યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર મિગ-29 વિમાનનું 'રાત્રિ લેન્ડિંગ'


- ઈન્ડિયન નેવીનું ઐતિહાસિક પ્રથમ પરીક્ષણ

- યુદ્ધજહાજ વિક્રાંતના ક્રૂ મેમ્બર્સ અને મિગ-29 લડાકુ વિમાનના પાયલટે રાત્રિ મિશનની ક્ષમતા સાબિત કરી

નવી દિલ્હી : ભારતીય નૌકાદળે યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લડાકુ વિમાન મિગ-૨૯નું મધરાતે લેન્ડિંગ કરાવ્યું હતું. આ પ્રકારનો પહેલો પ્રયોગ હતો. નૌકાદળ અને વાયુદળના આ સંયુક્ત રાત્રિ પરીક્ષણમાં પાયલટ અને ક્રૂ મેમ્બર્સની ક્ષમતાનું પણ પરીક્ષણ થયું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટરમાં વીડિયો શેર કરીને માહિતી આપી હતી. એ પ્રમાણે વાયુદળનું મિગ-૨૯ લડાકુ વિમાન મધરાતે અંધારામાં સફળતાપૂર્વક યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંત પર લેન્ડ થયું હતું. આવું પરીક્ષણ પ્રથમ વખત થયું હતું. નૌકાદળે એ પરીક્ષણને ઐતિહાસિક ગણાવ્યું હતું. રાતે યુદ્ધજહાજ પર લડાકુ વિમાન સફળતાથી લેન્ડ થવાની ઘટના એટલા માટે પણ મહત્ત્વનું છે કે એમાં પાયલટની કુશળતા બહુ જ અગત્યની બની જાય છે.

રશિયન બનાવટનું મિગ-૨૯કે પ્રકારનું વિમાન કોઈ પણ વાતાવરણમાં ઉડાન ભરવા સક્ષમ છે. આ વિમાન તેના વજન કરતા આઠ ગણું વજન વહન કરી શકે છે  અને ૬૫ હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. આઈએનએસ વિક્રાંત યુદ્ધજહાજ આત્મનિર્ભર ભારત અંતર્ગત નિર્માણ પામ્યું છે. ભારતમાં બનેલું આ પ્રથમ યુદ્ધજહાજ છે. તેની નિર્માણ પાછળ ૨૩૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો. આ યુદ્ધજહાજમાં ૩૦ ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટર્સના લેન્ડિંગની ક્ષમતા છે.

અગાઉ યુદ્ધજહાજ વિક્રાંત પર લડાકુ વિમાન મિગ-૨૯કે તેમ જ સ્વદેશી તેજસ વિમાનનું એક સાથે લેન્ડિંગ કરવાનું પરીક્ષણ થયું હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો