શું હવે આપણે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે? એકનાથ શિંદેના નારા પર ઉદ્ધવ ઠાકરેની સેના ભડકી

Maharashtra News : મહારાષ્ટ્રના થાણેમાં ગુજરાતીને લાફો ઝિંકી દેવાની ઘટના ગરમાઈ છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ‘જય ગુજરાત’નો નારો લગાવતા રાજકીય ઘમસાણ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં જયરામ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અમિત શાહ બાદ શિંદેએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અમિત શાહના ભરપૂર વખાણ કર્યા હતા, ત્યારબાદ સંબોધનના અંતે તેમણે ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’નો નારો લગાવ્યો હતો, જેના કારણે રાજકીય ખળભળાટ મચી ગયો છે. શિંદેના નારાથી શિવસેના યુબીટીએ કડક શબ્દોમાં વિરોધ કર્યો છે.
શિંદેના ‘જય ગુજરાત’ નારાથી શિવસેના યુબીટીને વાંધો પડ્યો
Comments
Post a Comment