પહલગામ જેવો હુમલો કરી શકે તેવા 60 આતંકીઓ સક્રિય થયાના અહેવાલ, સેના એલર્ટ

- અમરનાથ યાત્રા વચ્ચે સેનાએ સર્ચ ઓપરેશન ઝડપી બનાવ્યું
- નેપાળના રાષ્ટ્રપતિના સલાહકારે ભારતીય એજન્સીઓને એલર્ટ કરી : પાક. નેપાળની સરહદેથી આતંકીઓ ભારતમાં ઘૂસાડી હુમલાની ફિરાકમાં
Pahalgam news : સુરક્ષાદળોએ જમ્મુ પ્રાંતને આતંકવાદ મૂક્ત બનાવવા માટે મહાભિયાન શરૂ કરી દીધુ છે, જેના ભાગરૂપે કઠુઆ, કિશ્તવાડ, રાજૌરી, પુંચ અને રિયાસીના પર્વતીય વિસ્તારોમાં આતંકીઓની શોધખોળ ઝડપી બનાવાઇ છે. સત્તાવાર રીતે સક્રિય આતંકીઓના આંકડા જાહેર નથી કરાયા પરંતુ આ સંખ્યા 60 આસપાસ હોવાની શક્યતાઓ છે. આ તમામ આતંકીઓ ત્રણથી પાંચની ટોળકી બનાવીને સ્થળ બદલતા રહે છે.
Comments
Post a Comment