સુષ્માએ પાકિસ્તાનની સાથે UNને પણ માર્યા ચાબખા, સુરક્ષા પરિષદમાં બદલાવની કરી માંગ

નવી દિલ્હી, તા. 30. સપ્ટેમ્બર 2018 રવિવાર

યુનાઈટેડ નેશન્સની સંયુક્ત મહાસભામાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માત્ર પાકિસ્તાનને જ નહી પણ યુનાઈટેડ નેશન્સ પર પણ ચાબખા માર્યા હતા.

સુષ્માએ કહ્યુ હતુ કે હવે યુએનનો પ્રભાવ, ગરિમા અને મહત્વ ઓછુ થઈ રહ્યુ છે.યુએનની સુરક્ષા પરિષદમાં સુધારાની જરુર છે.એવા સુધારા જે ખાલી દેખાડવા માટે ના હોય પણ ખરેખર તેનાથી બદલાવ આવે.આજે યુએનની સુરક્ષા પરિષદ બીજા વિશ્વયુધ્ધના પાંચ વિજેતાઓ સુધી જ સિમિત છે..આજના યુગ માટે આ સ્થિતિ અનુકળ નથી.સુરક્ષા સમિતિ આજના પડકારોને સમજવામાં નિષ્ફળ ગઈ છે.

તેમણે કહ્યુ હતુ કે આજના પડકારોનો સામનો કરવા માટે  યુએનને એક પરિવારની જેમ ચલાવવાની જરુર છે.સુરક્ષા પરિષદમાં વહેલી તકે સુધારા કરવામાં આવે..જે રીતે પરિવારને પ્રેમ, સંવેદના અને સમાધાનની ચલાવાય છે તે રીતે યુએનના સંચાલનની જરુર છે.

તેમણે કહ્યુ હતુ કે યુએને સ્વીકારવાની જરુર છે કે સુધારા કરવા પડશે.તેની શરુઆત આજથી જ કરવી પડશે.જો કાલની રાહ જોવામાં આવશે તો બહુ મોડુ થઈ જશે.સંયુક્ત રાષ્ટ્ર માત્ર કેટલાક લોકોની સુવિધા માટે ના હોવુ જોઈએ.યુએન નિષ્ક્રિય છે ત્યારે તો પાકિસ્તાન આતંકવાદીઓની ટપાલ ટિકિટ બહાર પાડી શકે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો