હેટ સ્પીચ કેસ પર સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ, કહ્યું- ફરિયાદ વગર જાતે જ પગલાં લો


સુપ્રીમ કોર્ટ નફરત ફેલાવનારા ભાષણ અંગે શક્તિ દાખવી છે. તેના 2022 ના આદેશનો વ્યાપ ત્રણ રાજ્યોથી આગળ વધારવામાં આવ્યો છે, સુપ્રીમ કોર્ટે શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નફરતભર્યા ભાષણ આપનારાઓ સામે કોઈપણ ફરિયાદ વિના સુઓ મોટો દ્વારા નિર્દેશ લેવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ કેએમ જોસેફ અને બીવી નાગરત્નની બેન્ચે નફરતભર્યા ભાષણોને "દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરતો ગંભીર ગુનો" ગણાવ્યો હતો.

આપેલ આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવશે

બેન્ચે તેનો 21 ઓક્ટોબર, 2022ના આદેશનો અમલ ધર્મને ધ્યાનમાં લીધા વિના કરવામાં આવશે. બેન્ચે ચેતવણી પણ આપી હતી કે કેસ નોંધવામાં કોઈપણ વિલંબ કોર્ટની અવમાનના સમાન હશે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, ભાષણ કરનાર વ્યક્તિના ધર્મને ધ્યાનમાં લીધા વિના આવી કાર્યવાહી કરવામાં આવશે જેથી પ્રસ્તાવના દ્વારા પરિકલ્પિત ભારતના બિનસાંપ્રદાયિક પાત્રતા જળવાઈ શકે.

વિલંબ પર સુપ્રીમ કોર્ટ બેન્ચે આપી હતી ચેતવણી 

બેંચે કહ્યું હતું કે, ધર્મના નામે આપણે ક્યાં પહોંચી ગયા છીએ? આપણે ધર્મને જે બનાવ્યું છે તે ખરેખર પીડાદાઈ છે. 2022ના આદેશના સંદર્ભમાં,મુજબ સર્વોચ્ચ અદાલતે ત્યારબાદ અવલોકન કર્યું હતું અને ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડને નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે, ધર્મનિરપેક્ષ દેશ માટે આવા કિસ્સાઓ જરૂરી નથી. ભારતનું બંધારણ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની પરિકલ્પના કરે છે તે નોંધીને કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીને ફરિયાદો દાખલ થવાની રાહ જોયા વિના તરત જ ગુનેગારો સામે ફોજદારી કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

Comments