Posts

Showing posts from 2025

બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને

Image
Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) થશે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

Image
Election Commission And BJP On Rahul Gandhi Allegation : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ હરિયાણા વિધાનસભા ચૂંટણી-2024માં મતદાર યાદીમાં ગેરરીતિ અને વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા બાદ ચૂંટણી પંચ અને ભાજપે વળતો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હરિયાણામાં 25 લાખ જેટલી એન્ટ્રીઓ નકલી હતી અને હરિયાણા વિધાનસભા ચૂંટણની ચોરી કરવામાં આવી હતી. કોંગ્રેસના બૂથ એજન્ટોએ મતદાન વખતે ફરિયાદ કેમ ન કરી : ચૂંટણી પંચ ચૂંટણી પંચે આજે (5 નવેમ્બર) રાહુલ ગાંધીના આ દાવાઓને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે દાવાનો જવાબ આપ્યો છે કે, તે વખતે કોંગ્રેસના બૂથ એજન્ટો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિની કોઈ ફરિયાદ કરવામાં આવી નથી અને એક મતદારે વધુ વખત મતદાન કર્યું હોવાની પણ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

ફિલિપાઈન્સમાં કાલમેગી વાવાઝોડાએ તબાહી મચાવી, કુલ મૃત્યુઆંક 52ને વટાવી ગયો

Image
Philippines News : ઝડપથી આગળ વધતું વાવાઝોડું કાલમેગી સોમવારે મધ્ય ફિલિપાઇન્સ પરથી પસાર થતાં 52 લોકોનાં મોત થયા હતાં. અનેક લોકો પોતાના ઘરોની છત પર ફસાયા હતાં. બે ગામોમાં અનેક વાહનો ડૂબી ગયા હતાં તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ દરમિયાન પૂરગ્રસ્તોની મદદ માટે ગયેલું ફિલિપાઇન્સ એર ફોર્સનું હેલિકોપ્ટર  તૂટી પડયું છે. આ હેલિકોપ્ટરમાં કુલ પાંચ લોકો સવાર હતાં. 

'10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર

Image
Image Source: Rahul Gandhi / X Bihar Election 2025: બિહારના કુટુમ્બામાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સેનાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતીય સેનામાં દેશની 10 ટકા વસ્તીનો કંટ્રોલ છે.

અમેરિકાની ટ્રમ્પ સરકારનો હાયર એક્ટ ભારતને H1B વિઝા કરતા મોટો ઝટકો આપશે : રઘુરામ રાજન

Image
Raghuram rajan News : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા સૂચિત હોલ્ટિંગ ઈન્ટરનેશનલ રિલોકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ (હાયર) એકટ ભારત માટે એચ1બી વિઝા ફીમાં તાજેતરના વધારા કરતા પણ વધુ જોખમી છે.  સૂચિત હાયર એક્ટ માત્ર માલસામાન પર જ નહીં આઉટસોર્સ કરાયેલી સર્વિસીઝ પર પણ ટેરિફ લાગુ કરી શકે છે, જે ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી અને સેવા ક્ષેત્રની નિકાસને વધુ નુકસાન પહોંચાડી શકે છે. એક મીડિયા મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, આપણી મોટી ચિંતાઓમાંની એક ચિંતા અમેરિકા સેવાઓ પર ટેરિફ લાગુ કરવાના માર્ગો શોધી રહ્યું છે તે છે.  અમેરિકન કોંગ્રેસ હાયર એકટ પર ચર્ચા કરી રહી છે જેનો હેતુ આઉટસોર્સ કરાયેલા કામ પર  ટેકસ લાદવાનો છે.

'ભારત સાથે સંબંધો વિકસી રહ્યા છે', અમેરિકા સાથે તણાવ વચ્ચે કેનેડાના PMનું મોટું નિવેદન

Image
PM Mark Carney's Statement On India : ભારત સાથેના સંબંધને લઈને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ગઈકાલે શનિવારે (1 નવેમ્બર, 2025) મોટું નિવેદન આપ્યું હતું. વડાપ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે, 'કેનેડા ભારત સાથે સંબંધ મજબૂત કરવા માટે સકારાત્મક પ્રગતિ કરી રહ્યું છે. ભારત સાથે કેનેડાનો સંબંધો વિકસી રહ્યા છે. અમેરિકા સાથે ટેરિફ તણાવ વચ્ચે કેનેડા વિદેશામાં મિત્રતા જાળવી રાખવા પર કામ કરી રહ્યું છે.' ટ્રમ્પના નિવેદન બાદ કેનેડાના પીએમની પ્રતિક્રિયા

VIDEO : રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, મુસાફરો સવાર મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં 15 મોત

Image
Rajasthan Tempo-Truck Accident : રાજસ્થાનના ફલોદી જિલ્લામાં રવિવારે માટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. પુરપાઠ ઝડપે જઈ રહેલી મીની બસ ટ્રકમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતકોમાં એક જ પરિવારના અનેક સભ્યોનો સમાવેશ થતો હોવાની વિગતો સામે આવી છે.

BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

Image
JD(U) Leader Anant Singh Held for Dularchand Killing : બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની વચ્ચે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. હાલમાં જ મોકામામાં દુલારચંદ યાદવની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થયા હતા. હત્યાનો આરોપ બાહુબલી નેતા તથા જનતા દળ યુનાઈટેડના ઉમેદવાર અનંત સિંહ તથા તેમના સમર્થકો પર લગાવવામાં આવ્યો હતો. કારણ કે દુલારચંદ યાદવ અને અનંત સિંહ એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવતા હતા. એવામાં હવે બિહાર પોલીસે અનંત સિંહની ધરપકડ કરી છે. 

સ્વામી પ્રસાદ મૌર્યનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- 'જય શ્રીરામનો નારો નફરત ફેલાવવાનું લાયસન્સ'

Image
Swami Prasad Maurya Controversial statement: ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી અને તેમના જનતા પાર્ટીના પ્રમુખ સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને રાજકીયક્ષેત્રે ઉથલપાથલ મચાવી છે. મૌર્યએ કહ્યું કે, 'જય શ્રી રામ' અને 'જય બજરંગબલી' જેવા ધાર્મિક સૂત્રો હવે રમખાણો ભડકાવવા અને નફરત ફેલાવવાનું લાયસન્સ બની ગયું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર અને તેમના સમર્થકો ધાર્મિક ઉન્માદ ફેલાવવા માટે આ સૂત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, અને વધુમાં ખૂદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપે છે. આ પણ વાંચો : 'આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ', આર્મી ચીફનું નિવેદન ધર્મના નામે લોકો આતંકવાદના રસ્તે આગળ વધી રહ્યા છે 

આજથી બેન્કિંગ, લૉકર, આધાર કાર્ડ સહિત 7 મહત્ત્વપૂર્ણ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સાં પર સીધી અસર

Image
Banking Rule Changes: નવેમ્બર ૨૦૨૫ મહિનાની શરૂઆત સાથે જ દેશમાં અનેક નવા નિયમો લાગુ થઈ ગયા છે, જેની સીધી અસર સામાન્ય માણસના દૈનિક આર્થિક વ્યવહારો અને ખિસ્સા પર પડશે. આધાર અપડેટ ફીમાં ફેરફાર, બેન્ક નોમિનેશનના નિયમોમાં સરળતા, નવા GST સ્લેબ અને કાર્ડ પેમેન્ટ પર નવી ફી સહિતના 7 મોટા બદલાવ નીચે મુજબ છે. નવેમ્બર 2025થી લાગુ થતા 7 મુખ્ય ફેરફાર 1. આધાર અપડેટ ફીમાં ફેરફાર: 

AI ક્ષેત્રે ભારતીયોની જરૂર, H1B વિઝાની ફી ઘટાડો: અમેરિકાના સાંસદોનો ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર

Image
Trump’s H1B Visa Fee Hike Sparks Backlash : ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની ફીમાં ભારેખમ વધારો ઝીંકયો હતો. આ વધારાની સીધી અસર ભારતીયો પર પડી. ભારતથી હજારો લોકો દર વર્ષે નોકરી કરવા માટે અમેરિકા જતાં હતા તેમને મોટો ફટકો પડ્યો. આ સિવાય પણ ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં રહેતા ભારતીયોની મુશ્કેલી વધી જ છે. એવામાં હવે અમેરિકામાં જ ટ્રમ્પના નિર્ણયોનો વિરોધ શરૂ થયો છે. અમેરિકાના સાંસદોએ પત્ર લખીને ટ્રમ્પને H1B વિઝાની ફીમાં કરાયેલો વધારો પરત ખેંચવા અપીલ કરી છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી સીઝફાયરની જાહેરાત, તુર્કીયેનો મહત્ત્વપૂર્ણ રોલ

Image
Pakistan and Afghanistan Agree on Ceasefire : છેલ્લા ઘણા સમયથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના નેતાઓ એક બીજાને યુદ્ધની ધમકી આપી રહ્યા હતા. શરૂઆતમાં સૈન્ય સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે તુર્કીયેમાં સમાધાન મુદ્દે એક બાદ એક બેઠકો યોજાઈ. જે બાદ આખે બંને દેશો સંઘર્ષવિરામ માટે રાજી થયા છે. નોંધનીય છે કે તાલિબાન દ્વારા જડબાતોડ જવાબના કારણે પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. બંને દેશો વચ્ચે સમાધાન કરાવવા માટે તુર્કીયેએ મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી. 

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહોંચી વર્લ્ડકપ ફાઇનલમાં

Image
IND W vs AUS W: ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.

