કેનેડાની ટ્રુડો સરકારનો યુ-ટર્ન ! ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો


Canada-India Conflict : કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ભારત જતા મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય પરત ખેંચી લીધો છે. કેનેડાના ટ્રાન્સપોર્ટ મંત્રીની ઓફિસે નિર્ણય પરત ખેંચાયો હોવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો ગયા સપ્તાહે જ લાગુ કરાયા હતા. કેનેડાના પરિવહન મંત્રી અનિતા આનંદે ગયા સોમવારે કહ્યું હતું કે, કેનેડાથી ભારત જતા મુસાફરો માટે અત્યંત સાવધાની રાખવામાં આવી રહી છે. એર કેનેડા દ્વારા ભારત જતા મુસાફરોને એક નોટિસ પણ મોકલવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, કડક સુરક્ષાના આદેશ હેઠળ ભારત જતા તમામ મુસાફરોની વધુ તપાસ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેમની આગામી ફ્લાઇટ્સમાં વિલંબ થવાની સંભાવના છે.

Comments

Popular posts from this blog

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .