Posts

Showing posts from 2025

પાટણમાં હૃદયદ્રાવક ઘટના, એક મહિલા અને ચાર બાળકના ડૂબી જતાં મોત, એકને બચાવવા જતાં બની ઘટના

Image
પ્રતિકાત્મક તસવીર Patan News : પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.

'કેજરીવાલે આતિશીને હરાવવાના પ્રયાસ કર્યા', ભાજપ સાંસદે કર્યો ચોંકાવનારો દાવો

Image
Delhi Politics: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલ પ્રદેશ ભાજપ સાંસદ અનુરાગ ઠાકરે આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી માર્લેનાને હરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, 'કેજરીવાલ આતિશી માર્લેનાને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખુદ હારી ગયા. આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે.' 'કેજરીવાલે પાર્ટીના સંસ્થાપક સભ્યોને ખતમ કર્યા' દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ આતિશી માર્લેનાના ડાન્સવાળા વીડિયો ક્લિપ અંગે પૂછવા પર અનુરાગ ઠાકુરે કહ્યું કે, 'અરવિંદ કેજરીવાલની રાજનીતિ જુઓ, અન્ના હજારેના ખભા પર ચઢીને તેઓ રાજનીતિમાં આવ્યા, તેમણે તેમને જ ખતમ કરી દીધા.

12 લાખના કમળથી શીશમહેલનો કચ્ચરઘાણ: ભાજપનો વનવાસ પૂર્ણ, AAPની 'આપદા' શરૂ

Image
- દિલ્હીમાં ભાજપનો 26 વર્ષનો વનવાસ પૂરો, આપની 'આપદા' શરૂ - ભાજપનો 48 બેઠક પર ભવ્ય વિજય, આપે 22 બેઠકથી મન મનાવ્યું  : કેજરીવાલ, સિસોદિયા, ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિતના દિગ્ગજોના ડાંડિયા ડૂલ, માત્ર આતિશીએ જીતીને લાજ બચાવી - ભાજપનો વોટશૅર 7.05 ટકા વધી 45.56 ટકા, કોંગ્રેસનો વોટ શૅર 2.1 ટકા વધી 6.

VIDEO: 'બાપ તો બાપ રહેગા...', જીત બાદ આતિશીએ કર્યો ડાન્સ, સ્વાતિ માલીવાલે કહ્યું- 'આ કેવી બેશરમી?'

Image
Delhi Election Results: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આમ આદમી પાર્ટીના ટોચના નેતા આતિશીની કાલકાજી વિધાનસભા બેઠક પર જીત થઈ છે. આ જીતથી પાર્ટીને ભાજપની બહુમતી વાળી વિધાનસભામાં પોતાનો અવાજ સારી રીતે ઉઠાવવાનો મોકો મળશે. આતિશીએ ભાજપના રમેશ બિધૂડીને 3500થી વધુ મતથી હરાવ્યા છે. જીત બાદ આતિશીએ પોતાના કાર્યકર્તાઓની સાથે હરિયાણવી સોન્ગ 'બાપ તો બાપ રહેગા' પર જોરશોરથી ડાન્સ પણ કર્યો. સોશિયલ મીડિયા આતિશીએ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

VIDEO: AAPની હાર પર ભાવુક થયા અન્ના હજારે, કહ્યું- 'મેં કેજરીવાલને ખૂબ સમજાવ્યા હતા, પરંતુ...'

Image
Delhi Assembly Election Results 2025:  દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની હાર પર સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ભાવુક થઈ ગયા છે. અન્ના હજારે એવું કહેતા ભાવુક થઈ ગયા હતા કે, 'મેં કેજરીવાલને ખૂબ જ સમજાવ્યા હતા, પરંતુ તેમણે સમાજ વિશે ન વિચાર્યું અને રાજકારણમાં જતા રહ્યા. મને તેમના પર ઘણી આશા હતી, મેં તેમને ખૂબ પ્રેમ આપ્યો હતો, પરંતુ તેમણે તે રસ્તો છોડી દીધો.' દારુમાં સંડોવાયેલી રહી AAP: અન્ના હજારે સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું, 'હું લાંબા સમયથી કહી રહ્યો છું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવારનું આચરણ, વિચારો અને ચારિત્ર્ય શુદ્ધ હોવું જોઈએ.

દેશની ટેક્સ વ્યવસ્થામાં થશે મોટા ફેરફાર! કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

Image
Union Cabinet Big Decision: કેન્દ્ર સરકારે શુક્રવારે (7 ફેબ્રુઆરી) કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. જેમાં કૌશલ ભારત કાર્યક્રમ (Skill India Programme) માટે 8,800 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. આ સિવાય સફાઈ કર્મચારીઓના હિતમાં પણ મોટો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના કાર્યકાળને ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. દક્ષિણ કોસ્ટ રેલ્વે ઝોનના વિકાસ માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવું રેલવે ડિવિઝન બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી અપાઈ છે.

સતત ચાર દિવસ બેંકો બંધ રહેશે! વિવિધ માંગો મુદ્દે યુનિયનોની બે દિવસની હડતાળની જાહેરાત

Image
Bank Strike : બેંક ખાતાધારકોને માર્ચમાં સતત ચાર દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે બેંક યુનિયનોએ હડતાળની જાહેરાત કરી છે. યુનિયનોએ સપ્તાહના પાંચ દિવસ કામકાજ અને તમામ કેડરમાં પર્યાપ્ત ભરતી સહિત વિવિધ માંગો મુદ્દે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. નવ બેંકોના કર્મચારી સંઘોના સંયુક્ત સંગઠન યુનાઈટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ (UFBU)ની હડતાળના ઉદ્દેશ્યમાં જાહેર ક્ષેત્રની બેંકો (PSB)માં કર્મચારી-અધિકારી નિદેશકોની ભરતી કરવાની પણ માંગ છે. 24-25 માર્ચે બેંક હડતાળ UFBU આજે (7 ફેબ્રુઆરી) સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘અમે યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ 24 અને 25 માર્ચે સતત બે દિવસ હડતાલ સાથે આંદોલન કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે.

'તમે ફરિયાદી નહીં પણ પજવણી કરનારા છો...', સુપ્રીમ કોર્ટે યોગી સરકારને કેમ ઝાટકી?

Image
Supreme Court News |  સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉત્તરપ્રદેશ સરકારની એન્ટિ ગેંગસ્ટર્સ લો હેઠળ અરજદારો સામે યોગ્ય રીતે કાર્યવાહી ન કરવા બદલ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ત્યાં સુધી જણાવ્યું હતું કે તમે ફરિયાદ કરનાર નહીં પણ પજવણી કરનાર છો.ન્યાયાધીશ બી આર ગવઈ અને કે વિનોદ ચંદ્રની બેન્ચે રાજ્યે આરોપીઓમાં એક દાખલ કરેલા સોગંદનામામાં સવાલ ઉઠાવ્યો હતા. આ સોગંદનામા સામે તેમણે સવાલ કર્યો હતો કે શામાટે તમેની સામેના કેસો ફગાવી ન દેવામાંઆવે અથવા તેને નિર્દોષ છોડવામાં ન આવે. તમે અહીં એવા કેસો પણ સમાવ્યા છે જે રદ કરાયા છે અને ક્યાં તો નિર્દોષ છોડાયો છે.

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો સાથે શું કરાશે? જાણો કયા કેસમાં ગુનો નોંધાશે

Image
Deport Illegal Immigrants : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની પહેલી ખેપનો દેશનિકાલ કરી દેવાયો છે. પાંચમી ફેબ્રુઆરીએ અમેરિકાનું લશ્કરી વિમાન તેમને પંજાબના અમૃતસર એરપોર્ટ પર છોડી ગયું હતું. ભારત પરત મોકલાયેલા 205 ભારતીય નાગરિકોમાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ગુજરાતના પણ ઘણા લોકો હતા. અમેરિકાએ પોતાના દેશમાં ગેરકાયદે રહેતા અનેક દેશોના લોકોને પરત મોકલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે રહેતા અનેક લોકો પર જોખમ શરૂ થઈ ગયું છે. ટ્રમ્પ સરકાર નાગરિકતા કાયદા પર ખૂબ જ કડક વલણ અપનાવી રહી છે.

ડિપોર્ટ થયેલા પરિવારના માતા-પિતાની વ્યથા: 'અમે જમીન વેચીને દીકરાને સુરતમાં ઘર લઈ દીધું હતું, તેને વેચીને એ અમેરિકા ગયો હતો'

Image
U.S. Deportation of Indian Migrants: ગેરકાયદે અપ્રવાસીઓ વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પના અભિયાન બાદ અમેરિકન સેનાનું પ્લેન 104 ભારતીય પ્રવાસીઓને લઈને અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. જેમાં ગુજરાતના 33 લોકો સામેલ હતા. આ 33 લોકોમાં પાટણ જિલ્લાના 5 લોકોનો પણ સમાવેશ થાય છે.

રશિયા સામેનું યુદ્ધ યુક્રેનને ભારે પડ્યું, 45000 સૈનિકો શહીદ, 4 લાખથી વધુ ઈજાગ્રસ્ત

Image
Russia vs Ukrain War Updates | યુક્રેનના પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયા સાથેના યુદ્ધના ત્રણ વર્ષ દરમિયાન તેના લગભગ 45 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ચાર લાખ જવાનો ઇજા પામ્યા છે. જ્યારે કીવ આવેલા બ્રિટિશ વિદેશી સચિવે યુક્રેન માટે ૫.૫ કરોડ પાઉન્ડનું સહાય પેકેજ જાહેર કર્યુ હતુ.  આ પેકેજમાં યુક્રેનથી યુદ્ધગ્રસ્ત સીરિયામાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ હેઠળ અનાજ 30 લાખ પાઉન્ડનું અનાજ મોકલવાનો સમાવેશ થાય છે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું હતું કે સીરિયા પર પ્રમુખ બશર અલ અસદનું સાસન હતુ ત્યારે તેને રશિયા પાસેથી ઘઉં મળતા હતા.

'દીકરી યુરોપ ફરવા જવાનું કહીને ગઇ હતી...', અમેરિકાથી પરત આવેલી મહેસાણાની યુવતીના પિતાની વ્યથા

Image
USA Returned Illegal Indian Immigrants : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે અમેરિકામાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. અમેરિકાથી આજે 104 ભારતીયોને ભારત પરત મોકલાયા છે. આ ભારતીયોમાં 33 ગુજરાતીઓ પણ સામેલ છે. આ લોકોમાં મોટાભાગના લોકો મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી છે. હવે અમેરિકાથી ડિપોર્ટ થયેલી મહેસાણાની એક યુવતીના પરિજનોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથ વ્યક્ત કરી છે. 

ભારત સાથે વાત કરવા પાક. PM શાહબાઝ શરીફની આજીજી, કહ્યું- 'વાતચીતથી ઉકેલવા માગીએ છીએ કાશ્મીરનો મુદ્દો'

Image
Pakistan-India Relations : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ભારત સાથે વાતચીત કરવા તેમજ મિત્રતા શરૂ કરવા માટે અત્યંત આતુર થયા છે. તેમણે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) વિધાનસભાના વિશેષ સત્રને સંબોધન કરી કહ્યું કે, પાકિસ્તાન ભારત સાથે વાતચીત દ્વારા કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ ઉકેલવા માંગે છે. તેમણે કાશ્મીરીઓ પ્રત્યે પોતાનું સમર્થન હોવાની વાત કહી છે. ભારત સાથે તમામ મુદ્દે સમાધાન કરવા શરીફ આતુર શરીફે કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, ભારત સાથે કાશ્મીર સહિતના મુદ્દાઓનું સમાધાન વાતચીતથી થવું જોઈએ.

માત્ર 22 વર્ષના ભારતવંશી એન્જિનિયર આકાશ બોબ્બાને ઈલોન મસ્કે ''DOGE''માં સાથે લીધો

Image
- AI, ડેટા એનાલિટિક્સ અને ફાયનાશ્યલ મોડેલિંગમાં બોબ્બા એક્ષપર્ટ છે : સરકારીતંત્રને કાર્યશીલ બનાવી શકે તેમ છે Elon Musk And Akash Bobba | માત્ર 22 વર્ષના જ ભારતવંશી યુવાન ઈજનેર આકાશ બોબ્બાને એલન મસ્કે નવરચિત ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (DOGE)માં તેમની સાથે લીધો છે. મસ્કે કુલ છ ઈજનેરોને આ ડીપાર્ટમેન્ટમાં લીધા છે, તે છ એ છની વય 19 થી 24 વચ્ચે છે. તે સર્વેને સરકારના સંવેદનશીલ વિભાગોમાં પણ પહોંચી શકવાના અધિકારો આપવામાં આવ્યા છે. આ પગલું અસામાન્ય માનવામાં આવે છે.

CM યોગી પર અખિલેશનો વળતો પ્રહાર, '100 કરોડ શ્રદ્ધાળુઓ માટે તૈયારી' વાળો વીડિયો કર્યો પોસ્ટ

Image
Political Controversy on Maha kumbh : મહાકુંભમાં નાસભાગ બાદ શ્રદ્ધાળુઓના થયેલા મોત મામલે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી છે. આ દરમિયાન મંગળવારે (4 ફેબ્રુઆરી)  સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા હતા. જે પછી થોડાક જ કલાકોમાં યોગી આદિત્યનાથે અખિલેશ યાદવને વળતો જવાબ આપ્યો હતો અને હવે અખિલેશ યાદવે આ મામલે ફરી નિવેદન આપતા બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂં થયું છે.   શું છે સમગ્ર ઘટના? અખિલેશ યાદવે સંસદમાં યોગી આદિત્યનાથ પર પ્રહારો કર્યા હતા, જે પછી યોગીએ અખિલેશ પર વળતો પ્રહાર કર્યો હતો કે, 'મેં ક્યારેય કહ્યું નથી કે 100 કરોડ ભક્તો આવશે.

ચીન-કેનેડા બાદ યુરોપ પર ટેરિફ નાંખવાની ટ્રમ્પની જાહેરાત, ભારત અંગે સ્પષ્ટતા નહીં

Image
- ચીન, કેનેડા પર ટેરિફ બાદ ટ્રમ્પની વધુ એક મોટી જાહેરાત - ઇયુ બ્રાન્ડેડ કાર, કૃષિ સહિતની અબજો ડોલરની વસ્તુઓ અમને વેચે છે પરંતુ અમારી કોઇ જ વસ્તુ લેવા તૈયાર નથી : ટ્રમ્પ - અમેરિકા ઇયુ દેશો પર ટેરિફ નાખે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નામ ધરાવતી મોટી કાર કંપનીઓને ફટકાની શક્યતા બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે યુરોપિયન યુનિયન (ઇયુ) દેશોને પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ઇયુ તરફથી અમેરિકામાં આવતા તમામ સામાન પર ટેરિફનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. અગાઉ કેનેડા મેક્સિકોના સામાન પર ૨૫ ટકા અને ચીનના સામાન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરાઇ છે.

મહારાષ્ટ્રમાં ફરી ભાજપનું ટેન્શન વધારશે શિંદે? બીજી વખત ફડણવીસની બેઠકમાંથી ગેરહાજર

Image
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની આગેવાનીવાળી સરકારમાં આંતરિક ડખાં ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી, જેમાં અજિત પવાર તો પહોંચ્યા હતા, પરંતુ એકનાથ શિંદે ગેર હાજર રહ્યા હતા. અગાઉ પણ તેઓ ફડણવીસ દ્વારા બોલાવાયેલી કેબિનેટ મીટિંગમાં ગયા નહોતા. આમ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની મહત્ત્વપૂર્ણ બેઠકોમાં ગેર હાજરીથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.  કયા મુદ્દે બોલાવી હતી બેઠક?

વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની 13 ફેબ્રુઆરીએ મુલાકાત! ડિનરનું પણ થઈ શકે છે આયોજન

Image
PM Modi US Visit: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમના દ્વારા લેવાયેલા નિર્ણયોની સાથોસાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાતની પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે સમાચાર છે કે, બંને મોટા નેતા 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મુલાકાત કરી શકે છે. વડાપ્રધાન મોદી આ મહિને અમેરિકાના પ્રવાસે જવાના છે અને આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ તેમના માટે ડિનરનું આયોજન પણ કરી શકે છે. ખાનગી ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે કે, વડાપ્રધાન મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ થયા બાદ 12 ફેબ્રુઆરીની સાંજે વૉશિંગ્ટન પહોંચી શકે છે. તેઓ 14 ફેબ્રુઆરી સુધી અમેરિકામાં રહેશે.

હમાસ સાથે યુદ્ધ વિરામ વચ્ચે અમેરિકા રવાના થયા નેતન્યાહૂ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે ખાસ મુલાકાત

Image
Israel - USA: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકા માટે રવાના થયા છે. મંગળવારે વ્હાઇટ હાઉસમાં તેમની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થશે. તેઓ પહેલા એવા વિદેશી નેતા છે, જેમની સાથે ટ્રમ્પ પોતાના બીજા કાર્યકાળમાં પોતાની મુલાકાત કરી રહ્યા છે. નેતન્યાહૂએ રવાના થતા પહેલા જણાવ્યું કે, ટ્રમ્પની સાથે તેઓ 'હમાસ પર જીત', ઈરાનને કાઉન્ટર કરવાની રણનીતિ, રાજદ્વારી સંબંધો અને આરબ દેશોમાં બંને દેશોની સામાન્ય વ્યૂહરચનાઓની ચર્ચા કરશે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા ઈઝરાયલે હમાસની સાથે બંધકોની મુક્તિના સંબંધમાં સીઝફાયર પર સમજૂતી કરી.

સુદાનમાં અર્ધલશ્કરી દળે ખુલ્લા બજારમાં કર્યો ઘાતક હુમલો, 54 લોકોના મોત, 150થી વધુ ઘાયલ

Image
Sudan Attack : સુદાનમાં સેનાની સામે લડી રહેલા અર્ધલશ્કરી દળે ઓમદુરમાન પ્રાંતના એક ઓપન માર્કેટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આશરે 54 લોકોના મોત થયા છે અને 158થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સુદાનના આરોગ્ય વિભાગના અધિકારીઓએ શનિવારે (1 ફેબ્રુઆરી) આ અંગે માહિતી આપી છે. તેમના જણાવ્યાનુસાર, સુદાનના અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)એ આ હુમલો કર્યો છે.  મહિલાઓ અને બાળકોના મોત

પાકિસ્તાનમાં સેના અને બલુચો વચ્ચે ભયાનક અથડામણ, 41ના મોત, બળાખોરોનો હાઈવે પર કબજો

Image
Pakistan-Balochistan Clash : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે, જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે. આ જ ક્રમમાં સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ છે, જેમાં પાકિસ્તાની સેનાના 18 જવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. અથડામણમાં 23 બળવાખોરોના પણ મોત થયા છે. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો છે, જેના કારણે સેના લાચાર બની ગઈ છે. બલૂચ લોકો સરકાર-આર્મીના વિરોધમાં

અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશ, ઉડાન ભર્યાની 30 સેકન્ડમાં તૂટી પડ્યું, 2ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Image
Philadelphia plane crash : અમેરિકામાં ફરી એક વિમાન દુર્ઘટનાના સમાચાર છે. પેન્સિલવેનિયાના ફિલાડેલ્ફિયામાં એક નાનું વિમાન ટેકઓફ કર્યાના માત્ર 30 સેકન્ડ પછી ક્રેશ થયું. જેનાથી એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિમાનમાં લગભગ 2 લોકો સવાર હતા જેમના મૃત્યુ થયાની આશંકા છે. રાજ્યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.

UPI યુઝર્સ માટે મોટા સમાચાર, પેમેન્ટ કરતા પહેલા જાણીલો નવો નિયમ, NPCIએ જાહેર કરી નોટિફિકેશન

Image
UPI Rules Change: યુપીઆઇ યુઝર્સ 1 ફેબ્રુઆરી, 2025થી અમુક આઇડી પર ટ્રાન્ઝેક્શન કરી શકશે નહીં. NPCIએ નવી નોટિફિકેશન જાહેર કરી છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓને 1 ફેબ્રુઆરીથી સ્પેશિયલ કેરેક્ટર્સ ધરાવતા આઇડી પરથી ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. યુઝર્સ હવે માત્ર આલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ ધરાવતાં આઇડીથી જ નાણાકીય લેવડ-દેવડ કરી શકશે. સાયબર ક્રાઈમના વધતાં કિસ્સાને ધ્યાનમાં રાખતાં NPCIએ આ આદેશ જાહેર કર્યો છે.

'બ્રિટન 20 વર્ષમાં પરમાણુ તાકાતવાળો ઈસ્લામિક દેશ બની જશે...', પૂર્વ ગૃહમંત્રીના દાવાથી હડકંપ

Image
Suella Braverman says Britain will become an Islamic state | બ્રિટનનાં પૂર્વ ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેને બ્રિટનને ચેતવતાં કહ્યું હતું કે, બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી 20 વર્ષમાં તે ઇરાન જેવું પશ્ચિમનો શત્રુ બની રહેશે. તે પરમાણુ શસ્ત્રથી પણ સજ્જ તેવું ઇસ્લામિક કટ્ટરવાદી રાષ્ટ્ર બની રહેશે. આ સાથે તેઓએ બ્રિટનની કીમ-સ્ટાર્મર સરકારની ટ્રમ્પ સાથેની વિરોધાભાસી નીતિની પણ ઉગ્ર ટીકા કરી હતી. વોશિંગ્ટનમાં હેરિટેજ-ફાઉન્ડેશન નામક જમણેરી સંસ્થાએ યોજેલા એક કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી.

નાસા અને નોઆની ચેતવણી : સૌર પવનોનું ભયાનક તોફાન આજે પૃથ્વી સુધી પહોંચવાનો સંકેત : રેડિયો બ્લેકઆઉટનું જોખમ

Image
- સૂર્યના વાતાવરણમાં સર્જાયો 8,00,000 કિ.મી.નો વિરાટ કદનો  કોરોનલ હોલ  - સૌર પવનનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં 62 ગણો વધુ મોટો છે : ગતિ 500 કિ.મી.ની : પૃથ્વીના વાતાવરણમાં ભારે ખળભળાટ સર્જાઇ શકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહાકુંભ પ્રવાસ મુલતવી! 5 ફેબ્રુઆરીએ નહીં જાય પ્રયાગરાજ: સૂત્ર

Image
PM Modi Visit Mahakumbh:  પ્રયાગરાજ મહાકુંભમાં બુધવારે (29 જાન્યુઆરી, 2025) મૌની અમાવસ્યાના દિવસે નાસભાગ થઈ હતી. જેમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી કેટલાકની સારવાર હજુ ચાલી રહી છે, તો કેટલાકને પોતાના ઘરે લઈ જવાયા છે. તો આ દુર્ઘટના બાદથી ઉત્તરપ્રદેશ સરકારે તમામ VIP અને VVIP મૂવમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે આગામી 5 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાગરાજ જવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હાલ વડાપ્રધાન મહાકુંભ નહીં જાય તેવી શક્યતાઓ છે. જો કે, હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી.

બેંગ્લુરુમાં DGGIએ 3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ

Image
- બેંગાલુરુમાં બે વ્યકિતઓની ધરપકડ   - 15 બોગસ કંપનીઓને આધારે ખોટી રીતે રૂ. 665 કરોડનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો  બેંગાલુરુ :  બેંગાલુરુમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ૩૨૦૦ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરી છે.  કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર : બેંગાલુરુ અને મુંબઇમાં ૩૦થી વધારે સ્થળો દરોડા

રાજસ્થાનમાં ખેડૂતે ઘરેથી પોતાના ખેતર જવા હેલિકોપ્ટરની માંગણી કરી, સરકારી તંત્ર ચોંકી ઉઠયું

Image
Rajasthan Farmer Demand helicopter | એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે નાના રસ્તાઓ (પગસેડી) હોય છે પરંતુ એક ખેડૂતે પોતાના ખેતરથી ઘરે જવા માટે હેલિકોપ્ટરની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં બાડેમરના જિલ્લા અધિકારીને રાત્રી ચોપાલ દરમિયાન ખેડૂતે આ માંગ કરતા આશ્વર્ય સર્જાયું છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે પોતાના ઘરથી ખેતર આવન જાવનનો રસ્તો અવરોધિત હોવાથી આ પગલું ભરવું પડયું છે. બાડમેરના જોરાપુર ગામમાં રહેતા માંગીલાલે કહયું હતું કે ખેતરમાં જવાના માર્ગ પર બીજા લોકો ખેતી કરે છે. આવા સંજોગોમાં રસ્તો બંધ હોવાથી પોતાને ખેતર નિયમિત જઇ શકતા નથી.

'નથી જોડાવું અમેરિકામાં, અમારું ભવિષ્ય અમે નક્કી કરીશું', ગ્રીનલેન્ડના લોકોએ ટ્રમ્પને રોકડું પરખાવી દીધું

Image
Greenlanders tell Trump we don't want to join America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લા થોડા વખતથી ગ્રીનલેન્ડને અમેરિકામાં સમાવી લેવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. આ ટાપુ દેશ અમેરિકા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્ત્વપૂર્ણ હોવાથી ટ્રમ્પે ડેનમાર્કને ગ્રીનલેન્ડ પરનું નિયંત્રણ છોડી દેવા માટે કહ્યું હતું. આ મુદ્દે ટ્રમ્પ અને ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન વચ્ચે ફોન પર ગરમાગરમી પણ થઈ ચૂકી છે. દરમિયાન, 29 જાન્યુઆરી, બુધવારના રોજ ગ્રીનલેન્ડમાં એક લોકમત યોજાયો હતો જેમાં ગ્રીનલેન્ડના બહુમતિ નાગરિકોએ અમેરિકા સાથે જોડાવાનો ઈનકાર કરી દીધો છે. આ પણ વાંચો : મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં એક ગુજરાતી શ્રદ્ધાળુ સહિત 30 મોત, 25ની ઓળખ થઈ

ગાઝાની વસ્તી અન્ય દેશમાં ખસેડવા મામલે ફ્રાન્સ-સ્પેન ભડક્યું, ટ્રમ્પના પ્રસ્તાવનો કર્યો વિરોધ

Image
Gaza Population Displacement Controversy : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝાના લોકોને ઈજિપ્ત અને જોર્ડનમાં શિફ્ટ કરવાની સલાહ આપ્યા બાદ ભારે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ફ્રાન્સના વિદેશ મંત્રાલયે ટ્રમ્પની સલાહનો વિરોધ કરી ભાર પૂર્વક કહ્યું કે, ‘ગાઝાના લોકોને કોઈપણ રીતે બળજબરીથી ખસેડવાની વાત સ્વિકારવામાં નહીં આવે.’ સ્પેને પણ ટ્રમ્પની યોજનાની ટીકા કરી છે. ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ : સ્પેન સ્પેનના વિદેશ મંત્રી જોસ મૈનુઅલ આલ્બાર્સે બ્રસેલ્સને સ્પષ્ટ કહ્યું કે, ‘ગાઝાના લોકો ગાઝામાં જ રહેવા જોઈએ.

સનાતન બોર્ડ બનાવો પણ સરકારને દૂર રાખો: ધર્મ સંસદ પર બોલ્યા શંકરાચાર્ય

Image
Dharm Sansad In Maha Kumbh-2025 : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રયાગરાજના મહાકુંભમાં સનાતન બોર્ડની રચના તેમજ વક્ફ બોર્ડના વિરોધમાં યોજાયેલી ધર્મ સંસદ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમને આમંત્રણ જ મળ્યું નથી. શંકરાચાર્યો અને આચાર્યો વગર યોજાઈ ધર્મ સંસદ તેમણે કહ્યું કે, ‘મારી પણ ઇચ્છા છે કે, સનાતન બોર્ડની રચના થાય, પરંતુ આ પ્રકારના ધર્મ સંસદમાં સનાતન બોર્ડની રચના ન થઈ શકે. શંકરાચાર્યો અને આચાર્યો વગર ધર્મ સંસદમાં આવો નિર્ણય કેવી રીતે થઈ શકે.

