પર અને સ્ટેડિયમના ગેટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  મહત્વનું છે કે, આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને શાનદાર બનાવવા ICC અને BCCIએ ભવ્ય તૈયારી કરી છે. સિંગર પ્રિતમ અને જોનીતા ગાંધી સહિતના સહકલાકારો ધમાકેદાર

UPમાં હલાલ સર્ટિફિકેશન વાળા પ્રોડક્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ, યોગી સરકારે લીધા મોટા એક્શન

Image
Halal certified products ban : ગેરકાયદે રીતે 'હલાલ સર્ટિફિકેટ' આપનારા કાળા કારોબાર પર ઉત્તરપ્રદેશમાં પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ મામલે સંજ્ઞાન લીધા બાદ શનિવારે પ્રતિબંધ અંગે આદેશ પણ જાહેર કરી દેવાયો છે. આદેશ અનુસાર, હલાલ પ્રમાણપત્ર સાથે ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં જો હલાલ પ્રમાણિત દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને ખરીદ-વેચાણ થતું જોવા મળશે, તો સંબંધિત વ્યક્તિ/ફર્મ સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. જો કે, નિકાસ માટે ઉત્પાદિત ઉત્પાદનો પ્રતિબંધને પાત્ર રહેશે નહીં. હાલના દિવસોમાં પ્રદેશ સરકારને એવી માહિતી મળી રહી હતી કે, ડેરી ઉત્પાદન, ચીન, બેકરી ઉત્પાદ, પિપરમેન્ટ ઓયલ, નમકીન રેડી-ટૂ-ઈટ વેવરીજ અને ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોના લેબલ પર હલાલ પ્રમાણિતનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે. એટલું જ નહીં અમુક દવાઓ, તબીબી ઉપકરણો અને કોસ્મેટિક ઉત્પાદનોના પેકિંગ/લેબલિંગ પર હલાલ પ્રમાણપત્ર ચિહ્નિત કરવાની સૂચના મળી છે. દવાઓ, તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો સં

Dr. MGR Medical University Result 2023: TNMGRMU Result Download Link at tnmgrmu.ac.in

Dr. MGR Medical University Result 2023: Tamilnadu Dr.M.G.R. Medical University (TNMGRMU) declared the results of the various UG and PG courses like B.Pharm, MDS (Periodontology), MDS (Oral and Maxillofacial Surgery), MDS (Conservative Dentistry and Endodontics), MDS (Oral and Maxillofacial Pathology and Oral Microbiology), and BDS on its official website. Check the direct link provided here and the steps to download the TNMGRMU result. Download the result PDF from the result section available at the official website tnmgrmu.ac.in. The examination authority declares the various UG program results.

DBRAU Result 2023 OUT on dbrau.ac.in, Direct Link to Download UG, PG Marksheet

DBRAU Result 2023 OUT: Dr. Bhimrao Ambedkar University, formerly known as Agra University has recently published the results for various UG and PG programs. The  DBRAU offers a diverse range of degree courses spanning undergraduate, postgraduate, and doctoral programs across multiple academic fields. Below, you'll find a direct link and steps to download your DBRAU results.

TIFR Recruitment 2023 For Supervisor, Scientific Officer, Clerk & Others: Salary upto Rs. 94,500

TIFR Recruitment 2023: TIFR has released the notification for the 18 Clerk, Work Assistant and other posts on the official website. Check notification pdf and other updates here. 

RBI Data : 2004-05 બાદ 1140% રાજ્યો પર પેન્શનનો ભાર વધ્યો, 2022-23માં 4.63 લાખ કરોડનું રહ્યું દેવું

Image
RBI Data : એક તરફ દેશભરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સરકારી કર્મચારી ઓલ્ડ પેન્શન યોજના ફરી લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ કર્મચારી NPSનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે, બેકિંગ સેક્ટરની રેગ્યૂલેટર ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2022-23 માટે રાજ્યોને લઈને હેન્ડબુક ઑફ સ્ટેટિસ્ટિક્સ  (Handbook of Statistics on Indian States, 2022-23) જાહેર કરી છે, જેમાં તમામ સેક્ટરને લઈને રાજ્યોની નાણાકીય પરિસ્થિતિને દર્શાવવામાં આવી છે. આ હેન્ડબુકમાં રાજ્યોના પેન્શન દેવાને લઈને પણ ડેટા જાહેર કરાયો છે. 19 વર્ષમાં 4.26 લાખ કરોડ વધ્યો પેન્શનનો ભાર RBI તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2004-05માં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર પેન્શનનો ભાર 37,378 કરોડ રૂપિયા હતો. જે 10 વર્ષમાં અંદાજિત 4 ગણો એટલે કે 400 ટકાના ઉછાળા સાથે 2014-15માં વધીને 1,83,499 કરોડ રૂપિયા પર પહોંચ્યો. તેના પછીના 9 વર્ષ 2022-23માં પેન્શનનો ભાર 152 ટકા એટલે દોઢ ગણો વધીને 4,63,437 કરોડ રૂપિયા થઈ ગયો છે. એટલે આ સમય દરમિયાન પેન્શન દેવું 4.26 લાખ કરોડ રૂપિયા એટલે 11 ગણાથી વધુ 1140 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. OPS પર RBIએ ચેતવ્યો

