ભારત માતા કી જય બોલનારા જ ભારતમાં રહી શકશે- ધર્મેન્દ્ર પ્રધાન

પૂણે, તા. 29 ડિસેમ્બર 2019 રવિવાર

પૂણેમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે જે ભારત માતા કી જય બોલશે તે જ ભારતમાં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાને CAAને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અને વિપક્ષ પર નિશાન સાધતા અલગ-અલગ તર્ક મૂક્યા. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ આપણે આ વિષય પર સામે આવનારા પડકારોનો સ્વીકાર કરવો જ પડશે. આ વિચારને સ્પષ્ટ કરવો પડશે. ભારતમાં ભારતમાતા કી જય બોલવી જ પડશે. ભારતમાં તે લોકો જ રહેશે. 

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, શુ ભગત સિંહનું બલિદાન બેકાર જઈશુ. શુ નેતાજી સુભાષ ચંદ્ર બોસનું બલિદાન બેકાર જશે. આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે એ વિચાર પર વિચાર કરવો જોઈએ કે અમને કોઈ નાગરિકતામાં ગણે કે ના ગણે? હવે આપણે એ સુનિશ્ચિત કરવાનુ છે કે દેશમાં માત્ર તે લોકો જ અહીં રહી શકે જે ભારત માતા કી જય બોલવા માટે તૈયાર છે. 

Comments

Popular posts from this blog

મુંબઈ ઈન્ડિયન્સ સામે ગુજરાત જાયન્ટ્સનો ધબડકો, 208ના ટાર્ગેટ સામે 64 રનમાં ઓલઆઉટ