આજના હવાઇ મુસાફરીના યુગમાં દુનિયાના એક ખૂણેથી બીજે ખૂણે પહોંચવું ઝડપી અને સરળ બન્યું છે ત્યારે માણસોને વાહક બનાવીને આવા વાઇરસ પણ વીજળીવેગે આખી દુનિયામાં ફેલાઇને લાખો કરોડો લોકોને ભોગ બનાવી શકે છે દુનિયાભરમાં હાલ નોવેલ કોરોનાવાઇરસ ચિંતાનો વિષય બન્યો છે. આ રહસ્યમય વાઇરસ ભારે તેજીથી ફેલાઇ રહ્યો હોવાના મામલા સામે આવી રહ્યાં છે જેના કારણે ચિકિત્સકોમાં ચિંતા વધી ગઇ છે. સતત આ વાઇરસને લગતી નવી માહિતી સામે આવી રહી છે જેમાં વાઇરસના ઊભી થતી સમસ્યા અને બીમારીના લક્ષણો પણ સામેલ છે. કોરોના વાઇરસનો પ્રકોપ હાલ તો એશિયાના દેશોમાં વધારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં આ રોગ વધારે પ્રમાણમાં ફેલાયો છે. હકીકતમાં ચીનના હુવેઇ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં આ રોગના કેસ સૌપ્રથમ જોવા મળ્યાં જેના કારણે આ વાઇરસને વુહાન વાઇરસ તરીકે પણ ઓળખાવામાં આવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અનુમાન પ્રમાણે આ વાઇરસ સી-ફૂડ સાથે જોડાયેલો છે અને એની શરૂઆત વુહાનના સી-ફૂડ માર્કેટથી થઇ હોવાનું અનુમાન છે. ખાસ વાત એ કે આ વાઇરસ માણસો ઉપરાંત પ્રાણીઓમાં પણ ફેલાઇ રહ્યો છે. અગાઉ આ વાઇરસ વિશે એવી જાણકારી સામે આવી હતી કે તે...
અમદાવાદ,તા. 17 મે 2022,મંગળવાર ભારતના સૌથી મોટા IPO એલઆઈસીનું આજે શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. અપેક્ષા પ્રમાણે વધુ એક સરકારી કંપનીએ રોકાણકારોને નિરાશ કર્યા છે. રૂ. 949ના ઇસ્યુ ભાવની સામે એલઆઇસીનો શેર રૂ.872 ના ભાવે ખુલ્યો છે કોને ક્યા ભાવથી એલોટમેન્ટ થયું? - સામાન્ય રોકાણકારોને સરેરાશ રૂ.949 પ્રતિ શેર - પોલીસી ધારકોને રૂ.889 પ્રતિ શેર - રિટેલ અને કર્મચારીઓને રૂ.905 પ્રતિ શેર રૂ. 872ના ભાવે લિસ્ટ થયા બાદ શરૂઆતી મિનિટોમાં જ LICએ રૂ. 860નું તળિયું બનાવ્યું હતુ. જોકે નીચલા લેવલે શેરમાં પ્રત્યાઘાતી ઉછાળો નોંધાયો છે. એક સમયે રૂ. 918.95નો હાઈ બનાવ્યા બાદ 10.10 કલાકે LICનો શેર 5.25%ના ઘટાડે રૂ. 900ના લેવલે કામકાજ કરી રહ્યો છે. વધુ વાંચો: LICનું મંગળવારે લીસ્ટીંગ, રોકાણકારોનો ભરોસો નહી તૂટે ને?
- સુબોધ મુખરજીએ શમ્મી કપૂર પહેલા જગદીપને જંગલી ઑફર કરેલી, મુખ્ય પાત્ર ન ભજવવાનું મન બનાવી લીધું હોવાથી તેમણે ઇનકાર કરી દીધા છેલ્લાં ૮૦ વર્ષમાં બોલીવુડે આપણને એકથી એક મહાન કલાકારો આપ્યા છે. ઘણાં બધા સુપરસ્ટાર્સ આપ્યા છે. કેટલાક કલાકારો એવા આવ્યા જેમણે પુરવાર કરી દીધું કે સ્ટાર બનવા માટે હીરો બનવાની જરૂર નથી. પાંચ મિનિટ પડદા પર દેખાઇને પણ છવાઇ જઇ શકાય છે. અભિનયમાં દમ હોય તો નાનામાં નાનો રોલ કરીને પણ આખી જિંદગી યાદ રહી શકાય છે. જગદીપ એક એવા જ કલાકાર હતા. લાખોમાં અલગ પડી જતાં તેમના અભિનયના પ્રતાપે ચોથી પેઢી પણ તેમને બહુ સારી રીતે ઓળખે છે. યુસુફ ખાન જેવી રીે દિલીપકુમાર તરીકે ઓળખાયા, મુમતાઝ બેગમ દહેલવી મધુબાલા તરીકે ઓળખાઇ, એવી જ રીતે ઇશ્તીયાક અહેમદ જાફરી જગદીપ તરીકે જગખ્યાત બન્યા. ૮મી જૂલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન કે. એ. અબ્બાસની મુન્ના, ગુુરુદત્તની આરપાર, બિમલ રોયની દો બિઘા ઝમીન, રામ સે બ્રધર્સની પુરાના મંદિર અને ટીનુ આનંદની શહનશાહ સહિત ૪૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. શોલેમાં તેમણે ભજવેલું સુરમા ભોપાલીનું પાત્ર ઇતિહાસમાં અમર બની ગયું છે. વિવેચકો...
Comments
Post a Comment