'મોટો નિર્ણય લેતા પહેલા તેઓ પોતાના ગામ જાય છે...', શિંદેને લઈને શિવસેના નેતાનું મોટું નિવેદન


Maharashtra Politics: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે, મહાયુતિને ભવ્ય જીત મળી છે, પરંતુ રાજ્યમાં મુખ્યમંત્રી કોણ હશે, હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું. એક તરફ જ્યારે ભાજપમાં અનેક બેઠકો થઈ ચૂકી છે તો બીજી તરફ એનસીપી અને શિવસેના (શિંદે જૂથ) પણ પોત-પોતાની નીતિ બનાવી રહ્યા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે એકનાથ શિંદેનું દરયાગાંવ જવું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શિંદે જૂથના વરિષ્ઠ નેતા સંજય શિરસાટનું કહેવું છે કે, 'જ્યારે પણ મુખ્યમંત્રીને કોઈ મોટો રાજકીય નિર્ણય લેવાનો હોય અથવા તો તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફસાય છે ત્યારે તેઓ પોતાના ગામ દરયાગાંવ જાય છે. કાલે સાંજ સુધી મોટો નિર્ણય લઈ શકે છે.'

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની