ઈન્ડિગો એરલાઈન્સ પર વધુ એક સંકટ, સરકારે ફ્લાઈટો 10% ઘટાડવાનો આપ્યો આદેશ, CEOએ જોડ્યા હાથ

IndiGo Airlines Crisis : ઈન્ડિગો એરલાઈન્સ છેલ્લા એક અઠવાડિયાથી ફ્લાઈટો કેન્સલ થવાના કારણે મુસાફરોનો રોષ, રિફંડ-લગેજની સમસ્યા, નવા ફ્લાઈટ ડ્યુટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમો, કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે એરલાઈન્સનો વધુ એક ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે એરલાઈન્સને 10 ટકા ફ્લાઈટ ઘટાડવાનો આદેશ આપ્યો છે. જ્યારે ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઓફિસમાં બેઠક કરવા બોલાવવામાં આવ્યા ત્યારે તેઓ નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ હાથ જોડતા જોવા મળ્યા છે.
ઈન્ડિગોના CEOને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ઓફિસમાં બોલાવાયા
રિપોર્ટ મુજબ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગો એરલાઈન્સના સીઈઓ પીટર એલ્બર્સને આજે (9 ડિસેમ્બર) ઓફિસમાં બોલાવાયા હતા.
Comments
Post a Comment