Posts

Showing posts from 2025

RCB vs KKR : વરસાદના કારણે મેચ રદ, બંને ટીમોને મળ્યા 1-1 પોઇન્ટ, KKR પ્લેઓફની રેસમાંથી બહાર

Image
IPL 2025 RCB vs KKR : પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરાઇ હતી. જે પછી આ ટુર્નામેન્ટ આજથી (17 મે) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે ફરી શરૂ થઈ. જો કે, આ બીજા તબક્કાની પહેલી જ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જે પછી બંને ટીમોને એક-એક પોઇન્ટ અપાયા હતા. આ મેચ રદ થતા KKR પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે અને RCB પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચવાની સાથે પ્લેઓફમાં ક્વોલિફાઇ થવા માટે સૌથી મજબૂત ટીમ બની ગઇ છે.

ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, એક જ દિવસમાં 150 લોકોના મોત, એરસ્ટ્રાઈક બાદ હમાસ વાતચીત માટે થયું તૈયાર

Image
Israel Attack on Gaza:  ઇઝરાયલે ગાઝામાં ફરી એકવાર તબાહી મચાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પશ્ચિમ એશિયાની મુલાકાતનાં સમાપન સમયે જ શુક્રવાર સવાર સુધીમાં ઇઝરાયલે ગાઝામાં 64 લોકોને મારી નાખ્યા હતા. ત્યારબાદ શનિવારે પણ જબરદસ્ત હુમલા થયા, જેમાં 150 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 450થી વધુ લોકો ઘાયલ થયા છે.

વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'

Image
- ભારતે પહેલી વખત તાલિબાન સાથે હાથ મિલાવ્યા - તાલિબાનોએ પહલગામ હુમલાની ટીકા કરી, ભારતે કાબુલ નદી પર શહતૂત બંધ બનાવવા તૈયારી દર્શાવી - પહલગામમાં આતંકી હુમલા પછી તુરંત જ ભારતીય રાજદ્વારીઓની ટીમે અફઘાનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો Ind vs Pak News :  જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં ભારતે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનમાં જતું પાણી અટકાવી દીધું છે. આટલું ઓછું હોય તેમ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ભારે વિનાશ વેર્યો હતો. હવે ભારતે તાલિબાન સાથે હાથ મિલાવીને પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન તરફથી આવતું પાણી રોકવાની પણ તૈયારી હાથ ધરી છે.

ઝેલેન્સ્કી અને પુતિનનો મોટો નિર્ણય, 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા સંમત

Image
Russia-Ukraine Peace Talks : રશિયા અને યુક્રેન વચ્ચે ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે પ્રત્યક્ષ બેઠક થઈ હતી. બેઠકમાં યુદ્ધ વિરામ કરવા પર કે યુદ્ધ અટકાવવાનો કોઈ નિવેડો આવ્યો નથી, પરંતુ બંને દેશો 1000 યુદ્ધ કેદીઓની અદલાબદલી કરવા માટે સંમત થયા છે. યુદ્ધ કેદીઓની અદલાબદલી બંને દેશો માટે સારા સંકેત યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમરોવે યુદ્ધ કેદીઓની અદલાબદલીની માહિતી આપવાની સાથે કહ્યું છે કે, યુદ્ધની શરૂઆત થયા બાદ બંને દેશો વચ્ચે આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે. બંને દેશો વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે ઈસ્તંબુલમાં શાંતિ બેઠક યોજાઈ હતી.

ભારતના બે પાડોશી દેશની ભૂકંપના કારણે ધરા ધ્રૂજીઃ 4 થી 4.5ની રહી તીવ્રતા, જાનહાનિ ટળી

Image
Earthquake: ભારતના બે પાડોશી દેશ ચીન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજવાના સમાચાર સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NSC)એ જણાવ્યું કે, ચીનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી છે. હાલ, ભૂકંપના કારણે કોઈ નુકસાનની જાણકારી સામે આવી નથી. 