ટ્રેડ વોર સમાપ્ત કે પછી તણાવ હજુ વધશે? આજે 6 વર્ષ બાદ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત

Image
Trump, Xi Jinping to Discuss Tariffs and Rare Earth Minerals : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બેઠક કરશે. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ ટેરિફ યુદ્ધની વચ્ચે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં નક્કી થશે કે આ બે મહાશક્તિઓમાં કોણ નમતું જોખે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન અમેરિકાને પછાડી સૌથી શક્તિશાળી દેશ બનવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે.  કયા મુદ્દે ચર્ચા થશે? 

યુપીના બહરાઈચમાં મોટી દુર્ઘટના: કૌડિયાલા નદીમાં મુસાફરો સવાર બોટ પલટી, 20થી વધુ લોકો ગુમ

Image
Uttar Pradesh News: ઉત્તરપ્રદેશના બહરાઇચના કૌડિયાલા નદીમાં બોટ પલટી ગઈ છે. આ બોટમાં  28 મુસાફરો સવાર હતા. આ ઘટનામાં 20થી વધુ લોકો ગુમ થયા છે, 6 લોકોને બચાવી લેવાયા છે. NDRF અને SDRFની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ડીજીપી હેડક્વાર્ટરે સંજ્ઞાન લીધું છે.

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી, એકનું મોત

Image
Cyclone Montha Hits Andhra Coast : મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે એક મહિલાનું મોત થયું છે જ્યારે 76 હજારથી વધુ લોકોને શિબિર કેમ્પમાં રાખવામાં આવ્યા છે.  મોનથા વાવાઝોડું આંધ્ર પ્રદેશથી પસાર થયું તે સમયે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડું આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયાકાંઠે ટકરાયું હતું.  કાકીનાડા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું હતું જ્યારે વિશાખાપટ્ટનમ અને મછલીપટ્ટનમના બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

યુદ્ધવિરામ સંકટમાં! હમાસે ફાયરિંગ કરતા નેતન્યાહૂ ગુસ્સે ભરાયા, કહ્યું- 'હવે થશે પાવરફુલ સ્ટ્રાઈક'

Image
Netanyahu orders Powerful Strikes in Gaza: મધ્ય પૂર્વમાં ફરી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ સેનાને આદેશ આપ્યો છે કે, ગાઝા પટ્ટીમાં 'તાત્કાલિક અને શક્તિશાળી હુમલા' કરવામાં આવે. આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે હાલમાં જ અમેરિકાની મધ્યસ્થતાથી થયેલું યુદ્ધવિરામ સમજૂતી ખતરામાં છે. હમાસે તોડ્યું યુદ્ધવિરામ, ઈઝરાયલી સૈનિકો પર હુમલો મંગળવારે ઈઝરાયલી સેના (IDF)એ જણાવ્યું કે, હમાસના આતંકવાદીઓએ દક્ષિણી ગાઝામાં ઈઝરાયલી સૈનિકો પર ફાયરિંગ કર્યું, જેનાથી યુદ્ધવિરામની શરતોનું સીધું ઉલ્લંઘન થયું.

ગુજરાતની વિવિધ APMC પર ભાજપના મળતીયાઓનો કબજો, ગોડાઉનનો મફત ઉપયોગ અને ખેડૂતોને ઠેંગો

Image
Gujarat APMC: ગુજરાતમાં મોટાભાગની એપીએમસી પર ભાજપનો રાજકીય કબ્જો રહ્યો છે પણ ખેડૂતોને બદલે મળતિયાઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. સહકારી સંસ્થાઓના ખર્ચે બનેલા ખેડૂતો માટેના ગોડાઉનનો ભાજપના મળતિયા મફતમાં વાપરી રહ્યા છે. જોકે, ખેડૂતોને ગોડાઉનની સવલત મળતી નથી પરિણામે પાક ઉત્પાદન લઈ ખેડૂતોને વાહનમાં રાતવાસો કરવો પડે છે. આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન 224 એપીએમસીમાંથી મોટાભાગમાં ગ્રેડર જ નથી!

આજે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ટકરાશે મોનથા વાવાઝોડું: શાળાઓ બંધ, ટ્રેન-ફ્લાઈટ્સ રદ, મોટા પાયે સ્થળાંતર શરૂ

Image
Cyclone Montha to Hit Andhra Coast Tonight : મોનથા વાવાઝોડા હવે અત્યંત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આ વાવાઝોડું 28 ઓક્ટોબરે આંધ્ર પ્રદેશના કાકીનાડાના દરિયા કિનારે ટકરાઇ શકે છે. લેન્ડફોલ સમયે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી છે.  આજે સાંજે થશે લેન્ડફોલ  IMDની આગાહી અનુસાર સાંજ અથવા રાત સુધીમાં વાવાઝોડું કાકીનાડા, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે લેન્ડફોલ કરી શેક છે.