VIDEO : પોલીસની હાજરીમાં લંડનના માર્ગો પર ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામ-સામે થયા

Image
London Khalistani Protest | પ્રજાસત્તાક દિવસના અવસરે બ્રિટનની રાજધાની લંડનમાં ભારે હોબાળો થયો. અહેવાલ અનુસાર અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આયોજિત સમારોહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ખાલિસ્તાન સમર્થકો દેખાવ કરવા લાગ્યા હતા જેના પગલે ભારતીય સમુદાયના લોકોએ તેમને સજ્જડ જવાબ આપ્યો હતો. 

'ટ્રમ્પનું વર્તન અયોગ્ય..' અમેરિકાની સામે પડ્યો નાનકડો દેશ, ગેરકાયદે પ્રવાસીના 2 વિમાન પાછા મોકલ્યા

Image
Donald Trump Emergency Tarrif on Colombia | ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા ત્યારથી જ એક પછી એક ચોંકાવનારા ઝડપી પગલાં ભરી રહ્યા છે. આ વખતે ટ્રમ્પના નિશાને કોલંબિયા હતું. ટ્રમ્પે કોલંબિયા પર ટેરિફ અને મુસાફરી પ્રતિબંધ લાગુ કરી દીધો છે પરંતુ આ પગલું કેમ લેવાયું? ચાલો જાણીએ  ટ્રમ્પ સરકાર શું કહે છે?  ટ્રમ્પનું કહેવું છે કે કોલંબિયાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સથી ખીચોખીચ બે અમેરિકન આર્મીના વિમાનને લેન્ડ કરવાનો ઈનકાર કરતાં પરત મોકલી દીધા. જેના બાદ ટ્રમ્પ સરકારે કોલંબિયા સામે ટેરિફ અને વિઝા પ્રતિબંધો લાદીને કાર્યવાહી કરી છે.

કોલ્ડપ્લેના કોન્સર્ટમાં બુમરાહે આપી સરપ્રાઇઝ, ક્રિસ માર્ટિને કહ્યું- 'હેલો જસપ્રિત માય બ્યુટિફૂલ બ્રધર!'

Image
Coldplay in Ahmedabad: ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રવિવારે (26 જાન્યુઆરી) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના બીજા શૉમાં હાજરી આપી હતી. પીઠની ઇજાને કારણે હાલમાં ભારતીય ટીમની બહાર રહેલા બુમરાહ કોન્સર્ટમાં ખૂબ જ મસ્તી કરતો જોવો મળ્યો હતો. કોલ્ડપ્લેમાં બુમરાહે સરપ્રાઇઝ આપી હતી. તે કોલ્ડપ્લેના કોન્સર્ટમાં અચાનક આવી પહોંચ્યો હતો. આ દરમિયાન કોલ્ડપ્લેના કોન્સર્ટમાં હાજર બુમરાહ માટે ક્રિસ માર્ટિને ખાસ પંક્તિ ગાઈ હતી.

ઈઝરાયલ સાથે યુદ્ધ વિરામના થોડા જ દિવસોમાં હમાસે ગાઝાપટ્ટીમાં ફરી કબજો મેળવી લીધો?

Image
 Israel vs Hamas Updates |  યુદ્ધ વિરામ પછી માત્ર ગણતરીના જ દિવસોમાં ગાઝાપટ્ટી સ્થિત હમાસ બળવત્તર બની ગયા છે અને લગભગ સમગ્ર ગાઝાપટ્ટી ઉપર ફરી કાબુ જમાવી રહ્યા છે. ગાઝા સ્થિત હમાસે 7 ઓક્ટો. 2023ના દિને દક્ષિણ ઈઝરાયલ પર હુમલો કર્યો પછી આ યુદ્ધ ભડકી ઉઠયું હતું. નેતન્યાહુએ આ ત્રાસવાદી જુથને ''સાફ'' કરી નાખવા શપથ લીધા છે. તેમણે હમાસના અનેક ગુપ્તસ્થળો અને તેના કેટલાયે નેતાઓનો સફાયો પણ કરી દીધો છે. તેમ છતાં તે જુથ નાશ પામ્યું નથી, ઉલટાનું ફરી પ્રબળ બની રહ્યું છે.

IND vs ENG: T20 સીરિઝની બીજી મેચમાં ભારતની ભવ્ય જીત, ઈંગ્લેન્ડ હાર્યું, તિલક વર્માની શાનદાર ઈનિંગ

Image
India vs England 2nd T20: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 શ્રેણીની બીજી મેચ આજે (25 જાન્યુઆરી) ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમની જીતના હીરો તિલક વર્મા હતા, જેમણે 55 બોલમાં 72 રનની અણનમ ઇનિંગ રમી હતી, જેમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા.

