ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો એક નાની ભૂલ પડશે ભારે, સુપ્રીમ કોર્ટે નિર્ણય બદલ્યો
Supreme Court On Credit Card : સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન(NCDRC)ના 16 વર્ષ જૂના નિર્ણયને ફગાવી દીધો છે, જેના પછી બૅંકો ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ લેણાં પર 30 ટકાથી વધુ વ્યાજ વસૂલ કરી શકશે. કમિશને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, 'વધુ પડતું વ્યાજદર વસૂલવું અયોગ્ય છે.' જજ બેલા એમ. ત્રિવેદી અને સતીશ ચંદ્ર શર્માની બેંચે જણાવ્યું હતું કે, NCDRCનું અવલોકન કે વાર્ષિક 30 ટકાથી વધુ વ્યાજદર ગેરકાયદેસર છે. જે ભારતીય રિઝર્વ બૅંકની સત્તાને અસર કરે છે.
Comments
Post a Comment