ચિંતાજનક સ્થિતિ: ગુજરાતમાં 21 ટકા બાળકો પ્રિ-ડાયાબિટિક, દેશની સરેરાશ કરતાં બમણું પ્રમાણ

Image
Children Prediabetes Rate Gujarat:  ગુજરાતમાં ડાયાબિટિસના વધતા જતા કેસ ચિંતાનો વિષય બન્યા છે. 3 કરોડથી વધુ વસતીમાં સૌથી વધુ ડાયાબિટિસના દર્દીઓમાં સૌથી વધુ મહિલા દર્દી હોય તેમાં ગુજરાત ચોથા અને પુરુષ દર્દીઓને મામલે પાંચમાં સ્થાને છે. માત્ર વયસ્કો જ નહીં પણ બાળકોમાં પણ ડાયાબિટિસના કેસ વધી રહ્યા છે. હાલ ગુજરાતમાં 10થી 19ની વયજૂથમાં 20.90 ટકા લોકો પ્રિ-ડાયાબિટિક હોવાનું સામે આવ્યું છે.

ઈન્દોરમાં ઑસ્ટ્રેલિયાની ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ ખેલાડીઓનો જ વાંક કાઢ્યો, કહ્યું- સૂચના વિના બહાર ન જવાય

Image
BJP Minister Blames Victims in Indore Harassment : મહિલા વર્લ્ડકપ માટે ભારત આવેલી ઑસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ સાથે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં છેડતીની શરમજનક ઘટના થઈ હતી. આ ઘટનાના કારણે વિશ્વભરમાં ભારતની છબી ખરડાઈ. જોકે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ મામલે પણ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ તો હવે પીડિતા ખેલાડીઓનો જ વાંક કાઢ્યો છે. તેમણે કહ્યું છે કે આમાં ખેલાડીઓની પણ ભૂલ છે. 

અમદાવાદમાં મોડી રાતથી વરસાદી માહોલ: ગુજરાતનાં મોટા ભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Image
Rain in Amreli, Botad, Ahmedabad : ગુજરાતમાં દિવાળી બાદ પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ કમોસમી વરસાદના કારણે અમદાવાદમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવાય અમરેલી અને બોટાદમાં પણ રાત્રિના સમયથી જ વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યાં વરસાદની સાથે ઠંડી પણ હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ છે. 

VIDEO: રશિયાએ યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું! 'અદ્રશ્ય' ન્યૂક્લિયર મિસાઈલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા

Image
Russia Tests New Nuclear Missile : યુક્રેન સામેના યુદ્ધ વચ્ચે રશિયાએ અમર્યાદિત રેન્જ અને મહિનાઓ સુધી હવામાં રહેવાની ક્ષમતા ધરાવતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના જણાવ્યા અનુસાર, આ મિસાઇલે તાજેતરમાં 14,000 કિલોમીટરની રેન્જમાં 15 કલાક ઉડાન ભરી હતી. આ સમય દરમિયાન, 'બુરેવેસ્તનિક' નામની આ અદ્રશ્ય મિસાઇલ દુનિયાથી સંપૂર્ણપણે છુપાયેલી રહી હતી.

શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત, ત્રણ સપ્તાહ આરામની સલાહ: સાઉથ આફ્રિકા સામે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો

Image
Vice-Captain Shreyas Iyer Suffers Rib Injury in Sydney ODI : સિડની વનડે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યર કેચ પકડતાં સમયે ઈજાગ્રસ્ત થઈ જતાં હવે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ બાદ જ મેદાન પર વાપસી કરી શકશે.  શનિવારે ઑસ્ટ્રેલિયા સામે સીરિઝની ત્રીજી વનડે મેચમાં અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. તે સમયે એલેક્સ કેરીનો શૉટ સીધો તેના તરફ આવતા તેણે છલાંગ લગાવી કેચ પકડી લીધો. જોકે આ ચક્કરમાં પાંસળીઓમાં જોરદાર આંચકો વાગ્યો.

મહારાષ્ટ્ર NDAમાં ફરી ડખા? શિંદે પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

Image
Maharashtra Political News : મહારાષ્ટ્રના મહાયુતિ (NDA) ગઠબંધનમાં બધું બરાબર ચાલી રહ્યું છે કે કેમ, તેવો સવાલ ફરી ઊભો થયો છે. શાસક ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેની શિવસેના પાર્ટીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના એક મંત્રી વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. શિવસેનાના એક નેતાએ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને BJP સાંસદ મુરલીધર મોહોલ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે, જેના કારણે બંને પક્ષોના નેતાઓ આમને-સામને આવી ગયા છે. રવીન્દ્ર ધાંગેકરના મોહોલ પર ભ્રષ્ચાચારના આરોપ શિવસેનાના પુણે મહાનગર એકમના પ્રમુખ રવીન્દ્ર ધાંગેકરે (Ravindra Dhangekar) આજે (24 ઓક્ટોબર) મોહોલ (Murlidhar Mohol) પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત

Image
Agra Accident News : ઉત્તરપ્રદેશના આગ્રામાં શુક્રવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો હતો. ન્યૂ આગ્રાના નગલા બૂઢી વિસ્તારમાં એક અત્યંત તેજ રફતાર કારે કાબૂ ગુમાવીને ઘરની બહાર બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અફરાતફરી મચી ગઈ હતી.

હૈદરાબાદ-બેંગ્લુરુ હાઈવે પર કરુણાંતિકા, બાઈક સાથે ટક્કર બાદ બસમાં આગ, 20થી વધુના મોત

Image
Hyderabad Accident : શુક્રવારે વહેલી સવારે કુર્નૂલ જિલ્લાના કલ્લુર મંડલના ચિન્નાટેકુર વિસ્તારમાં એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો જ્યારે હૈદરાબાદથી બેંગલુરુ જઈ રહેલી એક ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી ગઈ. આ અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ આખી બસ બળીને ખાખ થઈ ગઈ. અત્યાર સુધીમાં 20 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

‘ભારત શું કરશે, તે તમારે કહેવાની જરૂર નથી’ ટ્રમ્પના દાવા પર શશિ થરૂર ભડક્યા

Image
Shashi Tharoor Slams Donald Trump : કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સખત વાંધો ઉઠાવ્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખાતરી આપી છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે.’ ત્યારે આ મામલે થરૂરે ટ્રમ્પને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત તેના નિર્ણયો પોતે જ કરશે : થરૂર સાંસદ થરૂરે (Shashi Tharoor) સ્પષ્ટ કહ્યું કે, ‘મને નથી લાગતું કે, મિસ્ટર ટ્રમ્પ દ્વારા ભારતના નિર્ણયોની જાહેરાત કરવી યોગ્ય છે.

ચીનની વાત જુદી, પણ ભારત રશિયાથી ઓઈલ નહીં ખરીદે: ફરી ટ્રમ્પનો દાવો

Image
Trump Claims India Will Stop Buying Russian Oil : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ તથા રશિયાથી ઓઈલની આયાત મુદ્દે વિવાદ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવો કરી રહ્યા છે કે ભારત હવે રશિયાથી ઓઈલ નહીં ખરીદે.     ટ્રમ્પે કહ્યું, કે 'ભારતે મને આશ્વાસન આપ્યું છે કે હવે તેઓ રશિયાથી ઓઈલ નહીં ખરીદે. તેઓ અચાનક જ ઓઈલ ખરીદવાનું બંધ ના કરી શકે, આ એક લાંબી પ્રક્રિયા છે. પણ વર્ષના અંત સુધીમાં ભારતમાં રશિયાથી આવતા ઓઈલનું પ્રમાણ નહિવત થઈ જશે.

વાર્ષિક રાશિભવિષ્ય 2082: નવા વર્ષમાં કઈ રાશિઓને મળશે ધનલાભ? જાણો તમારી કારકિર્દી અને સ્વાસ્થ્યનું વિગતવાર ભવિષ્ય

Image
Vikram Samvat Gujarati Year 2082: વિક્રમ સંવત 2081નું વર્ષ અનેક સારા-નરસા પ્રસંગોનું સાક્ષી બનીને વિદાય લઈ રહ્યું છે, અને હવે એક નવી ઊર્જા સાથે ગુજરાતી નૂતન વર્ષ વિક્રમ સંવત 2082 દસ્તક આપવા જઈ રહ્યું છે. આ નવું વર્ષ અનેક અરમાનો, આશાઓ અને સંકેતો લઈને આવી રહ્યું છે, જેની શરૂઆત કારતક સુદ એકમ, બુધવાર, 22 ઓક્ટોબર, 2025ના રોજ થશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આવનારું આખું વર્ષ દરેક રાશિ માટે કેવા સંકેતો લઈને આવી રહ્યું છે, તેમજ કઈ રાશિને નાની પનોતી કઈ રાશિને મોટી પનોતી રહેશે, આ ઉપરાંત આખા વર્ષ દરમિયાન  દરેક રાશિનું વાર્ષિક રાશિફળ કેવું રહેશે, તે અંગે અહીં સુંદર અને વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી છે.

દિવાળી પર કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષા દળોએ IEDને નષ્ટ કર્યો

Image
Jammu and Kashmir News: દિવાળીના તહેવારમાં આતંકવાદીઓ ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. સુરક્ષા દળોની સતર્કતાએ આ હુમલાને નિષ્ફળ બનાવી દીધો. દિવાળી પહેલા સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન, સોમવારે દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હેફ વિસ્તારમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) મળી આવ્યું હતું. સુરક્ષા દળોએ તેનો સફળતાપૂર્વક નાશ કર્યો.

દિવાળીએ દિલ્હી 'ગેસ ચેમ્બર' બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

Image
Diwali and Delhi News : દેશભરમાં દિવાળીની ઉજવણી પૂર્વે જ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો કેર શરૂ થઇ ગયો છે. રવિવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયું હતું. જે ખરાબ સ્થિતિની કેટેગરી માનવામાં આવે છે. દરરોજ એક્યૂઆઇ વધી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી બાદ દિલ્હીનું પ્રદૂષણ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. જ્યારે પંજાબમાં પરાળી સળગાવવાની 241 ઘટના સામે આવી છે.

અમેરિકા બાદ કેનેડાથી પણ ભારતીયોને ડિપોર્ટ કરાયા, PM માર્ક કાર્નીએ કર્યો મોટો ખુલાસો

Image
Canada India Deport Data : છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાંથી ભારતીય નાગરિકોને બળજબરીથી બહાર કાઢવાના કેસોમાં જબરદસ્ત વધારો થયો છે. કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA)ના ડેટા મુજબ, આ વર્ષે આ આંકડો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. 28 જુલાઈ-2025 સુધીમાં કેનેડામાંથી 1891 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરાયા છે, જ્યારે 2019માં આ સંખ્યા માત્ર 625 હતી. આ સાથે જ કેનેડામાંથી ડિપોર્ટ કરાયેલા લોકોની યાદીમાં ભારત મેક્સિકો પછી બીજા સ્થાને છે. ડિપોર્ટની યાદીમાં ભારત બીજા ક્રમાંકે

દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ

Image
GRAP-2 Implemented In Delhi-NCR : દિવાળી પહેલા દિલ્હીની હવાની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વધતા પ્રદૂષણ સ્તરને લઈને દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(GRAP) 2 લાગુ કરવામાં આવ્યો છે. આ હેઠળ હવા પ્રદૂષણને લઈને અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. કોમન ફોન એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) મુજબ, રવિવારે (19 ઓક્ટોબર) દિલ્હીમાં સરેરાશ પ્રદૂષણ સ્તર 296 નોંધાયું હતું, જેના પગલે બેઠકમાં દિલ્હી-NCRમાં GRAP 2 પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ

ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીંકવામાં વાર નહીં કરીએ : પાક. આર્મી ચીફ મુનીરની શેખી

Image
India vs Pakistan News : ભારતમાં દિવાળીના તહેવારોની ઊજવણી ચાલી રહી છે ત્યારે પાકિસ્તાન હજુ પણ યુદ્ધના ઉન્માદમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ઝેર ઓકતા કહ્યું કે, ભારત સાથે ફરી યુદ્ધ થશે તો અમે પરમાણુ બોમ્બ નાંખી દઈશું. બીજીબાજુ ઉત્તર પ્રદેશના લખનઉમાં બ્રહ્મોસ મિસાઈલના ઉત્પાદન એકમમાંથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે, આખું પાકિસ્તાન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં આવે છે. આતંકીઓ પાકિસ્તાનમાં કોઈપણ ખૂણે સલામત નથી. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરે શનિવારે ખૈબર પખ્તુનખ્વાંના અબોટાબાદમાં પાકિસ્તાન મિલિટરી એકેડમી કાકુલમાં આર્મી કેડેટના પાસિંગ આઉટ સમારંભમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, ભારતની કોઈપણ નાની ઉશ્કેરણીનો પણ અમે જડબાતોડ જવાબ આપીશું.

મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા

Image
Mozambique Boat Accident: મોઝામ્બિકના બીરા બંદર નજીક શુક્રવારે એક બોટ પલટી ગઈ હતી. આ બોટમાં 14 ભારતીય ખલાસીઓ સવાર હતા, જે એક ટેન્કર પર ક્રૂ બદલવા માટે જઈ રહ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવાઈ છે. ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે બોટ પલટી ગયા બાદ પાંચ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. તેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને બીરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરી એરસ્ટ્રાઈક, 3 ક્રિકેટર્સ સહિત 10ના મોત, સીઝફાયરનું ઉલ્લંઘન

Image
Pakistan Air Strike News : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદે ટેન્શન વધી ગયું છે. બંને દેશો વચ્ચે શુક્રવારે 48 કલાકના સીઝફાયર અંગે સહમતિ થયાના અમુક જ કલાક બાદ તાલિબાને પાકિસ્તાન પર અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કરવાનો આરોપ મૂક્યો.  ડુરુન્ડ લાઈન નજીક જ એરસ્ટ્રાઈક  પાકિસ્તાને ડુરુન્ડ લાઈનની નજીક પક્તિકા પ્રાંતના અનેક જિલ્લાને નિશાન બનાવતા હવાઈ હુમલા કર્યા હતા. જ્યારે આ હુમલામાં 3 અફઘાની ક્રિકેટર્સ સહિત કુલ 10 લોકો મૃત્યુ પામી ગયા હતા.

NDAમાં ખેંચતાણ : ભાજપની નીતિથી યોગીના મંત્રી નારાજ થયા, 153માંથી 47 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા

Image
Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં ખેંચતાણ સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં ભાજપની સાથી પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ અને યુપી સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભરે (OP Rajbhar) બિહારમાં 153 બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે. પાર્ટીએ 47 ઉમેદવારોની યાદી જાહેર પણ કરી દીધી છે. રાજભર પોતે સ્વીકારી રહ્યા છે કે તેમના આ પગલાથી એનડીએને નુકસાન થઈ શકે છે. 3-4 બેઠકો મળે તો ઉમેદવારો પાછા ખેંચી લેવા તૈયાર

ગાંધીનગરમાં આજે નવા મંત્રીમંડળની શપથગ્રહણ વિધિ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લેવડાવશે શપથ

Image
New Cabinet of Gujarat: ગુજરાતના રાજકારણમાં એક મોટો અને અણધાર્યો વળાંક આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ ગુરુવાર, 16 ઓક્ટોબરના રોજ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ આજે સવારે 11:30 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળના શપથગ્રહણનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. તેવામાં આજે ગુરુવારે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યપાલ સાથેની બેઠક મુલતવી રખાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. શપથગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ અધ્યક્ષ જે.

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત

Image
Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ને લઈને કોંગ્રેસ પાર્ટીની પહેલી યાદી આજે ગુરુવારે (16 ઓક્ટોબર) મોડી રાત્રે જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 48 ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે, ત્યારે ચૂંટણીના પ્રથમ તબક્કામાં લડી રહેલા ઉમેદવારોની કુલ સંખ્યા 24 થઈ ગઈ છે. યાદી અનુસાર, નાલંદાથી કૌશલેન્દ્ર કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે જયેશ મંગલ સિંહને બગાહાથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

‘રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરાવવા પ્રતિબંધ લાદશો તો...’ ચીનની અમેરિકાને ધમકી

Image
China Reaction On US Threat : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું તંત્ર ભારત બાદ હવે ચીન પાછળ પડી ગયું છે. અમેરિકા સતત ચીન પર દબાણ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવવા મથી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ આ મામલે ચીનને ધમકી આપી હતી, ત્યારે હવે ચીને પણ તેને વળતો જવાબ આપ્યો છે. ‘જો અમેરિકા અમારા હિતોને નુકસાન કરશે તો અમે પણ જવાબ આપીશું’ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જિયાને કહ્યું કે, ‘અમે જે રીતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી રહ્યા છે, તે કાયદેસર છે.

'ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા...', અમેરિકાના ટેરિફ વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડના અધિકારીનું નિવેદન

Image
Swiss govt official amid US Trade Tariffs: સ્વિસ સરકારના સ્ટેટ સેક્રેટરી એટ ફોર ઇકોનોમિક અફેર્સ (SECO) ખાતે પ્રમોશનલ એક્ટિવિટીઝના ડિરેક્ટોરેટના વડા માર્ટિન સલાદીને બુધવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ હવે ભારતને એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદાર તરીકે જુએ છે, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી. અમેરિકા ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી અમેરિકા ટેરિફ અંગે સલાદીને કહ્યું, 'આ એક ચિંતાનો વિષય છે. સ્વિટ્ઝર્લૅન્ડ પર હાલમાં 39 ટકા સુધીના ખૂબ ઊંચા ટેરિફ લગાવાયા છે. આ ચોક્કસપણે એક મોટો પડકાર છે.

અમદાવાદ: દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ AMTSમાં મફત મુસાફરી કરી શકાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે

Image
Free Travel In AMTS During Diwali Festival : દિવાળી-બેસતું વર્ષ તહેવારના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં AMTS કમિટીએ તહેવારને ધ્યાનમાં રાખીને ધનતેરસથી ત્રણ દિવસ દરમિયાન તમામ લોકો માટે મફત મુસાફરીનો નિર્ણય લીધો છે. આ મામલે આવતીકાલે ગુરુવારે(16 ઓક્ટોબર) સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાશે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં AMTS બસ દોડાવામાં આવે છે. રોજના હજારો લોકો AMTS બસમાં મુસાફરી કરતાં હોય છે, ત્યારે આગામી ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ માટે પ્રવાસીઓ મફત મુસાફરી કરી શકે તે માટે AMTS કમિટીએ પ્રથમ વખત નિર્ણય લીધો છે.

અમેરિકા બાદ હવે બ્રિટન પણ વિઝા માટેના નિયમો અને અંગ્રેજીની પરીક્ષા આકરી બનાવશે

Image
London news :  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા, સ્ટુડન્ટ વિઝા સહિતના વિઝા માટેના માપદંડો અને શરતો આકરી બનાવીને ભારતીયો માટે મુશ્કેલી ઊભી કરી છે ત્યારે હવે બ્રિટને પણ વિઝા નીતિ વધુ મુશ્કેલ બનાવવાની તૈયારી કરી છે. બ્રિટનમાં વસાહતીઓ પર વ્યાપક તવાઈના ભાગરૂપે સ્ટાર્મર સરકારે સ્કિલ્ડ વિઝા અરજદારો માટે જરૂરી અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ આકરી બનાવવાનો નિર્ણય કર્યો છે. બ્રિટિશ સંસદમાં રજૂ કરાયેલા નિયમો મુજબ હવે સ્કિલ્ડ વર્ક વિઝા માટે અરજદારોએ એ-લેવલ (ધો.-12) સમકક્ષ અંગ્રેજી (બી2 સ્તર) બોલવા, વાંચવા, લખવા અને સમજવાની ક્ષમતા સાબિત કરી  પડશે. આ માટે 'સિક્યોર ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ' 8 જાન્યુઆરી, 2026થી લાગુ થશે.