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર

Image
Indian Army: મણિપુરના ચંદેલ જિલ્લામાં બુધવારે (14 મે) અસમ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આ ઓપરેશન હજુ શરૂ છે. સેનાના અધિકારીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે, મ્યાનમાર સરહદથી જોડાયેલા ન્યૂ સમતાલ ગામ પાસે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની ગતિવિધિની જાણકારી બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ સેનાએ આપી જાણકારી

ભારતથી ડરી ગયા પાક.ના આતંકવાદીઓ-કટ્ટરપંથી નેતાઓ, બુલેટપ્રૂફ કાચ પાછળ ઉભા રહી આપ્યું ભારત વિરોધી ભાષણ

Image
Terrorists Support Pakistani Army: ગત 12 મે 2025ના રોજ પાકિસ્તાનના કરાચીમાં એક એવી રેલી યોજાઈ. જેણે પાકિસ્તાનની આતંકવાદ સમર્થક માનસિકતાને ફરીથી ઉજાગર કરી. દિફા-એ-વતન કાઉન્સિલ (DWC)ના બેનર હેઠળ આયોજિત આ રેલીમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને અહલે સુન્નત વલ જમાત જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતા સામેલ હતા. જિન્ના બાગમાં હજારો કટ્ટરપંથીઓએ પાકિસ્તાની સેનાના વખાણ કર્યા અને ભારત વિરોધી ભડકાઉ ભાષણ આપ્યા. રેલીમાં લશ્કરના કમાન્ડર ફૈઝલ નદીમે બુલેટપ્રૂફ ગ્લાસની પાછળ ઉભા રહીને ભારત વિરોધી ઝેર ઓંક્યું. જેનાથી તેની કાયરતા પણ સામે આવી.

ભારતની પાકિસ્તાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી, 24 કલાકમાં હાઇ કમિશનના વધુ એક અધિકારીને દેશ છોડવાનો આદેશ

Image
India-Pakistan Tension:  નવી દિલ્હી ખાતે આવેલા પાકિસ્તાની હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરી દેવાયા છે અને તેને 24 કલાકમાં દેશ છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ કાર્યવાહી પાકિસ્તાની અધિકારીના પોતાના અધિકારક્ષેત્રની બહાર અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભારતે આજે(13 મે) આ સંદર્ભમાં પાકિસ્તાન હાઈ કમિશનના પ્રભારીને એક ડિમાર્ચ (બીજા દેશ સામે લેવાયેલ રાજદ્વારી પગલું) જારી કર્યું અને ઉપરોક્ત અધિકારીને 24 કલાકની અંદર દેશની બહાર મોકલવા જણાવ્યું.

મ્યાનમારમાં સેનાએ શાળા પર કરી એરસ્ટ્રાઈક, 20 વિદ્યાર્થી સહિત 22ના મોત

Image
Myanmar Army Airstrike on School : મ્યાનમારમાં સેનાએ પોતાની જ શાળા પર એરસ્ટ્રાઈક કરી દીધી જેમાં 20 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે. આ હુમલો સોમવારે સવારે થયો જ્યારે બાળકો શાળામાં ભણી રહ્યા હતા. હુમલામાં 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. સ્થાનિક મીડિયા અનુસાર આ શાળા લોકતંત્ર સમર્થક આંદોલન સાથે જોડાયેલી હતી. મ્યાનમારની સેનાએ આ હુમલાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.  

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

Image
CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, 'આ નવા ભારતની નીતિનું એલાન છે...

'પાકિસ્તાન માત્ર શાંતિનો દેખાડો કરે છે...', BLA એ ભારતની મદદ માગી, કહ્યું- અમને સ્વતંત્રતા જોઈએ

Image
BLA NEWS :  ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડીને બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ. બલૂચિસ્તાનમાં માનવ અધિકાર સંગઠનો પણ મોટાપાયે દેખાવો કરી રહ્યા છે.

બિહારના મોતિહારમાં પકડાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી, NIAએ હાથ ધરી પૂછપરછ

Image
NIA arrest Kashmir Singh : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને જિલ્લા પોલીસની ટીમે રવિવારે (11 મે, 2025) બિહારમાં ખાસ દરોડા પાડ્યા હતા. જેમાં મોતિહારમાંથી મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાન સમર્થક કાશ્મીર સિંહ ઉર્ફે ગલવાડ્ડી ઉર્ફે બલબીરની ધરપકડ કરી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આરોપી પંજાબના લુધિયાણાના રહેવાસી હરિ સિંહનો પુત્ર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા 20 ઓગસ્ટ 2022ના રોજ દિલ્હીના NIA પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધમાં વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.  બિહારમાં ઝડપાયો મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની સમર્થક આતંકી

યુદ્ધપોત અને સબમરીન સાથે કરાંચી પર હુમલા માટે તૈયાર હતી નૌસેના : DGNOનું નિવેદન

Image
Indian ARMY Press Conference:  ભારતની ત્રણેય સેનાઓએ રવિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ તેમની કાર્યવાહી વિશે માહિતી આપી હતી. આ પણ વાંચો : ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના માત્ર ભારત સરકારના નિર્દેશોની રાહ જોવાતી હતી...

જૂનાગઢ સતત ચોથા દિવસે ભિંજાયું, માણાવદરમાં 2.5, ગ્રામ્ય પંથકમાં 4થી 5 ઈંચ કમોસમી વરસાદ

Image
Gujarat Rain and Weather News : જૂનાગઢ જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ પડયો હતો. માણાવદર શહેરમાં અઢી તેમજ ગ્રામ્ય પંથકમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા હતા. માળિયાહાટીના પંથકમાં વરસાદથી વૃજમી નદીમાં પુર આવ્યું હતું. જ્યારે ભેસાણમાં એક, જૂનાગઢમાં અડધો ઇંચ કમોસમી વરસાદ થયો હતો. હાલ પડતા વરસાદના લીધે ઉનાળુ પાક, કેરી, રાવણાનો પાક હવે નિષ્ફળ જાય એવી હાલત છે.

VIDEO : અજંપાભરી સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં શાંતિ છવાઇ

Image
india vs Pak |  ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઇ ગયા છે. અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા. જોકે પછીથી ભારતે ચોખવટ કરી હતી ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત દ્વારા સીઝફાયર માટે સહમતિ આપી છે તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. 

પાકિસ્તાને ત્રણ કલાકમાં જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, જડબાતોડ જવાબ આપવા ભારતીય સેનાને આદેશ: વિદેશ મંત્રાલય

Image
India-Pakistan Tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જો કે, ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 'પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ, સુરક્ષાના ભાગરૂપે લેવાયો નિર્ણય

Image
India-Pakistan Tension: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી લઈને અત્યાર સુધી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. પરંતુ પાકિસ્તાન તરફથી કરાયેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધા છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા બાદ પણ દુશ્મન દેશે હુમલા શરૂ રાખ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી પાકિસ્તાન બોર્ડરના રાજ્યો હાઇ ઍલર્ટ પર છે. ત્યારે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી બ્લેકઆઉટની જાહેરાત કરાઈ છે.

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Image
Earthquack in Pakistan | ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી.

આતંકની દુકાન ચલાવતા પાકિસ્તાનને IMFએ આપી એક અબજ ડોલરની લોન, ભારતે નોંધાવ્યો હતો વિરોધ

Image
IMF Loan To Pakistan:  આતંકવાદીઓનો ઉછેર કરનારા અને તેનો બચાવ કરનારા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ  1 અબજ ડોલરના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી છે. IMF દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી. શુક્રવારે ભારતે પાકિસ્તાનને 1.3 અબજ ડોલરની નવી લોન આપવાના IMFના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. ભારતે તેની પાછળનું કારણ ઇસ્લામાબાદના 'નાણાકીય સહાયના ઉપયોગમાં ખરાબ રેકોર્ડ'ને ગણાવ્યું હતું. આ નાણાંનો દુરુપયોગ ટેરર ફંડિંગ માટે થઈ શકે છે.

'પાકિસ્તાન બેલઆઉટ પેકેજ લઈને ટેરર ફંડિંગ કરે છે', ભારતે IMFના મતદાનમાં ભાગ ન લીધો

Image
India On IMF : અમેરિકાના વોશિંગટનમાં આજે શુક્રવારે (9 મે, 2025) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  (IMF) તરફથી પાકિસ્તાનને 1.3 અબજ ડોલરના બેલઆઉટ પેકેજનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જોકે, ભારતે આ અંગે મતદાનથી દૂર રહીને વિરોધ કર્યો છે. ભારતે બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે, પાકિસ્તાનને અપાતી નાણાકીય સહાયથી આતંકવાદી સંગઠનોને પરોક્ષ રીતે મદદ મળે છે. આ સિવાય ભારતે IMFની જ એક રિપોર્ટનો હવાલો આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનને વારંવાર નાણાકીય સહાય આપવાને લીધે તે IMF માટે 'too-big-to-fail' દેવાદાર બની ગયું છે.

Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો

Image
India-Pak Conflict: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પહલગામના હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેનાએ 7 મેની રાત્રે 'ઓપરેશન સિંદૂર' હેઠળ એર સ્ટ્રાઇક 9 આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારથી પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ વધ્યો છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીર અને અન્ય ભારતીય સીમાઓ પર સતત હુમલાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુરૂવાર રાતથી સ્થિતિ વધારે નાજૂક બની છે. આવી નાજૂક પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક ફેક વીડિયો અને ખોટી માહિતીઓનો રાફડો ફાટ્યો છે.

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી

Image
Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ફ્લાઈટોને અસર પહોંચી છે. એર ઈન્ડિયા, સ્પાઇસજેટ, ઈન્ડિગો, આકાસા એરે એક એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને સચિત કર્યા છે કે, જો તેમની ફ્લાઈટનું શેડ્યુલ છે તો તેઓ સમયના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય.

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયર ઉલ્લંઘન, ભારતીય સૈન્ય જવાન શહીદ

Image
jammu and Kashmir News : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે  કે 7 મેના રોજ ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, ત્યારથી સરહદ પર સતત ગોળીબાર ચાલુ છે. ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે.

BREAKING : ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના 9 કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર અપાયું નામ

Image
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે. એ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો છે જ્યાંથી પહલગામ હુમલાનું કાવતરું ઘડાયું હતું. આ ઓપરેશન લગભગ મોડી રાતે 1.30 વાગ્યાની આસપાસ કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સત્તાવારી રીતે મળતી માહિતી મુજબ કુલ 9 સ્થળો પર એકસાથે ભારતીય સેનાએ હુમલો કરી આતંકવાદી કેમ્પનો ખાત્મો બોલાવ્યો છે.

57 મુસ્લિમ દેશોના સંગઠને પાકિસ્તાનને સમર્થન આપતા ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ

Image
India slams OIC's statement : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એકતરફ ભારતને અમેરિકા અને રશિયા જેવા મિત્રોનો સાથ મળ્યો છે, તો બીજીતરફ પાકિસ્તાને OICને ગેરમાર્ગે દોરીને 57 દેશોનું સમર્થન હાંસલ કર્યું છે. આ મામલેઈસ્લામિક સહયોગ સંગઠન ( IOC)એ નિવેદન જારી કરી ભારતના પાકિસ્તાન વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓંકવા મુસ્લિમ સંગઠનનોનો ઉપયોગ કર્યો ઓઆઈસી પહલગામ હુમલા મામલે પાકિસ્તાનની ટીકા કરવાના બદલે તેને સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે.

પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે, સંયુક્ત રાષ્ટ્રની ભારત-પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષથી બચવા સલાહ

Image
UN Chief Urges Restraint as India-Pakistan Tensions Rise : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાન તરફથી વારંવાર યુદ્ધ અને અણુબોમ્બની ધમકીઓ આપવામાં આવી રહી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રના વડા ( સેક્રેટરી જનરલ ) એન્ટોનિયો ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બંને દેશોને સૈન્ય સંઘર્ષ ન કરવા સલાહ આપી છે.  સૈન્ય સંઘર્ષથી પરિસ્થિતિ બેકાબૂ થઈ શકે: UN

અમરેલીની શેત્રુંજી નદીમાં 4 યુવાનોના ડૂબી જતાં મોત, સમગ્ર પંથકમાં શોક છવાયો

Image
Amreli News : ગુજરાતના અમરેલી તાલુકાના ગાવડકા નજીક શેત્રુંજી નદીમાં 4 યુવાનો નાહવા પડ્યા હતા. જેમાં નદીના ઊંડા પાણી યુવાનો ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમરેલી તાલુકા પોલીસ અને ફાયર ટીમ જવાનો ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. નદીમાં ડૂબ જવાની ઘટનામાં 4 યુવાનોના મૃતદેહ બહાર કઢાયા હતા. ઘટનાને પગલે સંમગ્ર પથંકમાં શોક છવાયો છે. 

