Posts

Showing posts from 2025

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

Image
Chandrakant Khaire blames Shiv Sena UBT leader:  મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના યૂબીટીમાં આંતરિક ડખાં શરૂ થઈ ગયા છે. શિવસેના  યૂબીટીના નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ સોમવારે પાર્ટીના નેતા અંબાદાસ દાનવે પર નિશાન સાધ્યું હતું. ચંદ્રકાંત ખૈરેએ કહ્યું કે, 'ગયા વર્ષે મહારાષ્ટ્રના ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠક પરથી હાર માટે દાનવે જવાબદાર છે.  આ પણ વાંચો : મલેશિયાના પૂર્વ વડાપ્રધાન અબ્દુલ્લા અહમદ બદાવીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 'લોકસભા ચૂંટણીમાં મારી હાર માટે દાનવે જવાબદાર'

VIDEO: વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

Image
Assam Violence : વક્ફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળનાં મુર્શિદાબાદ સહિતના જિલ્લામાં હિંસા ભડક્યા બાદ હવે આસામમાં હિંસા ભડકી છે. રાજ્યના સિલચરમાં આજે (13 એપ્રિલ) દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. પોલીસે દેખાવકારોને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો છે.

'વક્ફ કાયદો અહીં લાગુ જ નથી થવાનો તો હોબાળો શા માટે?', મમતા બેનર્જીનું બંગાળમાં થઈ રહેલી હિંસા પર નિવેદન

Image
Mamata Banerjee On Waqf Amendment Act : વક્ફ સુધારા કાયદાને લઈને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં હિંસા અને તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે શનિવારે (12 એપ્રિલ, 2025) કહ્યું હતું કે, 'આ કાયદો રાજ્યમાં લાગુ થવાનો નથી તો પછી હિંસા કેમ થઈ રહી છે? તેમણે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.' 'અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી' મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું, 'જે કાયદા વિશે વાત કરવામાં આવી રહી છે તે કેન્દ્ર સરકારે બનાવ્યો છે, રાજ્ય સરકારને તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે વક્ફના કાયદાને સમર્થન આપ્યું નથી અને આ કાયદો બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં.' તેમણે એમ પણ કહ્યું હતું કે, 'આ મુદ્દાને લઈને જેના દ્વારા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વમાં ગમે ત્યારે મોટી મહામારી આવવાનો દાવો, WHOના પ્રમુખની ચેતવણીથી વધી ચિંતા

Image
WHO New Pandemic Warning : વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે દુનિયામાં વધુ એક મોટી મહામારી આવવાનો દાવો કરી વિશ્વભરની ચિંતા વધારી દીધી છે. તેમણે દાવા સાથે ચેતવણી આપી છે કે, વિશ્વમાં વધુ એક મોટી મહામારી આવવાનું નિશ્ચિત છે. હેલ્થ સ્ટડીમાં કરાયેલા અભ્યાસમાં સાબિત થયું છે કે, ગમે ત્યારે મોટી મહામારી આવવાનો ખતરો છે. તેમણે ડબલ્યુએચઓની બેઠકમાં બોલતા કહ્યું કે, ‘આગામી સમયમાં કોઈપણ સમયે ગમે ત્યાં વૈશ્વિક સંકટ આવી શકે છે. આ સંકટ આવવામાં 20 વર્ષ પણ લાગી શકે છે અને કદાચ આવતીકાલે પણ આવી શકે છે.’

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી

Image
Unseasonal rain India : ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ  વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર, કહ્યું - અકસ્માતના કેસમાં 'કેશલેસ' સુવિધાના અમલમાં વિલંબ કેમ?

Image
Supreme Court News : અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર આપવાના આદેશનો અમલ કરવામાં મોડુ થવા મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે રોડ પરિવહન મંત્રાલયના સચિવને વીડિયો કોન્ફરન્સ દ્વારા સ્પષ્ટીકરણ કરવા માટે નોટિસ પાઠવી છે. સુપ્રીમે કહ્યું હતું કે અમારો આદેશ છતા કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ સારવારને લઇને યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહી છે.  સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઇયાંની બેંચ દ્વારા મામલાની સુનાવણી કરવામાં આવી હતી.

ચીન બાદ યુરોપિય સંઘે ટ્રમ્પ વિરૂદ્ધ ખોલ્યો મોરચો, અમેરિકન ઉત્પાદનો પર લગાવ્યો 23 અરબ ડૉલરનો નવો ટેક્સ

Image
US-EU News: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા ટેરિફ યુદ્ધની અસર આખી દુનિયામાં નજરે આવવા લાગ્યા છે. અમેરિકન દ્વારા ચીન પર 104 ટકા ટેરિફ લગાવ્યા બાદ ચીને જવાબમાં અમેરિકન ઉત્પાદનો પર હવે 84 ટકા ટેરિફ લગાવવાનું એલાન કરી દીધું. ચીન બાદ હવે યુરોપીય સંઘે પણ ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. યુરોપીય યુનિયનની કાર્યકારી એકમ યુરોપીય આયોગે બુધવારે લીધેલા આ નિર્ણયમાં સામેલ વસ્તુઓની યાદી હાલ ઉપલબ્ધ નથી કરાવી. યુરોપીય યુનિયનના ટેરિફનો કેટલોક ભાગ 15 એપ્રિલ અને કેટલોક 15 મે જ્યારે બાકીનો 1 ડિસેમ્બરથી લાગુ થશે.

'ટેરિફ' બાદ ટ્રમ્પને 'વિઝા' ટેરર : ટ્રાફિક નિયમ તોડતાં વિદ્યાર્થીઓના પણ વિઝા રદ કર્યા

Image
Donald trump News :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળતા જ ગેરકાયદે પ્રવાસીઓને દેશની બહાર કાઢવા માટે આકરાં પગલાં લીધા હતા. ત્યાર પછી ટ્રમ્પના ટેરિફે દુનિયાભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. આવા સમયે ટ્રમ્પ સરકાર હવે ટ્રાફિક ભંગ જેવા નજીવા કારણોસર પણ  અચાનક જ વિદ્યાર્થીઓના એફ-1 વિઝા રદ કરીને દેશ છોડવા આદેશ આપી દીધો છે. ટ્રમ્પના આ વીઝા ટેરરથી ભારત સહિતના વિદેશી વિદ્યાર્થીઓ ફફડી ઊઠયા છે.  બીજીબાજુ ટ્રમ્પ સરકારે દેશનિકાલના આદેશ છતાં અમેરિકા નહીં છોડનારા લોકો પર દૈનિક 1000 ડોલર જેટલો આકરો દંડ નાંખવાની તૈયારી શરૂ કરી છે.

VIDEO : ડોમિનિકન રિપબ્લિકમાં નાઈટક્લબની છત તૂટતાં મોટો અકસ્માત, 27 લોકોના મોત, 150થી વધુને ઈજા

Image
Roof Collapse At Nightclub In Dominican Republic : ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં આજે (8 એપ્રિલ) એક ભયાનક દુર્ઘટના બની છે. શહેરના પ્રખ્યાત જેટ સેટ નાઈટક્લબની છત અચાનક તૂટી પડી છે, જેમાં 27 લોકો મોત થયા હોવાના તેમજ 150થી વધુને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. નાઈટક્લબમાં લાઈવ મ્યુઝિક કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી, અહીં ખૂબ ભીડ હતી. અનેક લોકો કાટમાળ નીચે ફસાયા, ગાયિકાને પણ ઈજા ઈમરજન્સી સર્વિસીસના ડિરેક્ટર જુઆન મેન્યુઅલ મેન્ડેઝે જણાવ્યું કે, કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતા 11 મુસાફરોના મોત

Image
Pakistan Road Accident : પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં આજે (7 એપ્રિલ) ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે, થ્રી-વ્હિલર વાહન અથડાયા બાદ પેસેન્જર બસના ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી. ઘટનાસ્થળે 8ના મોત પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પેસેન્જર બસ ઝરાંવાલાથી લાહોર જઈ રહી હતી.

રામ નવમી પર ઝગમગી ઉઠી રામનગરી: અયોધ્યામાં 2 લાખ દીવડાઓ પ્રગટાવાયા, જુઓ VIDEO

Image
Ram Navami, Ayodhya: રામ નવમી નિમિત્તે દેશ વિદેશમાં રામજન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે (6 એપ્રિલ) વહેલી સવારથી જ રામ મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમ જોવા મળ્યા હતા. બપોરે 12 વાગ્યે રામલલાના મસ્તક પર સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. આ અવરસના સાક્ષી બનવા માટે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ રામનગરી પહોંચ્યા હતાં. અહીં આવનારા ભક્તો પર ડ્રોન દ્વારા સરયૂના પવિત્ર જળનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ સાથે અયોધ્યા નગરમાં 2 લાખ દિવડા પ્રગટાવવામાં આવ્યા છે, જે બાદ સમગ્ર નગરી ઝગમગી ઉઠી હતી.

'થોડું મુશ્કેલ હશે પરંતુ તેનું અંતિમ પરિણામ ઐતિહાસિક હશે', ચીન સાથે ટ્રેડ વૉર વચ્ચે ટ્રમ્પનો દાવો

Image
Image Twitter  US China Tariff War: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ અંગે પોતાના જ લોકોને ચેતવણી આપી છે. ભવિષ્યમાં અમેરિકાના લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'અમે પહેલા ખૂબ મજબૂર હતા, પરંતુ હવે એવુ નહીં થાય.

ગુજરાતમાં 5 દિવસ કાળઝાળ ગરમી રહેશે યથાવત્, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવનું ઑરેન્જ-યલો ઍલર્ટ

Image
Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં આગામી 5 દિવસ કાળઝાળ ગરમી યથાવત્ રહેશે. હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આવતીકાલે (5 એપ્રિલ, 2025) કચ્છમાં ઑરેન્જ અને રાજકોટ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. આ સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.

VIDEO : વક્ફ બિલ મંજૂર થયા બાદ UPમાં હાઈએલર્ટ, નોઈડમાં 241 મસ્જિદોને નોટિસ, સંવેદનશીલ વિસ્તારમાં ફોર્સ તહેનાત

Image
Uttar Pradesh : લોકસભામાં વક્ફ સંશોધન બિલ (Waqf Amendment Bill 2025)ને મંજૂરી મળ્યા બાદ ઉત્તર પ્રદેશમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે નોઈડા પોલીસે જિલ્લાની 241 મસ્જિદોના ઈમામોને નોટિસ મોકલી છે. સૂત્રોના જણાવ્યા મુજબ નોઈડામાં કોઈ અનિચ્છની ઘટના ન બને તે હેતુસર પોલીસે આ કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે ગુરુવારે જિલ્લાની તમામ મસ્જિદોના ઈમામ અને કમિટિના લોકો સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત પોલીસે 28 સંવોદનશીલ વિસ્તારોમાં પણ વિશેષ નજર રાખી રહી છે.

જામનગરમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આપઘાત: સુમરા ગામે ચાર સંતાનો સાથે માતાએ કૂવામાં લગાવી મોતની છલાંગ

Image
Jamanagar News : ગુજરાતના જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આજે ગુરુવારે (3 એપ્રિલ, 2025) બપોરે એક ભારે કરુણાજનક ઘટના સર્જાઈ હતી. ધ્રોલના સુમરા ગામે પરણિતાએ તેના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા ગામમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં માતા-બાળકો પાંચેયના મોત નીપજ્યા છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી.  પરણિતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા પાંચેયના મોત

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ

Image
Weather Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઇ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. જ્યારે આવતીકાલે (4 એપ્રિલ, 2025) અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી થવાની શક્યતા છે.  આગામી બે દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

અમેરિકાએ ભારત પર લગાવ્યો 26 ટકા ટેરિફ, ટ્રમ્પે કહ્યું- 'અમે અડધો જ વસૂલી રહ્યા છીએ'

Image
Trump Reciprocal Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે ટેરિફની જાહેરાત કરીને દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, જે દેશ અમેરિકા પર જેટલો ટેરિફ વસૂલશે એટલો જ ટેરિફ અમેરિકા તેની પાસેથી વસૂલશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું ન કર્યું. તેણે અડધો ટેરિફ લગાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના રોઝ ગાર્ડનમાં તેમના કેબિનેટ સભ્યો સાથે યુએસ સમય અનુસાર સાંજે 4:30 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 2:00 વાગ્યે) ટેરિફની જાહેરાત કરી દીધી છે. 

VIDEO: જામનગરમાં સુવરડા ગામે ભારતીય વાયુસેનાનું ફાઈટર પ્લેન ક્રેશ, એક પાયલટ શહીદ, એક ઘાયલ

Image
Fighter   Plane Crashed In Jamnagar : ગુજરાતમાં મહેસાણા બાદ વધુ એક પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આજે બુધવારે (2 એપ્રિલ, 2025) જામનગરમાં જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરના સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં ભારે દોડધામ મચી જવા પામી છે. પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં IAFના અધિકારી, કલેક્ટર, SP,  ફાયર વિભાગ ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી પહોંચ્યો છે. પ્લેન ક્રેશ થવાથી એક પાયલટ શહીદ થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક પાયલટ ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

'આ વખતે કોઈને રાહત નહીં....' ટેરિફ વૉર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ચોખ્ખી વાત, ભારતનું શું થશે?

Image
Donald Trump And Tariff News : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે ભારત સહિત દુનિયાના બધા જ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાંખીને 'ટેરિફ યુગ'ની શરૂઆત કરશે. જોકે, આ પહેલાં ટ્રમ્પે દાવો કર્યો કે ભારત અમેરિકન વસ્તુઓ પરના ટેરિફમાં મોટો કાપ મૂકવા જઈ રહ્યો છે. કોઈએ આવું ઘણા સમય પહેલાં કેમ કર્યું નહીં અને ભારત પણ કેમ છેક હવે ટેરિફ ઘટાડવા તૈયાર થઈ ગયું છે તેવો સવાલ ટ્રમ્પે કર્યો હતો. બીજીબાજુ વાણિજ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારત રેસિપ્રોકલ ટેરિફની અર્થતંત્ર પર પડનારી અસરોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. ટ્રમ્પે એકદમ ચોખ્ખી વાત કરતાં કહ્યું કે બે એપ્રિલથી ટેરિફ લાગુ થઈ જશે. આ વખતે કોઈને દેશને રાહત મળવાની નથી.

આજે સંસદમાં વક્ફ બિલ રજૂ થશે, NDA ને સાથીઓના ટેકાની આશા, I.N.D.I.A કરશે વિરોધ

Image
Waqf Bill News |  બુધવારે લોકસભામાં વકફ બોર્ડ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. જે પૂર્વે મંગળવારે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન મળી ગયું હોવાથી આ બિલને બુધવારે જ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવી શકે છે જ્યારે ગુરુવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ તો પોતાની શરતોનો સ્વીકાર કરી લેવામાં આવતા ખુલ્લેઆમ આ બિલને ટેકો જાહેર કર્યો છે પરંતુ જદ(યુ) દ્વારા કેટલાક સુધારાની માગણી કરવામાં આવી છે. જોકે ટેકો નહીં આપે તેવી પણ ખુલીને કોઇ સ્પષ્ટતા નથી કરી. ઇન્ડિયા ગઠબંધને બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.

'ગમે એ કરો, કોઇપણ સંજોગોમાં વક્ફ બિલ રોકો...', મુસ્લિમ સંગઠને ભાજપના સાથી પક્ષોના સાંસદોને કરી અપીલ

Image
લાંબા સમયથી ચર્ચામાં રહેલો વક્ફ સુધારો બિલ બુધવારે લોકસભામાં રજૂ થવા જઈ રહ્યો છે. જેડીયુ અને ટીડીપી જેવા સાથી પક્ષોએ બિલને ટેકો આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB)એ શાસક ભાજપના સાથી પક્ષો, ખાસ કરીને જેઓ પોતાને ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો કહે છે, અને તેમના સાંસદોને વક્ફ (સુધારા) બિલનો વિરોધ કરવા અને તેને લોકસભામાં પસાર ન થવા દેવાની અપીલ કરી છે. AIMPLBએ ધર્મનિરપેક્ષ પક્ષોના સાંસદોને કોઈપણ સંજોગોમાં આ બિલના પક્ષમાં મતદાન ન કરવા વિનંતી કરી છે. આ સંદર્ભમાં બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને સાંસદોને આવી વિનંતી કરવામાં આવી છે.

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર

Image
What will change from 1st April 2025? : પહેલી એપ્રિલ,2025થી તમારા ખિસ્સા પર સીધી અસર કરે તેવા અનેક ફેરબદલ લાગુ થઈ રહ્યા છે. નવા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો પણ આજથી જ લાગુ થશે. ટેક્સમાં રાહત, સામાન સસ્તું-મોંઘું સહિત અનેક ફેરફાર થયા છે.  ટેક્સ સ્લેબમાં બદલાવ 

VIDEO : 23 વર્ષના ખેલાડીએ મુંબઈને અપાવી ભવ્ય જીત, કોલકાતાની શરમજનક હાર, રિકેલ્ટન પણ છવાયો

Image
IPL 2025 Mumbai Indians vs Kolkata Knight Riders : ઈન્ડિયન પ્રિમીયર લીગની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયનનો ભવ્ય વિજય થયો છે. આજે વાનખેડે સ્ટેડિયમમમાં રમાયેલી મેચમાં મુંબઈના 23 વર્ષના ખેલાડી અશ્વિની કુમારની કમાલ બોલિંગના કારણે કોલકાતાની ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં મુંબઈની ટીમે 12.5 ઓવરમાં બે વિકેટે 121 રન ફટકારી ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં બોલિંગમાં અશ્વિનીએ ચાર વિકેટ ઝડપી છે, તો બેટિંગમાં રિકેલ્ટને ફોર-સિક્સ ફટકારી ધમાલ મચાવી દીધી હતી.

શાળાએ જતાં બાળકોને વાહન આપતા વાલીઓ ખાસ ચેતજો, પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ

Image
Ahmedabad Traffic Police: શહેરમાં કેટલાંક વાલીઓ બેદરકારી દાખવીને બાળકોને વાહન ચલાવવામાં આપતા હોવાથી અનેક ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિવિધ સ્કૂલમાં મોટાપ્રમાણમાં વિદ્યાર્થીઓ લાયસન્સ ન હોવા છતાંય, ટુ વ્હીલર લઈને આવતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને બાળકોને વાહન આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.  સગીર વાહનચાલકો અનેક અકસ્માત સર્જ્યા શહેરના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક 15 વર્ષની સગીરાએ સોસાયટીના ગેટ પાસે કારને પુરઝડપે હંકારીને સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિને ટક્કર મારતા તેનું મોત નિપજ્યાંની ઘટના બની હતી.

'જો ઈરાન પરમાણુ કરાર નહીં કરે તો બોમ્બમારો કરીશું', ન્યુક્લિયર ડીલને લઈને ટ્રમ્પની ધમકી

Image
Donald Trump Threatens Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અંગે મોટું નિવેદન આપી દીધું છે. તેમણે સ્પષ્ટપણે ધમકી આપી છે કે જો ઈરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય, તો બોમ્બમારો કરવામાં આવશે. આ ઉપરાંત, તેને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે. ન્યૂઝ એજન્સીના અનુસાર, NBC ન્યૂઝ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે, પરંતુ જો ઈરાન સંમત નહીં થાય તો બોમ્બમારો થશે. જો ઈરાન સંમત નહીં થાય, તો હું ફરીથી તેમના પર સેકેન્ડરી ટેરિફ લાદીશ, જેમ મેં ચાર વર્ષ પહેલા કર્યું હતું.

મ્યાનમારમાં મોતનું તાંડવ, મૃતકાંક 1700 પહોંચ્યો, ઈજાગ્રસ્તો 3500, બ્લડ બેન્કોમાં લોહીની અછત

Image
Myanmar Earthquack News : મ્યાનમારમાં શુક્રવારે આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સેંકડો ઈમારતોના કાટમાળમાંથી વધુ ને વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેને પગલે દક્ષિણ-પૂર્વ એશિયન દેશમાં ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1700ને પાર થઈ ગયો છે જ્યારે 3500થી વધુ ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. મ્યાનમારના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં મોટાપાયા પર બચાવ અભિયાન પણ શરૂ કરાયું છે. ગઈકાલના ભૂકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે ત્યારે શનિવારે પણ લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 નોંધાઈ હતી.

