'કોઈને કાળો ઝંડો બતાવવો ગેરકાયદે કામ નથી', હાઈકોર્ટે મુખ્યમંત્રીથી જોડાયેલા કેસમાં આપ્યો ચુકાદો


Kerala High Court Decision : કેરળ હાઈકોર્ટે મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના કાફલાની સામે કાળા ઝંડા લહેરાવવાના મામલે ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, કોઈ વ્યક્તિને કાળો ઝંડો બતાવવો કોઈ ગેરકાયદે કામ નથી અને આ માનહાનિના દાયરામાં નથી આવતું. તેની સાથે કોર્ટે ત્રણ લોકોથી જોડાયેલા એક આવા જ કેસને ફગાવી દીધો છે. બુધવારે અપાયેલા ચુકાદામાં જસ્ટિન બેચૂ કુરિયન થોમસે એ પણ કહ્યું કે અસરકારક લોકશાહી માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે.

વર્ષ 2017માં બનેલી આ ઘટનામાં એર્નાકુલમ જિલ્લાના પારાવુરના ત્રણ યુવકો પર મુખ્યમંત્રી વિજયનને બદનામ કરવાના ઈરાદે તેના કાફલા પર કાળા ઝંડા લહેરાવવાનો આરોપ લાગ્યો હતો.

Comments

Popular posts from this blog

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની