'પાયલટની ભૂમિકા પર પાયાવિહોણા સવાલ', અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ મામલે કેન્દ્ર સરકારે અપડેટ આપી

તસવીર : IANS
India Rejects Pilot Blame in Ahmedabad Plane Crash : અમદાવાદના મેઘાણીનગરમાં 12મી જૂને થયેલા પ્લેન ક્રેશ મામલે હજુ સુધી તપાસ પૂર્ણ થઈ નથી. જોકે પ્રાથમિક અહેવાલ પ્રસિદ્ધ થયા બાદથી જ દોષનો ટોપલો પાયલટ પર ઢોળવા પ્રયાસ કરાઇ રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકારે ફરી મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ રાજ્યસભામાં કહ્યું છે કે તપાસ સંપૂર્ણ રીતે ભારતમાં જ થઈ રહી છે અને પહેલી વખત બ્લેકબોક્સ પૂર્ણતઃ ભારતમાં જ ડીકોડ કરાશે.
Comments
Post a Comment