ગુજરાત-મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ, બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ જાહેરાત

Image
Platform Ticket Sales Ban in Mumbai-Gujarat Railway Station : દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનો પર થતી ભારે ભીડને ટાળવા માટે પશ્ચિમ અને મધ્ય રેલવેએ મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટોના વેચાણ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા સોમવારે જાહેર કરાયેલી યાદી મુજબ, મુંબઈના બાંદ્રા ટર્મિનસ તેમજ, ગુજરાતના વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર 15થી 31 ઓક્ટોબર સુધી ટિકિટોના વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું કે, તહેવારોની ભીડ દરમિયાન સ્ટેશનમાં મુસાફરોની સરળ અવરજવર રહે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે હેતુથી આ નિર્ણય લેવાયનો છે. આ ચાર પ્લેટફોર્મ પર ટિકિટનું વેચાણ બંધ તહેવારોની સિઝનમાં મુસાફરોની સરળ અને સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

'સાહેબ, તમારા કારણે જ યુદ્ધ રોકાયું', શાહબાઝ શરીફ દ્વારા ખુશામત સાંભળી ટ્રમ્પ ગદગદ, મુનિરને ગણાવ્યો ફેવરિટ

Image
Shahbaz Sharif Credits Trump for India-Pak Peace : હજારોના મોત બાદ આખરે ગાઝામાં શાંતિ સ્થપાઈ છે. ઈઝરાયલ અને હમાસ સીઝફાયર માટે રાજી થયા બાદ ગઇકાલે ઈજિપ્તમાં સમિટ યોજાઈ હતી. આ સમિટમાં ટ્રમ્પ સહિત વિશ્વના અનેક નેતાઓ પહોંચ્યા હતા. અહીં મંચ પર ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ભાષણ આપવા બોલાવ્યા, બાદમાં શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા હતા.  શાહબાઝ શરીફે ટ્રમ્પના ભરપેટ વખાણ કર્યા 

દિવાળીમાં રાત્રિના બે કલાક જ ફોડી શકાશે ફટાકડા! ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર

Image
Diwali 2025: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવા અંગેની નવી સૂચનાઓ જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર, દિવાળીની રાત્રે માત્ર બે કલાક (રાતે 8થી 10) સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ, પર્યાવરણ પર વિપરીત અસર અને આગ લાગવાના બનાવો ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.

બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

Image
Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં NDAમાં બેઠક વહેંચણીનો મુદ્દો વધુ પેચીદો બની રહ્યો છે. ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ ગયા બાદ કેટલાક સાથી પક્ષો નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે. ગઠબંધનના મોટા સાથી પક્ષ ભાજપ અને જનતા દળ યુનાઇટેડ (JDU) એ રવિવારે સત્તાવાર રીતે બેઠક વહેંચણીની જાહેરાત કરી દીધી છે, તેમ છતાં સાથી પક્ષોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ચિરાગે JDUની પરંપરાગત બેઠકો માંગી સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિરાગ પાસવાનના નેતૃત્વવાળી LJP(R) દ્વારા જેડીયુની કેટલીક વર્તમાન અને મહત્વની બેઠકો પર દાવો કરવામાં આવતા ગઠબંધનમાં ગૂંચવાળો ઉભો થયો છે.

'ગાઝામાં યુદ્ધનો અંત, ઈઝરાયલ-હમાસ બંધકોની અદલા બદલી કરશે',મધ્યપૂર્વ જતા પહેલા ટ્રમ્પની જાહેરાત

Image
Donald Trump :   અમેરિકાના પ્રમુખ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં ચાલી રહેલા લાંબા યુદ્ધનો અંત આણવાની જાહેરાત કરી દીધી છે. તેમણે મધ્યપૂર્વમાં ઈજિપ્તની મુલાકાત પહેલા જ જાહેરાત કરી દીધી કે ઈઝરાયલ અને હમાસ હવે ટૂંક સમયમાં કેદીઓની આપ લે કરશે. 

અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, સાઉથ કેરોલિનાના બારમાં 4 લોકોના મોત, 20 ઘાયલ

Image
US Bar Mass Shooting: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક ભીડભાડવાળા બારમાં ગોળીબાર થયો છે. જેમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 થી વધુ ઘાયલ થયા છે. રવિવારે વહેલી સવારે સેન્ટ હેલેનામાં વિલીના બાર એન્ડ ગ્રીલમાં ગોળીબાર થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ભારે ભીડ હતી. ગોળીબાર થતા અનેક લોકો ઘાયલ થયા હતા.