ભારત માતા કી જય બોલનારા જ ભારતમાં રહી શકશે- ધર્મેન્દ્ર પ્રધાન

પૂણે, તા. 29 ડિસેમ્બર 2019 રવિવાર

પૂણેમાં એક સભામાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે જે ભારત માતા કી જય બોલશે તે જ ભારતમાં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાને CAAને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શનો અને વિપક્ષ પર નિશાન સાધતા અલગ-અલગ તર્ક મૂક્યા. 

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ આપણે આ વિષય પર સામે આવનારા પડકારોનો સ્વીકાર કરવો જ પડશે. આ વિચારને સ્પષ્ટ કરવો પડશે. ભારતમાં ભારતમાતા કી જય બોલવી જ પડશે. ભારતમાં તે લોકો જ રહેશે. 

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, શુ ભગત સિંહનું બલિદાન બેકાર જઈશુ. શુ નેતાજી સુભાષ ચંદ્ર બોસનું બલિદાન બેકાર જશે. આઝાદીના 70 વર્ષ બાદ પણ આપણે એ વિચાર પર વિચાર કરવો જોઈએ કે અમને કોઈ નાગરિકતામાં ગણે કે ના ગણે? હવે આપણે એ સુનિશ્ચિત કરવાનુ છે કે દેશમાં માત્ર તે લોકો જ અહીં રહી શકે જે ભારત માતા કી જય બોલવા માટે તૈયાર છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો