'પ્લેસેસ ઑફ વર્શિપ એક્ટ લાગુ થાય', મસ્જિદો પર દાવાઓને લઈને AIMPLBએ સુપ્રીમ કોર્ટને સ્વતઃ સંજ્ઞાન લેવાની કરી માગ


દેશભરના અલગ-અલગ ભાગોમાં મસ્જિદ અને દરગાહો પર દાવાઓને લઈને ચાલી રહેલી કાયદાકીય લડાઈઓ પર જમીયત ઉલેમા-એ-હિન્દ બાદ હવે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ સુપ્રીમ કોર્ટની દખલની માગ કરી છે. બોર્ડે નિવેદન જાહેર કરી ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને આગ્રહ કર્યો છે કે તેઓ આ પ્રકારના દાવાઓ પર નીચલી કોર્ટની સુનાવણી રોકવા સ્વતઃ સંજ્ઞાન લે.

બોર્ડે કહ્યું કે, 'સંસદ તરફથી પાસ થયેલા કાયદાને અસરકારક રીતે લાગુ કરવા કેન્દ્ર અને રાજ્યની જવાબદારી છે. એવું ન થવાના કારણે દેશભરમાં વિસ્ફોટક સ્થિતિ બની શકે છે, જેના માટે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર જવાબદાર હશે.'

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

જગખ્યાત જગદીપ .

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન