કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા


Karnataka News: કર્ણાટકના હસનમાં હોલેનરસીપુરના મોસાલે હોસાહલ્લી નજીક એક ટ્રકે ગણપતિ શોભાયાત્રામાં જઈ રહેલા લોકોને કચડ્યા હતા. ટ્રક ડિવાઇડર તોડીને શોભાયાત્રામાં ઘુસી જતાં નાસભાગ મચી હતી. ધમધમતા હસન-મૈસૂર NH-373 રોડ પર થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ મૃત્યુઆંક વધી શકે છે. જ્યારે 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન