મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા રાજકોટ, તા. 31 ઓક્ટોબર 2022, સોમવાર મોરબી ખાતે રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 141 થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, આ આંક સત્તાવાર નથી. કેટલાક લોકો 136 મૃત્યુ પામ્યા હોવાનું જણાવી રહ્યા છે. દરમિયાન, આખી રાત મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી હતી. આ લખાય છે ત્યારે પણ નદીના તટમાં આ કામગીરી ચાલી રહી છે. રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની યાદી: 1.સુજલ હરેશભાઈ ચાવડા 2.હનીફભાઈ હુસેનભાઇ કુંભાર 3.ઇલાબેન મહેશભાઈ છત્રોલા 4.આયુબેન ધમભા ગોખરુ (ગઢવી) 5.કિરણબા પ્રતાપસિંહ જાડેજા- શનાળા 6.ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ- શનાળા 7.જેનવીબેન હરેશભાઈ અમૃતિયા- ખાનપર 8.ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર 9.નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ 10.નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા 11.હાર્દિક અશોકભાઈ...

Comments
Post a Comment