IPL 2025: ગુજરાત ટાઈટન્સે 36 રને મુંબઈને હરાવ્યું, સાઈ સુદર્શનની વિસ્ફોટક બેટિંગ

Image
IPL 2025: આઇપીએલ 2025માં આજે (29 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગિલની કપ્તાની વાળી ગુજરાતની ટીમે હાર્દિક પંડ્યાની કપ્તાની વાળી મુંબઈ ઇન્ડિયન્સને 36 રનથી હરાવી છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. જેમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર માત્ર 163 રન જ બનાવી શકી.

રાહુલ ગાંધી એપ્રિલમાં જશે અમેરિકા, અપ્રવાસી ભારતીયોને કરશે સંબોધિત

Image
Rahul Gandhi visit US: કોંગ્રેસ સાંસદ અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં અમેરિકાની મુલાકાતે જશે. આ દરમિયાન રાહુલ ગાંધી બોસ્ટન ખાતે બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. અમેરિકાની યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારતના લોકો સાથે મુલાકાત કરશે અને ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત પણ કરશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધીના 20 એપ્રિલે અપ્રવાસી ભારતીયોને સંબોધિત કરશે અને 21 એપ્રિલે બ્રાઉન યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભાગ લેશે.

ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા

Image
SBI BANK NEWS :  કેન્દ્રએ જણાવ્યું છે કે સ્ટેટ બેન્ક ઓફ  ઇન્ડિયા (એસબીઆઇ)એ એટીએમ કેશ વિથડ્રોઅલથી મોટાપાયા પર કમાણી કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં એસબીઆઇને એટીએમ વિથડ્રોઅલ ચાર્જ પેટે જ રૂ. 2043 કરોડની આવક થઈ હોવાનું મનાય છે. તેની તુલનાએ અન્ય નવ જાહેર ક્ષેત્રની બેન્કોની એટીએમના મોરચે સંયુક્ત ખોટ રૂ. 3738.78 કરોડ છે.

પાકિસ્તાન સામે મેદાને પડી છે બલુચ મહિલાઓ, આઝાદી માટે આત્મઘાતી બોમ્બર બનવા પણ તૈયાર

Image
Pakistan-Balochistan Dispute : બલુચિસ્તાનમાં આઝાદીની આગ હવે એટલી વિકરાળ બની ચૂકી છે. પાકિસ્તાન ગમે તેમ કરીને પણ તેને ડામી શકે એમ નથી. હાલમાં જ બલુચ બળવાખોરોએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ  પહેલા બલુચિસ્તાનના કલાત જિલ્લામાં પાકિસ્તાની સૈન્ય કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં ખાનાખરાબી મચાવી હતી એક આત્મઘાતી મહિલા બોમ્બરે! આ કોઈ એકલદોકલ કિસ્સો નથી, બલુચ વંશીય લઘુમતી મહિલાઓ વધુને વધુ માત્રામાં આત્મઘાતી બની રહી છે અને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી રહી છે.

અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ

Image
Ranya rao News :  કન્નડ અભિનેત્રી અને આઈપીએસ અધિકારીની દિકરી રાન્યા રાવની બેંગલુરૂ એરપોર્ટ પર દાણચોરીના 15 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એજન્સીઓ સમક્ષ રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર પણ દાણચોરીનું સોનું ઉતાર્યું હોવાની કબૂલાત કરી હોવાનું કસ્ટમનાં સૂત્રોએ જણાવ્યું છે. રાન્યા રાવ પોતે અમદાવાદ એરપોર્ટ પર નહોતી ઉતરી પણ તેની સાથે સંકળાયેલા મહિલાઓ દાણચોરીના સોના સાથે ઉતરી હોવાનું તેણે કબૂલ્યું છે.  રાન્યાની કબૂલાતના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરી કરતી મહિલા પેડલર્સની યાદી તૈયાર કરી છે. સૂત્રોનું કહેવું છે કે, અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીમાં લગભગ 150 મહિલા સામેલ છે.

કેન્સર અને ડાયાબિટીસની દવા થશે મોંઘી? કેન્દ્ર સરકાર ભાવ વધારવાની તૈયારીમાં

Image
Cancer - Diabetes Drugs :  મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. સરકાર કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે.  આ પણ વાંચો: CM યોગીના ચાર્ટર્ડ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ, ઉડાન બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઈન, દુનિયાભરના યુઝર્સ હેરાન