કાર્યસ્થળે મહિલાકર્મી સાથે અનિચ્છનીય વ્યવહાર જાતીય સતામણી ગણાય: મદ્રાસ હાઈકોર્ટ

Image
High Court News |  મદ્રાસ હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કાર્યસ્થળ પર મહિલાઓ સાથે અનિચ્છનીય વ્યવહાર પણ યૌન ઉત્પીડનની કેટેગરીમાં આવે છે. ઉત્પીડનકર્તાની મંશા ગમે તે હોય પરંતુ આ કૃત્ય આપરાધિક કૃત્ય છે. કાર્યસ્થળે મહિલાઓના શારીરિક શોષણને અટકાવતો કાયદો ઇરાદા કરતા કૃત્ય પર વધુ ધ્યાન આપે છે. એક આઇટી કંપની એચસીએલ ટેક્નોલોજીના એક કર્મચારી સામે મહિલા કર્મચારીએ લગાવેલા આરોપો મામલે હાઇકોર્ટે આ ટિપ્પણી કરી હતી. કર્મચારી પર પોતાની સાથે કામ કરનારી ત્રણ મહિલા કર્મચારીઓના યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ખેતી કરવા માટે રાજ્યસભામાંથી આપશે રાજીનામું! વિજયસાઈ રેડ્ડીએ લીધો રાજનીતિથી સંન્યાસ

Image
Andhra Pradesh Politics: આંધ્રપ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીના નજીકના વિશ્વાસુ વી. વિજયસાઈ રેડ્ડીએ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 25 જાન્યુઆરી, 2025 ના રોજ રાજ્યસભાના સભ્યપદથી રાજીનામું આપશે.

ગુજરાતના પાડોશી રાજ્યના 17 શહેરોમાં દારુબંધી, ધાર્મિક સ્થળોને લઈ CMનો મોટો નિર્ણય

Image
Alcohol Banned At 17 Religious Places in Madhya Pradesh : મધ્યપ્રદેશ સરકારે અડધો અડધ રાજ્યમાં દારુબંધી લાદવાની નિર્ણય સંભળાવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે રાજ્યના 17 પવિત્ર શહેરોમાં દારુ પર પ્રતિબંધ લાદવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ ઉજ્જૈન, જબલપુર, મંદસૌર સહિત 17 શહેરોમાં દારુ પર પ્રતિબંધ શરૂ થઈ ગયો છે.

'કોઈપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી બાબત નથી..', બોમ્બે હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન

Image
Loud Speaker News | પ્રાર્થના  કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા  જણાવ્યું છે. મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકે નહીં. જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં. પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી.

ChatGPT થયું ડાઉન, દુનિયાભરના યુઝર્સ થયા પરેશાન, OpenAIએ કોઈ પુષ્ટિ નથી કરી

Image
ChatGPT Down: ચેટજીપીટી ટેક્નિકલ સમસ્યાના કારણે ગુરુવારે ડાઉન થઈ ગયું. જેને લઈને દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. OpenAIની API અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ છે, જેને લઈને મોટાપાયે વિક્ષેપ પડ્યો છે. ડિસેમ્બરમાં બે વાર આઉટેજ પછી આ ત્રીજી વખત ચેટજીપીટી સેવા બંધ થઈ છે. આ કારણે, યુઝર્સ ચેટ કરી શક્યા નહીં કે હિસ્ટ્રી જોઈ શક્યા નહીં.

'સ્કૂલ અને ચર્ચમાંથી પણ પકડો...' અમેરિકામાં ગેરકાયદે શરણાર્થીઓ અંગે ટ્રમ્પના ફરમાનથી ફફડાટ

Image
Donald Trump News | ટ્રમ્પ વહીવટીતંત્રએ ચર્ચ અને સ્કૂલો જેવા સંવેદનશીલ સ્થળોએથી પણ ઇમિગ્રેશન અધિકારીઓને ગેરકાયદેસરના માઇગ્રન્ટ્સની ધરપકડ ન કરવાની દાયકા જૂનીની ત્યજી દઈને તેઓને છૂટ આપી છે. તેના લીધે અમેરિકામાં વસતા માઇગ્રન્ટ્સમાં રીતસરનું ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આના પહેલે ગેરકાયદે માઇગ્રન્ટ્સને પ્રવેશવા બંને ફેડરલ એજન્સીઓ ઉપરોક્ત બંને સ્થળોએ જઈ શકતી ન હતી.  ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ ગુરુવારે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંના લીધે સીબીપી અને આઇસીઇના હિમતવાન પુરુષ અને મહિલા કર્મચારીઓ આપણા ઇમિગ્રેશન કાયદાનો ભંગ કરીને આવનારા ગેરકાયદે વસાહતીઓ સામે પગલાં લઈ શકશે, તેમા હત્યારાઓ અને બળાત્કારીઓનો સમાવેશ થાય છે. આ ગુનેગારો હવે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં છૂપાઈને તેમની ધરપકડ ટાળી નહી શકે.

'હું રશિયાને નુકસાન નથી પહોંચાડવા માગતો...', ડોનાલ્ડ ટ્રમ્પનું પુતિન અંગે સૌથી મોટું નિવેદન

Image
Donald Trump Ultimatum To Vladimir Putin : અમેરિકાના 47માં રાષ્ટ્રપ્રમુખ તરીકે સત્તામાં આવતા જ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જેમાં ગેરકાયદે પ્રવાસીઓથી લઇને પનામા કેનાલ સુધીના ઘણાં નિર્ણયો સામેલ છે. આ દરમિયાન ટ્રમ્પે હવે રશિયા-યુક્રેન યુદ્ધને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલ્ટીમેટમ આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (22 જાન્યુઆરી) એ સંકેત આપ્યું છે કે, જો વ્લાદિમીર પુતિન યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત કરવા માટે તૈયાર નહીં થાય તો રશિયા પર વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.

'જો ભારત શેખ હસીનાને પરત નહીં મોકલે તો...', બાંગ્લાદેશની વચગાળાની સરકારની ખુલ્લી ધમકી

Image
Bangladesh News: બાંગ્લાદેશની વચગાળાની સરકારે મંગળવારે ખુલ્લી ધમકી આપી છે. બાંગ્લાદેશ સરકારે કહ્યું કે તે ભારતમાંથી પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાને પરત લાવવાના પ્રયાસો ચાલુ રાખશે અને જરૂર પડ્યે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માંગ કરશે. ઢાકા સ્થિત 'ડેઇલી સ્ટાર' અખબાર અનુસાર, વચગાળાની સરકારમાં કાનૂની બાબતોના સલાહકાર આસિફ નજરુલે અહીં સચિવાલયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, જો ભારત હસીનાને પરત મોકલવાનો ઇનકાર કરે છે, તો તે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન હશે. આ પણ વાંચો: તૂર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગેલી ભયાનક આગમાં 66 લોકોના મોત, 51 ઈજાગ્રસ્ત, બચાવકાર્ય ચાલુ

અમેરિકામાં ટ્રમ્પનું રાજ દુનિયાની દિશા અને દશા બદલશે, ઈમિગ્રેશન-ટેરિફ અંગે મોટા નિર્ણયની તૈયારી

Image
- ઇન્ડોર સમારંભમાં ટ્રમ્પે અમેરિકાના 47મા પ્રમુખપદે શપથ લીધા, જે ડી વાન્સે ઉપપ્રમુખપદે શપથ લીધા - અમેરિકાનો સુવર્ણયુગ લાવવાનુ ટ્રમ્પે તેમના સમર્થકોને વચન આપ્યું - ટ્રમ્પ પહેલા જ દિવસે 100થી વધુ એક્ઝિ. ઓર્ડર પર સહી કરી શકે - ટ્રમ્પનું મોંઘવારીમાં ઘટાડો કરવાનું અને ફુગાવો અંકુશમાં રાખવાનું વચન - ટ્રમ્પના આવતા જ  જન્મ થવાથી નાગરિકત્વનો અધિકાર જ ખતમ 

રોહિત જ નહીં વિરાટ કોહલી પણ રમશે રણજી ટ્રોફી, 13 વર્ષ બાદ વાપસીની તૈયારી

Image
Virat Kohli in Ranji Trophy : ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમમાંથી રમતો દેખાઇ શકે છે. મીડિયા અહેવાલ મુજબ, રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ 30 જાન્યુારીએ રેલવેની ટીમ સામે મેચ રમશે અને આ મેચમાં કોહલી દિલ્હી તરફથી રમી શકે છે.  13 વર્ષ બાદ રણજીમાં કરશે વાપસી ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ (BCCI) એ કડક વલણ અપનાવતા ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી રહ્યા છે.

મૃત્યુ પછી અઘોરી અને નાગા સાધુના શરીરનું શું કરવામાં આવે છે? જાણો આ અનોખા પંથની અંતિમ વિધિ

Image
Mahakumbh 2025: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અઘોરીઓ અને નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સોશિયલ મીડિયા એમના ફોટોગ્રાફ અને વીડિયોથી ઊભરાઈ રહ્યું છે. અઘોરીઓ અને નાગા સાધુઓના જીવન અને મૃત્યુ ફરતે વીંટળાયેલા રહસ્યને લીધે લોકોને તેમના વિશે જાણવાનું કુતૂહલ થતું હોય છે. ચાલો, આજે આપણે પણ તેમના જીવનમાં ડોકિયું કરીએ.  અઘોરનો અર્થ શું?

'આતંકવાદનું કેન્સર જે હવે ખુદ પાકિસ્તાનને ખાઈ રહ્યું છે', પાડોશી દેશને એસ.જયશંકરનો આકરો સંદેશ

Image
S Jaishankar Statement on Pakistan and China: મુંબઈમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે, 'ભારત અને ચીન એક સાથે ઉભરી રહ્યા છે, જેના કારણે સંબંધોમાં સંતુલન જાળવવા માટે એક અનોખો પડકાર ઉભો થયો છે. અગાઉની આદર્શવાદી અને ગેરમાર્ગે દોરનારી નીતિઓ સહકાર અને સ્પર્ધામાં અવરોધરૂપ હતી, પરંતુ છેલ્લા દાયકામાં ભારતનો અભિગમ બદલાયો છે.' તેમણે કહ્યું કે, '2020ના સરહદ વિવાદે સંબંધોને જટિલ બનાવ્યા છે અને આ મુદ્દાઓને ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.' વિદેશ મંત્રી એસ.

દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના દિગ્ગજ નેતા પણ કરશે કેમ્પેનિંગ

Image
Delhi Election 2025 : દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે શનિવારે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ દિલ્હી ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે. કોંગ્રેસે જાહેર કરી સ્ટાર પ્રચારકોની યાદી કોંગ્રેસે પોતાના પ્રચારકોની યાદીમાં વર્તમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, રાજ્યસભા અને લોકસભાના સાંસદો, ભૂતપૂર્વ સાંસદો ઉપરાંત તેમના રાષ્ટ્રીય પ્રવક્તાઓનો સમાવેશ કર્યો છે, જેઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લેશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક ભેટ, ફ્રીમાં હવે લક્ઝરી ટ્રેનોમાં કરી શકશે મુસાફરી! જાણો LTCનો નવો નિયમ

Image
LTC Benefits For Government Employees : કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીને લઈને મોટી જાહેરાત કરી છે. લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) હેઠળ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી લક્ઝરી ટ્રેનોમાં મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સરકારી કર્માચારીઓ પાસે કુલ 385 ટ્રેનમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જેમાં 136 વંદે ભારત, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેન સામેલ છે. અગાઉ, તેઓ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઇ-એન્ડ ટ્રેનોમાં એસી મુસાફરીનો આનંદ માણી શકતા હતા. આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં LTC મુસાફરી બુકિંગ માટે સરકારી કર્મચારીઓને વધુ વિકલ્પો મળશે.