કેન્દ્ર સરકારના સોગંદનામા બાદ આજે વક્ફ મુદ્દે ફરી સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે

Image
Waqf Bill and Supreme Court News :  કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારા કરવામાં આવ્યા હતા, જેની સામે સુપ્રીમ કોર્ટમાં ૭૨ જેટલી અરજીઓ થઇ છે. આ અરજીઓમાંથી કેટલીક અરજીઓની સુનાવણી ચાલી રહી છે. સોમવારે સુપ્રીમ કોર્ટ ફરી સુનાવણી કરવા જઇ રહી છે. આ પહેલા 17 એપ્રિલના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો.

કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલને ગણાવ્યું 'રમકડું'! ભાજપે કહ્યું- 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બની ગયું'

Image
Ajay Rai on Rafale : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાને લઈને વિપક્ષ સરકારને અનેક સવાલો કરી રહી છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે એક રમકડાનું વિમાન બતાવ્યું અને તેના પર રાફેલ લખેલું હતું. આમ કોંગ્રેસ નેતા અજય રાયે રાફેલ ફાયટર વિમાનને રમકડું બતાવીને મજાક ઉડાવી હતી અને તેના પર લીંબુ-મરચાં લટકાવીને કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો. પહલગામ આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસ નેતાએ કરેલી કટાક્ષનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

એક તરફ ઇન્ડિયન નેવીએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, બીજી તરફ નેવી ચીફે પીએમ મોદી સાથે કરી મુલાકાત

Image
Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક લાંબી બેઠક યોજી હતી, જેમાં તેમણે નૌસેનાની વર્તમાન તૈયારીઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કર્યું ભારતીય નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે યુદ્ધાભ્યાસ દરમિયાન નૌસેનાએ પોરબંદર પાસે આયોજિત કરવામાં આવેલા અનેક લાઈવ ફાયરિંગ ડ્રિલ્સનું પણ સંચલાન કર્યું છે.

VIDEO : મુઝફ્ફરનગરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની રેલીમાં બબાલ, ધક્કા-મુક્કી, ડંડો મારવાનો પ્રયાસ, પાઘડી પડી

Image
Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં જન આક્રોશ રેલીમાં ભારે બબાલ થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી છે, જેમાં તેમની પાઘડી પડી ગઈ છે. આ દરમિયાન તેમના પર ડંડાથી હુમલો કરવાનો પણ પ્રયાસ કરાયો છે. એટલું જ નહીં અહીં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ થઈ રહ્યા છે. એવું કહેવાય છે કે, પોલીસે ભારે જહેમત ઉઠાવી ટિકૈતના મહામુસિબતે ત્યાંથી બહાર કાઢ્યા છે.

VIDEO : કર્ણાટકમાં હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ બબાલ, દક્ષિણ કન્નડમાં અનેક બસો પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ

Image
Suhas Shetty Murder Case : કર્ણાટકમાં એક હિન્દુ કાર્યકર્તાની હત્યા બાદ દક્ષિણ કન્નડ જિલ્લામાં ભારે સ્થિતી વણસી ગઈ છે. અહીં અનેક બસોમાં પથ્થમારો તો કેટલાક વાહનોમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટના બાદ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધની જાહેરાત કરતાં અહીં મોટાભાગના જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી છે. જિલ્લા વહિવટીતંત્રએ સ્થિતિ પર કાબુ મેળવવા માટે કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધના આદેશ જાહેર કર્યા છે. અધિકારીઓએ કહ્યું કે, કેટલાક વિસ્તારોમાં ટોળા દ્વારા કેટલીક બસો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.

બંધારણીય સંસ્થાઓ પોત-પોતાના દાયરામાં સીમિત રહે, ત્યારે જ થાય છે પરસ્પર સન્માન: જગદીપ ધનખડ

Image
Vice President Jagdeep Dhankhar : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ એક દિવસ માટે લખનઉના પ્રવાસે ગયા છે. જાનકીપુરમ સ્થિત એકેટીયુમાં આયોજિત યુપીના રાજ્યપાલ આનંદીબહેન પટેલના જીવન પર આધારિત પુસ્તક 'ચુનોતિયા મુઝે પસંદ હેં'ના વિમોચનના કાર્યક્રમમાં જગદીપ ધનખડે જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય, વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને ભૂતપૂર્વ રાજ્યપાલ કલરાજ મિશ્રા સહિત કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. તેમજ સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ તેમની સાથે રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરુવારે (1 મે, 2025) લખનઉના પ્રવાસે પહોંચ્યા છે, ત્યારે બક્શીના તળાવ સ્થિત એરફોર્સ સ્ટેશન પર યોગી આદિત્યનાથે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.

પહલગામ આતંકી હુમલો: 'PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે', રાહુલ ગાંધીનું નિવેદન

Image
Rahul Gandhi On Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આતંકી હુમલા નિંદા કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જ્યારે બુધવારે (30 એપ્રિલ, 2025) કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરી પર નિર્ણય લીધો છે, ત્યારે રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકારના જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'આ હુમલો ઠંડા મગજથી કરાયેલો નરસંહાર છે.

પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત

Image
West Bengal Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના મેચુઆપટ્ટી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયાનો દાવો કરાયો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. 

RSS પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી, પહલગામ હુમલા મુદ્દે થઈ ચર્ચા

Image
Pahalgam Attack: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાવગતે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પીએમ આવાસમાં મુલાકાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ સંસ્થાના ટોચના અધિકારીઓ સાથે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર ભારતની જવાબી કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. સૂત્રોના અનુસાર, મોહન ભાગવત સાથેની બેઠકમાં પહલગામ હુમલા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક લગભગ દોઢ કલાક ચાલી હતી અને હાલના ઘટનાક્રમમાં તેને ખુબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. PM મોદીની ણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક

અમદાવાદમાં ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ, લોકો જીવ બચાવવા ચોથા માળેથી કૂદ્યા, 27નું કરાયું રેસ્ક્યૂ

Image
Ahmedabad Fire: અમદાવાદના હાસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક આત્રેય ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી કૂદ્યા હતા. ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

આજે કેનેડાની ચૂંટણીના પરિણામ: સરવેમાં લિબરલ પાર્ટી આગળ, ટ્રમ્પે ફરી કહ્યું- 51મું રાજ્ય બની જાઓ

Image
Canada Election 2025: કેનેડામાં સોમવારે ચૂંટણી માટે મતદાન થયું હતું, જે બાદ ભારતીય સમય અનુસાર આજે સવારે 10 વાગ્યાથી પરિણામ આવવાની શરૂઆત થઈ જશે. કેનેડાની ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની તથા વિપક્ષ નેતા પિયરે પોઇલિવરે વચ્ચે છે. જોકે પરિણામ આવે તે પહેલા સરવે અનુસાર લિબરલ પાર્ટી કન્ઝર્વેટિવ કરતાં આગળ ચાલી રહી છે.  સત્તાધારી લિબરલ્સને ફરી મોકો મળશે: સરવે  માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે.

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ એલર્ટ

Image
IMD Rain, heat, Cyclone Latest Update Alert : ભારતીય હવામાન વિભાગે (IMD) દેશભરના અનેક રાજ્યોની હવામાન સ્થિતિનું લેટેસ્ટ અપડેટ જાહેર કર્યું છે. આગાહી મુજબ દેશના કેટલાક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડવાની સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમીનું પણ એલર્ટ જાહેર કર્યું છે. અસહ્ય ગરમી સહન કરી રહેલા રાજ્યોને મળશે રાહત હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલવાનો છે. હાલ એનસીાર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે આગામી એક-બે દિવસમાં તેઓની રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

3 વર્ષની જેલ, 3 લાખ દંડ અથવા... પાકિસ્તાનીઓ ભારત નહીં છોડે તો થશે આકરી સજા

Image
Pakistani's Failing Leave India : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી દેશમાંથી તમામ પાકિસ્તાનીઓને ખદેડવાનો આદેશ આપી દીધો છે. જો પાકિસ્તાનીઓ ભારત સરકારના આદેશનું ઉલ્લંઘન કરે તો તેમને આકરી સજા ફટકારવાનો નિર્ણય કરાયો છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, જો પાકિસ્તાનીઓ નિર્ધારીત સમયમર્યાદા બાદ ભારતમાં રોકાશે તો તેની ધરપકડ કરવામાં આવશે. આવા લોકોને ત્રણ વર્ષની જેલ, ત્રણ લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાકિસ્તાનીઓને દેશ છોડવા 29 એપ્રિલ સુધીનો સમય