Image
Facebook - Instagram Server Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઈન થઈ ગયું છે, જેના કારણે દુનિયાભરના યુઝર્સ હેરાન છે, તેમની ફીડ લીડ નથી થઈ રહી. આ અઠવાડિયામાં આ બીજી વખત બન્યું છે જ્યારે બંને એપ્સ આ રીતે બંધ પડી હોય, જ્યારે તેમના કેટલાક ફીચર કામ ન કરતા હોય. લોકોને સૌથી વધુ મુશ્કેલી ઈન્સ્ટાગ્રામમાં આવી રહી છે, તેઓ પોતાની રીલની કોઈ પણ પોસ્ટ શેર નથી કરી શકી રહ્યા. ફેસબુક પર જ એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડાઉન ડિટેક્ટર નામની વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ સેક્શન લોડ નથી શકતી, ભારતીય સમય અનુસાર, સાંજ 6 વાગ્યાથી જ આ તકલીફ આવી રહી છે, લોકો સતત પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ટ્રમ્પની ટેરિફનીતિના કારણે ભારતને વધુ એક ઝટકો: પેટ્રોલ-ડીઝલની કિંમત પર પડી શકે અસર

Image
Trump announces 25% tariff on any country buying Venezuelan oil : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 24 માર્ચે જાહેરાત કરી છે કે વેનેઝુએલાથી તેલ કે ગેસ ખરીદતા તમામ દેશો પર અમેરિકા 25 ટકા વધારાનો ટેરિફ લગાવશે. વેનેઝુએલા અને અમેરિકા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. એવામાં વેનેઝુએલા પર દબાણ વધારવા માટે ટ્રમ્પે આ જાહેરાત કરી છે. જોકે આ નિર્ણયના કારણે ભારતને પણ ઝટકો લાગ્યો છે.  શું કહ્યું ટ્રમ્પે? 

અમેરિકન રાજદૂતે પુતિનને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું- 'તેઓ યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે'

Image
Russia-Ukraine War updates: સાઉદી અરેબિયાના રિયાધમાં અમેરિકા અને રશિયા વચ્ચે સોમવારે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રમ્પ વહીવટીતંત્રના ખાસ દૂત સ્ટીવ વિક્ટકૉફ અને ક્રેમલિનના પ્રતિનિધિઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને ચર્ચા થઈ હતી. જો કે, કેટલાક મુદ્દાઓ પર અસહમતિ દર્શાવાઈ છે, જેમાં ઉર્જા સુવિધાઓ, નાગરિકો પર હુમલા રોકવા અને બ્લેક સીમાં શિપિંગ સુરક્ષા સામેલ છે. આ વચ્ચે અમેરિકન રાજદૂત સ્ટીવ વિટકૉફે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'પુતિન યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માગે છે.

મોહમ્મદ યુનુસે PM મોદીને મળવા એપોઈન્ટમેન્ટ માગી, ભારતે ન આપ્યો ભાવ, જાણો શું બોલ્યા જયશંકર

Image
India-Bangladesh Relations : વિદેશમંત્રી એસ.જયશંકરે (S. Jaishankar) કહ્યું કે, બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે (Mohammad Yunus) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. બાંગ્લાદેશે બંને નેતાઓની મુલાકાત કરાવવા માટે ભારતને વિનંતી કરી છે. યુનુસે મોદી સાથે બેઠક કરવા વિનંતી કરી

VIDEO: પાકિસ્તાન ફરી મહામુશ્કેલીમાં, ગોળીબાર-હિંસાના વિરોધમાં લાખો બલૂચો રસ્તા પર ઉતર્યા

Image
Pakistan Crisis : બલુચિસ્તાનના નાગરિકોએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ (PM Shahbaz Sharif)ની ઊંઘ હરામ કરી નાખી છે. વાસ્તવમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ દેખાવો (Baloch Protest) કરી રહેલા બલૂચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી, જેના કારણે બલૂચના લોકો ભારે ગુસ્સામાં આવી ગયા છે અને તેઓ પાકિસ્તાન સરકાર તેમજ સુરક્ષા દળો વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બલૂચના પુરુષો જ નહીં મહિલાઓ પર આક્રમક બની રેલીઓમાં જોડાઈ રહી છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાને અનેક બલૂચ નેતાઓની ધરપકડ કરી છે, જેના કારણે દેખાવકારો તેમને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે. રેલીઓ, સૂત્રોચ્ચાર, મહિલાઓનો પણ વિરોધ

ફરી મિત્ર બનશે ભારત અને કેનેડા? બંને દેશોના સંબંધો અંગે વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટ વાત

Image
India-Canada Relations: કેનેડાના વડાપ્રધાન પદેથી જસ્ટિન ટ્રુડોની વિદાઈ થઈ ચૂકી છે. માર્ક કાર્નેએ નવા વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આગામી ચૂંટણીઓની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ કેનેડા સાથેના સંબંધો સુધારવા અંગે ભારતના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જો ભારતના હિતોની વિરુદ્ધ કામ કરતા તત્ત્વો સામે નક્કર કાર્યવાહી કરવામાં આવશે તો જ કેનેડા સાથેના સંબંધોમાં મોટા સુધારાની આશા રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, અમેરિકાના શિક્ષણ વિભાગને 'તાળું' માર્યું

Image
Donald Trump News |   અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો કરીને ચોંકાવી ચૂક્યા છે ત્યારે આ શ્રેણીમાં તેમણે હવે અમેરિકાના શિક્ષણ વિભાગને બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. આ મામલે તેમણે એક આદેશ પર હસ્તાક્ષર પણ કરીને સૌને ચોંકાવ્યા છે. 

42 ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના ખેલ, સરકારને 120 કરોડનો લગાવ્યો ચૂનો, NHAIએ કરી કાર્યવાહી

Image
NHAI On Toll Scam : ટૉલ કૌભાંડ મામલે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ મોટી કાર્યવાહી કરી છે. જેમાં 42 જેટલાં ટૉલ પ્લાઝા પર ગેરકાયદે નાણાં પડાવવાના મામલે 14 એજન્સીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા રચાયેલી તપાસ સમિતિના અહેવાલના આધારે NHAIએ જવાબદાર એજન્સીઓ પર બે વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે અને કરારની શરતોના ઉલ્લંઘન બદલ તેમની લગભગ 100 કરોડ રૂપિયાની સુરક્ષા ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જ્યારે સરકારને 120 કરોડનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે. એજન્સીકર્મીઓ ખોટા રીતે નાણાની વસૂલાત કરતાં

પાકિસ્તાન-ચીન સહિત 12 દેશની જેલોમાં 10,152 ભારતીય કેદ, 49 ફાંસીની રાહમાં, જુઓ ડેટા

Image
49 Indians On Death Row In Eight Countries : પાકિસ્તાન-ચીન સહિત વિદેશની જેલોમાં કેટલા ભારતીયો કેદ છે અને કેટલા ભારતીયો ફાંસીની સજા ફટકારવામાં આવી છે? તે અંગે કેન્દ્ર સરકારે આજે રાજ્યસભામાં જવાબ સાથે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિદેશમાં 10,152 ભારતીય નાગરિકોને વિવિધ ગુના હેઠળ દોષિત જાહેર કરાયા છે અથવા તો ટ્રાયલ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 49 ભારતીય નાગિરકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. UAEમાં સૌથી વધુ 25 ભારતીય નાગરિકો ફાંસીની રાહમાં ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ (IUML)ના રાજ્યસભા સાંસદ અબ્દુલ વહાબે વિદેશની જેલોમાં બંઘ ભારતીય નાગરિકો અંગે પ્રશ્ન પૂછતા કેન્દ્ર સરકાર તરફથી વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ રાઠોડે રાજ્યસભામાં લેખીતમાં જવાબ આપી કહ્યું કે, ‘વિદેશની જેલોમાં બંધ 10152 ભારતીયોમાંથી 49 નાગરિકોને ફાંસીની સજા અપાઈ છે.

'6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ...' નીતિન ગડકરીની મોટી જાહેરાત

Image
Nitin Gadkari on EV :   કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 6 મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) ના ભાવ પેટ્રોલ વાહનો જેટલા જ થઈ જશે. નીતિન ગડકરીએ 32મા કન્વર્જન્સ ઇન્ડિયા અને 10મા સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એક્સ્પોને સંબોધન કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ-વેનું બાંધકામ પૂર્ણ થવાના આરે  ગડકરીએ કહ્યું કે 212 કિલોમીટર લાંબા દિલ્હી-દહેરાદૂન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસવેનું બાંધકામ આગામી ત્રણ મહિનામાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત ગડકરીએ જણાવ્યું હતું કે સરકારની નીતિ આયાત અવેજી, ખર્ચ અસરકારકતા, પ્રદૂષણ મુક્ત અને સ્વદેશી ઉત્પાદનની છે.

ઈલોન મસ્ક મુશ્કેલીમાં મૂકાયા,ડાબેરીઓ દ્વારા ટેસ્લાના વાહન-ડીલરશિપ પર હિંસક હુમલા

Image
Elon Musk News :  ઈલોન મસ્કની કંપની ટેસ્લા અને તેના વાહનો તથા કારની ડિલરશિપ ધરાવતાં લોકોને ડાબેરીઓ દ્વારા અમેરિકામાં સતત હિંસાના લક્ષ્ય બનાવવામાં આવતાં  ઇલોન મસ્કે આ હુમલાઓની પોડકાસ્ટ દ્વારા જાહેર ટીકા કરી છે તો ટ્રમ્પ વહીવટીતંત્રએ આ તોફાની તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે તેવી ધમકી આપવી પડી છે. સિયેટલમાં અને લાસ વેગાસમાં એક સાયબર ટ્રક તથા કારને આગ ચાંપવામાં આવી હતી તો દેશભરમાં આવેલાં ટેસ્લાના શો રૂમ્સ અને ડિલરશિપ્સ પર મોલોટોવ કોકટેઇલ- એકપ્રકારના હાથબોમ્બ- ફેંકી હિંસક હુમલા કરવાની  તથા ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટનાઓ બની છે. સલામતિના કારણોસર કેનેડામાં ઇન્ટરનેશનલ ઓટો શોમાંથી પણ ટેસ્લાને દૂર કરાઇ છે.   પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે હોદ્દો સંભાળી ઈલોન મસ્કને સરકારી ખર્ચ ઘટાડવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી-ડોજે-નો વડો બનાવ્યો તે પછી મસ્કે ભરેલાં પગલાંથીનારાજ લોકો દ્વારા ટેસ્લા પર થતાં હુમલાઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રમુખ ટ્રમ્પની પહેલી મુદત દરમ્યાન તેમની ન્યુયોર્ક અને વોશિંગ્ટનમાં આવેલી સંપત્તિઓ તેમની સામે વિરોધ કરવાના સ્થળો બની ગયા ...