UPSSSC PET Result 2023: UP Preliminary Eligibility Test Score Card Soon on upsssc.gov.in

UPSSSC PET Result 2023 will soon be published on the official website of the Uttar Pradesh Subordinate Services Selection Commission, upsssc.gov.in. The exam was held on October 28 & 29. Applicants who appeared for the exam can go through the article to know the exact UP Preliminary Eligibility Test Result 2023 release date, scorecard link and other details.

PSEB Punjab Board Class 10 Hindi Model Test Paper 2024: Download FREE PDF

Class 10 Hindi Model Paper Punjab Board 2024: Get here direct link to Download FREE PDF for PSEB 10th Hindi sample question paper here.

World Cup 2023 Final Match - અમદાવાદમાં ક્રિકેટ ફિવર, મુંબઈ-અમદાવાદનું વન-વે એરફેરના ભાડામાં ધરખમ વધારો

Image
અમદાવાદ, તા.14 નવેમ્બર-2023, મંગળવાર ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી વર્લ્ડકપ-૨૦૨૩ની ફાઇનલમાં પહોંચી શકશે કે કેમ તેનો ફેંસલો આગામી બુધવારે થશે. પરંતુ અત્યારથી જ ફાઇનલના યજમાન અમદાવાદ આવવા માટેના એરફેરમાં વધારો થવા લાગ્યો છે. વન-વે એરફેર રૂ.૨૪૦૦થી ૩૦૦૦ સામાન્ય રીતે દિવાળીની રજાઓમાં અમદાવાદથી અન્ય સ્થળે જવા માટેના એરફેરમાં બે ગણોથી વધુનો વધારો થઇ જતો હોય છે. પરંતુ આ વખતે વર્લ્ડકપ ફાઇનલને પગલે અમદાવાદ આવવા માટેના એરફેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. મુંબઇ-અમદાવાદનું વન-વે એરફેર સામાન્ય દિવસોમાં રૂપિયા ૨૪૦૦થી રૂપિયા ૩ હજા૨ વચ્ચે હોય છે. જેની સરખામણીએ ફાઇનલના અગાઉના દિવસે એટલે કે ૧૮ નવેમ્બરના મહત્તમ એરફેર રૂપિયા ૨૫૩૧૭ થઇ ગયું છે. ફાઇનલ છે ત્યારે મુંબઇ-અમદાવાદનું સવારની ફ્લાઇટનું વન-વે એરફેર રૂપિયા ૨૪૪૦૦ સુધી છે. ફાઇનલમાં ભારત આવશે તો એરફેર વિક્રમી સ્તરે જોવા મળે તેવી પૂરી સંભાવના આ જ રીતે ૧૮ નવેમ્બરના દિલ્હી-અમદાવાદનું મહત્તમ વન-વે એરફેર રૂપિયા ૨૩ હજારથી વધુ છે. સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ૩૮૦૦થી રૂપિયા ૪૨૦૦ની આસપાસ જોવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલનુ

ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા મજૂરો સુધી પાણી, ફૂડ પેકેટ પહોંચાડાયા

Image
- ટનલનો હિસ્સો ધસી પડયાના 48 કલાક બાદ પણ મજૂરો ફસાયેલા - મુખ્યમંત્રી ધામીએ ટનલની મુલાકાત લીધી, વોકિટોકીની મદદથી મજૂરોનો સંપર્ક કરાયો, બધા સુરક્ષીત હોવાનો દાવો - ટનલનો 30થી 35 મિટર હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો, બધો કાટમાળ હટાવવામાં હજુ એક દિવસ લાગી શકે છે ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલનો એક હિસ્સો ધસી પડયો હતો. આ ઘટનાના ૪૮ કલાક બાદ પણ ટનલમાં ફસાયેલા મજૂરોને હજુસુધી બહાર નથી કાઢી શકાયા. રેસ્ક્યૂ કરી રહેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં હજુ એક બે દિવસ લાગી શકે છે. હાલમાં મજૂરોને ઓક્સિજન પહોંચતો કરી દેવાયો છે. સાથે જ તેમને પાઇપની મદદથી ભોજન પણ પહોંચાડવામાં આવી રહ્યું છે.  હાલમાં મજૂરોને બહાર કાઢવા માટે પોલીસ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ, ૧૦૮ ઇમર્જન્સી સર્વિસ વગેરે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. ટનલના કાટમાળને બહાર કાઢવા માટે વર્ટિકલ ટ્રિલિંગ સહિતના આધુનિક મશીનનો તૈનાત કરવામાં આવ્યા છે. અગાઉ એવા અહેવાલો હતા કે ભુસ્ખલનને કારણે ટનલનો હિસ્સો

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે 15મીએ યોજાશે મહત્વની બેઠક, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Image
સાન ફ્રાન્સિસ્કો, તા.13 નવેમ્બર-2023, સોમવાર અમેરિકા (America)ની યજમાની હેઠળ સાન ફ્રાન્સિસ્કો શહેરમાં 11 નવેમ્બરથી APEC શિખર સંમેલન શરૂ થઈ ગયું છે, જે 17 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping) વચ્ચે બુધવારે 15 નવેમ્બરે વિશેષ મુલાકાત યોજાશે. બંને દેશોના સંબંધો સુધરવાના સંકેત બંને દેશોના રાષ્ટ્રપતિઓ વચ્ચે અગાઉ એક વર્ષ પહેલા ઈન્ડોનેશિયામાં મુલાકાત યોજાઈ હતી, ત્યારે આ બંને નેતાઓ વચ્ચે ફરી મુલાકાત યોજાશે. છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં તિરાળ જોવા મળી રહી છે, ત્યારે વિશ્વભરની નજર બંને નેતાઓની મુલાકાત પર રહેશે. બંને દેશોના નેતાઓની મુલાકાતથી બંને દેશોના સંબંધો સુધરવાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. બાઈડેન અને જિનપિંગ વચ્ચે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના ચીન અને અમેરિકા વચ્ચે યોજાના બેઠકમાં પર્સનલ ઈન્સ્ટેસ્ટ અને ભૌગોલિક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. તાજેતરમાં યુએસ કોમર્સ વિભાગના બ્યુરો ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ સિક્યોરિટી (BIS)એ વચગાળાનો નિયમ જારી કર્યો, જેનો ઉદ્દેશ્ય એડવાન્સ કોમ્પ્ય

Bihar Teacher Vacancy 2023 Increased: Check New BPSC TRE 2.0 Post Wise Vacancies

Bihar Teacher Vacancy 2023: The online application window link for the 2nd phase of Bihar Teacher recruitment from November 3 to 14, 2023. Get more details about the BPSC TRE 2nd round vacancy in the article below.

Upcoming Government Jobs 2023 LIVE: Employment News ((11-17) November 2023 , Notifications, Admit Card, Exam Date, Result and much more

Government Jobs 2023 LIVE Employment News:  Employment News (11-17) November 2023 ,   UPSC, SSC, Banks, Defence, Navy, State PSC Jobs and others posted in Employment News. Government Jobs 2023 LIVE provides you the chance to get the details of the Latest Government Jobs updates/Admit Card/Result/Answer Key and others. 

દિલ્હી-NCRમાં લોકોએ પુષ્કળ ફટાકડા ફોડ્યા, સુપ્રીમ કોર્ટના આદેશનો કર્યો ભંગ, AQI ફરી ગંભીર શ્રેણીમાં

Image
Diwali Delhi Pollution : દિલ્હી-NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં હોવાથી સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે દિવાળીના તહેવારના દિવસે કોર્ટના આદેશનો ભંગ કરીને લોકોએ ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણનું સ્તર વધુ વધી ગયું છે. સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું  ગઈકાલે દિવાળીના તહેવાર પર દેશભરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા, ત્યારે રાજધાની દિલ્હી સહિત NCRમાં છેલ્લા ઘણા દિવસોથી વાયુ પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે જેના કારણે રાજધાની દિલ્હી-NCRમાં સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જો કે ગઈકાલે સાંજ પડતાંની સાથે જ લોકોએ કોર્ટના આદેશનો ભંગ કરીને 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાઓ ફોડ્યા હતા. ગઈકાલે રાત્રે લોકોએ ફટાકડા ફોડતા રાજધાનીમાં ફરી એકવાર ઝેરી ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી તેમજ સમગ્ર શહેરમાં ભારે પ્રદૂષણ ફેલાયું હતું.  દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર સમગ્ર દિલ્હીમાં હવાની ગુણવત્તા 'નબળી' શ્રેણીમાં છે. દિલ્હી-NCRમાં ફટાકડાથી ફરી પ્ર

ઉત્સાહનો ઉજાશ પાથરીને આનંદોલ્લાસ સાથે દિવાળીના પર્વની ભવ્ય ઉજવણી, આવતીકાલે નૂતન વર્ષ

Image
Diwali Festival Celebrated across gujarat : અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળીના પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંજના મુહૂર્તના સમયે ચોપડા પૂજન કર્યા બાદ લોકોએ મોડી રાત સુધી ફટાકડા ફોડડ્યા હતા. આજે પડતર દિવસ છે જ્યારે આવતીકાલથી વિક્રમ સંવંત 2080નું આશાભર્યું આગમન થશે જ્યારે બુધવારે ભાઇ બીજનું પર્વ ઉજવાશે. બિઝનેસ હાઉસથી માંડીને નાની દુકાનમાં ચોપડા પૂજન કરાયું  ગઈકાલે બપો૨ 2:45 સુધી કાળીચૌદશ હતી અને ત્યારબાદ દિવાળીના પર્વનો પ્રારંભ થયો હતો. દિવાળીના પર્વનિમિત્તે ગઈકાલે બિઝનેસ હાઉસથી માંડીને નાની દુકાનમાં પણ ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મહાપૂજા અને ચોપડાપૂજન વિધિ કરાવવામાં આવી હતી, જેમાં 4200 કરતાં વધુ ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. દિપોત્સવી પર્વે મંદિરને ખૂબસુંદર રોશની અને શણગાર કરવામાં આવ્યા હતા. દીવડાઓથી ઝળહળતા મંદિરમાં ભગવાનના સુંદર શણગારના દર્શન કરીને ભક્તોએ ખૂબ આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આજે ઠાકોરજી સમક્ષ યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શન સવારે 10 : 30 થી સાંજના 7 વાગ્યા સુધી થશે. બીજી તરફ સ્વામિનારા

World Cup 2023 : ‘બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ આઉટ’ હવે સેમિફાઈનલ-ફાઈનલ મેચમાં સુપર ઓવર પણ ટાઈ થશે તો શું થશે ?

Image
નવી દિલ્હી, તા.12 નવેમ્બર-2023, રવિવાર Super Over in World Cup History : ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ ICC વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા (Australia vs South Africa) વચ્ચે 16મી નવેમ્બરે રમાવાની છે. પ્રથમ સેમિફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે બીજી સેમિફાઈનલ ઈડન ગાર્ડનમાં રમાશે. ત્યારબાદ બંને સેમિફાઈનલોમાંથી એક-એક ટીમ ફાઈનલમાં પહોંચશે અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19મી નવેમ્બરે રમાશે, ત્યારે આ ત્રણેય મેચો પહેલા ક્રિકેટ ફેન્સોએ એ જાણવું જરૂરી છે કે, સેમિફાઈનલ-ફાઈનલ મેચ ટાઈ થઈ તો શું થશે ? જો તમે જુનો નિયમ ‘બાઉન્ડ્રી કાઉન્ટ (Boundary Count)’ને હજુ પણ યાદ રાખીને બેઠા હોવ, તો તે ભુલી જજો... કારણ કે આ વિવાદીત નિયમ આ વર્લ્ડકપમાં નથી. ગત વખતની જેમ બાઉન્ડ્રી કાઉન્ટ જેવો વિવાદીત નિયમ જોવા નહીં મળે વર્લ્ડકપ-2023માં ક્રિકેટ પ્રેમીઓને એક વાતનો અફસોસ કરી રહ્યા છે કે, તેમને અત્યાર સુધીમાં એકપણ મે

સાઉદ અરેબિયામાં 57 દેશોના સંગઠનની બેઠક યોજાઈ, ઈઝરાયેલની કાર્યવાહીને અટકાવવા તખતો ઘડાયો

Image
રિયાદ, તા.12 નવેમ્બર-2023, રવિવાર સાઉદી અરેબિયા (Saudi Arabia)ની રાજધાની રિયાદમાં આરબ નેતાઓ અને ઈરાન (Iran)ના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં હમાસ વિરુદ્ધ યુદ્ધમાં ઈઝરાયેલ દ્વારા કરાયેલી કાર્યવાહીની નિંદા કરવામાં આવી છે. હવે ગાઝામાં એવો ડર વધી ગયો છે કે, આ યુદ્ધ અન્ય દેશોમાં પણ ફેલાઈ શકે છે. હમાસ દ્વારા 7મી ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલા કર્યા બાદ આરબ લીગ અને ઈસ્લામિક સહયોગ સંગઠન (IOC)એ ઈમરજન્સી બેઠક યોજાઈ છે. બેઠકમાં ઈઝરાયેલી અધિકારીએ કહ્યું કે, લગભગ 1200 લોકોના માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા અને 239 લોકોને બંધક બનાવી લેવાયા હતા. સાઉદી અરેબિયાના પ્રિન્સે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હુમલામાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં બાળકોનો સમાવેશ થાય છે. શિખર સંમેલન અંગે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને (Mohammed bin Salman Al Saud) શનિવારે કહ્યું હતું કે, સાઉદી અરેબિયા પેલેસ્ટાઈની લોકો પર આચરવામાં આવેલ ગુનાઓ માટે કબજો કરનાર (ઈઝરાયેલ) અધિકારીઓના જ

'દીકરી નીચે ઉતર...' PM મોદીની રેલીમાં જ યુવતી વીજળીના થાંભલા પર ચઢી, Video થયો વાયરલ

Image
PM Modi Rally Viral Video | તેલંગાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. જ્યારે પીએમ મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક છોકરી ઇલેક્ટ્રિક પોલ પર ચઢી ગઈ હતી. આ જોઈને પીએમ મોદી પણ ડરી ગયા અને યુવતીને સ્ટેજ પરથી જ નીચે ઉતરવાનું કહેતા જોવા મળ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. #WATCH | Secunderabad, Telangana: During PM Modi's speech at public rally, a woman climbs a light tower to speak to him, and he requests her to come down. pic.twitter.com/IlsTOBvSqA — ANI (@ANI) November 11, 2023 વાયરલ વીડિયોમાં પીએમ મોદી શું બોલ્યાં?  વાયરલ વીડિયોમાં પીએમ મોદી સિકંદરાબાદમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે જ એક સ્કૂલની છોકરી થાંભલા પર ચઢી ગઈ હતી. પીએમ મોદી એ છોકરીને કહે છે - દીકરી, નીચે ઉતર, ત્યાં વાયર બગડેલો છે, જુઓ કૃપા કરીને નીચે આવી જા, ત્યાં વાયર બરાબર નથી, હું અહીં ફક્ત તમારા લોકો માટે આવ્યો છું, હું તમારી સાથે છું, નીચે આવો. પીએમ મોદી સતત અપીલ કરતા રહ્યા પરંતુ યુવતી થાંભલા પરથી નીચે ઉતરી રહી ન હતી. યુવતી કોઈ વાતથી નારાજ

ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિના નિવેદન પર હોબાળો, નિવેદન પાછું ખેંચ્યું

Image
Israel vs Hamas war | હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ માટે રજૂ કરવામાં આવેલા ઉપાયને લઈને વિવાદ છંછેડાયો છે. આરિફ અલ્વીએ પેલેસ્ટાઈન મુદ્દાના ઉકેલ માટે પેલેસ્ટાઈન અને ઈઝરાયલના રૂપમાં બે દેશોને (Two States) બદલે એક દેશ (One States) નો ઉકેલ સૂચવ્યો હતો. અલ્વીના આ નિવેદનની ભારે ટીકા થઈ હતી. ભારે હોબાળાને જોતા થોડા કલાકો પછી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું અને અલ્વીનું આ નિવેદન પાછું ખેંચી લેવાયું હતું.  પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે કરી હતી વાતચીત પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જો ઈઝરાયેલ  ટુ સ્ટેટ વિકલ્પને સ્વીકારતું નથી, તો માત્ર એક દેશ એટલે કે વન સ્ટેટ ઉકેલ જ આ મુદ્દાને ઉકેલવાનો માર્ગ છે. આ એક દેશમાં યહૂદીઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત તમામ લોકો સમાન રીતે અને સમાન રાજકીય અધિકારો સાથે સ્થાયી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન શરૂઆતથી જ ટુ સ્ટેટ સોલ્યુશનના સિદ્ધાંતના પક્ષમાં રહ્યું છે. પાકિસ્તાનના કાર્યવાહ