ભારતની સૈન્ય શક્તિમાં વધારો: આગામી 48 કલાકમાં 63 હજાર કરોડ રૂપિયાની ડીલ પર વાગશે મહોર

Image
Rafale-M fighter jets India : તાજેતરમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. તણાવભર્યા આ માહોલમાં ભારત પાકિસ્તાન પર હુમલો કરશે એવી શક્યતા પ્રબળ બની રહી છે એવામાં ભારતના નૌકાદળને લઈને એ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે અને તે એ કે ભારત ફ્રાન્સ પાસેથી 63,887 કરોડ રૂપિયાના રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે.  ભારતને કેટલા રાફેલ મળશે? 6.6 બિલિયન યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે.

ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ, લોકો રસ્તા પર ઉતરતા પોલીસનો લાઠીચાર્જ

Image
Jaipur News: રાજસ્થાનના જયપુરની હવામહેલ સીટના ભાજપના ધારાસભ્યના બાલમુકુંદ આચાર્યના ધાર્મિક સ્થળમાં પ્રવેશીને પોસ્ટર લગાવવાના વિવાદે જોર પકડ્યું છે. ભાજપના ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે શનિવારે (26 એપ્રિલ, 2025) જોહારી બજાર ખાતે બાલમુકુંદ આચાર્યની ધરપકડ કરવાની માગ સાથે વિરોધ નોંધાવી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ભાજપ ધારાસભ્યના નિવેદન બાદ જયપુરમાં તણાવ જયપુરના જોહારી બજારમાં ભાજપ ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યના નિવેદનને લઈને આજે શનિવારે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે જોહારી બજાર ખાતે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

સૈન્ય કે પોલીસ પણ નહીં છતાં સરકારની જાણ વગર 2000 પ્રવાસી પહલગામ પહોંચ્યા જ કેવી રીતે?

Image
- આતંકી હુમલા અંગે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષો આકરાપાણીએ છતાં એક્શન માટે સરકારની તરફેણમાં - અમરનાથ યાત્રા માટેનો માર્ગ સ્થાનિક ટૂર ઓપરેટરોએ બે મહિના પહેલાં ખોલી કાઢ્યો, બે દિવસ ધમધમાટ છતાં જડબેસલાક સુરક્ષાનો દાવો કરતું આખું તંત્ર ઉંઘતું ઝડપાયું - સૈન્યની હાજરી નથી અને સ્થાનિક પોલીસ સ્ટેશન નથી ત્યાં સરકારની જાણ વગર બે હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા કેવી રીતે Pahalgam Terror Atttack News :  કાશ્મીરના પહલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની તપાસનો દેશભરમાં ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાનીમાં ઓલ પાર્ટી બેઠકનંમ આયોજન થયું હતું. આ બેઠક દરમિયાન ચર્ચામાં આવ્યું હતું કે, પહલગામ આતંકવાદી હુમલો મોટી સુરક્ષા બેદરકારીનું પરિણામ છે. સુરક્ષા એજન્સીઓ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે આ હુમલા અંગે કોઈ ટિપ નહોતી.

આતંકવાદીઓ ઘૂસ્યા જ કઈ રીતે? જવાબદાર કોણ?, પહલગામ હુમલા અંગે કોંગ્રેસના 6 સવાલ

Image
Congress 6 questions on Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ગત 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ છવાયો છે. પહલગામ આતંકી હુમલામાં 26 પર્યટકોના મોત નીપજ્યા હતા અને અનેક ઘાયલ થયા હતા. હુમલાની ઘટના બાદ ભારતે પાકિસ્તાન વિરૂદ્ધા કેટલાક ઠોસ નિર્ણયો લીધા છે. સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ સરકારને ટેકો આપ્યો અને કહ્યું કે આતંકવાદના મુદ્દા પર સમગ્ર વિપક્ષ સરકારની સાથે ઉભો છે.