યુક્રેનને રાહત ! ટ્રમ્પે પુતિન બાદ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત

Image
Volodymyr Zelensky Calls Donald Trump : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાતચીત થયા બાદ હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિને ફોન કર્યો છે. બંને નેતાઓ વચ્ચે યુક્રેનમાં યુદ્ધવિરામ મુદ્દે ચર્ચા થઈ છે. ટ્રમ્પ-પુતિન વચ્ચે થયેલી વાતચીતની વિગતો પણ ઝેલેન્સ્કીને શેર કરવામાં આવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે, તેમણે ઝેલેન્સ્કી સાથે ફોન પર વાતચીત કરી છે. રશિયા યુક્રેનના ઉર્જા પ્લાન્ટો પર હુમલા નહીં કરે

રશિયા-યુક્રેન યુદ્ધ ખતમ કરવા પુતિન માની ગયા! ટ્રમ્પની 5 શરતો સાથે 30 દિવસનો યુદ્ધવિરામ

Image
Russia-Ukraine Ceasefire: રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસો સુધી સીમિત યુદ્ધ વિરામ લાગુ કરી દેવાયો છે. રશિયાએ પોતાનું નિવેદન રજૂ કરતા કહ્યું છે કે, રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિને ટ્રમ્પ સાથે ફોન પર થયેલી વાતચીત બાદ યુક્રેનના ઊર્જા ઠેકાણાઓ પર 30 દિવસ સુધી હુમલો ન કરવા પર સંમતિ વ્યક્ત કરી છે. જોકે, આ યુદ્ધ પર સંપૂર્ણ રીતે પૂર્ણવિરામ મૂકવા માટે રશિયા-યુક્રેન સામે પાંચ મુખ્ય શરતો મૂકવામાં આવી છે. આ તમામ શરતોને રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીને માનવી પડશે. અમેરિકા અને રશિયા વચ્ચે થયેલી વાતચીત બાદ આ શરતો પર સંમતિ બની છે. વળી, આ કરાર હેઠળ યુદ્ધ વિરામને પ્રભાવી બનાવવા માટે અને શાંતિની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે અનેક મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનો 8 દિવસનો અંતરિક્ષ પ્રવાસ 9 મહિના સુધી કેમ લંબાયો ?

Image
Sunita Williams and NASA News :  પૃથ્વી પરના કોઇ સ્થળે થોડાક કલાકો માટે ગયા હોઇએ અને દિવસોના દિવસો રહેવું પડે તો કેવું લાગે ? જયારે સ્પેસ એસ્ટ્રોનટ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વીથી 400 કિમી દૂર સ્પેસ સ્ટેશનમાં માત્ર 8 દિવસ માટે ગયા હતા. તેના સ્થાને 9 મહિના રોકાવું પડયું હતું. અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર લાવવામાં આવી રહયા છે. યાન 17 કલાકનો પ્રવાસ કરીને ફલોરિકા પહોંચી ગયું છે. આ સાથે જ 286 દિવસ પછી બંને અવકાશયાત્રીઓના નસીબે પૃથ્વી પર કદમ મંડાયા છે.

ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી વાતચીત, યુક્રેનમાં સીઝફાયરના પ્લાન પર થઈ ચર્ચા

Image
Donald Trump Talks To Vladimir Putin: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત યુક્રેનમાં યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવના થોડા દિવસો પછી થઈ હતી. વ્હાઇટ હાઉસ અનુસાર, ફોન પર વાતચીત સાંજે 7:30 વાગ્યાથી શરૂ થઈ હતી અને બંને નેતાઓએ 3 કલાકથી વધુ સમય સુધી વાત કરી હતી. રાષ્ટ્રપતિના સહાયક અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે, 'આ વાતચીત સારી રહી છે.'

સીઝફાયર સમાપ્ત: અડધો જ કલાકમાં ગાઝા પર ઈઝરાયલની 35 એરસ્ટ્રાઈક, 100થી વધુના મોત

Image
Israel Strikes On Gaza : ઈઝરાયલે સીઝફાયર તોડીને ફરી ગાઝાપટ્ટી પર હુમલા શરૂ કર્યા છે. જેમાં પેલેસ્ટાઈનના 100 વધુ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. નોંધનીય છે કે આશરે એક મહિના અગાઉ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરાઇ હતી. જોકે ઈઝરાયલે ફરી હુમલા કરતાં નાગરિકોમાં ભયનો માહોલ છે. 

સાપ્તાહિક રાશિફળ: મકર રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, કર્ક રાશિના જાતકોએ ધીરજ રાખવી, જાણો અન્ય રાશિઓનું ફળ

Image
સાપ્તાહિક રાશિફળ : આજથી માર્ચ મહિનાનું ત્રીજુ સપ્તાહ (17 માર્ચથી 23 માર્ચ 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કર્ક રાશિના જાતકોએ કામકાજ અને વાતચીતમાં ધીરજ રાખવી. કન્યા રાશિના લોકોનું આયોજન મુજબ કાર્ય થાય.