સુરેન્દ્રનગરમાં પોલીસકર્મી જ વ્યાજખોર, 5000ની સામે 90000 વસૂલ્યાં છતાં ઉઘરાણી ચાલુ રાખતાં FIR

Image
Surendranagar News : રાજ્યમાં એક તરફ પોલીસ વ્યાજખોરના ત્રાસથી લોકોને છુટકારો મળે તે માટે 'એક તક પોલીસને' કાર્યક્રમો યોજતી હોય છે. તેવામાં સુરેન્દ્રનગરથી પોલીસકર્મી જ વ્યાજે રૂપિયા ફેરવતો હોવાનું સામે આવ્યું છે. જોરવારનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મી સામે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હોવાની રિક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી છે. એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાડમાં રહેતા અને રિક્ષા ચલાવતા ફરિયાદી યુનુસભાઈ હારૂનભાઈ મેરએ જોરાવરનાગર પોલીસ મથકે એએસઆઇ તરીકે ફરજ બજાવતા  સરદારસિંહ પોલીસવાળા નામના પોલીસ કર્મી પાસેથી દોઢેક વર્ષ પહેલા રૂા.

પહલગામ હુમલા બાદ મોટી હલચલ! વાયુસેનાએ શરૂ કર્યું 'એક્સરસાઈઝ આક્રમણ', દેખાડી રાફેલ-સુખોઈની તાકાત

Image
Indian Air Force Exercise Aakraman : જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધમાં કડક એક્શન લઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ 'એક્સરસાઈઝ આક્રમણ' હેઠળ મોટું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. જેમાં પહાડ અને જમીનના સ્તરે ટાર્ગેટને લઈને હવાઈ હુમલાનું અભ્યાસ કર્યું છે. આ યુદ્ધ કવાયત હાલમાં સેન્ટ્રલ સેક્ટરમાં ચાલી રહી છે.  મળતી માહિતી મુજબ, વાયુસેનાના ઘણા સાધનો પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં મોકલવામાં આવ્યા છે.

10 લાખથી વધુની લક્ઝુરિયસ વસ્તુઓની ખરીદી પર હવે 1% TCS લાગશે, ITનું નોટિફિકેશન

Image
- હેન્ડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ, સનગ્લાસ, પેઇન્ટિંગ, મૂર્તિઓ સહિતની વૈભવી વસ્તુઓની ખરીદી પર ટીસીએસ ચૂકવવો પડશે 10% TCS on 10 Lakh Purchase : દસ લાખ રૂપિયાથી વધુ કિંમતના હેંડબેગ, કાંડા ઘડિયાળ, શૂઝ-ચંપલ અને સ્પોટ્સ ર્વેર જેવી લકઝરી વસ્તુઓ પર હવે એક ટકા ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (ટીસીએસ) લાગશે. હાલમાં એક જાન્યુઆરી, 2025થી 10 લાખ રૂપિયાથી વધુ કીંમતવાળા મોટર વાહનો પર એક ટકાના દરથી ટીસીએસ લગાવવામાં આવી રહ્યો છે.  આવકવેરા વિભાગે 22 એપ્રિલ, 2025થી 10 લાખ રૂપિયાથી વધુની વિશિષ્ટ લકઝરી વસ્તુઓના વેચાણ પર એક ટકા ટીસીએસ લગાવવા નોટિફિકેશન બહાર પાડયું છે.

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન

Image
Pahalgam Terrerist Attack : દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને બુધવારે (23 એપ્રિલ) કેન્દ્ર સરકારે અલગ અલગ મોટા નિર્ણયો લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે સિંધુ જળ સંધિ શું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થઈ શકે છે.

ટેરિફ વૉરને પગલે અમેરિકા-દુનિયાના અર્થતંત્રમાં મંદી જોવા મળશે, IMFની ગંભીર આગાહી

Image
- આ વર્ષે ગ્લોબલ ઇકોનોમીમાં 3.3 ટકાને બદલે માત્ર 2.8 ટકાની વૃદ્ધિ થશે   - ટ્રમ્પના ટેરિફને પગલે ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે યુએસના અર્થતંત્રની વૃદ્ધિ ઘટી 1.7 ટકા રહેવાની આગાહી  Donald Trump Tariff News : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવામાં આવતાં તેના પગલે સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે દુનિયાના અર્થતંત્રની વૃદ્ધિનો વરતારો ખરાબ જણાય છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ-આઇએમએફ- દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું.